ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
- સવારે ઉઠતાંની સાથે તરત ગરમ ગરમ પાણી ઉભડક બેસીને ખુબ ધીમે ધીમે પીવું.
- દીવસમાં જેટલી વાર ભોજન કરો તેટલી વાર ખાધા પછી અડધો કપ ગરમ ગરમ પાણી પીવું.
- ખાતી વખતે દરેક કોળીયો ઓછામાં ઓછો 32થી 40 વખત ચાવવો. અઠવાડીયામાં એક દીવસ ઉપવાસ કરવો. તદ્દન ખાવું જ નહીં એમ નહીં. દુધ, ફળ, કચુંબર વગેરે ખાઈ શકાય.
- સુતી વખતે માથું હંમેશાં પુર્વ દીશામાં અથવા ઉત્તર દીશામાં રાખવું. અને ડાબા પડખે સુવું. જેથી પેટના લીવર, પેનક્રીયાસ જેવા અવયવો સ્વસ્થ રહેશે.
- દરરોજ ઓછામાં ઓછી 30 મીનીટ કોઈ પણ પ્રકારની કસરત કરવી-યોગ, મેડીટેશન, જીમ, એરોબીક, લાફીંગ ક્લબ ગમે તે.
- દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક તડકો આખા શરીર પર પડવો જોઈએ, જેથી જરુરી વીટામીન ડી મળશે અને વીટામીન 12માં પણ વધારો થશે.
- સુર્યાસ્ત પછી ભારે ખોરાક ન લેવો. ખરેખર તો સુર્યાસ્ત પછી ખાવું જ નહીં, પણ ખાવું જ પડે તેમ હોય તો ખાધા પછી ગરમ ગરમ પાણી પીવું. ખાવાના ઓછામાં ઓછા અડધા કલાક પહેલાં એક મોટી પ્લેટ ભરીને ફળ ખાવાં.
- સૌથી અગત્યની વાત. કંઈ પણ થાય, હંમેશાં ખુશમીજાજ રહેવું. હસતાં રહેવું. જે દીવસે કંઈ ટેન્સન હોય, મુડ ખરાબ હોય, કોઈ ઝઘડો થયો હોય તે દીવસે ખાવું નહીં.
Leave a comment