ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 298. વેગન (અતી શાકાહારી) માટે આહારની ચેતવણી
કેરી ટોરન્સ, આહારશાસ્ત્રીના સૌજન્યથી (અંગ્રેજીમાંથી)
જો તમે અતી શાકાહારી (વેગન) હો તો બધાં પોષક તત્ત્વો મળી રહે એ પ્રકારનો આહાર પસંદ કરવો જોઈએ. વેગન આહાર સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. એ આહાર હૃદયરોગ, લોહીનું ઉંચું દબાણ, કોલેસ્ટરોલ અને કદાચ કેટલાક પ્રકારના કેન્સર અને ટાઈપ ટુ ડાયાબીટીસના જોખમ સામે રક્ષણ આપતો હોવાનું માનવામાં આવે છે. પરંતુ એ પસંદ કરવામાં કાળજી રાખવી જરુરી છે.
વેગન આહારમાં કોઈ પણ પ્રકારે પ્રાણીમાંથી પ્રાપ્ત પદાર્થ લેવાના હોતા નથી. એનો અર્થ માંસ, મચ્છી, ઈંડાં, દુધ, દહીં, ઘી અને એની બનાવટોનો તો ખરો જ, એટલું જ નહીં મધનો પણ નીષેધ છે. કહેવાતા શાકાહારી આહાર જેમ કે કૃત્રીમ શાકાહારી માંસ પણ લઈ ન શકાય, કેમ કે એને રંગવામાં વપરાતા પદાર્થમાં કોચીનીલ નામનું રસાયણ વપરાય છે, જે સુકાયેલાં જીવડાંમાંથી બને છે. વળી એ માંસમાં ઈંડાં અને ડેરી પ્રોડક્ટ પણ કેટલીક વાર ઉમેરવામાં આવે છે. કેટલાક ડેઝર્ટમાં જીલેટીન હોય છે, જે પ્રાણીના હાડકામાંથી બનાવવામાં આવે છે.