આરોગ્ય માટે અગત્યની આઠ બાબતો

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

  1. સવારે ઉઠતાંની સાથે તરત ગરમ ગરમ પાણી ઉભડક બેસીને ખુબ ધીમે ધીમે પીવું.
  2. દીવસમાં જેટલી વાર ભોજન કરો તેટલી વાર ખાધા પછી અડધો કપ ગરમ ગરમ પાણી પીવું.
  3. ખાતી વખતે દરેક કોળીયો ઓછામાં ઓછો 32થી 40 વખત ચાવવો. અઠવાડીયામાં એક દીવસ ઉપવાસ કરવો. તદ્દન ખાવું જ નહીં એમ નહીં. દુધ, ફળ, કચુંબર વગેરે ખાઈ શકાય.
  4. સુતી વખતે માથું હંમેશાં પુર્વ દીશામાં અથવા ઉત્તર દીશામાં રાખવું. અને ડાબા પડખે સુવું. જેથી પેટના લીવર, પેનક્રીયાસ જેવા અવયવો સ્વસ્થ રહેશે.
  5. દરરોજ ઓછામાં ઓછી 30 મીનીટ કોઈ પણ પ્રકારની કસરત કરવી-યોગ, મેડીટેશન, જીમ, એરોબીક, લાફીંગ ક્લબ ગમે તે.
  6. દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક તડકો આખા શરીર પર પડવો જોઈએ, જેથી જરુરી વીટામીન ડી મળશે અને વીટામીન 12માં પણ વધારો થશે.
  7. સુર્યાસ્ત પછી ભારે ખોરાક ન લેવો. ખરેખર તો સુર્યાસ્ત પછી ખાવું જ નહીં, પણ ખાવું જ પડે તેમ હોય તો ખાધા પછી ગરમ ગરમ પાણી પીવું. ખાવાના ઓછામાં ઓછા અડધા કલાક પહેલાં એક મોટી પ્લેટ ભરીને ફળ ખાવાં.
  8. સૌથી અગત્યની વાત. કંઈ પણ થાય, હંમેશાં ખુશમીજાજ રહેવું. હસતાં રહેવું. જે દીવસે કંઈ ટેન્સન હોય, મુડ ખરાબ હોય, કોઈ ઝઘડો થયો હોય તે દીવસે ખાવું નહીં.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.