ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
એસીડીટી શાંત કરવાનો એક સહેલો અને અસરકારક ઉપાય ઠંડું દુધ છે. એક ગ્લાસ માત્ર ઠંડુ દૂધ ખાંડ કે બીજું કશું પણ નાખ્યા વીના પીવાથી એસીડીટીમાં રાહત થાય છે.
થોડો ગોળ ખાઓ
પેટની ગરમીમાં ગોળ ખાવાથી પણ આરામ થાય છે. ગોળ ખાધા પછી એક ગ્લાસ પાણી પીવું. જો ગોળ ખાધા પછી એક સામાન્ય ગ્લાસ કરતાં ઓછું પાણી પીશો તો કફ થઈ શકે છે. તો ગોળ ખાઈને એક ગ્લાસ ભરીને પાણી પીવાથી પેટ તરત જ ઠંડુ થઈ જશે અને એસીડીટી દુર થઈ જશે.
જીરુ અને અજમો પણ અસરકારક છે
અજમાની તાસીર ગરમ છે પણ જીરુ ઠંડુ છે. જો પેટમાં એસીડીટી કે બળતરા થતી હોય તો, એક ચમચી જીરૂ અને અજમો લઇને પેનમાં શેકી લો. જ્યારે બંને ઠંડા થાય ત્યારે તેમાંથી અડધી ચમચી લઈ એક ચમચી સાકર સાથે ખાઓ. ભોજન પછી બાકીની અડધી ચમચી એક ચમચી સાકર સાથે લેવી. આ પછી તરત પાણી પીવું નહીં, પણ ઓછામાં ઓછી દસ મીનીટ પછી બહુ જ ઓછા પ્રમાણમાં પાણી પી શકો.