આ ઉપાય વૉટ્સએપ પર મારા જોવામાં આવ્યો છે. જો કે મેં સાંભળ્યું છે કે વૉટ્સએપ પર આવેલી બાબતોમાં કેટલો ભરોસો રાખી શકાય? જવાબ હતો શુન્ય. છતાં કોઈને હાર્ટની સમસ્યા હોય અને પોતાના જોખમે પ્રયોગ કરવો હોય તો કરી શકે. પ્રયોગ અજમાવતાં પહેલાં પોતાના આરોગ્ય ચીકીત્સકની સલાહ જરુર લેવી. કહેવામાં આવ્યું છે કે હૃદયને લોહી પહોંચાડનાર ધમની આ પ્રયોગથી ખુલી જાય છે અને ડૉક્ટરની કોઈ સારવારની જરુર રહેતી નથી. જો ડૉક્ટરની સારવાર ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ વીના એ બંધ કરી દેવી નહીં. આ પ્રયોગ નીચે મુજબ છે:
- એક કપ લીંબુનો રસ
- એક કપ આદુનો રસ
- એક કપ લસણનો રસ
- એક કપ એપલ સાઈડર વીનેગર
આ ચારેને મીક્સ કરી ધીમા તાપે ગરમ કરો. જ્યારે ત્રણ કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે એને ઠંડું પડવા દઈ એમાં ત્રણ કપ મધ ઉમેરો. દરરોજ સવારે ખાલી પેટે એમાંથી 3 ચમચી પ્રવાહી લેવાથી બધા બ્લોક્સ દુર થઈ જાય છે.
Leave a comment