ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
તાવ
(૧) ૧૦-૧૦ ગ્રામ ધાણા અને સાકરને ૬૦ મી.લી. પાણીમાં એક કલાક પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી બે કલાકમાં આમદોષથી આવેલો તાવ પરસેવો વળીને ઉતરી જાય છે.
(૨) ૩ થી ૬ ગ્રામ મરી વાટી ૪૦૦ મી.લી. પાણીમાં ઉકાળી ૮મા ભાગે (૫૦ મી.લી.) બાકી રહે ત્યારે ૨૦ ગ્રામ સાકર મેળવી પીવાથી તાવ ઉતરે છે.
(૩) અનનાસનો રસ મધ સાથે લેવાથી પરસેવો છુટી તાવ ઉતરે છે.
(૪) આકરો તાવ આવ્યો હોય અને કોઈ પણ રીતે ગરમી ઓછી થતી ન હોય તો માથા પર એકધારું પાણી રેડવાથી તાવનું જોર નરમ પડી તાવ ઉતરી જાય છે.
(૫) આદુ અને ફુદીનાનો ઉકાળો પીવાથી પરસેવો વળી તાવ ઉતરે છે. તે વાયુ અને કફમાં પણ હીતકારી છે.
(૬) ગરમ કરેલા દુધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ઠંડી લાગીને તાવ આવતો હોય તો તે મટે છે.
(૭) છાણથી લીંપેલી જમીન પર એરંડાનાં પાન પાથરી રાખી થોડા સમય પછી તે જ પાન તાવના રોગીના અંગ પર રાખવાથી તાવ મટે છે.
(૮) જીરુનું ૫ ગ્રામ જેટલું ચુર્ણ જુના ગોળમાં કાલવી ૧૦-૧૦ ગ્રામની ગોળીઓ બનાવી ખાવાથી પરસેવો વળી તાવ ઉતરી જાય છે.
(૯) તાવના રોગીનું શરીર કળતું હોય, આંખો બળતી હોય, માથું દુખતું હોય તો વડના પાનનો ઉકાળો કરીને પાવાથી રાહત થાય છે.
(૧૦) તાવમાં શરીરમાં બળતરા હોય તો કુણી વડવાઈનો ઉકાળો કરીને પીવો.
(૧૧) દુધી છીણી માથે અને કપાળે બાંધવાથી તાવની ગરમી શોષી લે છે.
(૧૨) દુધી ચીરી, બે કાચલાં કરી માથે બાંધવાથી મસ્તક પર ગરમી ચડી ગઈ હોય તો ઉતરી જાય છે.
(૧૩) દ્રાક્ષ, પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવડાવવાથી આમ જલદી પાકી આમવાળો તાવ શાંત થાય છે.
(૧૪) ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજે રોજ આવતો તાવ મટે છે.
(૧૫) સફરજનના ઝાડની ૪ ગ્રામ છાલ અને પાન પીવાના ૨૦૦ ગ્રામ ઉકળતા પાણીમાં નાખી ૧૦-૧૫ મીનીટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં થોડો લીંબુનો રસ અને ૧૦-૧૫ ગ્રામ ખાંડ મેળવી પીવાથી તાવની ગભરામણ મટે છે અને તાવ ઉતરે છે.
(૧૬) ૧ ચમચો આદુનો રસ અને ૧ ચમચો મધ ભેગાં કરી દીવસમાં ત્રણ વખત પીવાથી તાવ મટે છે. કોઈ પણ પ્રકારના સામાન્ય તાવમાં આ ઈલાજ ખુબ જ અકસીર છે. (૧૭) તાવમાં મોં બગડી ગયું હોય તો દાડમ અને સાકરની ચટણી મોમાં રાખવી.
(૧૮) કફજન્ય તાવમાં પરસેવાના માર્ગોમાં આમ-કાચો આહાર રસ ભરાઈ જવાથી પરસેવો થતો નથી. રાઈનું ચુર્ણ લેવાથી આ માર્ગો ખુલ્લા થાય છે, અને પરસેવો વળવાથી તાવ ઉતરી જાય છે. જો કફજ્વરમાં ખુબ જ કફ થયો હોય તો રાઈનું બારીક ચુર્ણ પા ચમચી, સીંધવનું ચુર્ણ રાઈથી અડધું અને એક ચમચી સાકરને મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી કફના માર્ગોમાં ચોંટેલો કફ છુટો પડી ઉધરસ દ્વારા બહાર નીકળી જશે. ચાર-પાંચ દીવસ આ ઉપચાર કરવાથી ઉધરસ અને કફ મટી જશે.
(૧૯) ગાયનું માખણ અને ખડી સાકરનું ચુર્ણ ભેગાં કરીને ખાવાથી ઝીણો તાવ મટે છે.
(૨૦) ગમે તેવો કે ગમે તે કારણે તાવ આવતો હોય, તાવનું કારણ ખબર ન હોય તો મહાસુદર્શન ચુર્ણ પાણી સાથે લેવાથી તાવ ઉતરી જાય છે.
(૨૧) ખુબ ઉકાળીને બનાવેલો અજમાનો ઉકાળો ગરમ ગરમ પીવાથી કોઈ પણ પ્રકારનો તાવ ઉતરે છે. પાણી તથા અજમાનું પ્રમાણ અને કેટલો ઉકાળો પીવો તેનો આધાર તાવના પ્રમાણ અને પ્રકાર પર રહે છે. અજમાનો ઉકાળો જીર્ણ તાવ પણ મટાડે છે.
(૨૨) ઝીણો તાવ રહેતો હોય તો આમળાનો તાજો રસ, આમળાનું શરબત કે આમળાનો પાઉડર જરુરી પ્રમાણમાં સાદા પાણીમાં મેળવી નીયમીત દીવસમાં ત્રણ વાર લેવાથી મટે છે.
(૨૩) અતીવીષની કળી, કાચકાનાં બી, પીત્તપાપડો, કરીયાતુ, કડવાં પરવળ, કડુ અને લીમડા પરની ગળો સરખા ભાગે ખાંડી બારીક ચુર્ણ બનાવી, ભાંગરાના તાજા રસમાં ખુબ જ લસોટી વટાણા જેવડી ગોળીઓ વાળવી. બબ્બે ગોળી સવારે, બપોરે અને સાંજે નવશેકા પાણી સાથે લેવાથી વીષમ જ્વર, પીત્તકફજ જ્વર, ટાઢીયો તાવ, વારંવાર આવતો તાવ, વાયરલ-કફજ જ્વર તથા યકૃતના રોગો મટે છે. આ ગોળીને કરંજાદીવટી કહે છે. જ્વર અને યકૃતના રોગોમાં પચવામાં હળવો આહાર લેવો.
(૨૪) કોઈપણ પ્રકારના તાવમાં સંતરાં ચુસીને ખાવાથી કે તેનો રસ પીવાથી દર્દીને રાહત થાય છે. પાણી, ખોરાક અને ઔષધ એમ ત્રણેની ગરજ સંતરાં સારે છે.
(૨૫) કાચકા શેકી તેનું મીંજ કાઢી તેનો ભુકો ૩-૩ ગ્રામ ત્રણ વાર પાણી સાથે લેવાથી તાવ મટે છે.
(૨૬) તાવ ઉતરતો ન હોય તો પગના તળીયામાં ઘી અને મીઠું લગાડી એના પર કાંસાનો વાડકો ઘસવાથી ફાયદો થાય છે.
(૨૭) પીત્તપાપડો તાવમાં પરમ હીતકર છે. એના જેવું તાવમાં એકેય ઔષધ નથી. પીત્તપાપડાના ઉકાળામાં લીંડીપીપરનું ચુર્ણ નાખી પીવાથી ગમે તેવો તાવ હોય તે ઉતરી જાય છે.
(૨૮) વારંવાર મટી ગયા પછી પણ ફરીથી તાવ આવતો રહેતો હોય તો જ્યારે તાવ ન આવતો હોય તે દરમીયાન દર બે કલાકે એક નંગ મરી અને એક નાનો ટુકડો નવસાર વાટી હુંફાળા પાણી સાથે લેવું. તાવ ચડે ત્યારે ઉપચાર બંધ કરવો. તાવ ઉતરી ગયા બાદ બીજે દીવસે ઉપચાર શરુ કરવો. આમ કરતા રહેવાથી તાવ જડમુળથી મટી જાય છે. (૨૯) કોબીજ-ફ્લાવરનું શાક કે તેનો રસ દીવસમાં બેત્રણ વખત પીતા રહેવાથી તાવ ઝડપથી મટે છે.
(૩૦) આઠ ઔષધોનો એક ઉકાળો કોઈ પણ જાતના તાવમાં ખાસ કરીને વારંવાર થતો અથવા ઉથલા મારતો મેલેરીયા, આંત્રજ્વર (ટાઈફોઈડ), મંદજ્વર, ત્વચા વીકાર અને લોહીબગાડના રોગોમાં ઉત્તમ પરીણામ આપે છે. આ આઠે ઔષધો ‘ક’ અક્ષરથી શરુ થાય છે. કડુ, કરીયાતું, કાળીજીરી, કલંભો, કાંચકા, કડાછાલ, કડવી પટોળ અને કાળી દ્રાક્ષ સરખા ભાગે લઈ અધકચરા ખાંડી આ ભુકો એકથી દોઢ ચમચી જેટલો એક ગ્લાસ પાણીમાં નાખીને મંદ તાપે ઉકાળી દ્રવ અડધું રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. સવાર-સાંજ તાજેતાજો બનાવેલો આ ઉકાળો પીવાથી સર્વ પ્રકારના તાવ મટે છે.