સૌભાગ્યસુંઠી પાક નાગરમોથ, નાગકેસર, સુંઠ, મરી અને પીપર ૪૦-૪૦ ગ્રામ, વરીયાળી ૧૦ ગ્રામ અને ધાણા તથા એલચીદાણા ૫-૫ ગ્રામના બારીક ચુર્ણમાં ૩૨૦ ગ્રામ સુંઠનું ચુર્ણ મેળવવું. એમાં થોડું ઘી મીશ્ર કરી ૩.૨ લીટર ગાયના દુધમાં માવો બનાવવો. આ માવામાં ઘી મેળવી પાક બનાવવો. આખા દીવસમાં ૫૦ ગ્રામ જેટલો આ પાક ખાવાથી સુવાવડ પછીનાં તાવ, ઉલટી, શ્વાસ, ઉધરસ, બળતરા જેવા રોગો સામે શરીરને બળ મળે છે.
ટૅગ્સ: સૌભાગ્યસુંઠી પાક
ડિસેમ્બર 22, 2009 પર 8:13 એ એમ (am) |
આરોગ્ય માટેના ઘણા ઉપાયો જાણવા જેવા છે થોડા વિસ્તાર સાથે રજુ કરો તો વધુ સારુ લાગશે
LikeLike
ડિસેમ્બર 22, 2009 પર 8:28 એ એમ (am) |
આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.
LikeLike