સુવાક્યો
બુદ્ધવચન
(બ્લોગ પર તા. ૨૦–૧૧–૨૦૧૫)
બુદ્ધને કોઈકે પુછ્યું, “ધ્યાન કરવાથી તમને શું મળ્યું?”
બુદ્ધે કહ્યું, “કશું જ નહીં, પરંતુ મને કહેવા દો કે મેં ઘણું બધું ગુમાવ્યું છે. જેમ કે ક્રોધ, ચીંતા, ખીન્નતા(ડીપ્રેશન), ઉદાસીનતા, અસલામતી, તેમ જ ઘડપણ અને મૃત્યુનો ડર. આ બધું મેં ખોયું છે.
તમારા ક્રોધને સમસ્યાના ઉકેલમાં જોતરવો, વ્યક્તીઓ પ્રત્યે નહીં; તમારી શક્તીને સમસ્યાના ઉકેલમાં લગાડવી એ જ ડહાપણભરેલું ગણાય. – વિલિયમ આર્થર વૉર્ડ
તમારે સ્પષ્ટવક્તા થવું જોઈએ જેથી તમારા શબ્દો અમારા હૃદયમાં સુર્યપ્રકાશની જેમ સોંસરા ઉતરી જાય. -કોશાઈઝ
તમે શું જુઓ છો કે સાંભળો છો તે તમારા દૃષ્ટીબીંદુ પર, તમારા અભીગમ પર આધાર રાખે છે. વળી એનો આધાર તમારા વ્યક્તીત્ત્વ પર પણ છે જ. – સી. એસ. લુઈસ
આપણે આપણાં બાળકોને જ્યારે જીવન વીષે શીખવી રહ્યા હોઈએ ત્યારે એ બાળકો અપણને જીવન શું છે તે શીખવે છે. – એન્જેલા સ્વીન્ટ
જગતની સર્વોત્તમ ચીજને આપણે જોઈ કે સ્પર્શી શકીએ નહીં, એને માત્ર હૃદયંગમ જ કરવી રહે. –હેલન કેલર
આપણે વારંવાર જે કરીએ છીએ તે જ આપણે બનીએ છીએ. -શોન કવી
Leave a comment