ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આજકાલ ઘણા લોકો દીવસની શરુઆત કોફીના કપથી કરે છે. આથી એમને પોતાના શરીરમાં સ્ફુર્તી માલમ પડે છે, તાજગી અનુભવે છે, શક્તીનો સંચાર થયેલો લાગે છે.
કેટલાક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે કેફીન દ્વારા તમે વધુ વખત સખત કસરત કરી શકો, ઉપરાંત થાક પણ ઓછો અનુભવશો. એટલે કે તમે વધુ સારી સફળતા મેળવી શકો અને કસરતનો વધુ લાભ મેળવી શકો.
હા, એ ખરું કે કેટલાક લોકોને એ લાભ કેટલી વાર કોફી પીવામાં આવે છે કે કોફીનું પ્રમાણ કેટલું હોય તે મુજબ વધુ કે ઓછો થઈ શકે. એટલે કે તમારે માટે કોફીનો પુરતો લાભ લેવો હોય તો માટે એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે શોધી કાઢવું પડે. બધાંને માટે એ સરખું હોઈ ન શકે. પણ પ્રયોગ વડે અજમાયશ કરીને જો તમને પુરતી તાજગી કે શક્તી માલમ ન પડતી હોય તો તમે જરુર મુજબ પ્રમાણ વધારી શકો.
કોફી કેટલાક રોગોમાં પણ લાભકારક માલમ પડી છે. જેમ કે પારકીનસન્સ, હૃદયની અમુક તકલીફ અને અમુક પ્રકારનાં કેન્સર. જો કે વધુ પડતી કોફી પીવાથી એની અનીચ્છનીય સાઈડઈફેક્ટ પણ જોવામાં આવી છે. પણ એની જોખમકારક ખરાબ અસર માટે તો બહુ જ વધારે કપ કોફી પીવામાં આવે તો જ કદાચ થાય. એટલે કે 10 ગ્રામ જેટલું કેફીન નુકસાનકારક થઈ પડે. વધુ પડતી કોફી પીવાથી એનું બંધાણ થવાની અને ન પીવાય તો માથાના દુખાવા જેવી ફરીયાદની શક્યતા રહે છે. એવા સંજોગોમાં કોફીનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ, અથવા પાણી પીવાનું પ્રમાણ વધારવું, જેથી કોફીને કારણે ચયાપચય (મેટાબોલીઝમ)ની સ્પીડ ઘટાડી શકાય.
આનો બીજો ઉપાય સવારમાં કોફીને બદલે ગ્રીન ટી લેવાનો છે. ગ્રીન ટીમાં રહેલાં અમુક તત્વો સ્વાસથ્ય માટે બહુ જ લાભકારક હોય છે, અને સાથે સાથે એમાં કોફી કરતાં કેફીન માત્ર ત્રીજા ભાગનું જ હોય છે.
Leave a comment