દેશી રજવાડાં સરદારની ખરી કસોટી તો દીલ્હીની રાજસભા સંભાળવા પછીથી થયેલી. નહેરુ વડાપ્રધાન પણ બંધારણીય અને વહીવટી તંત્ર અંગે સરદાર નીર્ણય કરતા. સરદાર નહેરુથી જુદો અભીપ્રાય આપતાં અચકાતા નહીં, અને કેટલીયે વાર ગાંધીજીને વચ્ચે પડવું પડતું.
બ્રીટીશ સરકાર પાકીસ્તાનના ભાગલા પાડી ખસી ગઈ ત્યારે દેશી રાજ્યો માટે ખાસ કાંઈ નીર્ણય લીધેલો નહીં અને એમને યોગ્ય લાગે તેની સાથે જોડાવા માટે એ સ્વતંત્ર છે એમ કહી ગયેલા. આ બધા રાજાઓને સમજાવીને યુદ્ધ કર્યા વીના હીન્દુસ્તાન સાથે જોડાવાનું કાર્ય સરદારે કરેલું. બધાને આમંત્રણો મોકલી બોલાવ્યા. કેટલાક આવ્યા, કેટલાક નહીં. કેટલાકને ફરીથી આમંત્રણ આપ્યાં. વાતચીતમાં સરદારે એ બધાને મહત્ત્વના મુદ્દાઓ કહ્યા. કારણ કે અમુક રાજાઓ જક્કી હતા. એમને નીવૃત્ત કરીને યોગ્ય પેન્સન બાંધી આપીએ. પાર્લામેન્ટના સભ્ય બની મીનીસ્ટર સુધીની સગવડ આપીએ. તથા ઉચ્ચક મોટી રકમ જોઈતી હોય તો તે આપીએ. અમુક રજવાડાંઓ માની ગયેલાં અને અમુકે ન માનેલું. તેવાઓને આખરી સંદેશો આપેલો કે આવી મોટી બ્રીટીશ સરકાર પાસે સત્તા છોડાવી તો પછી તમારું શું ગજું? લગભગ બધા જ જોડાયેલા, પરંતુ બેત્રણ મુસ્લીમ રાજ્યો ન જોડાયેલાં. કાઠીયાવાડનું એક જેને પ્રજાના સત્યાગ્રહથી જીતેલું (શામળદાસ ગાંધીની આગેવાનીથી). હૈદ્રાબાદના નીઝામે માનેલું નહીં. એમની સાથે સમાધાનની વાટાઘાટ માટે સરદારે મુંબઈથી મુન્શીને મોકલેલા. સમાધાન ન કરતાં નીઝામે મુન્શીને કેદ કરેલા. સરદારને લાગ્યું કે વાટાઘાટથી સમાધાન થવાનું નથી ત્યારે એમણે લશ્કરથી કબજો લેવાનો નીર્ણય કર્યો. એ નીર્ણયના અમલ માટે કેબીનેટની પરવાનગી માગી. ગંભીર ચર્ચાઓ બાદ બધા સંમત થયેલા. શરુઆતમાં નહેરુ પણ શંકાશીલ હતા. અંતે હીન્દી લશ્કર લઈને સરદાર પોતે સરદારી લઈને હૈદરાબાદ પર ગયા અને એક જ દીવસમાં ખાસ ખુવારી વીના કબજો લીધો. મુન્શીને મુક્ત કર્યા. દેશના વાતાવરણમાં તરત જ શાંતી સ્થપાઈ. (વધુ આવતા અંકમાં)