દેલવાડા સ્મારક (ચાલુ) હું ૧૯૯૫માં પાછો ન્યુઝીલેન્ડ ગયો. ત્યાં મીત્રવર્તુળમાં સ્મારકના વીચારો રજુ કર્યા. ઑક્લેન્ડવાસી ઘણા ભાઈઓને વીચારો ગમ્યા. ખર્ચને પહોંચી વળવા ઑક્લેન્ડમાં એક સમીતીની રચના કરવામાં આવી. જેના અધ્યક્ષપદે મટવાડના શ્રી છોટુભાઈ છીમાને નીયુક્ત કરવામાં આવ્યા. ૧૨ વર્ષની કીશોરવયે ન્યુઝીલેન્ડ આવેલા દેલવાડાના મણીલાલ છગનભાઈએ ફાળો એકઠો કરવામાં તનમનધનથી મદદ કરી. એ રીતે ન્યુઝીલેન્ડમાં ફાળો એકઠો થયો. હું પાછો ભારત આવ્યો. ખર્ચને પહોંચી વળવા દેલવાડા વીભાગ અને કાંઠા વીભાગનાં ગામોમાંથી પણ લોકોએ હોંશે હોંશે ફાળો આપ્યો.
દેલવાડા-કાંઠા વીભાગ અને આસપાસનાં ગામોમાંથી રચવામાં આવેલી સ્થાનીક સમીતીએ ઉદ્ઘાટન માટે ૨૬મી જાન્યુઆરી ૧૯૯૭નો પ્રજાસત્તાક દીન પસંદ કર્યો. સ્મારકના ઉદ્ઘાટન માટે ગાંધીજીના પૌત્ર માનનીય શ્રી રાજમોહન ગાંધીને વીનંતી કરવામાં આવી. જેનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો.
ગામની પ્રાથમીક શાળા, ગામનાં યુવાન ભાઈબહેનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી સુંદર તૈયારી કરી. પુર્ણાના બંને કાંઠાનાં ગામોમાં નીમંત્રણો મોકલાયાં. લોકો આવ્યાં. ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઈન્ગ્લેન્ડ, કેનેડા અને દક્ષીણ આફ્રીકાથી પણ કેટલાક વતનપ્રેમીઓ પધાર્યા હતા.