ખીલ અને ખીલના ડાઘ

નોંધ: ઉપચાર કરતાં પહેલાં યોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.

(૧) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.

(૨) તલનો જુનો ખોળ ગાયના મુત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દુર થાય છે.

(૩) પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.

(૪) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ મટી જાય છે.

(૫) જાંબુના ઠળીયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.

(૬) સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મીનીટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.

(૭) ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે.

(૮) બદામને માખણમાં ખુબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.

(૯) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

(૧૦) આમળાં દુધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.

(૧૧) કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.

(૧૨) લીમડા કે ફુદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે.

(૧૩) તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે-ત્રણ મીનીટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.

(૧૪) લોધર, ધાણા અને ઘોડાવજને પાણીમાં લસોટી લેપ કરવાથી ખીલ મટે છે.

(૧૫) દરરોજ રાત્રે સુતી વખતે કાચા પપૈયાનું ક્ષીર(દુધ) ખીલ પર ચોપડતા રહેવાથી ખીલ મટી જાય છે.

(૧૬) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.

(૧૭) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.

(૧૮) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.

(૧૯) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

ટૅગ્સ: , , ,

286 Responses to “ખીલ અને ખીલના ડાઘ”

  1. suresh Says:

    dagh chhe

    Like

  2. mayur Says:

    mane mo par khub j khil nikalya che, ane mo par khada ane dagha pan padi gaya che, to te saf karvano koi upchar batavo………..please

    mayur patel

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે મયુર પટેલ,
      મેં મારા બ્લોગમાં ૧૯ ઉપાયો બતાવ્યા છે. આપને અનુકુળ આવે તે ઉપાય કરી શકાય, પરંતુ આ આયુર્વેદીક ઉપચારો હોઈ તેના જાણકાર વૈદ્યની સલાહ લેવી જોઈએ; કેમ કે દરેક શરીર અદ્વીતીય છે, આથી એના જાણકારને મળીને જ એ શરીર જોઈને શું અનુકુળ આવશે તેની માહીતી મેળવી શકાય. વળી આપને આયુર્વેદ સીવાય અન્ય ઉપચાર પદ્ધતીમાં રસ હોય તો ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી મળી શકશે. જો આપ ગુજરાતી લખી શકતા હો તો ‘ખીલ’ ‘ડાઘા’ વગેરે લખીને સર્ચ કરો તો ઘણી વેબસાઈટ મળશે. છતાં ગુજરાતી લખવાનું કીબૉર્ડ ન હોય તો હું નીચે બે વેબસાઈટ આપું છું. એના પર સર્ચ કરવાથી વધુ માહીતી મળશે.

      http://www.gurjari.netḍetails/pimple.marks.html
      http://www.gujaratsamachar.com/beta/content/view/14608/

      -ગાંડાભાઈનાં સ્નેહવંદન

      Like

      • patel kinjal Says:

        Pimple na khada due karva upay plz

        Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        કોઈ પણ ઉપચાર કરવા પહેલાં આરોગ્ય સલાહકાર ડૉક્ટર કે વૈદ્યની સલાહ લેવી. ઉપચાર તમને અનુકુળ હોય તેની ખાતરી કરને પછી જ કરવા. કદાચ નીચેના ઉપાય ઉપયોગી થઈ શકે.
        (૧) સુખડનું તેલ, અશ્વગંધા તેલ કે શ્રીપર્ણી તેલની ખીલના ખાડાવાળા ભાગ પર માલીસ કરવી.
        (૨) ટામેટાનો રસ લગાડતા રહેવું.
        (૩) લોધર, વરીયાળી અને ફુલાવેલી ફટકડીનો પાઉડર પાણીમાં કાલવી ખાડા પર લગાડવો.
        આ ઉપચાર આપને અનુકુળ આવે તો લાંબા સમયે કદાચ લાભ થઈ શકે.

        Like

  3. MALISURESH Says:

    KHIL MATADVA MATE KAI KREM NO UPIYOG KARVANO

    Like

  4. Amit Sonagra Says:

    mara mo par khub khil che. tene dur karvana upay batao. pls

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત બદલ આભાર. આશા છે કે આપ મારા બ્લોગમાં દર્શાવેલ લીન્કને અનુસર્યા હશો. એમાં જણાવ્યા મુજબ ઉપાયો તો યોગ્ય ચીકીત્સકની દેખરેખ હેઠળ કરવા ઉચીત છે.
      -ગાંડાભાઈ વલ્લભ

      Like

  5. NISARG Says:

    & btw khil pa6i black dag dur karva su karvu ??

    Like

  6. udit Says:

    moper papaiyanu dudh lagavathi dagha na pade mo per

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      માફ કરજો, મેં પપૈયાના દુધનો પ્રયોગ કર્યો નથી, આથી એના ઉપયોગથી ડાઘ પડે કે કેમ એ બાબત હું મારો અભીપ્રાય આપી શકું તેમ નથી. વળી અહીં પપૈયાનું દુધ મળી શકતું ન હોવાથી હું જાતે પ્રયોગ કરી શકું તેમ પણ નથી.
      હા, મને એક વાર એક નાની ગાંઠને હળદર અને મીઠા(નમક) વડે દુર કરવાનો અનુભવ છે. એ ગાંઠ પરુ બનીને જતી રહી હતી, આથી ત્યાં બહુ જ નજીવો ડાઘ રહી ગયો છે. જો ખીલ એ રીતે દુર થાય તો થોડો ડાઘ રહેવાની શક્યતા મને લાગે છે. પણ એ ડાઘને અન્ય ઉપાયોથી દુર કરી શકાય. મને રહી ગયેલા નજીવા ડાઘને દુર કરવાની કોઈ જરુરત મને લાગી નથી, આથી એનો કોઈ ઉપાય મેં કર્યો નથી. આમ છતાં દરેક વ્યક્તી અદ્વીતીય છે, આથી એક જણને થયેલો અનુભવ બીજાને પણ એ જ અસર કરશે એમ કહી ન શકાય. દરેકની પ્રકૃતી પર એનો આધાર રહે છે. અને આથી જ ચીકીત્સકની મદદ જરુરી ગણાય.

      Gandabhai Vallabh
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about Ayurveda)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

  7. kajal Says:

    mane khil bahu thay chhe.aa upcharo bahu saras chhe.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે કાજલબહેન,
      મારા બ્લોગની મુલાકાત લઈ કોમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર.
      આપ ગુજરાતીમાં લખવા ઈચ્છતાં હો તો સુરતના નીવૃત્ત શીક્ષક મુ. શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો સંપર્ક કરશો. એમણે જણાવ્યું છે:
      “ ……… કમ્પ્યુટર પર કામ કરતાં સહુ ગુજરાતી ગુજરાતીમાં લખતાં થાય તોય મોટી સેવા થશે. ઘણાં શીખ્યાં જ છે; પણ હજી ઘણાં બાકી છે. ક્યાંક લખીને અહીં ગુજરાતીમાં ચોંટાડવું પડે એ ઝંઝટમાંથી મુક્તી મેળવવા અમે તૈયારી કરી છે. તમે કઈ વીન્ડો(એક્સપી–વીસ્ટા કે એપલ–મૅક) વાપરો છો તે તથા તમારું ઠામ–ઠેકાણું લખી અમને એક મેઈલ uttamgajjar@gmail.com પર કરો. સુચનાઓ સાથેની બધી સામગ્રી તમને એક ઝીપ ફાઈલમાં મોકલી આપીશું. ઈન્સ્ટોલ કરો કે કરાવો અને ગુજરાતીમાં લખતા થઈ જાઓ, આમ જ, અહીં કર્સર મુકીને, સીધા. તમે ગુજરાતીમાં લખતા નહીં થઈ જાઓ ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું..”

      Gandabhai Vallabh
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about Ayurveda)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

    • kirti chaudhari Says:

      Chanano lots lgadvathi matei jay 6e
      Aane skin whiye thay 6e.

      Like

  8. karuna Says:

    mara mo par gandh jeva khil thaya che kai rite dur karva

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે કરુણાબેન,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      ખીલના ઉપાયો મેં બતાવ્યા છે તે ઉપરાંત પણ બીજા ઘણા આપ ઈન્ટરનેટ પરથી શોધી શકશો. એ માટેની લીન્ક મેં ઉપર આપી છે. આયુર્વેદમાં ઘણા બધા ઉપાયો જોવા મળે છે, એની પાછળનું કારણ મને લાગે છે કે એક જ રોગ પાછળ પણ વ્યક્તી વ્યક્તીએ અલગ અલગ કારણો હોઈ શકે. આથી ઉપાયો પણ અલગ અલગ હોય છે. આપને આપની પ્રકૃતી અનુસાર જે ઉપાય લાગુ પડે તેમ હોય તે કરવો જોઈએ.
      ખીલ ગાંઠની જેમ હોય તો હળદર અને મીઠું (નમક) પાણીમાં ભેળવી લેપ કરી શકાય. એને બને તેટલો વધુ સમય ખીલવાળા ભાગ પર લગાડેલો રાખવો જોઈએ. એનાથી બેત્રણ સપ્તાહમાં ખીલમાંથી પરુ દુર થવાની શક્યતા છે અને ખીલ મટી જઈ શકે. પરંતુ એનાથી ડાઘ રહેવાની શક્યતા છે. અન્ય ઉપાય વડે એ ડાઘ દુર કરવા પડે.

      Gandabhai Vallabh
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about Ayurveda)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

  9. karuna Says:

    thank u for that really i appreciate for this answer

    Like

  10. bhavin Says:

    mare khil na khada dur karva 6e….

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ભાવિનભાઈ,
      મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.
      કોઈ પણ ઉપચાર કરવા પહેલાં આપના આરોગ્ય સલાહકાર ડૉક્ટર કે વૈદ્યની સલાહ લેવી. કદાચ નીચેના ઉપાય ઉપયોગી થઈ શકે.
      (૧) સુખડનું તેલ, અશ્વગંધા તેલ કે શ્રીપર્ણી તેલની ખીલના ખાડાવાળા ભાગ પર માલીસ કરવી.
      (૨) ટામેટાનો રસ લગાડતા રહેવું.
      (૩) લોધર, વરીયાળી અને ફુલાવેલી ફટકડીનો પાઉડર પાણીમાં કાલવી ખાડા પર લગાડવો.
      આ ઉપચાર આપને અનુકુળ આવે તો લાંબા સમયે કદાચ લાભ થઈ શકે.

      Thank you.
      Gandabhai Vallabh
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about health)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

    • અનામિક Says:

      Mare khil na dagha matad va 6e.

      Like

  11. radadiya piyush Says:

    mara chahera par khubaj khil thai se ane me dava, kream, tube lagavi parntu kasho faydo thato nathi have hu dava karavi ne thaki gayo su. koi uapchar batavo…………………….plz plz plz

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે પિયુષભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      આપ ઉપર જોશો તો ખીલ અને ખીલના ડાઘ બાબત મેં ૧૯ જેટલા ઈલાજ બતાવ્યા છે, તથા આ બાબત ઘણી ચર્ચા પણ આપ ઉપર જોઈ શકશો.
      મારાં પત્ની હાલ હળદર અને આમળાનાં ચુર્ણોને પાણીમાં મીક્ષ કરી ચહેરા પર લગાવવાનો પ્રયોગ કરે છે. એણે પહેલાં હળદર અને મીઠું (નમક) લગાવી જોયેલું, તેની અસર એને પ્રતીકુળ લાગી હતી. જ્યારે મને હળદર-મીઠાના પ્રયોગથી લાભ થયો હતો. આમ દરેકને એક જ ઉપાય કામ આવી ન શકે. આથી પોતાની પ્રકૃતી અનુસાર ઉપાય કરવો જોઈએ. આ કારણથી આયુર્વેદમાં એક જ પ્રકારની તકલીફ માટે એકથી વધુ ઉપાયો બતાવેલા આપણે જોઈએ છીએ. યોગ્ય ચીકીત્સક આપની સાથે વાતચીત કરીને તથા આપને તપાસીને આપને અનુકુળ ઉપાય સુચવી શકે. આમ છતાં આપણી પ્રકૃતીને અનુકુળ ન હોય તો આયુર્વેદીક દવાની પણ વીપરીત અસર થાય છે. મને એવો અનુભવ થયો છે-વૈદ્યે આપેલી દવાનો.

      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  12. અનામિક Says:

    mara chahera par koi cream sutha nathi thati….pan mara chahera par khila na bahu daga che…ane black hit bahu che

    Like

  13. અનામિક Says:

    HI

    NAMSKAR SIR MARE KHIL KHUBAJ 6A PAN MAT TA NATHI TO TAMRU MARG DARSHAN ANE TAMARI DAVA NO LABHA AAPSO JI……… DIVYESH 99041 13424.

    Like

  14. DIVYESH Says:

    HI
    MANE KHIL MATAD VA MATE NI DAVA JOY 6A

    99041 13424.

    Like

  15. DIVYESH Says:

    MARE TAMARI DAVA NO UPYOG KARVO 6A TO TAMARE DAVA KYA MAL SE.
    99041 13424.

    Like

  16. joyanaz khatri Says:

    mane udras bahu j thay che sukhi udras che plz koi ilaj batavo

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો હાર્દીક આભાર.
      બધા જ પ્રકારની ઉધરસ વીષે મારા બ્લોગમાં નીચેની લીન્ક દ્વારા આપ માહીતી મેળવી શકશો. એમાં થયેલા વાર્તાલાપ પણ અગત્યની માહીતી માટે ખાસ વાંચવા આપને મારી વીનંતી છે.
      ઈન્ગલેન્ડમાં લગભગ ૮૧ વર્ષની ઉંમરના મારા એક મીત્રનો તાજેતરનો અનુભવ ખાસ જાણવા જેવો છે. એમની ફરીયાદ પણ લાંબા સમયથી ઉધરસ બાબત હતી. ઘણી દવા કરી પણ કશો ફાયદો થતો ન હતો. આ પછી એમણે સાંજનું ખાવાનું છોડી દીધું અને ઉધરસ જતી રહી. આપે આપની ઉંમર કે બીજી કોઈ બાબત જણાવી નથી, આથી જ નીચેની લીન્કમાં આપેલ વાર્તાલાપ ખાસ જોવા ફરીથી વીનંતી કરું છું.
      https://gandabhaivallabh.wordpress.com/2010/03/18/%E0%AA%89%E0%AA%A7%E0%AA%B0%E0%AA%B8/
      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  17. joyanaz khatri Says:

    maro haji ek question che mara modha par hair bahu j che girl chhu to ganu saram janak kahevay hu koi opration k leser kiran vade aano upar krva nathi mangti plz mari mail id par ano koi upay batao hu thrading krau chu pan enathi mane gnu j nuksan thay che plz mari smshya nu ukel apjo

    Like

  18. jaydip solanki Says:

    pls sir
    mane khil mota mot thaya 6e ane tena dagh pan 6e
    pls koi upay bata vo

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે જયદીપભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      આપના પ્રશ્ન અંગે ઉપર ઘણી બાબતો કહેવાઈ ગઈ છે. આશા છે કે આપે એ બધું વાંચ્યું હશે. જો આપે એ જોયું ન હોય તો આ સાથે આપના સરનામે ઈમેઈલ પણ મોકલું છું.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  19. brijesh Says:

    hu syam 6u white thava su karavu.

    Like

  20. Ravji sodhaliya Says:

    Upcharo sara che

    Like

  21. Vijay parmar Says:

    Sir,
    Atyare summer season chale chhe…ane ena lidhe mara hoth par popadio vadi jay chhe…

    Koi upay batavso plz

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે વિજયભાઈ,
      ઉનાળામાં હોઠ પર પોપડીઓ વળી જાય એ મારી સમજમાં આવતું નથી. સામાન્ય રીતે શીયાળામાં હવા સુકી હોવાથી એમ બને. હોઠની તકલીફ બાબત મારી જાણમાં નીચેના ઉપાયો છે, પરંતુ એ આપને અનુકુળ છે કે કેમ તેની યોગ્ય ચીકીત્સકને મળી સલાહ લેવી જોઈએ. કેટલીક વાર નીર્દોષ જણાતા ઉપાય પણ કોઈ કોઈ વ્યક્તીને પ્રતીકુળ હોઈ શકે. વળી દરેક વ્યક્તી અદ્વીતીય હોય છે, આથી એકને અનુકુળ હોય તે બધાંને જ અનુકુળ નીવડશે એમ ન પણ બને.
      (૧) રાતે સુતાં પહેલાં હોઠ ઉપર એરંડીયું બરાબર ઘસીને સુઈ જવાથી સારું થવાની શક્યતા છે.
      (૨) તીખા રસનું વધુ પડતું સેવન કરવાથી પણ હોઠ પર આ પ્રકારની અસર થઈ શકે. આથી વધુ પડતું તીખું (જેમાં બધી જ તીખી વસ્તુઓનો સમાવેશ થાય છે) ખાવું નહીં.
      (૩) તલના તેલનો અવાર-નવાર કોગળો કરવાથી કદાચ લાભ થાય.
      (૪) જીરુ પાણીમાં વાટી હોઠ પર ચોપડવાથી તાવનો બરો મુતર્યો હોય તો ફાયદો થાય છે.
      (૫) સરસવનું તેલ અથવા હુંફાળું ઘી નાભી ઉપર લગાડવાથી હોઠ ઉપર ચીરા પડશે નહીં.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  22. gopi Says:

    MARI SKIN OILY CHE ANE TENA PAR KHIL HAY CHE ANE GANA DAAG PAN CHE TO PLZ MANE SACHI ANE SACHOT DAVA BATVO,ANE HU ATYARE ACNESTAR GEL VARU CHU TE MARI PRAKRUTI MATE UPIYOGI CHE KE NATHI TE MANE BATAVSO. MARI UMAR 20 CHE. mane jaldi uttar apo

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ગોપીબહેન,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      બહેન, આપની પ્રકૃતી કેવી છે – વાત, પીત્ત, કફ તે કાબેલ વૈદ્ય આપની પ્રત્યક્ષ મુલાકાતથી કદાચ કહી શકે અને તે મુજબનું ઔષધ પસંદ કરે. નઆપે જણાવેલ ઔષધ ACNESTAR GEL શું છે તેની મને કોઈ જાણકારી નથી કે નથી તો આપણી પ્રકૃતીની જાણકારી. આથી આ બાબતમાં હું કશું માર્ગદર્શન આપી શકું નહીં, તો માફ કરશો.
      વળી ખીલ અને ખીલના ડાઘ વીશે ઉપર ઘણું કહેવાયું છે તે વાંચવા વીનંતી.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  23. Ravji Says:

    khi thava thi khada padi gya 6e su karvu

    Like

  24. Raghav Says:

    Hu khil ni samasya thi piday rahyo 6u. Me anek creem vapri joya 6ta mane enathi koi j fer nathi. Mari ”vat” prakruti 6e. Please mane koi saro upchar batavo.

    Like

  25. KAMIYAB.D Says:

    Mane khubaj khil thai se to upchar batavso.

    Like

  26. Mahebub Says:

    mara saheb, hu aap no aabhari rahis jo tame koi sari tips aapso,

    Mara face par khub j khil thya chhe….. bav kharab lage chhe.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે મહેબુબભાઈ,

      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.

      આ વીષય બાબત ઉપર જોશો તો ઘણું બધું કહેવાયું છે. આપને અનુકુળ ઉપાય કોઈ સારા આયુર્વેદ ચીકીત્સકની સલાહ મુજબ કરી શકો. મારી વીનંતી છે કે આપ ઉપરની બધી વીગતો જોઈ હોય તો પણ ફરીથી કાળજીપુર્વક જોઈ જશો.

      એક હકીકત વીષે આપનું ધ્યાન દોરવા ઈચ્છું છું. એલોપથી અને આયુર્વેદના સીદ્ધાંતો અલગ અલગ છે, આથી એના ઈલાજો પણ અલગ હોવાના. એલોપથી ઘણુંખરું રોગનાં ચીહ્નો મટાડવાના ઈલાજ કરે છે, જ્યારે આયુર્વેદ રોગને નાબુદ કરવાના ઈલાજ કરે છે. આથી જે તકલીફ પેદા થઈ હોય તેનાં કારણો જાણી ઈલાજ કરવો જોઈએ.

      Thank you.

      Best regards.

      Gandabhai Vallabh-NZ

      My blog:

      https://gandabhaivallabh.wordpress.com/

      Like

  27. mahebub Says:

    saheb, koi upay btavo please,

    Like

  28. Bhavik Says:

    Khil na khada mate su karvanu

    Like

  29. Abc Says:

    tamara aapela upchar thi koi gerlabh thase kharo?

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,

      મારા બ્લોગની મુલાકાત લઈ બહુ જ મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થીત કરવા બદલ હાર્દીક આભાર.

      આપના પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે “હા થઈ શકે.”

      ઉપચાર પોતાની પ્રકૃતીને પ્રતીકુળ હોય તો નુકસાન થાય. આ પ્રતીકુળતા ઔષધનો પ્રકાર, ઔષધ લેવાની રીત, ઔષધનું પ્રમાણ, ઔષધ લેનારના આહારવીહાર વગેરે ઘણી બાબતો પર આધાર રાખે છે. મારો પોતાનો અનુભવ એક આયુર્વેદીક ઔષધ વીષે છે. કેટલાંક વર્ષ પહેલાં હું દેશ આવ્યો હતો ત્યારે એક ઉપચારક પાસે ઔષધ લીધેલું. એમણે આપેલો એ ઔષધનો કોર્સ કાળજીપુર્વક મેં પુરો કર્યો હતો. ત્યાર બાદ એની વીપરીત અસર મારા પર થઈ હતી.

      Thank you.

      Best regards.

      Gandabhai Vallabh-NZ

      My blog:

      https://gandabhaivallabh.wordpress.com/

      Like

  30. અનામિક Says:

    va mate ni koi dava 6. end english ma su kevay.

    Like

  31. dhanrajsinh Says:

    mane nakori ( nak mathi khun niklvu ) bav fute 6e to tene bandh karva mate ni jadpi dava aapo ane as problem kayam Thai 6e to nikal karo plZ
    નમસ્તે,
    ઉપાય આપના આરોગ્ય ચીકીત્સકની મદદથી કરવા. ઉપાય આપની પ્રકૃતીને અનુકુળ હોય તે મુજબ યોગ્ય ચીકીત્સક આપને તપાસીને કહી શકે.
    (૧) દરરોજ સવારે અડધી વાટી જેટલું કોપરું ચાવી ચાવીને ખાતા રહેવું. નીયમીત આ રીતે કોપરું ખાતા રહેવાથી લાંબા ગાળે નસકોરી ફુટવાની ફરીયાદ દુર થાય છે.
    (૨) નસકોરી ફુટી હોય તો દાડમના રસનાં નાકમાં ટીપાં મુકવાં.
    (૩) નસકોરી ફુટે ત્યારે ગોટલીનો રસ નાકમાં મુકવો.
    (૪) દાડમનાં ફુલ અને લીલી ધરોને પથ્થર પર છુંદી, લસોટી થોડું પાણી મુકી વસ્ત્રથી દબાવી ત્રણ-ચાર ટીપાં નાકમાં મુકવાથી થોડી વારમાં જ નસકોરી બંધ થાય છે.
    (૫) આમળાના ચુર્ણને દુધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વારંવાર ફુટતી નસકોરી બંધ થાય છે.
    (૬) આંબાની ગોટલીના રસનું નસ્ય લેવાથી (તેને નાક વડે સુંઘવાથી) નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
    (૭) ખટમીઠા દાડમના ૧૦૦ ગ્રામ રસમાં ૨૦ ગ્રામ સાકર મેળવી રોજ બપોરે પીવાથી ગરમીના દીવસોમાં નસકોરી ફુટતી હોય તો તે બંધ થાય છે.
    (૮) ગાયના ઘીનાં ટીપાં નાકમાં પાડવાથી નસકોરી મટે છે.
    (૯) તાળવા ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી નસકોરી મટે છે.
    (૧૦) દહીંમાં મરી અને જુનો ગોળ નાખી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
    (૧૧) વડની છાલ, કુણાં પાન કે કુણી કુંપળોનો ઉકાળો પીવાથી નસકોરીમાં ફાયદો થાય છે.
    (૧૨) ઘઉંના લોટમાં સાકર અને દુધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
    (૧૩) કાયમ નસકોરી ફુટતી હોય તો દરરોજ સવાર-સાંજ એક કપ દુધમાં એક ચમચો ઘી નાખી નીયમીત પીવાથી લાભ થાય છે.
    (૧૪) દરરોજ એક કપ દુધમાં એક ચમચો દહીં મેળવી નીયમીત પીવાથી નસકોરી ફુટવાની ફરીયાદ દુર થાય છે.
    (૧૫) દાડમના દાણાનો રસ દીવસમાં ચારપાંચ વાર સાકર નાખી પીવાથી નસકોરી ફુટવાનું મટે છે.
    (૧૬) અરડુસીનાં પાનનાં ટીપાં નાકમાં મુકવાથી નસકોરીનું લોહી અટકે છે.
    (૧૭) બરફનું પાણી માથે રેડવાથી કે બરફની કોથળી માથે મુકવાથી નસકોરી ફુટી લોહી નીકળતું હોય તો તે બંધ થાય છે.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      ઉપાય આપના આરોગ્ય ચીકીત્સકની મદદથી કરવા. ઉપાય આપની પ્રકૃતીને અનુકુળ હોય તે મુજબ યોગ્ય ચીકીત્સક આપને તપાસીને કહી શકે.
      (૧) દરરોજ સવારે અડધી વાટી જેટલું કોપરું ચાવી ચાવીને ખાતા રહેવું. નીયમીત આ રીતે કોપરું ખાતા રહેવાથી લાંબા ગાળે નસકોરી ફુટવાની ફરીયાદ દુર થાય છે.
      (૨) નસકોરી ફુટી હોય તો દાડમના રસનાં નાકમાં ટીપાં મુકવાં.
      (૩) નસકોરી ફુટે ત્યારે ગોટલીનો રસ નાકમાં મુકવો.
      (૪) દાડમનાં ફુલ અને લીલી ધરોને પથ્થર પર છુંદી, લસોટી થોડું પાણી મુકી વસ્ત્રથી દબાવી ત્રણ-ચાર ટીપાં નાકમાં મુકવાથી થોડી વારમાં જ નસકોરી બંધ થાય છે.
      (૫) આમળાના ચુર્ણને દુધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વારંવાર ફુટતી નસકોરી બંધ થાય છે.
      (૬) આંબાની ગોટલીના રસનું નસ્ય લેવાથી (તેને નાક વડે સુંઘવાથી) નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
      (૭) ખટમીઠા દાડમના ૧૦૦ ગ્રામ રસમાં ૨૦ ગ્રામ સાકર મેળવી રોજ બપોરે પીવાથી ગરમીના દીવસોમાં નસકોરી ફુટતી હોય તો તે બંધ થાય છે.
      (૮) ગાયના ઘીનાં ટીપાં નાકમાં પાડવાથી નસકોરી મટે છે.
      (૯) તાળવા ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી નસકોરી મટે છે.
      (૧૦) દહીંમાં મરી અને જુનો ગોળ નાખી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
      (૧૧) વડની છાલ, કુણાં પાન કે કુણી કુંપળોનો ઉકાળો પીવાથી નસકોરીમાં ફાયદો થાય છે.
      (૧૨) ઘઉંના લોટમાં સાકર અને દુધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
      (૧૩) કાયમ નસકોરી ફુટતી હોય તો દરરોજ સવાર-સાંજ એક કપ દુધમાં એક ચમચો ઘી નાખી નીયમીત પીવાથી લાભ થાય છે.
      (૧૪) દરરોજ એક કપ દુધમાં એક ચમચો દહીં મેળવી નીયમીત પીવાથી નસકોરી ફુટવાની ફરીયાદ દુર થાય છે.
      (૧૫) દાડમના દાણાનો રસ દીવસમાં ચારપાંચ વાર સાકર નાખી પીવાથી નસકોરી ફુટવાનું મટે છે.
      (૧૬) અરડુસીનાં પાનનાં ટીપાં નાકમાં મુકવાથી નસકોરીનું લોહી અટકે છે.
      (૧૭) બરફનું પાણી માથે રેડવાથી કે બરફની કોથળી માથે મુકવાથી નસકોરી ફુટી લોહી નીકળતું હોય તો તે બંધ થાય છે.

      Thank you.

      Best regards.

      Gandabhai Vallabh-NZ

      My blog:

      https://gandabhaivallabh.wordpress.com/

      Like

  32. vipul thakor Says:

    N

    Like

  33. Radadiya Ghanshayam Says:

    Me akaj tyub no upyog karyo 6
    Mara charts par khil and tens dhagha 6
    To such karavo

    Like

  34. chavda vipul Says:

    mara mo par khil na khada 6e. teni mate dava aapva vinti…pleas……..mo;9033273485

    Like

  35. ગાંડાભાઈ વલ્લભ Says:

    મેં મારા બ્લોગમાં ૧૯ ઉપાયો બતાવ્યા છે. આપને અનુકુળ આવે તે ઉપાય કરી શકાય, પરંતુ આ આયુર્વેદીક ઉપચારો હોઈ તેના જાણકાર વૈદ્યની સલાહ લેવી જોઈએ; કેમ કે દરેક શરીર અદ્વીતીય છે, આથી એના જાણકારને મળીને જ એ શરીર જોઈને શું અનુકુળ આવશે તેની માહીતી મેળવી શકાય. વળી આપને આયુર્વેદ સીવાય અન્ય ઉપચાર પદ્ધતીમાં રસ હોય તો ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી મળી શકશે. જો આપ ગુજરાતી લખી શકતા હો તો ‘ખીલ’ ‘ડાઘા’ વગેરે લખીને સર્ચ કરો તો ઘણી વેબસાઈટ મળશે. છતાં ગુજરાતી લખવાનું કીબૉર્ડ ન હોય તો હું નીચે બે વેબસાઈટ આપું છું. એના પર સર્ચ કરવાથી વધુ માહીતી મળશે.
    http://www.gurjari.net.details/pimple.marks.html/
    http://www.gujaratsamachar.com/beta/content/view/14608/

    Like

  36. Harish Raotole Says:

    dear sir ji

    Maro face oily chhe. ane 1 khil thai hati je mati gai chhe pan daag haji nathi jato . to ena mate koi dava ke koi creem ke koi face wash janavo. pls

    Like

  37. અનામિક Says:

    mane khil thaya che to tene matadva shu karvu

    Like

  38. chetan Tailor Says:

    mara mo par bahu khil nikaly 6 2/3 mahina thai gaya pan khil matataj nathi koi upay batavo plz sir

    Like

  39. gandabhai vallabh Says:

    નમસ્તે ચેતનભાઈ,
    આપ નીચેનો પ્રયોગ જો આપની પ્રકૃતીને પ્રતીકુળ ન હોય તો અજમાવી શકો.
    પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.

    Like

  40. dinesh Says:

    Mane .Modha par mota ne nota khil that she tene matadava dava batav Jo…..ply . Ply

    Like

  41. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે દીનેશભાઈ,
    જો આપે ઉપર બતાવેલ ઉપાયો પૈકી કોઈ અજમાવ્યો ન હોય તો આ પ્રયોગ આપની પ્રકૃતીને પ્રતીકુળ ન હોય તો અજમાવી શકો. હળદર અને મીઠું (નમક) પાણીમાં કાલવી ખીલવાળા ભાગપર લગાડવું. એને જેટલા સમય સુધી રાખી શકો તેટલા સમય સુધી રાખવું. એનાથી ખીલ મટી ગયા પછી કદાચ થોડો કાળો ડાઘ રહેવાની શક્યતા છે, જે અન્ય અનુકુળ ઉપાય વડે દુર કરવા પડે. જેમ કે વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવો.

    Like

  42. parmar prayik Says:

    khil dur karva mate

    Like

  43. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    આપ ઉપર જોશો તો ખીલ દુર કરવા માટે ઘણા ઉપાયો છે. મને પ્રીય ઉપાય હળદર-મીઠાનો છે, અને મેં જેમને એ ઉપાય સુચવ્યો તેમણે એ કર્યો કે કેમ તેની કોઈ માહીતી મળી શકી નથી. આપની પ્રકૃતીને એ અનુકુળ છે કે કેમ તે જાણી યોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર આપ એ અજમાવી શકો.

    Like

  44. vala bhavik Says:

    મને નાક પર બહુ ખીલ થાય છે તેને મટાડવા કોઇ ક્રીમ હોય તો મને કહેવા વિનંતી.

    Like

  45. Gandabhai Vallabh Says:

    નમસ્તે ભાવિકભાઈ,
    ખીલ માટે આયુર્વેદમાં કોઈ ક્રીમ હોય તો એની જાણ મને નથી, પણ ઉપર મેં ખીલ અને ખીલના ડાઘ માટે ૧૭ જેટલા ઉપાયો બતાવ્યા છે, અને એના પર પ્રશ્નોત્તર પણ આપ જોઈ શકશો. એ પૈકી કોઈ ઉપાય આપની પ્રકૃતીને અનુકુળ હોય તો યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ અજમાવી શકો.

    Like

  46. pritu patel Says:

    dear sir,
    mane ankh niche ghana kala mas thaya chhe…to ae mtadva mate koi upai jnavso please…

    Like

  47. Gandabhai Vallabh Says:

    નમસ્તે પ્રીતુ,
    ઉપર મેં ખીલ બાબત 17 ઉપાયો બતાવ્જોયા છે, જે મસાને પણ લાગુ પડી શકે. જો આપે ઉપર બતાવેલ ઉપાયો પૈકી કોઈ અજમાવ્યો ન હોય અને આ પ્રયોગ આપની પ્રકૃતીને પ્રતીકુળ ન હોય તો અજમાવી શકો. હળદર અને મીઠું (નમક) પાણીમાં કાલવી મસાવાળા ભાગપર લગાડવું. એને જેટલા સમય સુધી રાખી શકો તેટલા સમય સુધી રાખવું. જેમ વધુ લાંબા સમય સુધી રાખવામાં આવે તેમ જલદી ફાયદો થઈ શકે. એનાથી મસા મટી ગયા પછી કદાચ થોડો કાળો ડાઘ રહેવાની શક્યતા છે, જે અન્ય અનુકુળ ઉપાય વડે દુર કરવા પડે. જેમ કે વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવો.

    Like

  48. alpesh desai Says:

    namaste sir hu aap na upchar vanche ne khubaj prabhavit thayo chu sir , sir mara gala ni upar black masa thayo cha pan mat to nathi ma ghani badhi dava kari jam ka loko ya mane chuno lagav va nu pan kahe lu ane sabu pan lagav vanu kahelu pan maso moto thato jay cha sir to mane koy yogya hoy tave medical ya to aayurvadck dava batav so aap no aabhar sir ji

    Like

  49. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અલ્પેશભાઈ,
    તમે મેં ઉપર લખેલો હળદર અને મીઠું(નમક) પાણીમાં કાલવીને લગાડવાનો ઉપાય વાંચ્યો જ હશે. એ મેં મારી ઉપર કરેલો જાતઅનુભવ છે. મને છાતી પર મસો થયો હતો, જે મેં ડૉક્ટર પાસે કપાવેલો, છતાં ફરીથી એ જ જગ્યાએ થયો હતો. મટતો જ ન હતો. એના પર પાણીમાં હળદર અને મીઠું કાલવીને લગભગ દસ-બાર દીવસ લગાડવાથી મસામાંથી પરુ બની એ દુર થયો હતો, અને ફરી કદી થયો નથી. આ ઉપાય હું ઘણા લોકોને કહું છું, પણ કોઈ એ કરે છે કે કેમ તેની મને ખબર નથી, કેમ કે કોઈ એ કર્યો હોય તો જણાવતું નથી. જો લોકો જણાવે તો બીજાંને એનાથી લાભ થઈ શકે. મને લાગે છે કે આ ઉપાયથી કશું નુકસાન થતું નથી. જો કોઈએ કર્યો હોય અને નુકસાન થયું હોય તો આજ સુધી મને કોઈએ કશી માહીતી આપી નથી. જો તમે આ ઉપાય કરી જુઓ તો પરીણામ જણાવવાની મહેરબાની કરશો?

    Like

  50. durgesh Says:

    give me pimples tips on my e mail please……
    ..

    Like

  51. akhilesh dodiya Says:

    mane. bahu khil thay che

    Like

  52. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અખિલેશભાઈ,
    મેં ઉપર ખીલ અને ખીલના ડાઘ અંગે ઉપાયો આપ્યા છે. એના વીશે ઉપર ઘણી ચર્ચા પણ કરવામાં આવી છે. આપની પ્રકૃતીને અનુકુળ ઉપાય અજમાવી શકાય. વળી મારી માન્યતા મુજબ ખીલ દ્વારા શરીર એમાંની અમુક અશુદ્ધીઓ દુર કરે છે. આથી શરીરમાંની અશુદ્ધીઓ અન્ય રીતે દુર કરવાના ઉપાયો વડે પણ ફાયદો થઈ શકે. જેમ કે અમુક સમય સુધી માત્ર ફળાહાર જ કરવો.

    Like

  53. ગાંડાભાઈ વલ્લભ Says:

    દુર્ગેશભાઈ,
    તમે તમારું ઈમેઈલ એડ્રેસ જણાવ્યું નથી. પણ તમારા પ્રશ્નનો ઉત્તર ઉપર આવી ગયો છે.

    Like

  54. અનામિક Says:

    mara chehra par khubj khil chhe ane hu ene fodya rakhu chhu jene lidhe khada padi gaya chhe ane kada dag thai gaya chhe to please mara mail id par gharelu upchar batavso mari umar 22 varsh chee su umar ne lidhe khil thai sake

    Like

  55. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    હા, સામાન્ય રીતે ખીલ યુવાન વયે થાય છે, આથી કેટલીક વાર એને યુવાનીના ખીલ એમ પણ કહેવામાં આવે છે. આમ છતાં મોટી ઉંમરે પણ ખીલ થઈ શકે એવો મારો અનુભવ છે.
    ખીલ મટાડવાના મારી ઉપરની ‘ખીલ અને ખીલના ડાઘ’ પોસ્ટમાં ઘણા ઉપાયો લખ્યા છે. ઉપરાંત એ વીષયમાં પુછવામાં આવેલા પ્રશ્નોના મેં વીગતવાર ઉપર ઉત્તરો પણ આપ્યા છે, અને કેટલીક ચર્ચા પણ થઈ છે. એ બધું તમે વીગતે વાંચશો તો તમને અનુકુળ ઉપચાર મળી શકશે. જો કે મારો એક અનુભુત પ્રયોગ ‘હળદર અને મીઠું (નમક)’ વીષે આજ સુધી કોઈએ કશું જણાવ્યું નથી. એ વીષે પણ ઉપરની પોસ્ટમાં મેં લખ્યું છે. જો તમે એ પ્રયોગ કરો તો એના પરીણામ વીશે જરુર જણાવવા વીનંતી.

    Thank you.
    Best regards.

    Gandabhai Vallabhbhai Patel-NZ

    Like

  56. JaypaL Says:

    Sir… Mari Skin Divase Divase Bagdti Jaay Chhe……Mari Skin Par Khil Thay Chhe……Ane Skin Black Thati Jaay Chhe…….Mari Skin Upar Naak Wite Vadhare Chhe Sir………………Pls Help Sir

    Like

  57. ગાંડાભાઈ વલ્લભ Says:

    માફ કરજો, તમે જે Mari Skin Upar Naak Wite Vadhare Chhe લખ્યું છે એ મને સમજાયું નહીં. તમે Wite એટલે શું કહેવા ઈચ્છો છો? શું તમે White એટલે સફેદ છે એમ કહો છો? જો એમ હોય તો એ સફેદ થવાનું કારણ પહેલાં જાણવું જોઈએ, તો જ એના ઈલાજ વીશે વીચારી શકાય. સફેદ ડાઘને કારણે સફેદ હોઈ શકે, દાઝી જવાથી પણ સફેદ હોઈ શકે, કંઈક વાગ્યું હોય અને પાક થયેલો હોય તો ત્યાર પછી પણ ચામડી સફેદ થઈ જાય.
    ખીલના ઉપર પુશ્કળ ઉપાયો બતાવ્યા છે અને ચર્ચા પણ ઘણી થઈ છે. સરળ ઉપચાર જો તમને અનુકુળ હોય તો હળદર-નમકનો છે. પાણીમાં મીક્સ કરીને અસરગ્રસ્ત ભાગ પર બને તેટલા લાંબા સમય સુધી લગાડી રાખવું.

    Like

  58. Vanarajdarbar 9723926725 Says:

    Marekhilmotathauchhe anete mattajn

    Like

  59. અનામિક Says:

    kbajyat ne lidhe khil thay

    Like

  60. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અજ્ઞાત(ભાઈ યા બહેન!!!)
    તમારું આ વીધાન છે કે પ્રશ્ન તે સમજી શકાય તેમ નથી, કેમ કે વાક્યને અંતે કોઈ વીરામ ચીહ્ન નથી.
    હા, કબજીયાતને કારણે ખીલ થઈ શકે.
    મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.

    Like

  61. mochi vivek Says:

    hu jyare 5 varsh no jato to hu daji gayo hato ane aje hu 17 varsh no thi gyo chu pan haje a dagi gayela no dagh mara kapad par bhaya nak.lage che to te no koe upay bata vo

    Like

  62. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે વિવેકભાઈ,
    દાઝી જવાથી જે સફેદ ડાઘ પડે છે તે મારા અનુભવ મુજબ કોપરેલનું લાંબા સમય સુધી માલીશ કરવાથી લગભગ નાબુદ થાય છે. મારાં પત્ની એક વાર કાંડા પાસે દાળનો વઘાર કરતાં તેલ વડે દાઝી ગયેલાં અને રુઝ આવ્યા બાદ સફેદ ડાઘ રહી ગયેલો. એણે ઘણા લાંબા સમય સુધી કોપરેલનું સતત માલીશ કરેલું. એનાથી એ ડાઘ લગભગ નાબુદ થઈ ગયો છે. કોઈકે એના પર ગેરુ લગાડવાનું સુચવેલું, પણ અહીં ન્યુઝીલેન્ડમાં ગેરુ મેળવવાનો પ્રયાસ કર્યો ન હતો, આથી એ ઉપાય અજમાવ્યો ન હતો. એની જરુર પણ પડી ન હતી. વળી ગેરુની કોઈ અનીચ્છનીય અસર ચામડી પર થતી હોય તો તેની કોઈ માહીતી મને નથી. તમારા કીસ્સામાં ઘણો લાંબો સમય થયો છે, આથી કદાચ ઉપાય પણ એના પ્રમાણમાં લાંબા સમય સુધી કરવાની જરુર પડે. જો કે કોપરેલનું માલીશ કોઈ રીતે નુકસાન કરે એવી જાણ મને નથી, છતાં જો કોઈ વીપરીત અસર થતી માલમ પડે તો ઉપાય બંધ કરી દેવો.

    Like

  63. mochi vivek Says:

    hu vivek nadiyad no rhevasi chu nari umar atyare 17 vars ni che hu jyare 5 vars no hato tyare hu daji gayo hato ama hu cha par padiyo hato ane tapli khasi jata maru mo ges par padiu ane maru kapd daji gu hatu me anand ma teni sarvar karavi hati ane mara kapad par ashre 30 divas suthi pato bathi rakyo hato ane kapad par lakha (લાખ્) jevo dagh thi gayo che a dagh aje hu 17 varsh no chu to pan mat gayo nathi e mara papa 3 varsh no hato tyar thi opp thi gya che atle hu sari sarvar pan kari sak to nathi ame mara mo par ashre 4 varsh thi khil pan mat ta nathi ame maro chero bhaya nak lage che to plizz anathi bacha va no ke pan upay bata vo plizz

    Like

  64. patel vivek Says:

    hu nadiyad no rhevasi chu nari umar atyare 17 vars ni che hu jyare 5 vars no hato tyare hu daji gayo hato ama hu cha par padiyo hato ane tapli khasi jata maru mo ges par padiu ane maru kapd daji gu hatu me anand ma teni sarvar karavi hati ane mara kapad par ashre 30 divas suthi pato bathi rakyo hato ane kapad par lakha (લાખ્) jevo dagh thi gayo che a dagh aje hu 17 varsh no chu to pan mat gayo nathi e mara papa 3 varsh no hato tyar thi opp thi gya che atle hu sari sarvar pan kari sak to nathi ame mara mo par ashre 4 varsh thi khil pan mat ta nathi ame maro chero bhaya nak lage che to plizz anathi bacha va no ke pan upay bata vo plizz

    Like

  65. petel viki Says:

    mare tvacha ma ek tharyo nikhar rhe to nathi ane mari skin thodi oyliy pan che ane mara mo par khil pan bhu thay che to plizz ana thi bacha va no.koe upay ko

    Like

  66. petel vishal Says:

    hadar ane limbu nu oapni no pest banavi maodha par chopad vathi khil mati sake khara

    Like

  67. ગાંડાભાઈ વલ્લભ Says:

    હળદર અને મીઠું (નમક) પાણીમાં કાલવીને લગાડવાનો પ્રયોગ મેં મારા પર કરેલો, જેનું સુંદર પરીણામ આવ્યું હતું. હળદર અને લીંબુ લગાડવાથી કેવું પરીણામ આવે તેની મને કોઈ માહીતી નથી. હળદર અને મીઠું પણ અસરવાળા ભાગ પર સતત લગાડેલું રાખવાથી જ પરીણામ મળી શકે, અને એ પણ લાંબા સમય સુધી કદાચ લગાડતા રહેવું જોઈએ. ખીલ બાબત ઉપર જોશો તો ઘણી ઘણી ચર્ચા કરવામાં આવી છે. એ બધું જો ન વાંચ્યું હોય તો ધ્યાનપુર્વક ફરીથી વાંચવા વીનંતી, અને તમને અનુકુળ ઉપચાર કરશો.

    Like

  68. patel vithi Says:

    mara kapad par dajayela no kado lakha jevo dagh padi gayo che a dagh mane ashare 10 varsh thi che to amne adagh bahu heran kare che ane chera ni sudar ta ghata de che to a dajyela no dagh acho kar va no ke matad va no koe upay batvo plizz plizz rep fast
    vithi

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે વિધિબેન,
      દાઝી જવાથી કાળો ડાઘ પડ્યો હોય તેનો ઉપાય મારી જાણમાં નથી, એ બદલ દીલગીર છું. ઉપર જણાવ્યું તેમ દાઝવાથી પડેલા સફેદ ડાઘનો ઈલાજ મારી પત્નીએ કોપરેલનું સતત માલીશ કરીને કરેલો, જે સફળ થયો હતો.
      હળદર અને તલનું તેલ મીક્ષ કરીને લગાડવાથી પણ ચહેરાની સુંદરતા વધી શકે. લગ્ન સમયે પીઠી લગાડવા પાછળ પણ કદાચ એ આશય હશે. એમાં પણ બને તેટલો વધુ સમય પીઠી શરીર પર રહે એ જરુરી હોય છે, તેથી જ પીઠીના અમુક નીયમો પાળવામાં આવતા હોય છે. જો કે હું 40 વર્ષથી પરદેશમાં છું, આથી હવે એ નીયમો હશે કે કેમ તેની મને માહીતી નથી.

      Like

  69. mochi vivek Says:

    sir plizz mara upar ni post no ans apo plizz

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      અંગ્રેજી ફોન્ટમાં તમે લખેલા પ્રશ્નને હું બરાબર સમજી શકતો નથી. પણ દાઝી જવાથી પડેલા સફેદ ડાઘને કોપરેલ (coconut oil)નું માલીશ કરવાથી લગભગ નાબુદ કરી શકાય છે, એ મેં મારી પત્નીના કીસ્સામાં જોયું છે. તમારો બીજો પ્રશ્ન ખીલ વીશે છે. એના ઘણા ઉપાયો મેં મારા બ્લોગમાં આપ્યા છે, પણ એનો એક સાદો ઉપાય હળદર અને મીઠું પાણીમાં મીક્ષ કરીને સતત લાંબા સમય સુધી લગાડતા રહેવાનો છે. ખીલ મટી ગયા પછી ચહેરાની સુંદરતા વધારવા હળદર-તેલ લગાડવું.

      Like

  70. mochi vivek Says:

    namste sir hu apno ans sabhadi me khub dukhi thayo have mane ek bijo javab apo jyare hu mara dajela dagh hu sabu thi thovu to te acho thay che ame pachi thoda kalak pachi te pacho tevoj thi jay che

    to

    mane koe chera no evo upay batavo ke mara chera ni chamdi ek dam dhodi thi jay ane te 24 kalak avij dhodi rahe

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      વિવેકભાઈ, ચામડી કાળી કે સફેદ હોવાનું કારણ એમાં રહેલ રંગદ્રવ્ય છે. અંગ્રેજીમાં એને pigment કહે છે. આ રંગદ્રવ્યનું પ્રમાણ જેમ વધુ તેમ ચામડી વધુ ઝાંખી, અને એ ઓછું હોય તો ચામડી સફેદ. ચામડી પર પડતા સુર્યપ્રકાશનું પ્રમાણ અને ઘનત્વ જેમ વધુ તેમ ચામડી નીચે રંગદ્રવ્ય પણ વધુ પેદા થાય છે. મને યાદ છે, અમારા ગામમાં એક ભાઈની દુકાન હતી. દુકાનમાં વેચવાનો સામાન એમના મોટા ભાઈ લાવતા. એ પોતે ભાગ્યેજ બહાર નીકળતા અને સુર્યપ્રકાશ પામતા. એમની ચામડી સફેદ હતી. લોકો એને ‘ક્ષ’ધોળો કહેતા. પણ જેમની ચામડી જન્મથી જ ઝાંખી હોય તેમાં બહુ ફરક પડી ન શકે. સાબુથી ધોયા બાદ ડાઘ ઓછો થયા પછી પાછો એવો થઈ જાય એનું કારણ સુર્યપ્રકાશ હોઈ શકે. પણ આ સાથે મારા બ્લોગમાં મેં ચામડી વીશે લખેલા લેખમાંથી ચામડી ગોરી કરવાનો એક ઉપાય આપું છું, જો એ તમને અનુકુળ આવે અને ઉપયોગી થાય તો પ્રયોગ કરી શકો.
      ચંદનનું ચુર્ણ, હળદર અને જવનો લોટ સમાન ભાગે લઈ દુધમાં મેળવી આખા શરીરે પાતળો લેપ કરી સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઈ લેવાથી અને ત્યાર બાદ કોપરેલનું માલીશ કરવાથી શરીરની ચામડી ગોરી થાય છે.

      Like

  71. vhora eram Says:

    maro chero ek dam kado padi gayo che te ne ujado kar va no koe upay batavo plizz

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      તમારા પ્રશ્નનો જવાબ મારા બ્લોગમાં મેં ચામડી વીશે લખેલા લેખમાં છે. ‘ચામડી’ લખીને શોધ કરવાથી એ મળી શકે. પરંતુ તમારી પાસે ગુજરાતી લખવાનું કીબૉર્ડ નહીં હોય તો હું નીચે એ લેખમાંની થોડી વીગતો ઉપરાંત બીજી બાબતો પણ આપું છું. હજુ વધુ વીગતો મળી શકે-મારા બ્લોગમાંથી, પણ વધુની કદાચ જરુર નથી, માની આટલું જ આપું છું. એમાંથી તમને અનુકુળ હોય તેનો પ્રયોગ કરી શકો.
      ચામડીનું સૌંદર્ય
      (૧) તલના તેલમાં ઘઉંનો લોટ અને હળદર મેળવી લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે અને ચામડી મુલાયમ બને છે.
      (૨) ચામડી તેલવાળી હોય તો સફરજનનો માવો બનાવી ચામડી પર પંદરેક મીનીટ રાખી હુંફાળા પાણીથી ધોઈ નાખવાથી વધારાનું તેલ દુર થાય છે અને ચામડી આકર્ષક લાગે છે.
      (૩) ચહેરા પર ફીક્કાશ હોય તો તલના તેલમાં ચણાનો લોટ મેળવી સ્નાન કરવાથી ચહેરા પર એકદમ રોનક આવી જાય છે.
      (૪) તાજા દુધમાં બદામ વાટી ચહેરા પર લગાવવાથી ચામડી સુંદર બને છે અને ચહેરા પર નીખાર આવે છે.
      (૫) મધમાં લીંબુનો રસ ભેળવી ચામડી પર લગાવવાથી ચામડીનો રંગ એકદમ ખીલી ઉઠે છે.
      (૬) હળદરમાં થોડું માખણ લગાડી ચામડી પર ઘસવાથી ચામડી મુલાયમ અને સુંદર બને છે.
      (૭) ચણાનો લોટ, હળદરની ગાંઠ, બદામનું તેલ અને સુખડના લાકડાને ઘસીને ચહેરા પર લગાવી મોઢું ધોવાથી ચામડી સુંવાળી અને ગોરી બને છે.
      (૮) ચાર ચમચી ચણાનો લોટ, મધ અને મલાઈ ભેગાં કરી ચહેરા પર માલીશ કરવાથી ચહેરા પર એક અનેરી રોનક આવે છે.
      (૯) લીંબુનો રસ અને દુધ ભેગાં કરી ચામડી પર લગાવવાથી ચહેરા પર અનેરી રોનક આવે છે.
      (૧૦) લીંબુ, પાકા ટામેટાનો રસ અને ગ્લીસરીન સરખા પ્રમાણમાં ભેગાં કરી ચામડી પર માલીશ કરવાથી ચામડી કોમળ અને સુંવાળી બને છે.
      (૧૧) નાહવાના પાણીમાં લીંબુ નીચોવી નાહવાથી ચામડી સ્વચ્છ બને છે.
      (૧૨) થોડા દુધમાં ચારોળી પલાળી ખુબ બારીક વાટી રાતે સુતી વખતે મોં પર લગાવી સવારે સાબુથી મોં ધોઈ નાખવાથી ચામડી ખીલી ઉઠે છે.
      (૧૩) રોજ નહાતાં પહેલાં જેતુનના તેલ(ઑલીવ ઑઈલ)ની માલીશ કરવાથી ચામડી શુષ્ક રહેતી નથી, હંમેશાં ચમકીલી રહે છે.
      (૧૪) શીયાળામાં ચામડીની પોપડી ઉતરવા લાગે તો વીટામીન ‘એ’યુક્ત ફળો અને શાકભાજી વધુ ખાવાં.
      (૧૫) ચામડી ઢીલી પડવા લાગે કે ચહેરા પરની કરચલીઓ વધવા લાગે તો ઈંડાની જરદીમાં એક ચમચી મંેદો ભેળવી ચહેરા પર લેપ કરી સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખો. અઠવાડીયામાં આ પ્રમાણે એકાદ વાર કરવાથી ફાયદો થાય છે.
      (૧૬) બે મોટા ચમચા ચણાનો લોટ અને થોડી હળદર દહીં સાથે મેળવી પેસ્ટ જેવું બનાવી ચહેરા ઉપર તથા હાથપગ પર લગાડો. થોડી વાર એના પડને સુકાવા દો. પછી ઉખેડી નાખી ઠંડા પાણીથી ધોઈ નાખો. આથી ચામડી સુંવાળી બનશે અને નીખરી ઉઠશે.
      (૧૭) પાકી ગયેલા કોઈ પણ ફળને ચહેરા પર લગાવી રાખી પછીથી ચહેરો ધોઈ નાખો. એથી ચામડી નરમ અને સુંવાળી રહેશે.
      (૧૮) ચણાનો લોટ, આમળાનું ચુર્ણ, કપુર કાચલીનો ભુકો, સુખડનું ચુર્ણ તથા હળદર ભેગાં કરી તેમાં દુધ નાખી સ્નાન કરતાં પહેલાં ઘસી ઘસીને શરીરે ચોળી સુકાવા દેવું. પછી ગરમ પાણીએ નાહવાથી ચામડી સુંવાળી બને છે.
      (૧૯) ચંદનનું ચુર્ણ, હળદર અને જવનો લોટ સમાન ભાગે લઈ દુધમાં મેળવી આખા શરીરે પાતળો લેપ કરી સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઈ લેવાથી અને ત્યાર બાદ કોપરેલનું માલીશ કરવાથી શરીરની ચામડી ગોરી થાય છે.
      (૨૦) આવળનાં ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે.
      (૨૧) તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે.

      Like

  72. hiren Says:

    Mane mo par lal color na khil thay chhe ane chal aave chhe to tame batavela mathi mare kayo upay karvathi mara cheharana khil mate mari age chhe 26.

    Like

  73. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હિરેન,
    મને લાગે છે કે હળદર અને મીઠા(નમક)નો ઉપાય કદાચ નીર્દોષ છે અને અસરકારક પણ. છતાં તમને અનુકુળ છે કે કેમ તે હું કહી શકું નહીં. આજ સુધીમાં ખીલ પર આનો પ્રયોગ કોઈએ કર્યો છે કે કેમ તેને વીષે કશું જાણવા મળ્યું નથી, પણ મને છાતીમાં થયેલા ગુમડા પર મેં આ પ્રયોગ કરેલો અને એ સંપુર્ણ સફળ થયેલો. વળી એ ગુમડું અને ખીલ થવાનાં કારણો મને કંઈક એક સરખાં લાગે છે. શરીરમાંની અમુક અશુદ્ધી બહાર કાઢી શકાય નહીં તેને શરીર સલામત જગ્યાએ એકઠી કરી દે છે, જેથી એ શરીરને કશું નુકસાન ન કરે. આ અશુદ્ધી હળદર અને મીઠાને પાણીમાં મીક્સ કરીને લગાડવાથી એ પરુ બનીને દુર થાય છે એવો મારો અનુભવ છે.

    Like

  74. amit bhai Says:

    mara face upar bahu j khil 6 .
    but khil tuti jay p6i tya dagha padi jay ..tene matadvani dava batavajo ne plz sur
    ..

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે અમિતભાઈ,
      આપના પ્રશ્નના ઉત્તરમાં ઉપર ઘણી બધી વાતો આવી ગઈ છે. આ વીશે ઘણા પ્રશ્નો આવતા રહે છે, આથી ઉપરની બધી વીગતો ફરીથી મારા બ્લોગમાં એક પોસ્ટ તરીકે મુકવા વીચારું છું. ઉપર મેં મીઠું અને હળદરને પાણીમાં કાલવીને ખીલ પર લગાડવાનું કહ્યું છે. એનાથી ખાસ વધુ ડાઘ જેવું રહેતું નથી એવો મારો અનુભવ છે. આમ છતાં તમને એ અનુકુળ છે કે કેમ તે નાનકડો પ્રયોગ કરીને કે યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને ખાતરી કરી લેવી જોઈએ.

      Like

  75. Akshay patel Says:

    Khil na khada dur karva mate koi upay….pls…

    Like

  76. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અક્ષયભાઈ,
    ઉપચાર કરતાં પહેલાં તમને એ પ્રતીકુળ અસર કરે તેમ નથી તેની ખાતરી કરી લેવી. બધાંની પ્રકૃતી સરખી નથી હોતી, આથી આયુર્વેદીક દવા પણ ખાતરી કરીને જ વાપરવી.
    અર્જુનનો રસ બંધક, સ્થંભક, ગ્રાહી, સંકોચક,ખાટો અને તુરો છે. આથી એ ઝડપથી જોડે છે. બાહ્ય ઉપચાર માટે તેને વાપરવાથી ચહેરાની કરચલીઓ તે દૂર કરે છે. એક ચમચી અર્જુન ચુર્ણમાં પા ચમચી હળદર અને જરુર પુરતું દુધ મેળવવું. જે પેસ્ટ તૈયાર થાય તે ચહેરા પર લગાડવી. ઉપચાર દીવસ દરમીયાન કરવો, અને પેસ્ટ સુકાઈ જાય એટલે હુંફાળા પાણી વડે ધોઈ નાખવી. લાંબા સમય સુધી ઉપાય કરતા રહેવાથી ખીલ તો મટી જશે, સાથે સાથે ખીલના પડેલા કાળા ડાઘ અને ખાડા પણ ધીમે ધીમે મટશે.

    Like

  77. Bhupat Rayka Says:

    સર મારી બી હાલત ખરાબ છે ખીલ થી ડાઘા અને ખીલ બેજ નડે છે કઈ ઉપાઇ સારો એવો આપો ….

    Like

  78. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભૂપતભાઈ,
    ખીલ અને ખીલના ડાઘ વીશે ઉપર પુશ્કળ માહીતી આપવામાં આવી છે. અહીં ઉપર જ અક્ષયભાઈને જે જવાબ લખ્યો છે તે પણ આપે જોયો જ હશે. જો કે હળદર અને મીઠા(નમક)ને પાણીમાં કાલવીને લગાડવાનો પ્રયોગ મેં ઘણીવાર સુચવ્યો છે, પણ એ પ્રયોગ કોઈએ અજમાવી જોયો હોય અને એનું કેવું પરીણામ મળ્યું તેની માહીતી આજ સુધી કોઈએ જણાવી નથી. મેં એ પ્રયોગ ખીલ પર કર્યો નથી, કેમ કે મને જ્યારે ખીલ થયેલા ત્યારે મને એની જાણ ન હતી. પણ મને છાતી પર થયેલા ગુમડા પર મેં એ મીશ્રણ અજમાવેલુ અને એ બહુ જ સફળ નીવડેલું. એનાથી કોઈ નુકસાન થવાની શક્યતા નથી, તેમ છતાં પ્રયોગ શરુ કર્યા પછી વીપરીત અસર થતી લાગે તો પ્રયોગ તરત જ બંધ કરવો, કેમ કે દરેક વ્યક્તી અદ્વીતીય હોય છે, આથી એક જણને ફાયદો થયો હોય એટલે બધાને જ થાય એમ માની લેવાય નહીં.

    Like

  79. harshad parmar Says:

    hello gandabhai
    mare aankh upar atle ke kapad upar kala dagh che .me ghani try kari .te dur thai te mate pan te nathi thata tena mate su karvu joiye

    Like

  80. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હર્ષદભાઈ,
    જો તમે નીચેનાં ઔષધો મેળવી શકો અને તમને કોઈ વીપરીત અસર થતી ન લાગે તો એ અજમાવી શકો. તમે કયાં ઔષધો લગાવી જોયાં છે તે વીશે કશું જણાવ્યું નથી. તો આ રહ્યા ચાર સાદા ઉપાયો, જે મારા ઉપરનાં લખાણમાં છે.
    (૧) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી. (અમારા ખેતરમાં શીમળાનું ઝાડ હતું-૪૦ વર્ષ પહેલાં. ૪૦ વર્ષથી હું ન્યુઝીલેન્ડમાં છું.)
    (૨) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
    (૩) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
    (૪) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

    Like

  81. harshad parmar Says:

    hello gandabhai thank you
    pan mare khil na dagh nathi te kadach tadka na karne ke pachi parseva na karne thaya che .ane me medical mathi dagh durkarvani tube lidhi hati ,pachi sabu lidho hato, ane haji roj mulatni mati lagavu chu pan kai khas pher nathi padto

    Like

  82. harshad parmar Says:

    hello gandabhai
    ans to apo

    Like

  83. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હર્ષદભાઈ,
    સામાન્ય રીતે હું મારા બ્લોગમાં પુછાયેલા બધા પ્રશ્નોનો બને તેટલી તાકીદે ઉત્તર આપવાનો પ્રયત્ન કરું છું, પણ કોઈ વાર અમુક કારણો સર જલદી જવાબ આપી શકાતો નથી હોતો, કે કોઈ પ્રશ્ન મારા ધ્યાન બહાર રહી જાય એવું બને તો માફ કરવા વીનંતી. તમારા પ્રશ્ન બાબત હું હજુ દ્વીધામાં છું. પણ મને એક ભાઈ તરફથી મારા બ્લોગ “ઔષધો અને રોગો” પોસ્ટમાં મળેલા આ ઉત્તર તરફ આપનું ધ્યાન દોરું?
    નમસ્તે સર
    તમારો બહુ આભાર .
    સાહેબ તમે જે કંઈ ઇલાજ સૂચવ્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
    સાહેબ તમે પરદેશમાં રહી અમારા માટે આટલી કાળજી રાખો છો ? તમારો બહુ બહુ આભાર. ..

    Like

  84. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ શ્રી હર્ષદભાઈ,
    નમસ્તે. મારા બ્લોગમાં મેં આપના પ્રશ્ન બાબત નીચે મુજબના ઉપાયો જુદી જુદી જગ્યાએ નોંધ્યા છે. કોઈ પણ ઉપાય આપને અનુકુળ છે કે નહીં તેની યોગ્ય રીતે ખાતરી કરીને પછી જ કરવા વીનંતી છે.
    કાળા ડાઘ
    1. ચહેરા પરના કાળા ડાઘ દુર કરવા જાયફળ દુધમાં ઘસીને લગાવવું.
    2. આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
    3. સફેદ મુળાને ખમણી તેમાં બે ચમચી લીંબુનો રસ તથા ટામેટાનો રસ મેળવી તે પેસ્ટ ચહેરા પર ૩૦ મીનીટ રહેવા દઈ સાફ કરી નાખવાથી ચહેરા પરના ડાઘા દુર થાય છે.
    4. લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દીવસમાં પરુ, કૃમી, કીટાણું વેગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.
    5. મોં પર કોઈ પણ કારણે ડાઘા હોય તો વડની કુણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવાથી મટે છે.
    6. કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે.
    7. શરીર પરના કાળા ડાઘ દુધ, ગ્લીસરીન, બોરીક પાઉડર અને સોડા-બાય-કાર્બનું સમાન ભાગે બનાવેલું લોશન શરીર ઉપર જ્યાં કાળા ડાઘ પડ્યા હોય ત્યાં લગાડવાથી ડાઘા દુર થાય છે.

    Like

  85. krupa patel Says:

    Hu 17 varas ni 6u. Mane rate pag bahu dukhe 6.please kai upay batavo……. Plss

    Like

  86. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે કૃપાબહેન,
    આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ-વાતપ્રકોપ હોય છે. વળી રાત્રે વાતપ્રકોપ વધવાની શક્યતા છે, કેમ કે રાત્રે હવામાનમાં ઠંડક વધે છે. આથી તમારે રાત્રે સુતી વખતે પગમાં ઠંડી ન લાગે એ રીતની ગોઠવણ કરવી જોઈએ. વળી વાયુ કરનાર આહાર બને ત્યાં સુધી ન લેવો, પણ જ્યારે લેવો જ પડે ત્યારે એનું પ્રમાણ બને તેટલું મર્યાદીત રાખવું જોઈએ. અનુકુળ આવે તેવાં વાયુનાશક ઔષધો લેવાં, જે મારા બ્લોગમાં અન્યત્ર મળશે અથવા ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી પણ મળી શકે.

    Like

  87. prem Says:

    મારા મોઢા પર ખાડા પડી ગયા છે તેને દુર કરવાના ઉપાય બતાવો ને ઉંમર 19 વર્ષ છે

    Like

  88. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે પ્રેમ,
    કોઈ પણ ઉપચાર કરવા પહેલાં આપના આરોગ્ય સલાહકાર ડૉક્ટર કે વૈદ્યની સલાહ લેવી. કદાચ નીચેના ઉપાય ઉપયોગી થઈ શકે.
    (૧) સુખડનું તેલ, અશ્વગંધા તેલ કે શ્રીપર્ણી તેલની ખીલના ખાડાવાળા ભાગ પર માલીસ કરવી.
    (૨) ટામેટાનો રસ લગાડતા રહેવું.
    (૩) લોધર, વરીયાળી અને ફુલાવેલી ફટકડીનો પાઉડર પાણીમાં કાલવી ખાડા પર લગાડવો.
    આ ઉપચાર આપને અનુકુળ આવે તો લાંબા સમયે કદાચ લાભ થઈ શકે.

    Like

  89. ગાંડાભાઈ વલ્લભ Says:

    લોધર એક પ્રકારનું વૃક્ષ હોય છે. માત્ર લોધર કહ્યું હોય ત્યાં એની છાલનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. શબ્દ છે લોધર, નહીં કે લોઘર. આ પ્રકારનાં ઔષધો પહેલાં તો ગાંધી-કરીયાણાની દુકાને પણ મળતાં. (હું છેલ્લાં 40 વર્ષથી ન્યુઝીલેન્ડમાં રહું છું. દેશ આવવાનું હવે બહુ ઓછું થાય છે.) દવાવાળાની દુકાને તો હવે આયુર્વેદ ઔષધો લગભગ બધાં જ મળતાં હશે.
    ઉપર જણાવેલ લોધર, વરીયાળી અને ફુલાવેલી ફટકડીનો પાઉડર પાણીમાં કાલવી ખાડા પર લગાડવાનો ઉપચાર ઘણો અકસીર હોવાનું સાંભળ્યું છે. માત્ર ખીલના ખાડા જ નહીં, ચામડી પર બીજા કોઈ કારણે પડેલા ખાડા પણ આ ઉપચારથી મટી જાય છે, એમ મારા વાંચવામાં આવ્યું છે.

    Like

    • prem Says:

      tame upar je dava batai e lodhar ane fulaveli fatkadi no pawder kya pan nathi malta to pz tame bijo upay batavo ne

      Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        નમસ્તે,
        લોધર સીવાય બીજાં બે ઔષધો ઉપર બતાવ્યાં છે: સુખડનું તેલ અને ટામેટાનો રસ. બંને સહેલાઈથી મળી શકશે. બે પૈકી જે એક તમને અનુકુળ હોય તે વાપરી શકો.
        ફુલાવેલી ફટકડી તૈયાર કદાચ મળતી નહીં હોય, ફટકડી લાવીને એને લોખંડના વાસણમાં એમાંનું પાણી ઉડી જાય ત્યાં સુધી ફટકડીને ગરમ કરવાથી ફુલાવેલી ફટકડી બને. ફટકડી એટલે અંગ્રેજીમાં જેને એલમ (Alum) કહે છે તે. મારા ખ્યાલ મુજબ લોધરની છાલ આયુર્વેદીક દુકાનમાં તો મળતી હોવી જોઈએ – કદાચ આખી કે ચુર્ણ રુપે.

        Like

  90. Bharat Says:

    Mara modha par bahu khil thaya chhe ane modhu kalu padi gayu mari umar 18 vrsh chhe khil matad vano koi upae batao pls

    Like

  91. અનામિક Says:

    Mara face par kara padi gya 6 tene dur karvano tpai btavo. Plz.

    Like

  92. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ શ્રી ભરતભાઈ તથા અજ્ઞાત ભાઈ/બહેન

    નમસ્તે. મારા બ્લોગમાં મેં આપના પ્રશ્ન બાબત નીચે મુજબના ઉપાયો જુદી જુદી જગ્યાએ નોંધ્યા છે. કોઈ પણ ઉપાય આપને અનુકુળ છે કે નહીં તેની યોગ્ય રીતે ખાતરી કરીને પછી જ કરવા વીનંતી છે.
    કાળા ડાઘ
    1. ચહેરા પરના કાળા ડાઘ દુર કરવા જાયફળ દુધમાં ઘસીને લગાવવું.
    2. આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
    3. સફેદ મુળાને ખમણી તેમાં બે ચમચી લીંબુનો રસ તથા ટામેટાનો રસ મેળવી તે પેસ્ટ ચહેરા પર ૩૦ મીનીટ રહેવા દઈ સાફ કરી નાખવાથી ચહેરા પરના ડાઘા દુર થાય છે.
    4. લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દીવસમાં પરુ, કૃમી, કીટાણું વેગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.
    5. મોં પર કોઈ પણ કારણે ડાઘા હોય તો વડની કુણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવાથી મટે છે.
    6. કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે.
    7. શરીર પરના કાળા ડાઘ દુધ, ગ્લીસરીન, બોરીક પાઉડર અને સોડા-બાય-કાર્બનું સમાન ભાગે બનાવેલું લોશન શરીર ઉપર જ્યાં કાળા ડાઘ પડ્યા હોય ત્યાં લગાડવાથી ડાઘા દુર થાય છે.

    વળી ખીલ દુર કરવાના મેં ઉપર શરુઆતમાં જ 19 ઉપાયો સુચવ્યા છે, તે પૈકી આપને અનુકુળ ઉપાય અજમાવવા વીનંતી.

    Like

  93. ashvin Says:

    kan ma rashi nikale and kan ma behrash pan aavi 6e tena mate koy upay batavo

    Like

  94. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈશ્રી અશ્વિનભાઈ,

    નીચે આપેલા ઉપાયોમાંથી આપને અનુકુળ હોય તેવા ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. કાનની તકલીફ કયા કારણે થઈ છે તે મુજબ ઉપાય કરી શકાય. ‘કાનના રોગો’ શીર્ષક હેઠળ મારી પોસ્ટમાં એની વીગતો મેં આપી છે.
    (૧) હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે.
    (૨) ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરું નીકળતું હોય તો બંધ થાય છે.
    (૩) ફુલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસનાં ટીપાં નાખવાથી પરું નીકળતું બંધ થાય છે.
    (૪) સરસીયાના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી ફાયદો થાય છે.
    (૫) તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. અા તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.
    (૬) કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય તો મધ અને તલનું તેલ સરખા ભાગે અને એ બેના વજનભાર આદુનો રસ એકરસ કરી, સહેજ સીંધવનો બારીક પાઉડર મીશ્ર કરી કાનમાં દરરોજ દીવસમાં ચાર પાંચ વખત ટીપાં મુકવાથી કાનની તકલીફ દુર થાય છે.
    (૭) આંબાનો મોર (ફુલ) વાટી, દીવેલમાં ઉકાળી, ગાળીને એનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.
    (૮) આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.
    (૯) નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા મટે છે.
    (૧૦) તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે.
    (૧૧) લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ સરસીયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી બબ્બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરું, ખુજલી અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.
    (૧૨) હીંગને તલના તેલમાં પકાવી એ તેલનાં ટીપાં કાનમાં મુકવાથી તીવ્ર કર્ણશુળ મટે છે.
    (૧૩) સરગવાના સુકવેલા ફુલનું ચુર્ણ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
    (૧૪) આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે.
    (૧૫) વડના દુધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
    આ ઉપરાંત કાનની બહેરાશના વધુ ઉપાયો:
    (૧) કાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે શ્રવણશક્તી ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દુધમાં ૧ નાની ચમચી વાટેલું જીરુ નાખી પીવાથી લાભ થાય છે.
    (૨) સમભાગે હીંગ, સુંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દીવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશ મટે છે.
    (૩) આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.
    (૪) ગાયનું જુનું ઘી ખાવામાં વીશેષ વાપરવું.
    (૫) રુમાં વીંટાળેલી લસણની કળી કાનમાં રાખવી.
    (૬) ઉત્તમ હીંગની ભુકી રુમાં મુકીને કાનમાં રાખવી.
    (૭) વછનાગ અને વ્રજ તલના તેલમાં ગરમ કરી કાનમાં નાખવું.
    (૮) કાનમાં અવાર નવાર તેલ નાખતા રહેવું. એનાથી વીજાતીય દ્રવ્યોનો મેલ બહાર નીકળી જાય છે. અને કાનની અંદરના અવયવો મુલાયમ રહી કાર્યક્ષમ રહે છે.
    (૯) સરસવના તેલમાં દશમા ભાગે રતનજ્યોત નાખી ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડ્યે કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે.
    (૧૦) સવારે ચારપાંચ બદામ અને રાત્રે અજમો તથા ખારેક ખાવાથી કાનની બહેરાશમાં ફાયદો થાય છે.
    (૧૧) સુંઠ અને ગોળ મેળવી પાણીમાં સારી રીતે ઘુંટી કાનમાં ટીપાં પાડવાથી બહેરાશમાં લાભ થાય છે.
    (૧૨) ધોળી ડુંગળીનો તાજો રસ સહેજ હુંફાળો ગરમ કરી કાનમાં બહુ થોડા પ્રમાણમાં મુકવાથી સાધારણ બહેરાશ હોય તો તે મટે છે.

    Like

  95. @lpesh Dabhi Says:

    Khil 6e

    Like

  96. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    ખીલના ઉપાયો મેં ઉપર બતાવ્યા છે.

    Like

  97. અનામિક Says:

    Mane Mara no par khub khil thaya 6e…..me Sara pan nathi thata to teno koi saro ukel batavo

    Like

  98. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અજ્ઞાત ભાઈ/બહેન,
    ખીલ વીશે મેં ઉપર ઘણા ઉપાય બતાવ્યા જ છે, વળી એને વીશે જુદી જુદી કેટલીક વાતો પણ ઉપર કરવામાં આવી છે. આપને લાગુ પડતી હકીકત આપ એમાંથી પસંદ કરી આપના વીશ્વાસુ ચીકીત્સકની સલાહ મુજબ ઉપાય કરી શકશો.

    Like

  99. yash Says:

    Khil na kala dag kadhva chhe oily skin mate koi chokkas upay batavo

    Like

  100. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ યશ. મારા બ્લોગમાં મેં આપના પ્રશ્ન બાબત નીચે મુજબના ઉપાયો જુદી જુદી જગ્યાએ નોંધ્યા છે. કોઈ પણ ઉપાય આપને અનુકુળ છે કે નહીં તેની યોગ્ય રીતે ખાતરી કરીને પછી જ કરવા વીનંતી છે.
    કાળા ડાઘ
    1. ચહેરા પરના કાળા ડાઘ દુર કરવા જાયફળ દુધમાં ઘસીને લગાવવું.
    2. આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
    3. સફેદ મુળાને ખમણી તેમાં બે ચમચી લીંબુનો રસ તથા ટામેટાનો રસ મેળવી તે પેસ્ટ ચહેરા પર ૩૦ મીનીટ રહેવા દઈ સાફ કરી નાખવાથી ચહેરા પરના ડાઘા દુર થાય છે.
    4. લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દીવસમાં પરુ, કૃમી, કીટાણું વેગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.
    5. મોં પર કોઈ પણ કારણે ડાઘા હોય તો વડની કુણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવાથી મટે છે.
    6. કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે.
    7. શરીર પરના કાળા ડાઘ દુધ, ગ્લીસરીન, બોરીક પાઉડર અને સોડા-બાય-કાર્બનું સમાન ભાગે બનાવેલું લોશન શરીર ઉપર જ્યાં કાળા ડાઘ પડ્યા હોય ત્યાં લગાડવાથી ડાઘા દુર થાય છે.

    વળી ખીલ દુર કરવાના મેં ઉપર શરુઆતમાં જ 19 ઉપાયો સુચવ્યા છે, તે પૈકી આપને અનુકુળ ઉપાય અજમાવવા વીનંતી.

    Like

  101. polomy mathur Says:

    mane modha pr bau j garmi nikdi che..small spots type..ee khil nathi..but bumps jeva che to mare su karvu..

    Like

  102. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    તમારા કહેવા પરથી ચોક્કસ ખ્યાલ આવતો નથી કે તમારી તકલીફ પીત્તવીકારની છે કે શરીરમાં એકઠી થયેલી અશુદ્ધીઓને કારણે છે. જો એ પીત્તવીકાર હોય તો પીત્ત દુર કરનાર ઔાષધ લેવાં જોઈએ. પરંતુ જો શરીરમાં એકઠી થયેલ અશુદ્ધીને કારણે હોય તો હળદર અને મીઠાના મીશ્રણને પાણીમાં મીક્ષ કરીને સતત લગાડતા રહેવાથી સારું થઈ શકે. આ મારો અનુભવેલો પ્રયોગ છે. મને થયેલા એક ગુમડાને ડૉક્ટર પાસે કપાવવાથી પણ સારું થયું ન હતું, જે હળદર-મીઠાના પ્રયોગથી મટી ગયેલું.

    Like

  103. Masuriya Bharat Says:

    Mane mo upar khilana dag khub thayi gaya che yogya sarvar apo please

    Like

  104. ગાંડાભાઈ વલ્લભ Says:

    Sorry, my computer has been crashed and I can’t write in Gujarati. Bhai Bharat, I have written to Yashbhai just above similar to your question. Please have a look.

    Like

  105. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભરતભાઈ,
    તમારા પ્રશ્ન બાબત મેં ઉપર યશભાઈને લખ્યું છે તે જોઈ જવા વીનંતી. એમનો પ્રશ્ન લગભગ તમારા જેવો જ છે. તમને અનુકુળ હોય તે ઔષધનો ઉપયોગ તમારા વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર કરવો.

    Like

  106. prajapati mihir Says:

    Mara screen par khil nathi pan dagha che tene dur karva mateni koi dava che.

    Like

  107. ગાંડાભાઈ વલ્લભ Says:

    મિહીરભાઈ એમાં છેલ્લા ચાર ઉપચારો ખીલના ડાઘા દુર કરવાના છે. જુઓ:
    (૧૬) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.
    (૧૭) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
    (૧૮) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
    (૧૯) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

    Like

  108. અનામિક Says:

    i like your soch………

    Like

  109. patadiya chetan Says:

    Mara face par bleck dag padi gaya che chela 5 month evu thay gayu che pan matta g nhi to sir Ap koy upay btov pls

    Like

  110. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ ચેતન નમસ્તે,
    મેં ઉપર જ તમારી સમસ્યા બાબત હાલમાં તા. ૧૬ – ૧૦ – ૧૫ના રોજ બીજા ભાઈને જવાબ લખ્યો છે. પણ ઉપાય તમારી પ્રકૃતીને અનુકુળ આવે છે કેમ એની યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. ઉપરની જ વીગત ફરીથી તમારા માટે નીચે લખું છું.
    October 16, 2015 at 8:37 am
    (૧૬) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.
    (૧૭) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
    (૧૮) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
    (૧૯) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

    Like

  111. અનામિક Says:

    hiii bhai mara gal par khil nikalel che a mate

    Like

  112. Vipul Says:

    Mane mara gal andar besi gaya che jethi maro face saro nathi lagto, kaik upay batao jethi gal upsi ave.

    Like

  113. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે વિપુલભાઈ,
    ગાલમાં ખાડા હોય એ કદાચ તમારું વજન ઓછું હોવાને કારણે હોઈ શકે. વજન અંગે બોડી માસ ઈન્ડેક્સ(B.M.I.)નો ઉપયોગ કરવામાં આવે છે. શરીરનું જે વજન હોય કીલોગ્રામમાં તેને ઉંચાઈ(મીટર)ના વર્ગ વડે ભાગવાથી જે અંક આવે તેને B.M.I. કહે છે. જો એ અંક ૨૦ કરતાં ઓછો હોય તો તમારું વજન હોવું જોઈએ તેનાથી ઓછું ગણાય. જેમ કે વજન ૫૦.૮ કીલોગ્રામ હોય અને ઉંચાઈ ૧.૬૨૫ મીટર હોય તો B.M.I.=૧૯.૨૪ જે ઓછું ગણાય અને ગાલમાં ખાડા પડવાની શરુઆત કદાચ થાય, પહેલાં જો B.M.I. ૨૦થી વધુ હોય તો જે ગાલ ભરાવદાર દેખાતા હોય તેવા હવે ન દેખાય. કેટલાક લોકોમાં ઉંમર વધે ત્યારે આમ બની શકે.
    વજન વધારવા માટે મેં મારા બ્લોગમાં નીચે મુજબ નોંધ્યું છે. તમે તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ એમાંથી અનુકુળ હોય તે અજમાવી શકો.
    વજન વધારવા (૧) ઠળીયા કાઢેલું પાંચ પેશી ખજુર ભેંસના ઘીમાં પાંચ મીનીટ સુધી સાંતળીને બપોરે ભાત સાથે મેળવી ખાઈ અડધો કલાક ઉાંઘ લેવાથી
    સુકલકડી દુબળા માણસના શરીરનાં વજન અને શક્તી વધે છે.
    (૨) સુંઠ, કાળી મુસળી, ગળો, ગોખરું, આમળાં, કૌંચાં, અશ્વગંધા, એખરો, જેઠીમધ, જાયફળ અને હરડે દરેક ૩૦-૩૦ ગ્રામના ચુર્ણને ધાતુપૌષ્ટીક ચુર્ણ કહે છે. આ ચુર્ણને બને તેટલું બારીક ઘુંટવું. અડધીથી એક ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા એક ગ્લાસ દુધમાં મેળવીને એકથી દોઢ માસ રોજ રાત્રે પીવાથી ધાતુપુષ્ટી થાય છે, મુખની તેજસ્વીતા વધે છે અને શરીરનું વજન વધવાની સાથે બળ અને સ્ફુર્તીમાં પણ વધારો થાય છે.
    (૩) સુકા અંજીરના ટુકડાનું ચુર્ણ, ગરમ પાણીમાં ભીંજવી છોતરાં કાઢી નાખી સુકવેલી બદામનું ચુર્ણ, ખડી સાકરનું ચુર્ણ, એલચીની ભુકી, કેસર, ચારોળી, પીસ્તાં અને બળદાણા બધું સરખા વજને લઈ ગાયના ઘીમાં આઠ-દસ દીવસ ભીંજવી રાખવું. પછી દરરોજ સવારે એકથી બે ચમચી ખાવું. એનાથી નાનાં બાળકોનાં તેમ જ અશક્ત લોકોનાં રસ, રક્ત, માંસ, મેદ વગેરે સપ્ત ધાતુની વૃદ્ધી થઈ શરીર પુષ્ટ બને છે. જેમનું વજન વધતું જ ન હોય તેમનું પણ આ ઉપચારથી વજન વધવા લાગે છે.
    (૪) શરીર ખુબ પાતળું હોય અને વજન વધારવું હોય તો સમાન ભાગે તલ અને ખાંડ બબ્બે ચમચા સવાર, બપોર, સાંજ ખુબ ચાવીને ખાવાં. વળી દરરોજ આહારમાં દુધ-ભાત અને ખાંડ જો અન્ય રીતે હાનીકારક ન હોય તો વધુ પ્રમાણમાં લેવાં.
    (૫) ૧૦૦ મી.લી. દુધમાં એટલું જ પાણી ઉમેરી જરુરીયાત મુજબ ખાંડ કે સાકર, એલચી અને ૧૦
    ગ્રામ અશ્વગંધાનું ચુર્ણ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠારીને પીવાથી દુબળી વ્યક્તીનું વજન વધવા માંડે છે.
    (૬) આમળાં અને કાળા તલનું સરખે ભાગે બનાવેલું ચુર્ણ ઘી કે મધમાં ચાટવાથી માંસવૃદ્ધી થઈ કૃશતા ઘટે છે.
    (૭) વજન હોવું જોઈએ એના કરતાં ૨૦% ઓછું હોય તો નીયમીત ખોરાક ઉપરાંત દરરોજ ક્રીમ કાઢી નાખેલ ૫૦૦ મી.લી. દુધ, બે કેળાં, ૧૦૦ ગ્રામ શેકેલી મગફળી અને પાંચ ખજુરની પેશી ખાવાથી અને બેથી ત્રણ લીટર પાણી પીવાથી વજન વધે છે.
    (૮) નાગરવેલના એક પાનમાં દરરોજ દસ કાળા મરીના દાણા મુકી ખુબ ચાવીને ખાઈને ઉપર
    માટલાનું ઠંડુ પાણી પીવાથી બેથી ત્રણ મહીનામાં વજન વધે છે.

    Like

  114. ગાંડાભાઈ વલ્લભ Says:

    તમારો B.M.I. ૨૦ કરતાં વધુ છે, આથી એ ઓછો ન કહી શકાય. કબજીયાત વીશે મેં મારા બ્લોગમાં વીસ્તૃત માહીતી આપી જ છે. વળી ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી ઘણી વધુ માહીતી મળી શકશે. મારા બ્લોગમાં સર્ચ કરવી હોય તો એક જ ઈ-ઉવાળી(જેને ઉંઝા જોડણી કહે છે તે)વાપરવી. બીજા કોઈ બ્લોગ માટે સાર્થ જોડણી વાપરી સર્ચ કરવી.

    Like

  115. Jignesh Says:

    Mare muchh par kala dagha chhe
    E dur karva su karvu
    Sir sollution mateno Email mokalso please

    Like

  116. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈશ્રી જિજ્ઞેશ,
    તમારી સમસ્યા બાબત મેં ઉપર તા. ૨૬-૧૦-૧૫ના રોજ ભાઈશ્રી ચેતનને જવાબ લખ્યો છે તે જોવા વીનંતી. વળી તમારું ઈમેલ એડ્રેસ વર્ડપ્રેસ પ્રગટ કરતું હોતું નથી, આથી વ્યક્તીગત ઈમેલ મોકલવું શક્ય નથી, તે બદલ દીલગીર છું.

    Like

  117. અનામિક Says:

    mara mo par khil nu praman vadtu jay che n khil ne hath lagave to bou j dukhe che khil na karane maru aatmvisvas ocho thato jay che to koi upai batava vinti.. Vicky

    Like

  118. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    ખીલ બાબત ઉપર ઘણી વાતો થઈ છે. એમાં મારે કશું નવું ઉમેરવા જેવું હવે રહેતું નથી, આથી તમારા પ્રશ્ન બાબત કશો ઉત્તર ન હોવા બદલ માફ કરશો.

    Like

  119. thakor shailesh Says:

    modhu ek dum karu padi gyu che ghani crieam no upyaog karyo pan kyi farak padto nathi to ghare lu saro upye batavso

    Like

  120. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે શૈલેષભાઈ,
    મોં પરના કે શરીર પર કોઈ પણ જગ્યાએ પડેલા કાળા ડાઘ દુર કરવા હું નીચેના ઉપાયો સુચવું છું. પરંતુ એ ઉપાયો તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને જ કરવા, કેમ કે તમને એ અનુકુળ છે કે કેમ તેની ખાતરી કરી લેવી અગત્યની છે. બધા ઉપાયો દરેક જણને અનુકુળ હોતા નથી.
    કાળા ડાઘ
    1. ચહેરા પરના કાળા ડાઘ દુર કરવા જાયફળ દુધમાં ઘસીને લગાવવું.
    2. આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
    3. સફેદ મુળાને ખમણી તેમાં બે ચમચી લીંબુનો રસ તથા ટામેટાનો રસ મેળવી તે પેસ્ટ ચહેરા પર ૩૦ મીનીટ રહેવા દઈ સાફ કરી નાખવાથી ચહેરા પરના ડાઘા દુર થાય છે.
    4. લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દીવસમાં પરુ, કૃમી, કીટાણું વેગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.
    5. મોં પર ખીલ કે બીજા કોઈ કારણે ડાઘા હોય તો વડની કુણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવો.
    6. કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે.
    7. શરીર પરના કાળા ડાઘ દુધ, ગ્લીસરીન, બોરીક પાઉડર અને સોડા-બાય-કાર્બનું સમાન ભાગે બનાવેલું લોશન શરીર ઉપર જ્યાં કાળા ડાઘ પડ્યા હોય ત્યાં લગાડવાથી ડાઘા દુર થાય છે.

    Like

  121. himmat dharajiya Says:

    Mara mo par khil thaya se tena mate koi upay batavo plz

    Like

  122. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હિંમતભાઈ,
    તમારા બંને પ્રશ્નના ઉત્તરો ઉપર વીગતવાર આવી જ ગયા છે, અને મને લાગે છે કે મારે એમાં કશું નવું ઉમેરવાનું રહેતું નથી. ભાઈ, મારી એટલી જ વીનંતી છે કે ઉપરના પ્રશ્નોત્તરો કાળજીપુર્વક વાંચશો.

    Like

  123. priyanka kumpavat Says:

    Matha ma khub j khodo 6 te dur krva su krvu …?
    Ane mari tvacha syam 6 to ema nikhar lava mate su krvu …?

    Like

  124. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બહેન પ્રિયંકા,
    માથાનો ખોડો મટાડવામાં વપરાતા આ પદાર્થો માત્ર બાહ્ય ઉપયોગમાં જ વાપરવા. એમાંના કેટલાંક ઔષધો ઝેરી છે, આથી યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને જ ઉપયોગ કરવો. આ ઔષધોથી તમને નુકસાન નહીં થાય એની ખાતરી હોય તો જ એ વાપરવાં.
    1. ખોડાને લીધે માથાના વાળ ખુબ ખરતા હોય છે. ખોડાની તકલીફ મટાડવા માટે દુધ સાથે ખસખસ ખુબ જ વાટી લસોટી પેસ્ટ જેવું બનાવવું. માથાને સારી રીતે અરીઠા કે શીકાકાઈથી ધોઈને સવારના તડકામાં બેસી વાળ કોરા કરવા. પછી આખા માથા પર આ ખસખસનો લેપ કરી તેને એક કલાક રહેવા દેવો. પછી લીમડાના સાબુથી માથુ ધોઈ કોરું કરીને નાગરમોથનું તેલ, આમળાનું તેલ, બ્રાહ્મી તેલ, ધુપેલ, દુધીનું તેલ પૈકી કોઈ પણ તેલ નાખવું. આ બધાં તેલ તલના જ તેલમાં બનાવેલાં હોવાં જોઈએ. (તેલ શબ્દ તલ પરથી બન્યો છે. આથી તેલ એટલે ખરેખર તો તલનું જ તેલ.) થોડા દીવસના ઉપચારથી ખોડો મટી જાય છે.
    2. કણજીનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો મટે છે.
    3. અરીઠાંના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાનો ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
    4. કઠનું ચુર્ણ ખાપરીયામાં શેકી તેલમાં કાલવી લેપ કરવાથી માથાનો ખોડો મટી જાય છે.
    5. કુવાડીયાના બી શેકી ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે. આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય. એનાથી ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ વગેરે પણ મટે છે.
    6. સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરાનો રસ નાખી સીદ્ધ કરેલું તલનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો જેને દારુણક પણ કહે છે તે મટે છે.
    7. તલના તેલ કે કોપરેલમાં ધતુરાનાં પાનનો ચાર ગણો રસ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરવું. આ રીતે પકવેલું તેલ માથામાં નાખવાથી ખોડો, જુ, લીખ, ખંજવાળ અને બીજા રોગો મટે છે. ધતુરો ઝેરી ગણાય છે.
    8. સરગવાના પાનના રસનું માથા પર મર્દન કરવાથી માથાનો ખોડો મટે છે.
    9. સરગવાની શીંગને પાણીમાં પલાળી, ચોળી, ગાળીને માથા પર લગાડવાથી માથાનો ખોડો મટે છે.
    ત્વચા ગોરી કરવા માટેનો ઉપાય
    સુખડનું ચુર્ણ (ચંદન), હળદર અને જવનો લોટ સમાન ભાગે લઈ દુધમાં મેળવી આખા શરીરે પાતળો લેપ કરી સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઈ લેવાથી અને ત્યાર બાદ કોપરેલનું માલીશ કરવાથી શરીરની ચામડી ગોરી થાય છે.

    Like

  125. Bipin ahir Says:

    Ma modha ma khil ketalak thaydche koi dava thi nathi matata anamate su upay

    Like

  126. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બીપીનભાઈ,
    કેટલાક લોકોનું માનવું છે કે યુવાનીમાં ખીલ થાય જ, અને કશું કરવામાં ન આવે તો પણ અમુક સમયે પોતાની મેળે મટી જાય છે. આમ છતાં ઉપર જોશો તો ખીલ બાબત ઘણી માહીતી આપવામાં આવી જ છે. મારા ખ્યાલ મુજબ મીઠું (નમક, સબરસ) અને હળદરને પાણીમાં મીક્સ કરીને લગાડવાથી પણ ખીલમાં ફાયદો થઈ શકે, આમ છતાં તમને એ અનુકુળ છે કે કેમ તેની ખાતરી કરીને જ ઉપાય કરવો. હળદર-મીઠાની પાણીમાં બનાવેલી પેસ્ટ અસરગ્રસ્ત ભાગ પર બને તેટલા લાંબા સમય સુધી રહે તો સારી અસર થઈ શકે. વળી પ્રયોગ અનુકુળ હોય તો ઓછામાં ઓછાં બે સપ્તાહ સુધી કરવો જોઈએ.

    Like

  127. Hiren Says:

    Khil na khada matad VA su Kar vu

    Like

  128. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    તમારા પ્રશ્નનો જવાબ મેં ઉપર આપ્યો છે, ફરીથી અહીં લખું છું.

    કોઈ પણ ઉપચાર કરવા પહેલાં આરોગ્ય સલાહકાર ડૉક્ટર કે વૈદ્યની સલાહ લેવી. ઉપચાર તમને અનુકુળ હોય તેની ખાતરી કરને પછી જ કરવા. કદાચ નીચેના ઉપાય ઉપયોગી થઈ શકે.
    (૧) સુખડનું તેલ, અશ્વગંધા તેલ કે શ્રીપર્ણી તેલની ખીલના ખાડાવાળા ભાગ પર માલીસ કરવી.
    (૨) ટામેટાનો રસ લગાડતા રહેવું.
    (૩) લોધર, વરીયાળી અને ફુલાવેલી ફટકડીનો પાઉડર પાણીમાં કાલવી ખાડા પર લગાડવો.
    આ ઉપચાર આપને અનુકુળ આવે તો લાંબા સમયે કદાચ લાભ થઈ શકે.

    Like

  129. mehulbhai Says:

    mara chahera pra khil che
    chikash khub rahe che
    khilna karne dagh pan ghana thai gaya che plis upay batavjo

    Like

  130. mehulbhai Says:

    sir
    chahera per chikas khil ane khilna dagh dur karva mare su karvu joia
    mara chahera per 5 yers th imane khil thay chhe
    mara 20 yers che
    me face vose ane crem no pan upayog karel che chahera per koi ferfar nathi chikas khil tem jrahe che ane dagh vadhu ne vadhu thata j jay che
    mo:8000502159
    jem banne tya sudhi jaldi upay batava vinti

    Like

  131. ગાંડાભાઈ વલ્લભ Says:

    ખીલ અને ખીલના ડાઘ

    ઉપચાર કરતાં પહેલાં યોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.

    (૧) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.
    (૨) તલનો જુનો ખોળ ગાયના મુત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દુર થાય છે.
    (૩) પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.
    (૪) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ મટી જાય છે.
    (૫) જાંબુના ઠળીયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.
    (૬) સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મીનીટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.
    (૭) ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે.
    (૮) બદામને માખણમાં ખુબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.
    (૯) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
    (૧૦) આમળાં દુધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.
    (૧૧) કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.
    (૧૨) લીમડા કે ફુદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે.
    (૧૩) તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે-ત્રણ મીનીટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.
    (૧૪) લોધર, ધાણા અને ઘોડાવજને પાણીમાં લસોટી લેપ કરવાથી ખીલ મટે છે.
    (૧૫) દરરોજ રાત્રે સુતી વખતે કાચા પપૈયાનું ક્ષીર(દુધ) ખીલ પર ચોપડતા રહેવાથી ખીલ મટી જાય છે.
    (૧૬) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.
    (૧૭) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
    (૧૮) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
    (૧૯) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

    Like

  132. mehulbhai Says:

    hello sir
    khil,khil na dagh ane chikas dur karva apel upay mathi koi ak upay batavjo
    game te ak no upayog karta rahevu joia ke alag alag upyog karta rahevi to pan mati sake chhe
    chhas thi chahero dhoya pachhi pani thi chahero dhoi sakay

    Like

  133. mehulbhai Says:

    sir mari pase limbu chhas limdo tameta bhat gharethi mali sake che temano koi upyog hoy to saru sir jaldi javab reple karva vinti

    Like

    • mehulbhai Says:

      sir
      ape batavel upay pramane hu limdanu datan kari ne kucho 5-6 minite ghasu chu be divas ma khi sukai gayo che ane bhigada valine uakhadva made chhe tethi dagh pan nathi padta
      hu atle lakhu chu ke a upay bija pan kari sake faydo thay chhe

      sir mare a janvanu chhe ke chikas dur karva chhas thi mo dhoi ne pachhi pani thi mo dhovanu ke temanu tem j raheva devanu jaldi ans reple karjo
      ape batavel upay no su fer pade chhe teni mahiti hu vigatvar apto rahis jethi aniyner pan kam avi sake

      Like

  134. ગાંડાભાઈ વલ્લભ Says:

    મેહુલભાઈ,
    મારો એક અજમાવેલો ઉપાય છે, પણ એ ખીલ પર નહીં, મને છાતી પર થયેલ એક નાના ગુમડા પર. અને એ મારી બાબતમાં સંપુર્ણ સફળ થયેલો. છતાં મને લાગે છે કે કદાચ એ ખીલ પર પણ ઉપયોગી થાય. ઉપર આ બાબત થયેલી ચર્ચા જોશો તો મેં એ ઉપાય કેટલાક જણને સુચવ્યો છે, અને કેટલીક વાર એમ પણ જણાવ્યું છે કે જો તમે આ ઉપાય અજમાવી જુઓ તો પરીણામ જણાવવાની કૃપા કરશો. પણ આજ સુધી કોઈએ કશું જણાવ્યું નથી. મને હવે મારી આ ૭૮ વર્ષની ઉંમરે ખીલની સમસ્યા નડી ન શકે, આથી મારે માટે આ પ્રયોગ કરવાની કોઈ ગુંજાઈશ નથી.
    એ પ્રયોગ છે હળદરનું ચુર્ણ અને મીઠા (નમક-સબરસ-common salt)નો. બંનેને પાણીમાં મીક્સ કરી ખીલ પર લગાડી રાખવું. બને તેટલો વધુ સમય ખીલવાળા ભાગ પર આ ઔષધ રહેવું જોઈએ. હળદર ચોખ્ખી હોવી જોઈએ, ભેળસેળવાળી નહીં. હળદરના ડાઘા પડવાની શક્યતા ખરી. એ માટે જે કાળજી રાખી શકાય તે રાખવી.

    Like

  135. mehulbhai Says:

    sir hu aano upayog kari joish ajathi ane tema su fark pade chhe te chokss janavish apne pan mane a janavo ke te divas ma ketli var upyog karay ke rate suti vakhte lagavine sui jaia topan chale haldi nu churan atale sabji ma nakhvani ave te haldi chale jaldi reple apo jethi hu te upay ajamavi saku thenks sir

    Like

  136. ગાંડાભાઈ વલ્લભ Says:

    હા, આપણે ઘરે જે હળદર શાકભાજીમાં વાપરીએ છીએ તે જ હળદર. એને તમારી અનુકુળતા મુજબ ગમે ત્યારે લગાડી શકાય, અને ખીલવાળા ભાગ પર બને તેટલો વખત વધુ રહે તેમ ફાયદો થાય. આથી જ લગ્ન વખતે પીઠી લગાવ્યા પછી વર કે કન્યાની પહેલાંના વખતમાં નહાવાની મનાઈ હતી. જેથી હળદર શરીર પર વધુમાં વધુ સમય સુધી રહે. આજે અહીં ન્યુઝીલેન્ડમાં તો મારા જોવામાં એવું આવતું નથી, આપણા દેશમાં કઈ સ્થીતી હશે તેની ખબર નથી. હું છેલ્લાં ૪૧ વર્ષથી અહીં છું. હળદર વીશેનો એક લેખ હું મારા બ્લોગ પર અનુકુળતાએ મુકવા વીચારું છું.

    Like

  137. mehulbhai Says:

    thenks sir hu 15 divas pachhi su result ave che tamane reply ma ans daeis
    sir vajan vadharva no ak upay batavjo

    Like

  138. ગાંડાભાઈ વલ્લભ Says:

    મેહુલભાઈ,
    તમે વજન વધારવાનો એક ઉપાય પુછો છો, પણ આયુર્વેદમાં ઘણા ઉપાય બતાવેલા હોય છે, કેમ કે લોકો અનેક છે, અને બધાને એક જ ઉપાય લાગુ પડી ન શકે. પોતાની પ્રકૃતી મુજબ જે ઉપાય અનુકુળ આવે તે અજમાવવો જોઈએ. વળી બધી વખત બધાં ઔષધો પણ મળી શકતાં હોતાં નથી, આથી જે મળે તે વાપરવું પડે, અનુકુળ ન આવે તો બંધ કરવું પડે.
    વજન વધારવા (૧) ઠળીયા કાઢેલું પાંચ પેશી ખજુર ભેંસના ઘીમાં પાંચ મીનીટ સુધી સાંતળીને બપોરે ભાત સાથે મેળવી ખાઈ અર્ધો કલાક ઉંઘ લેવાથી સુકલકડી દુબળા માણસના શરીરનાં વજન અને શક્તી વધે છે.
    (૨) સુંઠ, કાળી મુસળી, ગળો, ગોખરું, આમળાં, કૌંચાં, અશ્વગંધા, એખરો, જેઠીમધ, જાયફળ અને હરડે દરેક ૩૦-૩૦ ગ્રામના ચુર્ણને ધાતુપૌષ્ટીક ચુર્ણ કહે છે. આ ચુર્ણને બને તેટલું બારીક ઘુંટવું. અડધીથી એક ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા એક ગ્લાસ દુધમાં મેળવીને એકથી દોઢ માસ રોજ રાત્રે પીવાથી ધાતુપુષ્ટી થાય છે, મુખની તેજસ્વીતા વધે છે અને શરીરનું વજન વધવાની સાથે બળ અને સ્ફુર્તીમાં પણ વધારો થાય છે.
    (૩) સુકા અંજીરના ટુકડાનું ચુર્ણ, ગરમ પાણીમાં ભીંજવી છોતરાં કાઢી નાખી સુકવેલી બદામનું ચુર્ણ, ખડી સાકરનું ચુર્ણ, એલચીની ભુકી, કેસર, ચારોળી, પીસ્તાં અને બળદાણા બધું સરખા વજને લઈ ગાયના ઘીમાં આઠ-દસ દીવસ ભીંજવી રાખવું. પછી દરરોજ સવારે એકથી બે ચમચી ખાવું. એનાથી નાનાં બાળકોનાં તેમ જ અશક્ત લોકોનાં રસ, રક્ત, માંસ, મેદ વગેરે સપ્ત ધાતુની વૃદ્ધી થઈ શરીર પુષ્ટ બને છે. જેમનું વજન વધતું જ ન હોય તેમનું પણ આ ઉપચારથી વજન વધવા લાગે છે.
    (૪) શરીર ખુબ પાતળું હોય અને વજન વધારવું હોય તો સમાન ભાગે તલ અને ખાંડ બબ્બે ચમચા સવાર, બપોર, સાંજ ખુબ ચાવીને ખાવાં. વળી દરરોજ આહારમાં દુધ-ભાત અને ખાંડ જો અન્ય રીતે હાનીકારક ન હોય તો વધુ પ્રમાણમાં લેવાં.
    (૫) ૧૦૦ મી.લી. દુધમાં એટલું જ પાણી ઉમેરી જરુરીયાત મુજબ ખાંડ કે સાકર, એલચી અને ૧૦ ગ્રામ અશ્વગંધાનું ચુર્ણ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠારીને પીવાથી દુબળી વ્યક્તીનું વજન વધવા માંડે છે.
    (૬) આમળાં અને કાળા તલનું સરખે ભાગે બનાવેલું ચુર્ણ ઘી કે મધમાં ચાટવાથી માંસવૃદ્ધી થઈ કૃશતા ઘટે છે, એટલે કે વજન વધે છે.
    (૭) વજન હોવું જોઈએ એના કરતાં ૨૦% ઓછું હોય તો નીયમીત ખોરાક ઉપરાંત દરરોજ ક્રીમ કાઢી નાખેલ ૫૦૦ મી.લી. દુધ, બે કેળાં, ૧૦૦ ગ્રામ શેકેલી મગફળી અને પાંચ ખજુરની પેશી ખાવાથી અને બેથી ત્રણ લીટર પાણી પીવાથી વજન વધે છે. આ બધું એકી સાથે નહીં, પણ આખા દીવસ દરમીયાન લેવાનું.
    (૮) નાગરવેલના એક પાનમાં દરરોજ દસ કાળા મરીના દાણા મુકી ખુબ ચાવીને ખાઈને ઉપર માટલાનું ઠંડુ પાણી પીવાથી બેથી ત્રણ મહીનામાં પાતળો માણસ જાડો થાય છે. જો તમને મરી ગરમ ન પડતાં હોય તો જ આ કરી શકાય.

    Like

  139. JAIMIN BHUPENDRABHAI PRAJAPATI Says:

    Moda par khil bahu thay 6 ane blak padi jaay 6

    Like

  140. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે જયમીનભાઈ,
    ખીલ વીષે વીસ્તૃત વીગતો મારા બ્લોગમાં ઉપર છે અને આ બાબતના ઘણા ઘણા પ્રશ્નોની ચર્ચા પણ ઉપર આવી ગઈ છે. એમાંથી આપને અનુકુળ ઉપાય મળી રહેશે.
    વળી આ રહ્યો ભાઈ કીર્તિએ બતાવેલ એક વધુ ઉપાય kirti chaudhari commented on ખીલ અને ખીલના ડાઘ .

    in response to kajal:

    mane khil bahu thay chhe.aa upcharo bahu saras chhe.

    Chanano lots lgadvathi matei jay 6e
    Aane skin whiye thay 6e.
    એમનું કહેવું છે કે ચણાનો લોટ લગાવવાથી મટી જાય છે અને સ્કીન વ્હાઈટ થાય છે.

    Like

  141. mehulbhai Says:

    sir
    ape batavel upay pramane hu limdanu datan kari ne kucho 5-6 minite ghasu chu be divas ma khi sukai gayo che ane bhigada valine uakhadva made chhe tethi dagh pan nathi padta
    hu atle lakhu chu ke a upay bija pan kari sake faydo thay chhe

    sir mare a janvanu chhe ke chikas dur karva chhas thi mo dhoi ne pachhi pani thi mo dhovanu ke temanu tem j raheva devanu jaldi ans reple karjo
    ape batavel upay no su fer pade chhe teni mahiti hu vigatvar apto rahis jethi aniyner pan kam avi sake

    Like

  142. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે મેહુલભાઈ,
    તમારો ઉત્તર વાંચી આનંદ થયો. બીજા લોકોને લાભ થાય એ માટે તમે આ લખ્યું તે ઘણું સારું કર્યું.
    છાસથી મોં ધોયા પછી જો ચીકાશ જતી રહેલી લાગે તો પાણીથી ધોઈ શકાય, પણ ઔષધ જેમ વધુ સમય રહે તેમ એની વધુ અાસર થઈ શકે. ખાસ કરીને હળદર બાબત મને આ અનુભવ થયો છે. છતાં તમને કેવી અસર થાય છે તે મુજબ, તમારા અનુભવ અનુસાર કરવું. વળી મને લાગે છે કે બાહ્ય ઉપચારમાં વધુ સમય રાખવાથી પણ છાસથી કદાચ કોઈ નુકસાન નહીં થાય.

    Like

  143. mehulbhai Says:

    sir ape batavel khil no upyog karu chu
    ap sex problem vise janta hoy to kaho
    to hu aapne puchhi saku

    Like

  144. mehulbhai Says:

    sir ape batavel khil no upyog karu chu
    ap sex problem vise janta hoy to kaho
    to hu aapne puchhi saku
    sir pls janta hou to ha ke na ma javab apo jethi mane puchhavani khabar pade atyare hu mujavan ma chhu jaldi reply karo

    Like

  145. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે મેહુલભાઈ,
    મારા બ્લોગમાં મેં કામેચ્છા અને સ્તંભન બાબત નીચે મુજબ માહીતી નોંધી છે. તમને અનુકુળ હોય તે ઉપાય યોગ્ય માર્ગદર્શકની સલાહ મુજબ કરવો. એમાં તમારી પ્રકૃતીને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ.
    કામેચ્છા અને શીઘ્ર સ્ખલન
    1. વધુ પડતી કામેચ્છા પર કાબુ મેળવવા પાણીમાં ચોવીસ કલાક પલાળેલા સુકા ધાણાનું એ જ પાણી સાથે સેવન કરવું. જરુર પડે તો એને ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરીને પણ લઈ શકાય.
    2. પીપરીમુળ કામેચ્છા વધારે છે, પરંતુ એનાથી વીર્ય ઘટે છે.
    3. જલેબી પુષ્ટી, કાંતી અને બળ આપે છે. તે રસ, રક્ત વગેરે સાતે ધાતુઓની વૃદ્ધી કરે છે. તે કામેચ્છા વધારે છે.
    4. ડુંગળી ઉષ્ણ અને તીક્ષ્ણ હોઈ પીત્તવર્ધક છે આથી પ્રકૃતીને અનુકુળ હોય તેઓએ જ એનું સેવન કરવું. એનાથી આળસ, ઉંઘ અને કામેચ્છા વધે છે.
    5. ડુંગળી મેદસ્વી, આળસુ, ક્રોધી, કામુક અને ઉંઘણસી માટે વર્જ્ય છે.
    6. ૨૫૦ ગ્રામ જેટલા બાફેલા બટાટા દરરોજ ખાવાથી શીઘ્ર સ્ખલનની ફરીયાદ મટે છે, અને સ્તંભનશક્તી વધે છે. સ્થુળ કાયા ધરાવનાર અને મધુપ્રમેહના રોગીને આ ઉપચાર કામનો નથી. જેમની પાચનશક્તી નબળી હોય તેમણે પણ આ પ્રયોગ ન કરવો.
    7. કાળા તલ અને તજના બારીક ચુર્ણમાં મધ મેળવી સામાન્ય કદની ગોળી બનાવી બબ્બે ગોળી પાણી સાથે સવાર-સાંજ લેવાથી શીઘ્રસ્ખલનની ફરીયાદ મટે છે. શીઘ્રસ્ખલનની તકલીફ ધીરે ધીરે જ મટતી હોય છે, માટે આ પ્રયોગ ધીરજ પુર્વક લાંબા સમય સુધી કરતા રહેવાની જરુર પડે છે.
    8. કાળી મુસલીનો પાઉડર બંગભસ્મ સાથે દરરોજ રાત્રે સુતી વખતે લેવાથી શીઘ્રસ્ખલનની ફરીયાદ મટે છે.
    9. કૌંચાનાં બીજના ૧૦ ગ્રામ ચુર્ણને બસો ગ્રામ દુધમાં ધીમા તાપે પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી થોડા દીવસમાં કામશક્તી વધે છે. શરીર હૃષ્ટપુષ્ટ કરવા માટે આ પ્રયોગ દીવસમાં બે વખત કરવો. જેમને સ્વપ્નદોષ થતો હોય કે શીઘ્રસ્ખલન થતું હોય તેમણે આ ક્ષીરપાક સવાર-સાંજ લેવો, આહારમાં મધુર, સ્નીગ્ધ અને પૌષ્ટીક દ્રવ્યો લેવાં. ચોખા, દુધ, દહીં, ઘી, માખણ, સાકર, મધ, અડદ, કઠોળ, સલાડ અને ફળો લેવાં.

    Like

  146. mehulbhai Says:

    hello sir good morning
    ape batavel upay ma mare koi kamna nathi mare ak alag problem chhe
    sir mari endri 5 ench chhe mediyam pag na agudha jetali jadi chhe
    mari je ladki sathe sagae thai chhe tene pahela koi ladka sathe frienship hati,jeni sathe mari sagai thai chhe te ladki mane khub love kare chhe atiyare halma ame banne sex maniye tyare te mane kahe chhe ke tari indri mara pahela na friends karta 4ench nani chhe ane jadi pan ghani chhe jyare me teni jode paheli var sex maniu tyare mane ghanu lohi pan nikaliu hatu ane dukhavo to full thayo hato tari endri nani hovathi mane koi j asar thati nathi hu pan tene khub love karu chhu teni echha santosva su karavu joia mari endri moti ane jadi thay avo koi ghar gathu upay ke koi dava hoy to batavjo sir mari je ladki sathe sagai thai chhe tene hu chhidva nathi magto jaldi upay batavjo sir
    sir pachhar koi divas tene sex nathi kariu tya sex karia to teni echha santosay khari
    jaldi upay batavjo mara 6mahina pachhi lagan chhe

    Like

  147. ગાંડાભાઈ વલ્લભ Says:

    માફ કરજો મેહુલભાઈ, આ સમસ્યાનો મારી જાણમાં કોઈ ઉપાય નથી.

    Like

  148. mehulbhai Says:

    hello namaste sir,
    limbda datan thi 100% khil thata bandh thai jay che a upay me ajamayelo chhe nava dagh pan nathi padta
    hu chhas thi 15 divas thi mo dhovu chhu pan koi farak nathi
    mo per na chhidr khula thai gaya chhe tethi te chhidr bandh thay tevo ak upay batavo jethi hu teno purn upyog kari saku ane fer pade to te upay bijane pan upayogi thai sake chikas dur karva upay batavjo
    haladal pan roj ratre lagavu chhu ane savare mo dhoi nahku chhu pan mane aam lage chhe ke haladal lagavathi amuk samay purta j sara dehkavi chhi pachhi hoy teva j lagvi chhia thoda samay purta rupala dekhava haladal khub upayogi chhe
    khil na pahela na dagh ma koi fer nathi aatle dagh dur karva upay batavjo
    vajan vadharva na ghana upay aape bataviya chhe pan temathi tamne saro la ge tevo koi ghar gathu koe ak upayog batavjo
    chhati vadharva su karvu joia te pan batavjo jethi aavanar police ni bharti ma hu jai saku
    mane jaldi upay batavjo jethi mane fayado thay 15 divas pachhi su ferafar lage chhe te hu tamane janavto rahis faydo thato hoy to bija ne pan kam aavi sake
    mobile no:8000502159

    Like

  149. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ મેહુલ,
    વજન વધારવાના જે આઠ ઉપાયો મને મળ્યા છે તે બધાને જ કામ આવે એવું નથી. દરેકની પ્રકૃતી અને પાચનશક્તી અનુસાર ઉપાય કરવા પડે. દાખલા તરીકે મને ગાયનું ઘી (અહીં ન્યુઝીલેન્ડમાં તો ઘી એટલે ગાયનું જ ઘી) પચી શકતું નથી. આથી તમારા અનુભવમાં તમને જે અનુકુળ હોય કે તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ ઉપાય કરવાના રહે, જે તમને તપાસી અને તમારી સાથે પ્રશ્નોત્તર કરીને તમને સલાહ આપી શકે.
    છાતી વધુ પહોળી કરવા માટેના કોઈ ઉપાય મારી જાણમાં નથી એ બદલ દીલગીર છું. કદાચ કોઈ પ્રાણાયામ વડે એ કરી શકાતું હોય તો એના નીષ્ણાતની સલાહ લેવી પડે. જેમકે ભસ્રીકા પ્રાણાયામમાં સતત ઉંડા અને ઝડપી શ્વાસોચ્છ્વાસ કરવાના હોય છે, એ પણ તમને અનુકુળ હોય તો જ કરી શકાય.

    Like

  150. mehulbhai Says:

    pachan sakti bahuj nabali chhe to su kara

    Like

  151. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે મેહુલભાઈ,
    પાચન સુધારવાના ઘણા ઉપાયો છે. તમારી પ્રકૃતીને અનુકુળ આવે તે ઉપાય યોગ્ય વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ અજમાવવો. અહીં મેં થોડા ઉપાય જ બતાવ્યા છે.
    (૧) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી પાચનક્રીયા બળવાન બને છે.
    (૨) આમલી, દ્રાક્ષ, મીઠું, મરચું, આદુ વગેરે નાખી બનાવેલી ખજુરની ચટણી ખાવાથી ખોરાકનું પાચન થાય છે.
    (૩) થોડી માત્રામાં રાઈ લેવાથી આહારનું પાચન થાય છે, જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે.
    (૪) પાકી સોપારી ખાવાથી અન્નનું પાચન થાય છે. ખાવામાં સોપારીની માત્રા માત્ર અડધાથી એક ગ્રામ જ લેવી, એથી વધુ પ્રમાણમાં લેવાથી નુકસાન કરે છે.
    (૫) વરીયાળી શેકી, તેમાં જરુર પ્રમાણે મીઠું અને લીંબુનો રસ મેળવી ભોજન કર્યા બાદ ખાવાથી મુખશુદ્ધી થાય છે અને ખોરાકનું પાચન થાય છે.
    (૬) લીંબુનો રસ એક ભાગ અને ખાંડની ચાસણી છ ભાગમાં લવીંગ અને મરીનું ચુર્ણ નાખી શરબત કરી પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, રુચી ઉત્પન્ન થાય છે અને ખોરાકનું પાચન થાય છે.
    (૭) ૫ ગ્રામ ધાણા પાણીમાં ઉકાળી તેમાં દુધ અને ખાંડ નાખી દરરોજ સવારે પીવાથી પાચનક્રીયા સુધરે છે.
    (૮) પપૈયું ખાવાથી પાચનક્રીયા સુધરે છે. વૃદ્ધાવસ્થામાં પાચન ક્રીયા નબળી પડે છે, ત્યારે પપૈયું ઉપયોગી બને છે.
    (૯) સફરજનને અંગારામાં શેકીને ખાવાથી અતી બગડી ગયેલી પાચનક્રીયા સુધરે છે.
    (૧૦) કોળાનો અવલેહ (કેવી રીતે બનાવી શકાય તે જાણવા માટેની લીંક; https://gandabhaivallabh.wordpress.com/2009/01/16/) ખાવાથી પાચનશક્તી સુધરે છે.
    (૧૧) તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી પાચનશક્તી તેજ થાય છે.
    (૧૨) આફરો, ઉબકા, ઉલટી, ખાટા ઓડકાર, વાયુ, મોળ, પેટમાં ચુક, અપચો, પચ્યા વગરના ઝાડા વગેરે હોય તો ૧૦ ગ્રામ મેથી અને ૧૦ ગ્રામ સુવાને અધકચરા ખાંડી થોડા શેકી જમ્યા પછી અડધીથી એક ચમચી ખુબ જ ચાવીને સવાર-સાંજ ખાવાથી રાહત થાય છે.
    (૧૩) મધ, દીવેલ અને આદુનો રસ મેળવી દશેક ગ્રામ રોજ સવારે એક અઠવાડીયું સેવન કરવાથી અપચો મટે છે.
    (૧૪) ડુંગળીના અડધા કપ તાજા રસમાં ચપટી સીંધવ મેળવી સવાર-સાંજ પીવાથી પાચનશક્તી સતેજ થાય છે અને ભુખ ઉઘડે છે.
    (૧૫) એક ચમચી સુંઠનું ચુર્ણ અને બે ચમચી હરડે ચુર્ણ એક ચમચી ગોળ સાથે ખુબ ખાંડી-લસોટી પેસ્ટ જેવું કરીને મોટા ચણી બોર જેવડી ગોળીઓ બનાવી રોજ સવાર-સાંજ બે-બે ગોળી લેવાથી અજીર્ણ, ઉલટી, ઉબકા, મંદાગ્ની-ભુખ ન લાગવી અને આમવાતમાં સારો ફાયદો થાય છે. નબળા પાચનમાં હીતકર છે.

    Like

  152. mehulbhai Says:

    singhav atle su
    rai no upayog kai rite karay

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      સીંધવને સીંધાલુણ પણ કહે છે. એ ખનીજ મીઠું (નમક) છે, એટલે કે એને જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને પચવામાં હલકું ગણાય છે.
      ગુજરાતી લેક્સીકોનમાં એને વીષે નીચે મુજબ માહીતી આપવામાં આવી છે.
      લવણના આઠ માંહેનો એક પ્રકાર. એક જાતનો ખનિજ ક્ષાર; સિંધાલૂણ. આ સિંધુ નદીના ખારા પાણીમાં ક્યાંય પણ જામેલું મીઠું છે. હાલમાં તે ખાણોમાંથી જથ્થાબંધ નીકળી આવે છે. જમીનના જળસ્થળનો અને દરિયાનો સંબંધ થવાથી અને તૂટી જવાથી જીપ્સમ અને સિંધવનાં પડો એક બીજાની પછી અનુક્રમે બંધાય છે. હઝ પર્વતના ઉત્તર ભાગમાં સ્ટાસ્ફર્ડ પાસે આવેલી મીઠાની ખાણમાં આ પ્રમાણે બંધાયેલાં પડો ઉપરથી આ વિલક્ષણ, ચમત્કારી રચનાત્મક ક્રિયા બરાબર સમજાય છે. ત્યાં આગળ સૌથી નીચે શુદ્ધ, સ્ફટિકરૂપ ઘન સિંધવનું પડ આવેલું છે.
      ુઉપરાંત એમાં જ વધુ માહીતી આ મુજબ જોવા મળે છે: એક પ્રકારનું લવણ; એક જાતનો ક્ષાર. આ લવણ ધોળું, રાતું અને પાસાવાળું એમ ત્રણ જાતનું થાય છે. તેને ભાંગવાથી સરખાં ચપટાં કપોટાં ઊખડે છે. જે સફેદ સિંધાલૂણ મળે છે તે હવાની અંદરના પાણીના ભાગને લીધે ઠરીને જમા થયેલું સિંધાલૂણ હોય તેમ દેખાય છે. તેની અંદર પાણીનો ભાગ વધારે રહેલો હોય છે.પાચનશક્તિને માટે સિંધાલૂણ ચડિયાતું છે. ગરમ પાણી સાથે પીવાથી ઊલટી થઈ પિત્ત શાંત થાય છે. ફળાહાર વખતે મીઠાને બદલે સિંધાલૂણનો ખૂબ ઉપયોગ થાય છે.

      Like

  153. mehulbhai Says:

    rai kai rite levani hoy chhe kachi khavani ke vatinne ke tel ma fodi ne sak ma vdhu khava ni upayog kai rite karray

    Like

  154. ગાંડાભાઈ વલ્લભ Says:

    રાઈનું ચુર્ણ એટલે કે પાઉડર પાણી સાથે લઈ શકાય. પરંતુ રાઈ ગરમ હોવાથી પીત્ત પ્રકૃતીવાળાને અનુકુળ ન પણ થાય. વળી એ બહુ જ ઓછા પ્રમાણમાં, પોતાને માફક આવે તેટલા પ્રમાણમાં જ લેવી જોઈએ. પ્રયોગ શરુ કરતાં પહેલાં યોગ્ય ચીકીત્સકની સલાહ રુબરુમાં જરુર લેવી. મેં પોતે રાઈનો પ્રયોગ કર્યો નથી, કેમ કે મને તો સુંઠ સુદ્ધાં ગરમ પડે છે. મારા ખ્યાલ મુજબ રાઈ એનાથી પણ વધુ ગરમ છે. ‘આહાર એ જ ઔષધ’ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે “રાઈ બહુ ગરમ છે, માટે મસાલા તરીકે તેનો માફકસર જ ઉપયોગ કરવો જોઈએ. રાઈનો વધુ પડતો ઉપયોગ કરવાથી હોજરી અને આંતરડાંની ખરાબી થવાનો સંભવ છે.”

    Like

  155. mehul Says:

    hello sir daru pivathi bhukh vadhu lage chhe ane pachan pan thai jay chhe te sachu chhe
    sir mane maf karjo hu varam var prasn puchhu sarve mane problem nathi hota pan mara friends na problem na prasan pan muku chhu ane temne appe apel salah no amal karva janavu chhu
    tatakalik result limdana datan thi khil matadvama upayog vadhu thayo chhe ghana mitro ne khil mati gaya chhe pan pahela padi gayela dagh ma koi fer nathi dekhato

    Like

  156. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે મેહુલભાઈ,
    તમે જો ગુજરાતી ફોન્ટમાં લખો તો વધુ સારુ. મેં મારા બ્લોગ પર ગુજરાતી કીબોર્ડ કેવી રીતે ઈન્સ્ટોલ કરવું તે લખ્યું છે. (મારા પુત્રની મદદ વડે જે કંપ્યુટર પ્રોગ્રામર છે.) એમાં મુશ્કેલી જણાય તો સુરતના ગુજરાતીના નીવૃત્ત શીક્ષક શ્રી ઉત્તમભાઈએ નીચે મુજબ ગુજરાતીઓને જણાવ્યું છે:
    Gujarati Keyboard ગુજરાતીમાં લખવા માટે – ઉત્તમભાઈ ગજ્જર-સુરત કહે છે કે નેટ પર મેઈલમાં, ફેસબુક પર, ચેટીંગમાં કે અહીં વર્ડમાં, ગુજરાતીમાં લખતાં શીખવું છે? ક્યાંય કશા કૉપી-પેસ્ટના શ્રમ વીના સીધું જ? તો મુલાકાત લો: http://lakhe-gujarat.weebly.com/ ની., કશી તકલીફ જણાય તો લખજો.. uttamgajjar@gmail.com
    હવે તમારા પ્રશ્ન બાબત. તમે વારંવાર પ્રશ્ન પુછો તેમાં મને કોઈ તકલીફ નથી. એ પ્રશ્ન તમારો હોય કે બીજા કોઈનો તેમાં પણ કોઈ વાંધો નથી. મને જે જાણકારી હશે તે આપવામાં આનંદ થશે. હા, ગુજરાતી ભાષા ગુજરાતી ફોન્ટમાં લખી હોય તે મને ગમે. આજે તો ગુજરાતી કીબૉર્ડ ઈન્ટરનેટ પર ફ્રી મળે છે.
    દારુ યોગ્ય પ્રમાણમાં લેવાથી લાભ કરે છે એમ અહીં પશ્ચીમના લોકોનું માનવું છે. વધુ પ્રમાણમાં નુકસાનકારક છે. આયર્વેદ કહે છે કે દારુ-મદ્યાર્કમાં રહેલું ભારોભાર અગ્ની તત્ત્વ શરીરની સપ્ત ધાતુઓને બાળી નાખે છે, એ જ એની સૌથી મોટી ખરાબ અસર છે. વળી ધાર્મીક રીતે જોતાં દારુ પીવાથી માણસને નશો ચડે છે, જે આપણી ચૈતન્ય શક્તી ક્ષીણ કરી દે છે. હીન્દુ ધર્મ મુજબ માણસે સદા ભાનમાં – કોન્સીઅસ રહેવું જોઈએ, જો આધ્યાત્મીક પ્રગતી કરવી હોય તો. એ રીતે દારુ પીવાથી કદાચ પાચનમાં લાભ થતો જણાતો હોય તો પણ એનાથી થતાં નુકસાન જોતાં એનું સેવન કરવું લાભકારક નથી એમ મને લાગે છે. છતાં મેં એનું સેવન કર્યું ન હોવાથી આરોગ્યની દૃષ્ટીએ હું મારો અભીપ્રાય આપી ન શકું અને મને બીજા કોઈ પુસ્તકમાંથી આરોગ્ય બાબત દારુ અંગે કોઈ માહીતી મળી શકી નથી. વળી દરેક વ્યક્તી અદ્વીતીય છે, આથી એકને થયેલ અનુભવ બીજાને કામ આવી ન શકે.
    હું કોઈ વૈદ્ય કે ડૉક્ટર નથી, આયુર્વેદ બાબત મારી જાણકારી પુસ્તકો વાંચવાના મારા શોખમાંથી મને મળી છે અને મને પહેલેથી જ આયુર્વેમાં દીલચસ્પી છે. આમ તો હું વીજ્ઞાન-ગણીતનો શીક્ષક છું. ભારતમાં બારેક વર્ષ શીક્ષણકાર્ય પછી 41 વર્ષ પહેલાં અહીં ન્યુઝીલેન્ડ મારા પરીવાર સાથે મારા શીક્ષક તરીકેના ક્વોલીફીકેશનના આધારે આવ્યો હતો.

    Like

  157. vankar hitesh kumar ishwar bhai Says:

    Hi sir mane 2 3 year thi khil che ketlay upayo karya pan kai farak nathi padto plz sir mane kai saro upay batava namra vinati my age 24 year

    Like

  158. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હિતેશકુમાર,
    ઉપર મેહુલભાઈની કૉમેન્ટ છે: mehulbhai Says:
    મે 31, 2016 at 10:16 am | Reply
    hello namaste sir,
    limbda datan thi 100% khil thata bandh thai jay che a upay me ajamayelo chhe nava dagh pan nathi padta.

    ગુજરાતી ફોન્ટમાં એમનું કહેવાનું આ મુજબ છે: લીમડાના દાતણથી 100% ખીલ થતા બંધ થઈ જાય છે. એ ઉપાય મેં અજમાવ્યો છે. નવા ડાઘ પણ નથી પડતા.
    ઉપાય એમણે આ રીતે કર્યો છે: મેહુલભાઈ લખે છે: “આપે બતાવેલ ઉપાય પ્રમાણે હું લીમડાનું દાતણ કરીને કુચો 5-6 મીનીટ સુધી ઘસું છું. બે દીવસમાં ખીલ સુકાઈ ગયા છે. અને ભીંગડાં વળીને ઉખડવા માંડે છે. તેથી ડાઘ પણ નથી પડતા. હું એટલે લખું છું કે જેથી બીજા પણ કરી શકે. ફાયદો થાય છે.”
    ape batavel upay pramane hu limdanu datan kari ne kucho 5-6 minite ghasu chu be divas ma khi sukai gayo che ane bhigada valine uakhadva made chhe tethi dagh pan nathi padta
    hu atle lakhu chu ke a upay bija pan kari sake faydo thay chhe

    Like

  159. LLapy Says:

    પેટ અને છાતી ના વાળ ને દુર કરવા માટે શું કરવાનુ ?
    પગ ઉપર પણ બહુ વાળ છે એને પણ દુર કરવા છે.

    Like

  160. ગાંડાભાઈ વલ્લભ Says:

    વાળ દુર કરવાના ઉપાય મેં ક્યાંક દીવ્ય ભાસ્કરમાં વાંચ્યાનો ખ્યાલ છે. એમાં કંઈક આ મુજબ હતું, છતાં ઉપાય કરતાં પહેલાં તમને એનાથી કશી ખરાબ અસર નહીં થાય એની ખાતરી કરી લેવી. આ ઉપાય મેં અજમાવ્યા નથી, આથી એની કોઈ બાંહેધરી નથી.
    1. કાચું પૈપયું વાળ દૂર કરવા માટેનું સારું ઔષધ છે. તે વાળના મુળને દુર કરે છે, આથી ફરીથી વાળ ત્યાં ઉગતા નથી.
    કાચા પપૈયાના ટુકડા બારીક ગ્રાઈન્ડ કરી થોડી હળદર ઉમેરો. આ મિશ્રણ વડે જ્યાં વાળ દુર કરવા હોય ત્યાં 10 કે 15 મીનીટ માલીસ કરી એ ભાગ હુંફાળા પાણી વડે ધોવો. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો. જ્યાં સુધી અનીચ્છનીય વાળ દુર ન થાય ત્યાં સુધી ઉપચાર ચાલુ રાખવો. જો કોઈ વીપરીત અસર માલમ પડે તો પ્રયોગ બંધ કરી દેવો.
    2. ચણાનો લોટ ન ગમતા વાળને દૂર કરવા માટેનો બીજો એક ઉપાય છે.
    ચણાનો લોટ અને દૂધ સરખા પ્રમાણમાં લઈ એકાદ ચપટી હળદર ઉમેરો. એને વાળ જે દિશામાં ઉગ્યા હોય તે દિશામાં ઘસો, ઉલ્ટી દિશામાં નહીં. આ મીશ્રણ સુકાઈ જાય ત્યાં સુધી એ ભાગ પર રહેવા દેવું અને પછી હુંફાળા પાણી વડે ધોઈ નાખવું. એનાથી વાળનાં મુળ નબળાં બને છે અને સુકાયેલા મીશ્રણ સાથે વાળ નીકળી જાય છે.
    3. લીંબુ અને મધ – લીંબુના રસમાં એનાથી ચારગણું મધ લઈ મીક્સ કરો. એને જે વાળ દુર કરવા હોય તેના પર 20 કે 25 મીનીટ સુધી રાખી સુકાઈ જાય ત્યારે કપડા વડે દુર કરો. આ ઉપાય સતત કરતા રહેવાથી લાંબા ગાળે વાળનાં મુળ સહીત એ દુર થાય છે, અને ફરી ઉગતા નથી.

    Like

  161. mehulbhai Says:

    ghana upay kariya chhataav modha per ni chikas dur nathi thati
    chikas dur karva su karvu
    chikas koi divas na thay tevo upay batavo

    Like

  162. mehulbhai Says:

    koi tite khil na dagh dur thata nathi
    jaldi dagh dur thay teva upay batavjo

    Like

  163. ગાંડાભાઈ વલ્લભ Says:

    મેહુલભાઈ,
    તમારી સમસ્યા ચામડીની ચીકાશ બાબત છે અને તમે ખીલ બાબતમાં પ્રશ્ન મુક્યો છે. મેં ચામડી વીષે ઘણી માહીતી મારા બ્લોગમાં મુકી છે, એમાંથી ચામડીની ચીકાશ દુર કરવાના ઉપાય નીચે મુજબ જણાવ્યા છે. તમને અનુકુળ હોય તે ઉપાય કરવો.
    ચામડીની ચીકાશ દુર કરો
    (1) ચામડીની સમસ્યામાં ગાજરનો રસ દુધમાં મેળવી પીવો. ગાજરના રસ અને દુધનું પ્રમાણ જરુર મુજબ રાખવું.
    (2) ત્વચાની સમસ્યામાં ખાંડ-ગોળ, બધી જ જાતનાં ફળ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, સાબુ, તલ, શીંગદાણા, દહીં, ભીંડા, સક્કરીયાં વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલખ, તુવેરની દાળ, હળદર ઘણાં સારાં જે દરરોજ લઈ શકાય.
    (3) ચામડી તેલવાળી હોય તો સફરજનનો માવો બનાવી ચામડી પર પંદરેક મીનીટ રાખી હુંફાળા પાણીથી ધોઈ નાખવાથી વધારાનું તેલ દુર થાય છે અને ચામડી આકર્ષક લાગે છે.
    (4) તાજા દુધમાં બદામ વાટી ચહેરા પર લગાવવાથી ચામડી સુંદર બને છે અને ચહેરા પર નીખાર આવે છે.
    (5) તૈલી ત્વચાની ચીકાશ ઓછી કરવા માટે એક મોટો ચમચો ગુલાબજળમાં રૂનું પુમડું ભીનું કરી દરરોજ ચહેરા પર લગાવો. ચહેરો સાફ કરવાની આ સૌથી સારી રીત છે. એથી ત્વચા પરની ચીકાશ ઓછી થઈ જશે.
    (6) ચહેરાને દરરોજ ચાર વાર તાજા દુધ વડે સાફ કરો. એથી રોમછીદ્રોની અંદરનો કચરો નીકળી જશે. સાથે સાથે ત્વચામાં રહેલી વધારાની ચીકાશને દુર કરવા છતાં કુદરતી ભીનાશ જાળવી રાખવામાં પણ મદદ થશે.
    (7) તૈલી ત્વચા ખીલી ઉઠે તે માટે એક ચમચો કાકડીનો રસ, ૧ ચમચો ટામેટાનો રસ અને ૧ ચમચો લીંબુનો રસ ભેગા કરીને એ મીશ્રણ અઠવાડીયામાં ત્રણ વાર ચહેરા પર લગાવો અને લગભગ દસ-પંદર મીનીટ સુધી રહેવા દઈ ચહેરો ઠંડા પાણીથી ધોઈ નાખો.

    Like

  164. hemlata mehta Says:

    JSK , I have some problem in using hair dye, i am not able to use any dye as i get allergy. I am working women, please advice me if you have any organic or home made remdy for getting grey hair dyed. thank you sir.
    Hemlata mehta

    Like

  165. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હેમલતાબહેન,
    મારા બ્લોગમાં મેં વાળ વીષે જે માહીતી આપી છે, એમાં સફેદ વાળના ઉપાયો નીચે મુજબ લખ્યા છે. તમને લાગુ પડતા ઉપાય કોઈ રીતે નુકસાનકારક નથી એની ખાતરી કરીને અજમાવી શકો. વળી આમાં અમુક ઉપાય અકાળે કાળા થયેલા વાળ માટે છે. એ ડાઈ તરકે કામ કરે કે કેમ તેની માહીતી મને નથી. કદાચ નં. 4 અને નં.8 એ રીતે ડાઈ તરીકે વાપરી શકાય? યોગ્ય જાણકારની મદદ લઈ અજમાવી શકો.

    સફેદ વાળ (૧) વાળ સફેદ થવા માંડ્યા હોય તો દરરોજ દહીં-છાસ આહારમાં વધુ પ્રમાણમાં લેવાં. એનાથી વાળ સફેદ થતા અટકે છે. બાળકોને શરુઆતથી જ દહીં-છાસનું નીયમીત સારા પ્રમાણમાં સેવન કરાવતા રહેવું જોઈએ.
    (૨) શુદ્ધ ગંધક અને શુદ્ધ લોહભસ્મ સમભાગે લઈ ખરલમાં ખુબ લસોટવી. દરરોજ સવાર-સાંજ ૧/૨ ગ્રામ આ મીશ્રણ ૧૦ ગ્રામ મધ અને ૫ ગ્રામ ઘી સાથે લેવાથી વાળ કાળા થાય છે અને સફેદ થતા અટકે છે. આ બધાં ઔષધો ગરમ છે, માટે પીત્ત પ્રકૃતીવાળાંને કદાચ નુકસાન થઈ શકે.
    (૩) આમળાના ચુર્ણને આમળાના રસની ૨૧ ભાવના આપવી. (૨૧ વાર ભીંજવવું અને સુકવવું.) પછી તેનું સેવન કરવાથી માથાના વાળ કાળા થાય છે.
    (૪) બહેડાનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ પાણી સાથે ૧-૧ ચમચો લેવાથી અને રાતે સુતી વખતે આ પાઉડર પાણીમાં ભેળવી વાળમાં પાથીએ ભરી સવારે શેમ્પુથી ધોઈ નાખવાથી વાળ થોડા જ દીવસોમાં કાળા થાય છે.
    (૫) ગુલાબની પાંખડીમાંથી તૈયાર કરેલા ગુલકંદમાંથી અડધો ગુલકંદ સુર્યના પ્રકાશમાં અને અડધો ચાંદનીમાં રાખી દરરોજ સવાર-સાંજ લેવાથી માથાના વાળ ખરવા, વાળનો જથ્થો ઓછો થવો, વાળ તુટવા, વાળ અકાળે સફેદ થઈ જવા વગેરે ફરીયાદો મટે છે.
    (૬) દરરોજ રાતે સુતી વખતે ૧ મોટો ગ્લાસ ભરીને દુધ લઈ તેમાં ૧ ચમચી બદામનું તેલ નાખી બરાબર મીશ્રણ કરી પીવાથી લાંબા સમયે વાળ સફેદ થતા અટકે છે, અને જો સફેદ થયા હોય તો ધીમે ધીમે કાળા થવા માંડે છે.
    (૭) જેઠીમધ અથવા જેઠીમધનું સત્ત્વ દુધ સાથે દરરોજ સવાર-સાંજ લેવાથી અકાળે ધોળા થયેલા વાળ કાળા થાય છે. જેઠીમધ કરતાં જેઠીમધનું સત્ત્વ વધુ અકસીર છે.
    (૮) વાળમાં મહેંદી લગાવવાથી વાળ લાલ થઈ જતા હોય તો મહેંદી પલાળતી વખતે તેમાં આમળાં, અરીઠાં, શીકાકાઈ અને ભાંગરાનો પાઉડર ઉમેરવાથી મહેંદી કાળી થશે, અને વાળ કાળા થશે.

    Like

  166. Kaanu shah Says:

    Namaskar sir
    Mane ankh ni paanpad per ek mas thayo chhe ane bija pan thase evu laage chhe pls eno koi upaay kahesoji

    Like

  167. ગાંડાભાઈ વલ્લભ Says:

    આંખની પાંપણ કે આંખના પોપચા પર ખીલ થાય એમ મને લાગતું નથી. એ કદાચ આંખની આંજણી હોઈ શકે, જેમાં ઘણો દુખાવો થતો હોય છે, જ્યારે ખીલ થયા હોય તો દુખાવો થતો નથી.
    જો આંજણી હોય તો યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ તમને અનુકુળ હોય તો નીચેના ઉપાય કરી શકાય.
    સાથે બહેન હેમલતાની સમસ્યા માટે મેં મારા બ્લોગમાં નીચેના ઉપાય નોંધ્યા છે, એ પૈકી તમને અનુકુળ ઉપાય કરી શકાય, પરંતુ જો ઉમરના કારણે વાળ સફેદ થયા હોય તો કદાચ ઈચ્છીત પરીણામ ન પણ મળે.
    આંખની આંજણી અને ખંજવાળ (૧) હળદર અને લવીંગને પાણીમાં ઘસીને પાંપણ પર લગાડવાથી ત્રણ દીવસમાં આંજણી મટી જાય છે.
    (૨) ચણાની દાળને વાટીને પાંપણ પર લગાડવાથી આંજણી મટે છે.
    (૩) મરી પાણીમાં ઘસી આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફુટી જાય છે.

    સફેદ વાળ (૧) વાળ સફેદ થવા માંડ્યા હોય તો દરરોજ દહીં-છાસ આહારમાં વધુ પ્રમાણમાં લેવાં. એનાથી વાળ સફેદ થતા અટકે છે. બાળકોને શરુઆતથી જ દહીં-છાસનું નીયમીત સારા પ્રમાણમાં સેવન કરાવતા રહેવું જોઈએ.
    (૨) શુદ્ધ ગંધક અને શુદ્ધ લોહભસ્મ સમભાગે લઈ ખરલમાં ખુબ લસોટવી. દરરોજ સવાર-સાંજ ૧/૨ ગ્રામ આ મીશ્રણ ૧૦ ગ્રામ મધ અને ૫ ગ્રામ ઘી સાથે લેવાથી વાળ કાળા થાય છે અને સફેદ થતા અટકે છે.
    (૩) આમળાના ચુર્ણને આમળાના રસની ૨૧ ભાવના આપવી. (૨૧ વાર ભીંજવવું અને સુકવવું.) પછી તેનું સેવન કરવાથી માથાના વાળ કાળા થાય છે.
    (૪) બહેડાનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ પાણી સાથે ૧-૧ ચમચો લેવાથી અને રાતે સુતી વખતે આ પાઉડર પાણીમાં ભેળવી વાળમાં પાથીએ ભરી સવારે શેમ્પુથી ધોઈ નાખવાથી વાળ થોડા જ દીવસોમાં કાળા થાય છે.
    (૫) ગુલાબની પાંખડીમાંથી તૈયાર કરેલા ગુલકંદમાંથી અડધો ગુલકંદ સુર્યના પ્રકાશમાં અને અડધો ચાંદનીમાં રાખી દરરોજ સવાર-સાંજ લેવાથી માથાના વાળ ખરવા, વાળનો જથ્થો ઓછો થવો, વાળ તુટવા, વાળ અકાળે સફેદ થઈ જવા વગેરે ફરીયાદો મટે છે.
    (૬) દરરોજ રાતે સુતી વખતે ૧ મોટો ગ્લાસ ભરીને દુધ લઈ તેમાં ૧ ચમચી બદામનું તેલ નાખી બરાબર મીશ્રણ કરી પીવાથી લાંબા સમયે વાળ સફેદ થતા અટકે છે, અને જો સફેદ થયા હોય તો ધીમે ધીમે કાળા થવા માંડે છે.
    (૭) જેઠીમધ અથવા જેઠીમધનું સત્ત્વ દુધ સાથે દરરોજ સવાર-સાંજ લેવાથી અકાળે ધોળા થયેલા વાળ કાળા થાય છે. જેઠીમધ કરતાં જેઠીમધનું સત્ત્વ વધુ અકસીર છે.
    (૮) વાળમાં મહેંદી લગાવવાથી વાળ લાલ થઈ જતા હોય તો મહેંદી પલાળતી વખતે તેમાં આમળાં, અરીઠાં, શીકાકાઈ અને ભાંગરાનો પાઉડર ઉમેરવાથી મહેંદી કાળી થશે, અને વાળ કાળા થશે.
    આમાંનાં કેટલાંક ઔષધો ઝેરી છે, આથી એના ઉપયોગમાં કાળજી રાખવી અને બાળકોના હાથમાં ન આવે તે રીતે એને સાચવવાં.

    Like

  168. patel Yachana Says:

    Hello sir mari years 21 ni che Mara fece par cchela4-5 month khil thay che pela Mara fece par aevu kaei natu ne have thay che and mari skin olie che to sir pal koei dava bhata vo jeti fari na thay plz sir

    Like

  169. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે યાચનાબહેન, તમારા આ પ્રશ્નનો ઉત્તર મેં તમે “ખીલ અને ખીલના ડાઘ”માં પુછેલા વીભાગમાં આપ્યો છે.

    Like

  170. patel Yachana Says:

    Pan sir aem tei mare su karvu mane Nana khil thya che ne mhumtaj ni mati lagvu to thodo fer pade che pacha Nana thay che 4-5 month thay che fari na thay aevi dava apo sir plz

    Like

  171. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    “ખીલ અને ખીલના ડાઘ” વીષે લખ્યું છે ત્યાં મેં ખીલ મટાડવાના ઘણા ઉપાય નોંધ્યા છે. મારા ખ્યાલ મુજબ ખીલ થાય જ નહીં એવી કોઈ આયુર્વેદીક દવા નથી. અમુક સમય પછી ખીલ થવાનું એની મેળે જ બંધ થઈ જશે. ત્યાં સુધી એને મટાડવાના તમને અનુકુળ ઈલાજ કરવાના રહે. હા, મેં પહેલાં કહ્યું છે તેમ સાદો, સાત્ત્વીક, સુપાચ્ય આહાર તમે સરળતાથી પચાવી શકો તેટલા પ્રમાણમાં લેવાથી ફેર પડી શકે, કેમ કે ખીલ એ શરીરમાં પેદા થતા નકામા પદાર્થને શરીર બહાર કાઢી નાખવાની પ્રક્રીયા છે. આથી શરીરમાં અયોગ્ય આહારથી એવા નકામા પદાર્થો પેદા ન થાય તો ખીલ કદાચ ન થાય.
    પણ બહેન દીલગીર છું કે તમે કહો છો તેવી દવાની મારી પાસે માહીતી નથી.

    Like

  172. Sahdev thakor Says:

    Mare mo par khubaj khil Che ane tema thi rasshi temaj khubaj lohi nikade Che…..

    Like

  173. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ શ્રી સહદેવભાઈ,
    ખીલ વીશે મારા બ્લોગમાં મેં માહીતી આપી છે, જેની લીન્ક ઃ https://gandabhaivallabh.wordpress.com/tag/%E0%AA%96%E0%AB%80%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AB%80%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%98/ એના પર ક્લીક કરવાથી તથા ઉપર મેં આપેલ ઉત્તર પણ જોવાથી તમને જરુરી માહીતી મળશે. મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર. જો આ લીન્ક એના પર ક્લીક કરવાથી ન ખુલે તો એની કોપી પેસ્ટ કરવાથી ખુલી શકશે.

    Like

  174. Navin Parmar Says:

    hello sir
    Mari umar 15 year 6e. to pan mara modha par satat 2year thi khil thay 6e . to ano koi upay batavaso .Ane mare sano upyog karvo. Plzz

    Like

  175. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈશ્રી નવીનભાઈ, મને લાગે છે કે ૧૫ વર્ષની ઉમ્મર ઘણી નાની ગણાય. ખીલનો પ્રોબ્લેમ તમને હજુ રહેશે. પણ ખીલ થયા હોય તો નીચેની લીન્ક પર ક્લીક કરવાથી એને મટાડવાના બધા ઉપાયો તમે જોઈ શકશો. એમાંથી તમારી પ્રકૃતીને અનુકુળ ઉપાય અજમાવી શકો. ખીલમાં કદાચ મીઠું (નમક) અને હળદર પાણીમાં મીક્સ કરીને લગાડતા રહેવાથી વધુ સારું પરીણામ મળી શકે, પણ મને ખીલ થયેલા તે સમયે મને આ ઉપાયની જાણ ન હતી, આથી આ બાબતમાં મારો જાત-અનુભવ નથી. થોડા દીવસોમાં જ મારાં ૭૯ વર્ષ પુરાં થવામાં છે, આથી મને હવે ખીલ થવાની કોઈ શક્યતા નથી, અને તેથી હળદર-મીઠાનો પ્રયોગ હું ખીલ માટે કરી શકું તેમ નથી. પણ બીજી આવી સમસ્યામાં મેં હળદર-મીઠું વાપર્યું છે અને ઘણું સરસ પરીણામ મળ્યું છે.
    https://gandabhaivallabh.wordpress.com/tag/ખીલ-અને-ખલના-ડાઘ/
    આ લીન્ક પર ક્લીક કરવાથી એ ન ખુલે તો એની કોપી-પેસ્ટ કરવાથી ખુલી શકશે.

    Like

  176. Dinesh Patel Says:

    Mara gal par kala tal thya che tene dur karva upay apva vinti..

    Like

  177. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે દિનેશભાઈ,
    મારો તો ખ્યાલ છે કે તલ જન્મથી વારસામાં મળે, અને એને દુર કરવાનો કોઈ ઉપાય હોતો નથી. કદાચ હોય તો મારી જાણમાં નથી. જો કોઈ કરણે ગાલ પે કાળા ડાઘ પડ્યા હોય તો એને હળદર અને મીઠું (નમક) પાણીમાં મીક્સ કરીને લગાડવાથી કદાચ દુર થઈ શકે. પણ જો એ ખીલ હોય તો ખીલના ઉપાય જાણવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરો:
    https://gandabhaivallabh.wordpress.com/tag/ખીલ-અને-ખલના-ડાઘ/

    Like

  178. rajesh Says:

    ગુદા પર મોટો ખીલ થયો છે તેમાંથી લોહી નીકળે છે તેને મટાડવાની દવા

    Like

  179. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ રાજેષ,
    એને હરસ કહેવાય, ખીલ નહીં. લોહી પડતું હોય તેને દુઝતા હરસ કહેવામાં આવે છે. હરસના ઘણા ઉપાય મારા બ્લોગમાં મેં નોંધ્યા છે, એ પૈકી દુઝતા હરસના ઉપાયો તમે તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ અજમાવી શકો. હરસના ઉપાયોની લીન્ક:
    https://gandabhaivallabh.wordpress.com/tag/%E0%AA%B9%E0%AA%B0%E0%AA%B8-haras-masaa/

    Like

  180. bhavesh vaghera Says:

    પાન માવા ખાવાથી જકડાયેલ જડબાને ખોલવા માટે ઉપાય ઔષધ તથા શરીર પરના વણ જોઇતા વાળ દૂર કરવા ના આયુર્વેદીક ઉપાય

    Like

  181. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ શ્રી ભાવેશભાઈ,
    આયુર્વેદમાં વાયુવીકારથી ૮૦ પ્રકારના રોગો થાય છે એમ કહેવામાં આવ્યું છે. એમાંથી આ ૮૦મો રોગ હોય એમ લાગે છે, જેને હનુસ્તંભ કહે છે જેમાં હડપચી સ્થગીત થાય, આંખ, મોં, ચહેરાની શીકલ ફરી જાય. મોં વાંકું બને. આ બાબતમાં સારા અનુભવી સેવાની ભાવનાવાળા વાળા વૈદ્યને મળવું જોઈએ, જે તમારી પ્રકૃતીને તપાસી તમને અનુકુળ આવતું ઔષધ આપી શકે. માર્ગદર્શન તરીકે નીચેની બાબત લખું છું, પણ એ જાતે ઉપચાર કરવા માટે નહીં.
    વાયુના તમામ રોગોમાં આ પ્રયોગ અવશ્ય કરવા જેવો છે. મેથી, અજમો, કાળીજીરી, અશેળીયો અને હરડે આ પાંચે ઔષધો સરખા વજને (દરેક સો સો ગ્રામ) લઈ ભેગા કરી ખુબ ખાંડી બારીક-વસ્ત્રગાળ ચુર્ણ કરી એરટાઈટ બાટલી ભરી લેવી. આ ચુર્ણ અડધી ચમચી જેટલું રોજ સવારે અને રાત્રે ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે લેવું. ૧૫થી ૨૦ દીવસ આ ચુર્ણ નીયમીત લેવાથી અને ઉચીત પરેજી પાળવાથી હાડકાંઓના સાંધાઓનો તથા સ્નાયુઓનો દુખાવો (આમવાત), ઉદરશુળ તથા શીરઃશુળ અને કટીશુળ મટે છે. આ ઉપરાંત અર્દીત-મોઢાનો લકવા, પક્ષાઘાત-પેરાલીસીસ, કટીગ્રહ, ઉરુસ્તંભ વગેરે વાયુના રોગોમાં ફળપ્રદ છે.
    વાયુની બીમારીમાં
    યોગાસન : જમ્યા પછી ૧૦-૧૫ મીનીટ વજ્રાસન, પવન મુક્તાસન
    પ્રાણાયામ : અનુલોમ-વીલોમ ૫ મીનીટ કરવો.
    ભોજન વખતે સુર્યસ્વરથી (જમણા નસકોરા વડે) શ્વાસોચ્છ્વાસ કરવો.
    મુદ્રા : વાયુ વીજય મુદ્રા, અપાન વાયુ મુદ્રા ૨૦-૨૦ મીનીટ કરવી.
    વીશેષ : ખુબ ચાવીને જમવું, ભોજન સાથે પાણી ન પીવું, પણ જમ્યા પછી ૪૦ મીનીટ બાદ પાણી
    પીવું.

    શરીર પરના વણજોઈતા વાળ દુર કરવાના આયુ્ર્વેદ ઉપાયોની મને માહીતી નથી, એ બદલ દીલગીર છું.

    Like

  182. vijay Says:

    Tamaro contact

    Like

  183. vijay m khetariya Says:

    Mane khil ane khil ma dadh matataj nathi koi pan dava vapru to su karvu khil dash bahu vadhare Che khil karta

    Like

  184. ગાંડાભાઈ વલ્લભ Says:

    વિજયભાઈ, તમે હળદર અને મીઠું પાણીમાં યોગ્ય પ્રમાણમાં મીક્સ કરીને ખીલ પર લગાવી જોયું છે? તમને એનાથી નુકસાન થતું ન હોય તો એ પ્રયોગ કરી શકો – એટલે કે તમારી ચામડી પર એની કોઈ વીપરીત અસર ન થતી હોય તો. બધાંની ચામડી સરખી હોતી નથી. આથી ખાતરી કરીને પ્રયોગ કરવો.

    Like

  185. VAGHELA UDESING Says:

    Mane chati ma cop that che

    Like

  186. VAGHELA UDESING Says:

    Mari Hite nathi vadhe ti su koi dava che

    Like

  187. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈશ્રી ઉદેસીંગ, શરીરની ઉંચાઈ અમુક ઉમ્મર સુધી જ વધી શકે. તમારી ઉમ્મર હજુ એ મર્યાદામાં હોય તો પૌષ્ટીક સુપાચય આહાર અને તાડાસન જેવાં અમુક આસનો કરવાથી કદાચ થોડી ઉંચાઈ વધી શકે.

    Like

  188. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈશ્રી,
    કફ મટાડવાના ઘણા ઉપાયો મારા બ્લોગમાં મેં આપ્યા છે. એની લીન્ક : https://gandabhaivallabh.wordpress.com/2010/03/29/કફ/
    આ ઉપાયો પૈકી તમને અનુકુળ હોય તે ઉપાય યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો.

    Like

  189. rahul Says:

    rahul kodinar navusheri

    Like

  190. rahul Says:

    khil dava

    Like

  191. ગાંડાભાઈ વલ્લભ Says:

    રાહુલભાઈ, તમે હળદર અને મીઠું પાણીમાં યોગ્ય પ્રમાણમાં મીક્સ કરીને ખીલ પર લગાવી જોયું છે? તમને એનાથી નુકસાન થતું ન હોય તો એ પ્રયોગ કરી શકો – એટલે કે તમારી ચામડી પર એની કોઈ વીપરીત અસર ન થતી હોય તો. બધાંની ચામડી સરખી હોતી નથી. આથી ખાતરી કરીને પ્રયોગ કરવો. એને બને તેટલા લાંબા સમય સુધી ખીલવાળા ભાગ પર રહેવા દેવું. આમ તો ખીલ મટાડવાના બીજા ઘણા ઉપાયો મેં ઉપર બતાવ્યા છે.

    Like

  192. TUSHAR Says:

    mane piple kala daag thaya chhe hu su karu?

    Like

  193. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ તુષાર,
    ખીલના ડાઘ દુર કરવા મેં મારા બ્લોગમાં નીચેના ઉપાય સુચવ્યા છે. એ પૈકી તમને અનુકુળ હોય તે ઉપાય યોગ્ય છીકીત્સકની સલાહ લઈ અજમાવી શકો.
    1. પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.
    2. શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.
    3. છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
    4. વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
    5. ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

    Like

  194. Mehul Says:

    How can removing the oily scene ….?!

    Like

  195. Mehul Says:

    Kitaharusnya(a.f.i.-i)&chitra khadi vati
    A dava pachan thava mate. Ni chhe
    A dava medical vala a mane api chhe sachu su chhe te janavjo dava kai rite levi te janavjo
    Help sir….

    Like

  196. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે મેહુલભાઈ,
    પાચનની તકલીફ માટે મારા બ્લોગમાં નીચેની બે લીન્ક ખોલવા વીનંતી.
    427. પાચન http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/29/
    428. પાચનચુર્ણ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2009/06/06/
    આ પહેલાં ઉપર તમારો જે પ્રશ્ન છે તેમાં મને સમજણ પડી નથી. જો ચામડી તૈલી (ઓઈલી) હોય તો એ સમસ્યા માટે મારી નીચેની પોસ્ટ જોવા વીનંતી.
    275. ચામડીનું સૌંદર્ય http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/28/

    Like

  197. Mehul Says:

    Mo per chikad dur karva su karvu

    Like

  198. Mehul Says:

    Pachan mate mate koi dava batavo je medical stor k aurvedik stor thi mali rahe hu hostel ma rahu chhu atale bija upay sakit nathi
    Modha per na dag kai rite mate

    Like

  199. Mehul Says:

    Pachan thatu nathi upay batavo jaldi body khub j bij chhe
    Thoda matra ma rai leva thi su faydo thay janavo sir
    Pachan kriya khub j nabali chhe ans apjo jaldi

    Like

  200. ગાંડાભાઈ વલ્લભ Says:

    મેહુલભાઈ,
    પાચન માટે મેં ઉપર ત્રણ લીન્ક આપી છે, એમાં આયુર્વેદીક ઔષધો જણાવ્યાં છે. તમને અનુકુળ હોય તે ઔષધ લઈ શકાય. વળી પાચનની તકલીફમાં તમે કેવો, કેટલો અને કેવી રીતે ખોરાક લો છો તે પણ અગત્યનું છે. સહેલાઈથી પચે તેવો અને તેટલો જ આહાર ખુબ ચાવીને લેવો જોઈએ. ચાવતાં ચાવતાં એમાં એટલા પ્રમાણમાં લાળ ભળે કે મોંમાં મુકેલો કોળીયો બીલકુલ પ્રવાહી થઈ જાય પછી જ એને ગળા નીચે ઉતારવો. આથી ખોરાક વધુ પ્રમાણમાં લેવાઈ જશે નહીં અને પાચક રસો પુરતા પ્રમાણમાં ભળવાને કારણે પાચન પણ સારી રીતે થશે. આ ઉપરાંત તમને અનુકુળ હોય તેવી ગમે તે કસરત પણ દરરોજ કરવી જોઈએ. એ રીતે કદાચ કોઈ પાચક ઔષધની જરુર પણ નહીં પડે. આ મુજબ ખંતથી કરી જુઓ, અને પછી એનું શું પરીણામ આવે છે તે જુઓ.
    મારી વાત કરું તો અત્યારે મારી ૭૯ વર્ષની ઉમ્મરે પણ હું યોગનાં આસનોની કસરત દરરોજ કરું છું. વીકમાં એક દીવસ ટેબલ ટેનીસ રમું છું અને વરસાદ ન હોય તો અડધો કલાક થોડો ડુંગર ચડીને ચાલતો જ રમવા જાઉં છું. અનુકુળતા હોય તો વીકમાં બે દીવસ પણ ચાલતો જ રમવા જાઉં છું. હાલના સમયે તો મને કોઈ જાતની દવા લેવાની જરુર નથી. આ તો કદાચ તમને આમાંથી પ્રેરણા મળે એમ માનીને લખ્યું છે.

    Like

  201. Liluben Says:

    Mara matha na val bahu j khare Che.

    Like

  202. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે લીલુબેન,
    માથાના વાળ ખરવાના ઉપાયો જોવા માટે મારી પોસ્ટની નીચેની લીન્ક પર ક્લીક કરવી. તમને અનુકુળ ઈલાજ તમારા યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર અજમાવી શકો.
    698. વાળ ખરવા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/08/

    Like

  203. Mehul Says:

    Hello sir
    Good morning
    Sir mari Vik body chhe jaldi vajan vadharava upay batavo mari Umar 22 year chhe pan vajan 41 kg chhe

    Like

  204. Patel Sonal Says:

    Mane motha par black dagh padya se. Je doctors hormones kami na dagh kahe se. A Sena dagh hase.

    Like

  205. Patel Sonal Says:

    Mane motha par black dagh padya se. Je doctors hormones kami na dagh kahe se. A Sena dagh hase.

    Like

  206. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે સોનલબહેન,
    મોં પરના કાળા ડાઘ શા કારણે હશે તેની મને જાણકારી નથી, કદાચ એ અમુક પ્રકારના બેક્ટેરીઆ-જીવાણુને કારણે હોઈ શકે. મારા બ્લોગમાં મેં મોં પરના કાળા ડાઘ દુર કરવાના ઉપાયો જણાવ્યા છે. એમાંથી તમને અનુકુળ ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ અજમાવી શકો.
    કાળા ડાઘ
    1. ચહેરા પરના કાળા ડાઘ દુર કરવા જાયફળ દુધમાં ઘસીને લગાવવું.
    2. આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
    3. સફેદ મુળાને ખમણી તેમાં બે ચમચી લીંબુનો રસ તથા ટામેટાનો રસ મેળવી તે પેસ્ટ ચહેરા પર ૩૦ મીનીટ રહેવા દઈ સાફ કરી નાખવાથી ચહેરા પરના ડાઘા દુર થાય છે.
    4. લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દીવસમાં પરુ, કૃમી, કીટાણું વેગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.
    5. મોં પર ખીલ કે બીજા કોઈ કારણે ડાઘા હોય તો વડની કુણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવો.
    6. કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે.
    7. શરીર પરના કાળા ડાઘ દુધ, ગ્લીસરીન, બોરીક પાઉડર અને સોડા-બાય-કાર્બનું સમાન ભાગે બનાવેલું લોશન શરીર ઉપર જ્યાં કાળા ડાઘ પડ્યા હોય ત્યાં લગાડવાથી ડાઘા દુર થાય છે.

    આ પૈકી જો કોઈ ઉપાય તમે અજમાવો તો તેની જાણ કરવા વીનંતી, જેથી અન્ય લોકોને એનો લાભ મળી શકે.

    Like

  207. ajay rathod Says:

    મને મોરા પર ખીલ ના કારા ડાગા પડી ગયા છે તો કઇ સારી દવા કહો તમે મને

    Like

  208. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અજયભાઈ,
    આપના પ્રશ્નનો મેં અહીં ઉપર જ સોનલબહેનને જવાબ લખ્યો છે. આપને જો એમાંનો કોઈ ઉપાય અનુકુળ હોય તો આપ એ અજમાવી શકો. આયુર્વેદમાં એક જ સમસ્યા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવે છે, કેમ કે દરેક વ્યક્તીની પ્રકૃતી અલગ હોય છે, આથી બધાંને એક જ ઉપાય કામ આવી શકે નહીં. જ્યારે એલોપથીમાં દરેક સમસ્યા માટે બધાં માટે એક જ ઉપાય હોય છે. આથી કેટલીક વાર જેને એ ઉપાય અનુકુળ ન હોય તેની વીપરીત અસર પણ થાય છે. હાલમાં જ મારા મીત્રને ખરજવું થયેલું અને મને લાગે છે કે એલોપથીની દવાની વીપરીત અસરથી એમનું મૃત્યુ થયું. જો કે ડૉક્ટરનું કહેવું તો એમને છાતીમાં ઈન્ફેક્શન થયું, ન્યુમોનીઆ થયો અને કીડની ફેલ થઈ આથી એમનું મૃત્યુ થયું. વીપરીત અસર થવાની શરુ થઈ તો પણ એમની એની એ જ દવા ચાલુ રાખવામાં આવી હતી.

    Like

  209. Mehul Says:

    CChokha no lot ketali minute ghasvo tyare bad ketala samey chasers par raheva Devo ans pls

    Like

  210. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ મેહુલ,
    ચોખાનો લોટ સામાન્ય રીતે કોઈ નુકસાન કરે એવી શક્યતા મને લાગતી નથી. આથી તમારી અનુકુળતા મુજબ વધુ સમય ઘસવાથી કદાચ જલદી પરીણામ મળી શકે. એ જ રીતે તમારી અનુકુળતા મુજબ વધારે સમય સુધી રાખી શકાય. એટલું જ કે જે હેતુસર (ડાઘ દુર કરવા) પ્રયોગ કરવામાં આવતો હોય તો તેનું પરીણામ મળે ત્યાં સુધી ઈલાજ ચાલુ રાખવો જોઈએ.

    Like

  211. Mehul Says:

    Mara chahera par khada padi gaya chhe khil na karne u pay batavajo

    Like

  212. Rohan Says:

    Khilnidava

    Like

  213. મેહુલ Says:

    મોઢા પર ની કરચલીઓ/ખાડા દૂર કરવા માટે ઉપાય બતાવો

    Like

  214. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ મેહુલ,
    મોઢા પર કરચલી અને ખાડા માટે કારણો સમાન કદાચ ન હોઈ શકે. આથી તમારી સમસ્યા બાબત મને ખ્યાલ આવતો નથી. ખાડાના ઉપાયની મને જાણ નથી, પણ નીચે કેટલાક ઉપાય કરચલી દુર કરવાના મારી જાણમાં છે તે આપું છું.
    અગત્સ્ય હરીતકી અવલેહ : ઉત્તમ પ્રકારનું આ ચાટણ એકથી બે ચમચી સવાર-સાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલર્જી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા રોગોમાં લાભ થાય છે. આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ પડવી, અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા વગેરે વીકૃતીઓમાં પણ હીતાવહ છે. એ બળસ્થ, વીર્યવર્ધક તથા શરીરના વર્ણને સુધારનાર છે. દુધ કે ઘી સાથે તેનું સેવન કરવાથી ઉત્તમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે. લગભગ દરેક ફાર્મસીમાં એ મળે છે.
    ત્રીફળાદી ચુર્ણ: હરડે, બહેડા, આમળા, તજ, જેઠીમધ અને ધાવડીનાં ફુલ સરખા વજને લઈ, ભેગાં ખાંડી બનાવેલા ચુર્ણને ત્રીફળાદી ચુર્ણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું (આશરે ત્રણથી ચાર ગ્રામ) એટલા જ ઘી અને બમણા મધ સાથે સવાર-સાંજ લેવાથી સર્વ પ્રકારના આંખના રોગો, ગળા ઉપરના ઉર્ધ્વ જંતુના રોગો, મોઢાની કરચલીઓ, પળીયા, હરસ-મસા, ફીશર, ભગંદર, કોઢ, ત્વચા રોગો, ઉંદરી, ગેસ, કબજીયાત, આફરો, હેડકી, કીલાસ-કુષ્ઠ, હલીમક, લોહીબગાડ અને પ્રમેહ વગેરે મટે છે.
    પપૈયામાં વીટામીન સી મોટા પ્રમાણમાં છે. શરીરમાં વીટામીન સી વધુ પ્રમાણમાં હોય તો ત્વચા યુવાન દેખાય, તેના પર કરચલીઓ પડવાના પ્રમાણમાં તથા ત્વચાની રુક્ષતામાં ઘટાડો થાય છે. વીટામીન સી ત્વચા માટે ખુબ જરુરી છે.

    Like

  215. shalini patel Says:

    ruvati kadavana eupay

    Like

  216. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બહેન શાલિની,
    નચેના ઉપાયો પૈકી તમને જો કોઈ અનુકુળ હોય તો તેની યોગ્ય ખાતરી કરીને કરી જોવા. ધારું છું કે તમે વાળની રુંવાંટી દુર કરવાના ઉપાય જાણવા ઈચ્છો છો.
    વાળ દુર કરવાના ઉપાય
    1. કાચું પૈપયું વાળ દુર કરવા માટેનું સારું ઔષધ છે. તે વાળના મુળને દુર કરે છે, આથી ફરીથી વાળ ત્યાં ઉગતા નથી.
    કાચા પપૈયાના ટુકડા બારીક ગ્રાઈન્ડ કરી થોડી હળદર ઉમેરો. આ મીશ્રણ વડે જ્યાં વાળ દુર કરવા હોય ત્યાં 10 કે 15 મીનીટ માલીસ કરી એ ભાગ હુંફાળા પાણી વડે ધોવો. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો. જ્યાં સુધી અનીચ્છનીય વાળ દુર ન થાય ત્યાં સુધી ઉપચાર ચાલુ રાખવો. જો કોઈ વીપરીત અસર માલમ પડે તો પ્રયોગ બંધ કરી દેવો.
    2. ચણાનો લોટ – ન ગમતા વાળને દુર કરવા માટેનો બીજો એક ઉપાય છે ચણાનો લોટ.
    ચણાનો લોટ અને દૂધ સરખા પ્રમાણમાં લઈ એકાદ ચપટી હળદર ઉમેરો. એને વાળ જે દીશામાં ઉગ્યા હોય તે દીશામાં ઘસો, ઉલ્ટી દીશામાં નહીં. આ મીશ્રણ સુકાઈ જાય ત્યાં સુધી એ ભાગ પર રહેવા દેવું અને પછી હુંફાળા પાણી વડે ધોઈ નાખવું. એનાથી વાળનાં મુળ નબળાં બને છે અને સુકાયેલા મીશ્રણ સાથે વાળ નીકળી જાય છે.
    3. લીંબુ અને મધ – લીંબુના રસમાં એનાથી ચારગણું મધ લઈ મીક્સ કરો. એને જે વાળ દુર કરવા હોય તેના પર 20 કે 25 મીનીટ સુધી રાખી સુકાઈ જાય ત્યારે કપડા વડે દુર કરો. આ ઉપાય સતત કરતા રહેવાથી લાંબા ગાળે વાળનાં મુળ સહીત એ દુર થાય છે, અને ફરી ઉગતા નથી.
    4. લીંબુ, મધ અને કોલગેટ ટુથપેસ્ટ – ઉપર મુજબ લીંબુના રસ અને મધ ઉપરાંત એમાં થોડી ટુથપેસ્ટ પણ મીક્સ કરવી. જો કે આ ઉપાય દર પંદર દીવસે કરતા રહેવું જોઈએ.

    Like

  217. Mehul Says:

    Vajan vadharavano upay batavo

    Like

  218. ગાંડાભાઈ વલ્લભ Says:

    ખીલ અંગે વીષે મારી જાણમાં જે હતું તે ઉપર બધું જ જણાવવામાં આવ્યું છે, એ પૈકી આપને અનુકુળ ઉપાય ખાતરી કરીને અજમાવી શકો.

    Like

  219. MEHUl Says:

    Hello sir me sex video questions puchh sakata Hu

    Like

  220. MEHUl Says:

    Hello sir ઉંચાઈ vadharavano upay batavo

    Like

  221. MEHUl Says:

    Hello sir ling ni size vadharavano aurvedik upay k aniy koi rite ling vadharavano upay batavo
    Sex Sathe ling ni lambai vadhare hovi jaruri chhe 4 ઈંચ lambai nu ling hoy to પત્ની ne Santosh API sakay su vadhare lambu ling hovathi temne vadhare Maja ave te vat sachi chhe pls sir jaldi badhana Ans apjo 3 mahina pachhi Lagan chhe

    Like

  222. MEHUl Says:

    Hello sir bijana saval Hu tamne puchhu chhu ane tamara suchan bijane samjavu chhu Tamara suchan thi ghanane faydo thayo chhe

    Like

  223. Mehul Says:

    મોઢા પર ના વધારાના વાળ હંમેશા માટે દૂર કરવા માટે ઉપાય બતાવો

    Like

  224. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ મેહુલ,
    કાયમ માટે વાળ દુર કરવાના ઉપાયો નીચે મુજબ છે, એ પૈકી તમને જે અનુકુળ હોય તે યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ અજમાવી શકો. આ પૈકી કોઈ ઉપાયની જો કોઈ વીપરીત અસર હોય તો તેની જાણકારી મને નથી, કેમ કે મેં કોઈ ઉપાય અજમાવી જોયો નથી.
    વાળ દુર કરવાના ઉપાય
    1. કાચું પૈપયું વાળ દુર કરવા માટેનું સારું ઔષધ છે. તે વાળના મુળને દુર કરે છે, આથી ફરીથી વાળ ત્યાં ઉગતા નથી.
    કાચા પપૈયાના ટુકડા બારીક ગ્રાઈન્ડ કરી થોડી હળદર ઉમેરો. આ મીશ્રણ વડે જ્યાં વાળ દુર કરવા હોય ત્યાં 10 કે 15 મીનીટ માલીસ કરી એ ભાગ હુંફાળા પાણી વડે ધોવો. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો. જ્યાં સુધી અનીચ્છનીય વાળ દુર ન થાય ત્યાં સુધી ઉપચાર ચાલુ રાખવો. જો કોઈ વીપરીત અસર માલમ પડે તો પ્રયોગ બંધ કરી દેવો.
    2. ચણાનો લોટ – ન ગમતા વાળને દુર કરવા માટેનો બીજો એક ઉપાય છે ચણાનો લોટ.
    ચણાનો લોટ અને દૂધ સરખા પ્રમાણમાં લઈ એકાદ ચપટી હળદર ઉમેરો. એને વાળ જે દીશામાં ઉગ્યા હોય તે દીશામાં ઘસો, ઉલ્ટી દીશામાં નહીં. આ મીશ્રણ સુકાઈ જાય ત્યાં સુધી એ ભાગ પર રહેવા દેવું અને પછી હુંફાળા પાણી વડે ધોઈ નાખવું. એનાથી વાળનાં મુળ નબળાં બને છે અને સુકાયેલા મીશ્રણ સાથે વાળ નીકળી જાય છે.
    3. લીંબુ અને મધ – લીંબુના રસમાં એનાથી ચારગણું મધ લઈ મીક્સ કરો. એને જે વાળ દુર કરવા હોય તેના પર 20 કે 25 મીનીટ સુધી રાખી સુકાઈ જાય ત્યારે કપડા વડે દુર કરો. આ ઉપાય સતત કરતા રહેવાથી લાંબા ગાળે વાળનાં મુળ સહીત એ દુર થાય છે, અને ફરી ઉગતા નથી.
    4. લીંબુ, મધ અને કોલગેટ ટુથપેસ્ટ – ઉપર મુજબ લીંબુના રસ અને મધ ઉપરાંત એમાં થોડી ટુથપેસ્ટ પણ મીક્સ કરવી. જો કે આ ઉપાય દર પંદર દીવસે કરતા રહેવું જોઈએ.

    Like

  225. મેહુલ Says:

    પાચન માટે લવિંગ નો ઉપયોગ કઈ રીતે કરવો

    Like

  226. મેહુલ ભડાણિયા Says:

    લવિંગ નો ઉપયોગ કઈ રીતે કરવો પાચન કરવા માટે

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      લવીંગ ગરમ છે, આથી પોતાની પ્રકૃતી મુજબ એનો એનો ઉપયોગ કરવો. જો ગરમ ઔષધ અનુકુળ હોય, જે પ્રમાણમાં અનુકુળ હોય તે અનુસાર લવીંગ વાપરવાં. લવીંગ મોંમાં રાખીને એનાથી પેદા થતો લાળરસ ચુસી શકાય. અનુકુળ હોય તો ચાવીને ખાઈ શકાય. પણ ગરમ ઔષધ બહુ અનુકુળ ન હોય તો એનો ઉકાળો બનાવીને લઈ શકાય.

      જેમને દમ-શ્વાસનો વ્યાધી હોય તે લોકોને જ્યારે દમનો હુમલો આવે ત્યારે એકી સાથે દસ-બાર લવીંગ ચાવી જવાથી આરામ થઈ શકે.

      Like

Leave a reply to mehulbhai જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.