આંખની કાળજી

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

  1. ત્રીફળા ચુર્ણ 100 ગ્રામ અને વરીયાળીનું ચુર્ણ 100 ગ્રામ મીક્સ કરી એમાંથી એક એક ચમચી સવાર સાંજ પાણી સાથે અથવા અનુકુળ હોય તો ઘી સાથે લેવાથી આંખોની ક્ષમતા વધે છે.
  2. આંખમાં લાલાશ હોય તો ઘી આંજવાથી રતાશ દુર થશે.
  3. આંખમાં બળતરા થતી હોય તો આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટી શકે.
  4. સરગવાના પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના લગભગ દરેક પ્રકારના રોગ મટે છે, તથા આંખનું તેજ વધે છે.
  5. આંખમાં ઠંડા પાણીની છાલક અવારનવાર મારતા રહેવાથી આંખની ગરમી દુર થાય છે અને આંખનું તેજ પણ વધે છે.
  6. આંખ દુખતી હોય તો નાગરવેલનાં પાન (ખાવાનાં પાન)નો રસ આંખમાં નાખવાથી ફાયદો થાય છે.
  7. જીરાનું ચુર્ણ દરરોજ પાણી સાથે લેવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
  8. ત્રીફળાનું ચુર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે એ પાણી ગાળીને આંખોમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.