(વોટસ્એપ પરથી મળેલા એક હીન્દી વીડીઓ પરથી એમાં જણાવ્યાનુસાર સહુની જાણ માટે.)
પાકાં કેળાં પર કાળા ડાઘ કે કાળી ટીપકી પડેલી હોય તે બહુ જ સામાન્ય છે, પરંતું કોઈક વાર એના પર સફેદ ડાઘા જોવામાં આવે તો બહુ જ સચેત થઈ જવું. જો કે કેળાં પર સફેદ ડાઘ બહુ અસમાન્ય છે, જવેલ્લે જ જોવા મળે છે, પણ એનાથી બહુ ભારે નુકસાન થઈ શકે. કેળા જેવું બહુ જ પૌષ્ટીક સ્વાદીષ્ટ ફળ જો સફેદ ડાઘાવાળું હોય તો એ બહુ ભયંકર થઈ પડે છે.
આ સફેદ ડાઘ શું છે? એ સામાન્ય ફુગ ચડેલી હોય તેવો ડાઘ નથી, કે જેથી એટલો ભાગ કાઢી નાખી બાકીનું કેળું સલામત રીતે ખાઈ શકાય. એવી ભુલ કદી કરશો નહીં. સફેદ ડાઘવાળું કેળું આખું જ તદ્દન નકામું છે. એના પર સફેદ ડાઘ સાથે સાથે સરસ રીતે પાકી ગયેલ કેળાના કાળા ડાઘ ટીપકીઓ પણ હોઈ શકે, પણ સફેદ ડાઘને લીધે આખું કેળું નકામું જ નહીં ભારે નુકસાનકારક બની જાય છે. આથી એને જંતુમુક્ત કરવાની તાત્કલીક જરુર હોય છે.
આ સફેદ ડાઘ એક પ્રકારના ઝેરી કરોડીયાનાં ઈંડાંની વસાહત હોય છે. આ કરોડીયા બ્રાઝીલમાં થાય છે. ઈંડાં સેવાઈ ગયા પછી એમાંથી એ કરોડીયાનાં પુશ્કળ બચ્ચાં નીકળે છે, જે ઝેરી હોય છે. કહે છે કે એમાં નાગ સાપના જેવું જ કાતીલ ઝેર હોય છે. આ સફેદ ડાઘમાં માત્ર એકબે જ બચ્ચાં હોય છે એમ નહીં, સેંકડોની સંખ્યામાં હોય છે.
જો બચ્ચાં તરતનાં જ પેદા થયેલાં, બહુ નાનાં હોય તો એમાં ઝેરનું પ્રમાણ ઓછું હશે, પણ એની સંખ્યા ઘણી વધુ હોય તો એ જીવનું જોખમ બની શકે.
જો કોઈ કેળા પર સફેદ ડાઘ જોવામાં આવે તો એને કદી ખરીદવું નહીં. સફેદ ડાઘવાળો ભાગ કાઢી નાખી ખાઈ શકાશે એમ માનશો નહીં. ભુલમાં ઘરે લાવ્યા હો તો એને જંતુનાશક દવા વડે સારી રીતે જંતુમુક્ત કરીને જ યોગ્ય રીતે નીકાલ કરવો, જેથી આ ઝેરી કરોડીયા નાશ પામે અને કશે ફેલાઈ ન શકે.