લગ્નવીધી પુસ્તકાકારે

By ગાંડાભાઈ વલ્લભ

સમગ્ર લગ્નવીધી પુસ્તકાકારે જોવા માટે ક્લીક કરોઃ

lagnavidhi

Tags:

2 Responses to “લગ્નવીધી પુસ્તકાકારે”

  1. Pandit Parantap P Says:

    મહોદયશ્રી,
    સાદર સ્નેહાભિવાદન..આપનું લખાણ વાંચી આનંદ થયો. મેં ઉપનિષદ્, ધર્મ-વેદાન્ત અને વિજ્ઞાન પર આધારિત 13 પુસ્તકો તથા અન્ય લેખો ગુજરાતીમાં લખેલ છે. જેમાં યજ્ઞમિમાંસા, પંચદેવોપાસના અને સત્યનારાણકી કથા મેં સત્યદર્શન ને વિદ્વાનો સંતો નો ખૂબ સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે. શ્રી કૃષ્ણશંકરશાસ્ત્રી, સ્વામિ શ્રી જયેન્દ્રસરસ્તવતી (જગદ્ગૂરુ – કાંચી), સ્વામિ શ્રી સ્વરૂપાનન્દજી (જગદ્ગુરૂ – દ્વારકા) પૂ.મોરારીબાપુ. પ્રમુખસ્વામિ જેવાં પરમાદરણીય સંતોનાં આશિર્વાદ પ્રાપ્ત થયા છે. હુ આમ તો સિસ્ટમ્સ ઓફિસર છું. પરંતુ જ્યોતિષ ભાસ્કરનો એવાર્ડ 1985માં પ્રાપ્ત થયો છે. જ્યોતિષને મે વ્યવસાય તરીકે અપનાવ્યો નથી. હું નિયમિત સાંજે ઘરે પાઠશાળા ચલાવું છું જેમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓને યજુર્વેદ-કર્મકાંડ-સંસ્કૃત વ્યાકરણ (લઘુસિદ્ધાંત કૌમુદી) વગેરે શિખવું છુ્. આપને મારી કેટલીક રચનોઓ મોકલવા (પીડીએફ) માટે આપનુ ઈમેઈલ મોકલવાં વિનંતી.. આપનો સહયોગાકાંક્ષી…પંડિત પરન્તપ પ્રેમવલ્લભ – સિદ્ધપુર (ઉ.ગુ).

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    આદરણીય પંડીતશ્રી પરન્તપ પ્રેમવલ્લભ,

    નમસ્તે.

    આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

    હું લગભગ પાંત્રીસ વર્ષથી અહીં વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં છું. વર્ષો પહેલાં બધી વીધીઓ માટે અહીં કોઈ બ્રાહ્મણ કે પંડીતની સેવા ઉપલબ્ધ ન હતી, ત્યારે મારા સાળા સ્વ. નરસિંહભાઈએ હવન, લગ્ન, ફ્યુનરલ વગેરે વીધીઓ લગભગ ત્રીસેક વર્ષો સુધી કરી હતી. (ભારતીય સમાજની સેવા બદલ એમને ઈન્ગ્લેન્ડની રાણી તરફથી QSM એવોર્ડ આપવામાં આવ્યો હતો.) તેઓ નીવૃત્ત થયા ત્યારે વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશન દ્વારા આ વીધી કરવાનું મને સોંપવામાં આવ્યું હતું. વીસેક વર્ષ બાદ હું પણ નીવૃત્ત થયો છું અને હવે અહીં બ્રાહ્મણ છે.

    હું અહીં ગણીત-શીક્ષક તરીકે આવ્યો હતો. સંસ્કૃતનો કોઈ અભ્યાસ મેં કર્યો નથી. માત્ર માધ્યમીક શાળામાં ૮થી ૧૦ ધોરણ સુધી ૧૯૫૨-૫૩થી ૧૯૫૫-૫૬માં સંસ્કૃત એક વીષય તરીકે હતો.

    આપની માહીતી જાણી આનંદ થયો. આપની રચના સહર્ષ સ્વીકારીશ. આભાર.

Leave a Reply