પ્લેસીબો-મનની શક્તીનો પ્રભાવ

ડૉ. બી એમ હેગડે કહે છે:

દુખાવો એક ક્ષણમાં દુર કરવા માટેનું સૌથી વધુ અસરકારક ઔષધ જો આ દુનીયામાં હોય તો તે છે મોર્ફીઆ-અફીણનો અર્ક. શરીરમાં દુખાવો ધરાવતાં કેટલાંક લોકોને એવું કહીને મોર્ફીઆ આપવામાં આવ્યું કે એ લોકોને વીટામીનની જરુર હોવાથી વીટામીનનો ડોઝ આપવામાં આવ્યો છે. એમાંના કોઈને પણ દુખાવો ઓછો થયો નહીં.

બીજાં કેટલાંક લોકોને નમક-મીઠાનું પાણી એવું કહીને આપવામાં આવ્યું કે એ મોર્ફીઆ છે, જે દુખાવાની અકસીર દવા છે. તરત જ બહુ જ આશ્ચર્યજનક રીતે બધાં લોકોનો દુખાવો ગાયબ થઈ ગયો. આ પ્રયોગ પ્લેસીબો શું ભાગ ભજવે છે, મનની શક્તી શરીર પર કેવી ગજબની અસર કરે છે તે બહુ જ સરસ રીતે સ્પષ્ટ કરે છે. જ્યારે મન પ્રસન્ન હોય છે, ત્યારે દેહ પણ પ્રસન્નતા અનુભવે છે.

આમાં એક વાત મહત્ત્વની છે કે આ ઔષધ લેનારાંને ખરેખર જે કહીને ઔષધ આપવામાં આવ્યું હોય છે તેમાં રજમાત્ર પણ શંકા હોતી નથી. પ્લેસીબો ઔષધ આપનાર ડૉક્ટર પર ભારોભાર શ્રદ્ધા હોય, સહેજ પણ શંકા ન હોય તો જ એની અસર થાય છે. આથી કેટલીક વાર ડૉક્ટર એમ કહીને પ્લેસીબો આપે છે કે, “તમે ખરેખર ખરા સમયે જ તમારી આ ફરીયાદ લઈને આવ્યા છો. આ તકલીફ માટે હાલમાં જ આ ઔષધ શોધાયું છે અને એને બહુ જ અકસીર માનવામાં આવે છે.”

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.