ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
- ત્રીફળા ચુર્ણ 100 ગ્રામ અને વરીયાળીનું ચુર્ણ 100 ગ્રામ મીક્સ કરી એમાંથી એક એક ચમચી સવાર સાંજ પાણી સાથે અથવા અનુકુળ હોય તો ઘી સાથે લેવાથી આંખોની ક્ષમતા વધે છે.
- આંખમાં લાલાશ હોય તો ઘી આંજવાથી રતાશ દુર થશે.
- આંખમાં બળતરા થતી હોય તો આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટી શકે.
- સરગવાના પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના લગભગ દરેક પ્રકારના રોગ મટે છે, તથા આંખનું તેજ વધે છે.
- આંખમાં ઠંડા પાણીની છાલક અવારનવાર મારતા રહેવાથી આંખની ગરમી દુર થાય છે અને આંખનું તેજ પણ વધે છે.
- આંખ દુખતી હોય તો નાગરવેલનાં પાન (ખાવાનાં પાન)નો રસ આંખમાં નાખવાથી ફાયદો થાય છે.
- જીરાનું ચુર્ણ દરરોજ પાણી સાથે લેવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
- ત્રીફળાનું ચુર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે એ પાણી ગાળીને આંખોમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
Leave a comment