Archive for ફેબ્રુવારી, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી -પ્રકરણ ૯ તમાકુ – Tobacco

ફેબ્રુવારી 28, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી -પ્રકરણ ૯ તમાકુ – Tobacco

 

તમાકુએ તો આડો આંક વાળ્યો છે. તેના પંજામાંથી ભાગ્યે જ કોઈ છુટે છે. આખું જગત એક કે બીજે રુપે તેનું સેવન કરે છે. ટૉલ્સ્ટૉયે તો તેને બધાં વ્યસનોમાં ખરાબ ગણાવી છે. એ ઋષીનું વચન ધ્યાન આપવા યોગ્ય છે, કેમ કે તેમને શરાબ અને તમાકુનો બહોળો અનુભવ થયો હતો ને બંનેના ગેરફાયદા પોતે જાણતા હતા. એમ છતાં મારે કબુલ કરવું જોઈએ કે, શરાબ અને અફીણની જેમ તમાકુનાં માઠાં પરીણામો પ્રત્યક્ષ રુપે હું પોતે બતાવી નથી શકતો. એટલું કહી શકું કે, એનો ફાયદો હું એકેય જાણતો નથી. એ પીનાર મોટા ખર્ચમાં ઉતરે છે એ હું જાણું છું. એક અંગ્રેજ મેજીસ્ટ્રેટ તમાકુ ઉપર દર માસે પાંચ પાઉન્ડ એટલે રૂ. ૭૫ ખર્ચતો હતો. એનો પગાર દર માસે પચીસ પાઉન્ડ હતો. એટલે પોતાની કમાણીનો પાંચમો ભાગ (વીસ ટકા) ધુમાડામાં જતો હતો.

 

તમાકુ પીનારની વૃત્તી એવી બુઠ્ઠી થઈ જાય છે કે તે તમાકુ પીતી વેળાએ પડોશીની લાગણીનો ખ્યાલ નથી કરતો. રેલગાડીમાં મુસાફરી કરનારને એનો અનુભવ બરોબર મળે છે. તમાકુ નહીં પીનારથી તમાકુ પીવાથી નીકળતા ધુમાડા સહન નથી થઈ શકતા, પણ પીનાર ઘણે ભાગે પડોશીની લાગણીનો વીચાર નથી કરતો. તમાકુ પીનારને (ખાનારને) ઘણે ભાગે થુંકવું પડે છે. તે ગમે ત્યાં થુંકતાં સંકોચાતો નથી.

 

તમાકુ પીનારના મોંમાંથી એક પ્રકારની અસહ્ય બદબો નીકળે છે. એવો સંભવ છે કે તમાકુ પીનારની સુક્ષ્મ લાગણીઓ મરી જાય છે. એ મારવાને ખાતર માણસ તમાકુ પીતો થયો હોય એ સંભવે છે. એમાં તો શક નથી જ કે, તમાકુ પીવાથી એક જાતનો કેફ ચડે છે અને તે કેફમાં માણસ પોતાની ચીંતા કે પોતાનું દુખ ભુલે છે. ટૉલ્સ્ટૉયે પોતાના એક પાત્ર પાસે ઘોર કામ કરાવ્યું તેના પહેલાં તેને શરાબ પીવડાવ્યો. તેને કરવું હતું ભયંકર ખુન. શરાબની અસર થતાં છતાં તે ખુન કરતાં સંકોચાય છે. વીચાર કરતો કરતો સીગાર સળગાવે છે, તેના ધુમાડા કાઢે છે, ઉંચે ચડતો ધુમાડો નીહાળે છે, ને બોલી ઉઠે છે: “હું કેવો બીકણ છું! ખુન કરવું એ કર્તવ્ય છે તો પછી સંકોચ શો? ચાલ ઉઠ ને તારું કામ કર.” એમ તેની ડહોળાયેલી બુદ્ધીએ તેની પાસે નીર્દોષ માણસનું ખુન કરાવ્યું. હું જાણું છું કે આ દલીલથી બહુ અસર ન પડી શકે. બધા તમાકુ પીનાર કંઈ પાપી હોતા નથી. કરોડો પીનારા પોતાનું જીવન સામાન્યપણે સરળતાથી વીતાડે છે એમ કહી શકાય. છતાં વીચારવાને જરુર મજકુર દૃષ્ટાંતનું મનન કરવું ઘટે છે. ટૉલ્સ્ટૉયની મતલબ એ છે કે, તમાકુની અસરમાં આવી પીનાર ઝીણાં ઝીણાં પાપો કર્યા કરે છે.

 

હીન્દુસ્તાનમાં આપણે તમાકુ ફુંકીએ છીએ એટલું જ નહીં પણ તે સુંઘીએ છીએ, ને જરદાને રુપે તે ચાવીએ પણ છીએ. કેટલાક એમ માને છે કે, તમાકુ સુંઘવાથી લાભ થાય છે. વૈદ્ય-હકીમની સલાહથી તેઓ તમાકુ સુંઘે છે. મારો અભીપ્રાય છે કે તેની કશી જરુર નથી. તંદુરસ્ત માણસને આવી જરુર ન જ હોવી જોઈએ.

 

જરદો ખાનારનું તો કહેવું જ શું? તમાકુ ફુંકવી, સુંઘવી અને ખાવી એ ત્રણમાં ખાવી એ સૌથી વધારે ગંદી વસ્તુ છે. એમાં જે ગુણ મનાય છે એ કેવળ ભ્રમણા છે.

 

આપણામાં કહેવત છે કે, ખાય તેનો ખુણો; પીએ તેનું ઘર અને સુંઘે તેનાં લુગડાં એ ત્રણે બરાબર.

 

જરદો ચાવનાર સાવધાન હોય તે થુંકદાન રાખે છે ખરા, પણ ઘણાઓ પોતાના ઘરના ખુણામાં અથવા દીવાલ ઉપર થુંકતાં શરમાતા નથી. પીનાર ધુમાડાથી પોતાનું ઘર ભરી મુકે છે અને છીંકણી સુંઘનાર પોતાનાં કપડાં બગાડે છે. કોઈ પોતાની પાસે રુમાલ રાખે છે તે અપવાદરુપે છે. જેઓ આરોગ્યના પુજારી છે તે દૃઢ મન કરીને ગમે તે વ્યસનની ગુલામીમાંથી નીકળી જશે. ઘણાને આમાંનાં એક, બે કે ત્રણેય વ્યસનો હોય છે, એટલે તેને સુગ નથી ચડતી. પણ જો શાંત ચીત્તે વીચાર કરીએ તો ફુંકવાની ક્રીયામાં કે લગભગ આખો દીવસ જરદા કે પાનબીડાં વગેરેથી ગલોફાં ભરી રાખવામાં કે તમાકુની દાબડી ખોલી સુંઘવામાં કંઈ શોભા નથી. એ ત્રણે વ્યસનો ગંદાં છે.

આરોગ્યની ચાવી – ગાંધીજી : પ્રકરણ ૮ અફીણ – Opium

ફેબ્રુવારી 26, 2013

આરોગ્યની ચાવી – ગાંધીજી : પ્રકરણ ૮ અફીણ – Opium

 

જે ટીકા મદ્યપાનને વીશે કરી તે જ અફીણને પણ લાગુ પડે છે. બે વ્યસનમાં ભેદ છે ખરો. મદ્યપાન નશો ટકે ત્યાં લગી માણસને તોફાની કરી મુકે છે. અફીણ માણસને જડ બનાવે છે. અફીણી એદી બને છે, ઉંઘણશી થઈ જાય છે ને કંઈ કામનો નથી રહેતો.

 

મદ્યપાનનાં માઠાં ફળ આપણે રોજ જોઈ શકીએ છીએ તેમ અફીણની અસર તુરત નજરે નથી ચડતી. અફીણની ઝેરી અસર તુરત જોવી હોય તો તે ઓરીસા અને આસામમાં જોઈ શકાય છે. ત્યાં હજારો માણસો તે દુર્વ્યસનમાં ફસેલા જોવામાં આવે છે. જેઓ તે વ્યસનથી ઘેરાયેલા છે તેઓ મરવાના વાંકે જીવતા હોય એવા લાગે છે.

 

પણ અફીણની સૌથી ખરાબ અસર તો ચીનમાં થયેલી કહેવાય છે. ચીનાઓનાં શરીર હીન્દુસ્તાનીના કરતાં વધારે મજબુત હોય છે. પણ જેઓ અફીણના પાશમાં પડ્યા છે તે મડા જેવા જોવામાં આવે છે. જેને અફીણની લત લાગી છે તે દીનહીન બની જાય છે ને અફીણ મેળવવાને સારુ ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય છે.

 

ચીના અને અંગ્રેજ વચ્ચે લડાઈ થયેલી તે અફીણની લડાઈને નામે ઓળખાય છે. ચીનને હીન્દુસ્તાનનું અફીણ નહોતું જોઈતું, જ્યારે અંગ્રજોને ચીન સાથે તે અફીણનો વ્યાપાર કરવો હતો. આ લડાઈમાં હીન્દુસ્તાનનો પણ દોષ હતો. હીન્દુસ્તાનમાં કેટલાક હીન્દી અફીણના ઈજારદાર હતા. તેમાંથી કમાણી સારી પેઠે થતી હતી. હીન્દુસ્તાનની મહેસુલમાં ચીનથી કરોડો રુપીયા આવતા હતા. આ વેપાર પ્રત્યક્ષ રુપે અનીતીનો હતો, છતાં ચાલ્યો. છેવટે ઈંગ્લેન્ડમાં મોટું આંદોલન જાગ્યું ને અફીણનો વેપાર બંધ થયો. આમ જે વસ્તુ પ્રજાનો નાશ કરી શકે છે તેનું વ્યસન ક્ષણવાર પણ સહન કરવા જેવું નથી.

 

તા. ૧૧-૧૦-૪૨

આટલું કહ્યા પછી એમ કબુલ કરવું જોઈએ કે, વૈદકશાસ્ત્રમાં અફીણને બહુ મોટું સ્થાન છે. તે એવી દવા છે કે જેના વીના ન ચાલી શકે. એટલે અફીણનું વ્યસન મનુષ્ય સ્વેચ્છાએ છોડી દે એટલે ઉંચે સ્થાને પહોંચશે; ત્યારે પણ વૈદકશાસ્ત્રમાં અફીણનું સ્થાન રહી જવાનું છે. પણ જે વસ્તુ દવા તરીકે આપણે લઈ શકીએ છીએ એ આપણે વ્યસન તરીકે થોડી જ લઈ શકીએ છીએ? લેવા જઈએ તો એ જ ઝેરરુપ થઈ પડે છે. અફીણ તો પ્રત્યક્ષ ઝેર છે જ, એટલે વ્યસનરુપે સર્વથા ત્યાજ્ય છે.

આરોગ્યની ચાવી-ગાંધીજી- પ્રકરણ ૭. માદક પદાર્થો – Intoxicants

ફેબ્રુવારી 22, 2013

આરોગ્યની ચાવી-ગાંધીજી- પ્રકરણ ૭. માદક પદાર્થો – Intoxicants

માદક પદાર્થોમાં હીન્દુસ્તાનમાં મદીરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય. મદીરામાં એ દેશમાં પેદા થતાં તાડી અને ‘એરક’ (મહુડાં) છે; અને પરદેશથી આવતા દારુઓનો કંઈ પાર નથી. આ બધા સર્વથા ત્યાજ્ય છે. મદીરાપાનથી માણસ ભાન ભુલે છે અને એ સ્થીતીમાં એ નકામો થઈ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાંને ખુવાર કર્યાં છે. મદીરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે.

એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદીત) પ્રમાણમાં શરાબ પીવાનું સમર્થન કરે છે, અને તેથી ફાયદો થાય છે એમ કહે છે. મને એ દલીલમાં કંઈ વજુદ નથી લાગ્યું. પણ ઘડીભર એ દલીલનો સ્વીકાર કરીએ તો પણ અનેક માણસો જે એ મર્યાદામાં રહી જ નથી શકતા તેમને ખાતર પણ એ વસ્તુનો ત્યાગ કરવો ઘટે છે.

તાડીનું સમર્થન પારસી ભાઈઓ તરફથી પુશ્કળ થયું છે. તેઓ કહે છે કે, તાડીમાં માદકતા છે ખરી, પણ તાડી ખોરાક છે અને સાથે સાથે બીજા ખોરાકને હજમ કરવામાં મદદ કરનારી છે. આ દલીલ મેં બહુ વીચારી છે, અને એ વીશે સારી પેઠે વાંચ્યું છે. પણ તાડી પીનારા ઘણા ગરીબોની જે દુર્દશા મેં જોઈ છે તે ઉપરથી હું એવા નીર્ણય પર આવ્યો છું કે, મનુષ્યના ખોરાકમાં તાડીને કશું સ્થાન આપવાની જરુર નથી.

તા. ૯-૧૦-૪૨

જે ગુણોનું આરોપણ તાડીમાં કરવામાં આવે છે તે બધા આપણને બીજા ખોરાકમાંથી મળી રહે છે. તાડી ખજુરીના રસમાંથી બને છે. ખજુરીના શુદ્ધ રસમાં માદકતા મુદ્દલ નથી. શુદ્ધ રુપમાં એ નીરાને નામે ઓળખાય છે. એ નીરો એમ ને એમ પીવાથી ઘણાને સાફ દસ્ત આવે છે. મેં પોતે નીરો પી જોયો છે. મારી ઉપર મેં એવી અસર નથી અનુભવી. પણ તે ખોરાકની ગરજ બરોબર સારે છે. ચા વગેરેને બદલે માણસ નીરો સવારમાં પી લે તો તેને બીજું કંઈ પીવા કે ખાવાની જરુર ન રહેવી જોઈએ. નીરાને શેરડીના રસની જેમ ઉકાળવામાં આવે તો તેમાંથી બહુ સરસ ગોળ પેદા થાય છે. ખજુરી એ તાડની એક જાત છે. અનેક પ્રકારના તાડ દેશમાં વગર મહેનતે ઉગે છે. તે બધામાસંથી નીરો નીકળી શકે છે. નીરો એવો પદાર્થ છે કે જ્યાં નીકળ્યો ત્યાં જ તરત પીવાય જાય તો કંઈ જોખમ ન વહોરવું પડે. તેમાં માદકતા જલદી પેદા થઈ જાય છે. એટલે જ્યાં એનો વપરાશ તુરત થઈ ન શકે એમ હોય ત્યાં તેનો ગોળ કરી લેવામાં આવે, તો એ શેરડીના ગોળની ગરજ સારે છે. કેટલાકની માન્યતા એવી છે કે, એ શેરડીના ગોળ કરતાં વધારે ગુણકારી છે. તેમાં ગળપણ ઓછું હોવાથી શેરડીના ગોળ કરતાં વધુ માત્રામાં તે ખાઈ શકાય છે. ગ્રામોદ્યોગ સંઘની મારફત તાડગોળનો ઠીક પ્રમાણમાં પ્રચાર થયો છે. હજુ બહુ વધારે પ્રમાણમાં થવો જોઈએ. જે તાડોમાંથી તાડી બનાવવામાં આવે છે, તે તાડોમાંથી ગોળ બનાવવામાં આવે, તો હીન્દુસ્તાનમાં ગોળખાંડની તુટ આવે જ નહીં, અને ગરીબોને સસ્તે ભાવે ઉત્તમ ગોળ મળી શકે. તાડગોળમાંથી શર્કરા બની શકે છે અને તેમાંથી ચીની પણ બનાવી શકાય છે. પણ ગોળનો ગુણ સાકર અને ચીની કરતાં બહુ વધી જાય છે. ગોળમાં રહેલા ક્ષારો ચીનીમાં રહેતા નથી. જેમ ભુસી વીનાનો આટો કે ભુસી વીનાના ચાવલ તેમ ક્ષારો વીનાની સાકર સમજવી. ખોરાક જેમ તેની સ્વાભાવીક સ્થીતીમાં ખવાય તેમ તેમાંથી આપણને વધારે સત્ત્વ મળે છે, એમ કહી શકાય.

તાડીનું વર્ણન કરતાં સહેજે મારે નીરાનો ઉલ્લેખ કરવો પડ્યો અને તેને અંગે ગોળનો. પણ શરાબ વીશે હજુ કહેવાનું બાકી રહે છે.

શરાબથી થતી બદીનો જેટલો મને કડવો અનુભવ થયો છે, તેટલો જાહેર કામ કરનારા સેવકોમાંના કોઈને થયેલો મારી જાણમાં નથી. દક્ષીણ આફ્રીકામાં ગીરમીટ (અર્ધગુલામી)માં જતા હીંદીઓમાંના ઘણાને શરાબ પીવાની આદત પડેલી હોય છે. ત્યાંના કાયદા પ્રમાણે હીંદીથી શરાબ ઘેર ન લઈ જવાય. પીવો હોય તેટલો પીઠા ઉપર જઈને પીએ. બૈરાંઓ પણ તેનો ભોગ થયેલાં હોય છે. તેઓની જે દશા મેં જોઈ એ અત્યંત કરુણાજનક હતી. તે જોનાર કોઈ દીવસ દારુ પીવાનું સમર્થન ન કરે.

ત્યાંના હબસીઓને સામાન્યપણે પોતાની મુળ સ્થીતીમાં શરાબ પીવાની ટેવ નથી હોતી. તેઓનો તો દારુએ વીનાશ જ કર્યો છે એમ કહી શકાય. ઘણા હબસી મજુરો પોતાની કમાણી શરાબમાં હોમતા જોવામાં આવે છે. તેઓનું જીવન નીરર્થક બની જાય છે.

અને અંગ્રેજોનુ? સારા ગણાતા અંગ્રેજોને પણ મેં ગટરમાં આળોટતા જોયા છે. આ અતીશયોક્તી નથી. લડાઈને વખતે જેને ટ્રાન્સવાલ છોડવું પડ્યું હતું એવા ગોરાઓમાંથી એકને મેં મારે ત્યાં રાખ્યો હતો. એ એન્જીનીયર હતો. શરાબ ન પીધો હોય ત્યારે એનાં લક્ષણ બધાં સારાં હતાં. થીયોસોફીસ્ટ હતો. પણ તેને શરાબ પીવાની લત હતી. જ્યારે એ પીએ ત્યારે તે છેક દીવાનો થઈ જતો. તેણે શરાબ છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી જાણ પ્રમાણે છેવટ લગી તે સફળ ન થઈ શક્યો.

તા. ૧૦-૧૦-૪૨

દક્ષીણ આફ્રીકાથી દેશ આવ્યો ત્યારે પણ દુખદ અનુભવો જ થયા. કેટલાક રાજાઓ શરાબની કુટેવથી ખુવાર થયા છે અને થાય છે. જે રાજાઓને લાગુ પડે છે તે ઘણા ધનીક યુવકોને પણ ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. મજુર વર્ગની સ્થીતી તપાસીએ તો તે પણ દયાજનક જ છે. આવા કડવા અનુભવો પછી વાંચનાર આશ્ચર્ય નહીં પામે કે હું કેમ મદ્યપાનનો સખત વીરોધ કરું છું.

એક વાક્યમાં કહું તો મદ્યપાનથી મનુષ્ય શરીરે, મને અને બુદ્ધીએ હીન થાય છે ને પૈસાની ખુવારી કરે છે.

આરોગ્યની ચાવી- ગાંધીજી – પ્રકરણ ૬ ચા, કૉફી, કોકો – Tea, Coffee, Cocoa

ફેબ્રુવારી 17, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી – પ્રકરણ ૬ ચા, કૉફી, કોકો – Tea, Coffee, Cocoa

 

આ ત્રણેયમાંથી એકેય ચીજની શરીરને જરુર નથી. ચાનો ફેલાવો ચીનમાંથી થયો કહેવાય છે. ચીનમાં તેનો ખાસ ઉપયોગ છે. ચીનમાં પાણી ઘણાંખરાં ચોખ્ખાં નથી હોતાં. પાણી ઉકાળેલું પીવાય તો પાણીમાં રહેલો બગાડ દુર કરી શકાય. કોઈ ચતુર ચીનાએ ચા નામનું ઘાસ શોધી કાઢ્યું. તે ઘાસ બહુ થોડા પ્રમાણમાં ઉકળતા પાણીમાં નખાય તો તે પાણીને સોનેરી રંગ આવે છે. જો એ રંગ પાણી પકડે તો તે ઉકળેલું છે એમ ચોક્કસ રીતે કહી શકાય. એમ સાંભળ્યું છે કે, ચીનમાં લોકો આવી રીતે ચાના ઘાસ વતી પાણીની પરીક્ષા કરે છે ને એ જ પાણી પીએ છે. ચાની બીજી ખાસીયત એ છે કે, ચામાં એક જાતની ખુશબો રહેલી છે. ઉપર પ્રમાણે બનેલી ચા નીર્દોષ ગણાય. આવી ચા બનાવવાની આ રીત છે: એક ચમચી ચા એક ગળણીમાં નાખવી. એને કીટલી ઉપર મુકવી. ગળણી ઉપર ઉકળતું પાણી ધીમે રેડવું. કીટલીમાં જે પાણી ઉતરે છે તેનો રંગ સોનેરી હોય તો જાણવું કે પાણી ખરેખર ઉકળ્યું છે.

 

તા. ૧૦-૯-૪૨

જે ચા સામાન્યતઃ પીવાય છે તેમાં કંઈ ગુણ તો જાણ્યો નથી, પણ તેમાં એક મોટો દોષ રહેલો છે. તેમાં ટૅનીન રહેલું છે. ટૅનીન એ પદાર્થ છે જે ચામડાને સખત કરવા સારુ વાપરવામાં આવે છે. એ જ કામ ટૅનીનવાળી ચા હોજરીને વીશે કરે છે. હોજરીને ટૅનીન ચડે એટલે તેની ખોરાકને પચાવવાની શક્તી ઓછી થાય છે. એથી અપચો ઉત્પન્ન થાય છે. એમ કહેવાય છે કે, ઈંગ્લેન્ડમાં અસંખ્ય ઓરતો આવી જલદ ચાની આદતથી અનેક રોગોનો ભોગ બને છે. ચાની આદતવાળાને પોતાના નીયમ પ્રમાણે ચા ન મળે તો તેઓ વ્યાકુળ બને છે. ચાનું પાણી ગરમ હોય છે. તેમાં ચીની (ખાંડ) પડે છે ને થોડું દુધ એ કદાચ એના ગુણમાં ગણી શકાય. એ જ અર્થ સારા દુધમાં શુદ્ધ પાણી નાખીને તેને ગરમ કરવામાં આવે ને તેમાં ચીની (ખાંડ) અથવા ગોળ નાખવામાં આવે તો સારી રીતે સરે છે. ઉકળતા પાણીમાં એક ચમચી મધ ને અરધી ચમચી લીંબુનો રસ નાખવાથી સરસ પીણુ બને છે. (આયુર્વેદના મતાનુસાર ઉકળતા પાણીમાં મધ નાખવું ન જોઈએ, પાણી ઉકાળ્યા પછી ઠંડું થવા દેવું. સીવાય કે કોઈ ખાસ ઔષધપ્રયોગમાં. -ગાંડાભાઈ)

 

જે ચાના વીશે કહ્યું તે કૉફીને વીશે ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. એને વીશે તો કહેવત છે કે

કફકટન, વાયુહરણ, ધાતુહીન, બલક્ષીણ;

લહુકા પાની કરે, દો ગુન અવગુન તીન.

એમાં કેટલું તથ્ય છે તે હું નથી જાણતો.

 

તા. ૭-૧૦-૪૨

જે અભીપ્રાય મેં ચાકૉફી વીશે આપ્યો તે જ કોકો વીશે છે. જેની હોજરી નીયમસર ચાલે છે તેને ચા, કૉફી કોકોની મદદની જરુર રહેતી નથી. સામાન્ય ખોરાકમાંથી તંદુરસ્ત મનુષ્યો બધો સંતોષ મેળવી શકે છે, એમ હું બહોળા અનુભવથી કહી શકું છું. મેં મજકુર ત્રણે વસ્તુનું સારી પેઠે સેવન કર્યું છે. જ્યારે એ વસ્તુઓ લેતો ત્યારે મને કંઈક ઉપદ્રવ તો રહ્યા જ કરતો. એ વસ્તુઓના ત્યાગથી મેં કશું ખોયું નથી અને ઘણું મેળવ્યું છે. જે સ્વાદ ચા ઈત્યાદીમાંથી મેળવતો તેના કરતાં અધીક સામાન્ય ભાજીઓના ઉકાળામાંથી મેળવું છું.

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૫ મસાલા: Spices

ફેબ્રુવારી 11, 2013

 

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૫ મસાલા: Spices

ખોરાકનું વીવેચન કરતાં મેં મસાલા વીશે કશું કહ્યું નથી. નીમકને મસાલાના બાદશાહ તરીકે ગણી શકાય. કેમ કે નીમક વીના સામાન્ય માણસ કંઈ ખાઈ જ નથી શકતો. તેથી તેનું નામ સબરસ પણ ગણાયું છે. કેટલાક ક્ષારોની શરીરને આવશ્યકતા છે. તેમાં નીમક આવી જાય છે. એ ક્ષારો ખોરાકમાં હોય જ છે. પણ અશાસ્ત્રીય રીતે રંધાવાથી કેટલાકનું પ્રમાણ ઘટી ગયું હોય, તે નોખા પણ લેવા પડે છે. આવો અત્યંત જરુરી એક ક્ષાર નીમક છે. એટલે ગયા પ્રકરણમાં તેને થોડા પ્રમાણમાં છુટું ખાવાને સ્થાન આપ્યું છે.

 

પણ જેની સામાન્યપણે આવશ્યકતા નથી એવા અનેક મસાલા સ્વાદને ખાતર અને પાચનશક્તી વધારવાને ખાતર લેવામાં આવે છે. જેવા કે મરચાં (લીલાં ને સુકાં), મરી, હળદર, ધાણાજીરુ, રાઈ, મેથી હીંગ ઈત્યાદી.

 

આને વીશે મારો અભીપ્રાય પચાસ વર્ષના જાતઅનુભવ ઉપર બંધાયેલો છે કે, આમાંના એકેયની શરીરને પુર્ણ રીતે આરોગ્યવાન રાખવા સારુ આવશ્યકતા નથી. જેની પાચનશક્તી છેક નબળી થઈ ગઈ હોય તેને, કેવળ ઔષધરુપે, નીશ્ચીત મુદતને સારુ તે ધારેલી માત્રામાં લેવાં પડે તો ભલે લે. પણ સ્વાદને સારુ તો તેનો આગ્રહપુર્વક નીષેધ ગણાવો જોઈએ. મસાલામાત્ર, નીમક પણ, અનાજ શાકના સ્વાભાવીક સ્વાદને હણે છે. જેની જીભ બગડી નથી તેને સ્વાભાવીક રસમાં જે સ્વાદ આવે છે તે મસાલા ને નીમક નાખ્યા પછી નથી આવતો. તેથી જ મેં નીમક લેવું હોય તો ઉપરથી લેવાનું સુચવ્યું છે. મરચું તો હોજરીને ને મોંને બાળે છે. જેને મરચાની આદત નથી તે પ્રથમ તો મરચું ખાઈ જ નહીં શકે. ઘણાનાં મોંઢાં આવી ગયેલાં મેં જોયાં છે. અને એક માણસ, જેને મરચાંનો અત્યંત શોખ હતો તેનું તો મરચાંએ ભરજુવાનીમાં મોત આણ્યું. દક્ષીણ આફ્રીકાના હબસી મસાલાને અડકી જ નહીં શકે. હળદરનો રંગ તેઓ મસાલામાં નહીં સાંખી શકે. અંગ્રેજો આપણા મસાલા નથી લેતા.

નોંધ: (ગાંડાભાઈ) વર્ષો પહેલાં હું દેશમાં હતો ત્યારે અસ્વાદના પ્રયોગ તરીકે મેં ઘણા સમય સુધી મરચું છોડી દીધું હતું. અહીં ન્યુઝીલેન્ડ આવ્યા બાદ પણ અમુક સમય સુધી મરચું છોડ્યું હતું. પણ બધા મસાલા નહીં, માત્ર મરચું.

વેબગુર્જરી

ફેબ્રુવારી 6, 2013

વેબગુર્જરી

[નોંધ : વેબગુર્જરીનાં કાર્યોને સંદર્ભે જે કોઈ કાર્યક્રમો યોજાય તે સૌ કાર્યોના અહેવાલો દરેક વ્યક્તી પોતાના બ્લૉગ પર પ્રકાશીત કરે અને તે બધાં લખાણોની લીંક વેબગુર્જરી પર પ્રગટ થાય તેવો ઉપક્રમ છે.

અમદાવાદની સભાનો અહેવાલ પણ તે ધોરણે અહીં પ્રગટ કરી રહ્યો છું....]

========================================================

અમદાવાદની સભાનો અહેવાલ.                                                                                               જુગલકીશોર.

 

બહુ ટુંકાગાળાની નોટીસથી બોલાવાયેલી અમદાવાદની નેટસભ્યોની સભા શ્રી વલીભાઈના સુપુત્ર શ્રી અકબરભાઈની વૈભવી હોટેલ સફર ઈનમાં મળી ગઈ. સભ્યસંખ્યાને દાવે તો નીરાશ થવાય એવું થયું પણ વખતની સભામાં આવેલા ત્રણ યુવાનોએ અમને પોરસ ચડાવ્યો. અન્ય કેટલીક વીશેષતાઓ પણ અનુભવાઈ. ટુંકમાં કમસે કમ નિરાશાને તો સ્થાન આપવા જેવું રહ્યું.

અમદાવાદ નેટસભ્યોના સંપર્કની ત્રીજી પરંતુ વેબગુર્જરીની સ્થાપના પછીની પ્રથમ બેઠક હતી. વળી વેગુના નામથી બોલાવાયેલી હતી તેથી પણ સંખ્યા અંગે કશું નક્કી કહી શકાય તેમ નહોતું. લગ્નગાળોય નડવાનો હતો વળીજુઓને, પાંચેક સભ્યો તો કારણે હાજર હતાં. કુલ પાંચથી સભ્યો તો ઉમેરાવાનાં હતાં.

શુભેચ્છકોએ સભાને જુદી આશાથી જોઈને સંદેશાઓ મોકલ્યા હતા. એમને માટે ખાસ જણાવવાનું થયું છે કે સભાએ કેટલીક નવી દીશા બતાવી હોઈ તેઓની શુભેચ્છાઓને ચોક્કસ હકારાત્મક પ્રતીસાદ મળ્યો છે. તેથી તા. //૧૩ની સફર ઈનમાં ભરાયેલી સભાની સફર, સફળ તો થઈ માનું છું.

સવારે ૧૧ પછી એક મેઈલ મળ્યો, અશોકભાઈનો જેમાં તેમણે વિકિસ્રોતની વીશ્વકોન્ફરન્સનો ઉલ્લેખ કરેલો ને લખેલું કે અમારા વિકિસ્રોત તરફની શુભેચ્છાઓ સભામાં પહોંચાડજો. મેં સમય જોઈને લાગલો ફોન જોડ્યો જુનેગઢતો કોન્ફરન્સ ચાલુ હોઈ મને વેગુ વતી સૌ કોન્ફ.સભ્યો સાથે ફોનવાનો લાભ પણ મળી ગયો ! મેં સામે શુભેચ્છા પાઠવીને વેગુનું કાર્ય ઈંગીત કરી દીધું !! પછી તો સાંજે વિકિ.ના શ્રી ધવલભાઈએ લંડનમાં કરેલી સભાનો સચીત્ર અહેવાલ પણ જોવા મળ્યો….! જે જાણવા ને અનુભવવા મળ્યું તે મુજબ વિકિ.મિત્રોએ વેગુના કાર્યને પોતાનું ગણવામાં કોઈ કસર રાખી નથી. એની સાબીતીરુપ અમદાવાદસ્થીત બે યુવાનોએ વિકિ.ના પ્રતીનીધી તરીકે હાજર રહીને સક્રીય રીતે ભાગ લીધો !

ફક્ત બગીચાનો માળીકહીને પોતાની બાકીની ઓળખ આપવાના મતના એક તરવરતા યુવાન શ્રી દર્શિતની હાજરી પણ અમને ઉત્સાહ પ્રેરી ગઈ. તેમણે પોતાને સોંપાય તે કામગીરી નેટજગત માટે કરવાની તૈયારી બતાવી અને સભામાં સક્રીય ભાગ લીધો. બાકીનામાં અમે ગયા વખતના ચાર સભ્યો તો માથે ધોળા વાળવાળાઓ શ્રી પ્રફુલ્લભાઈ દવે, શ્રી વલીભાઈ, શ્રી પ્રકાશભાઈ નાકરાણી અને જુભૈ તો હતા . શ્રી અકબરભાઈ કેવળ હોટેલમાલીક તરીકે નહીં પણ સભામાં હંમેશની જેમ નેટજગતના અડીખમ ટેકેદાર તરીકે સક્રીય રહ્યા. (તેઓ પોતાની પાલનપુરની વીશાળ હોટેલમાં સમયસમય પર સાહીત્યકારોને ભેગા કરીને સાહીત્યરસ માણે છે. ભોજનમાંના ષડ્ રસોમાંનો મધુરરસ આજે આઈસક્રીમરુપે અમે પણ માણ્યો !!)

શરુઆતમાં, આજે અનીવાર્ય સંજોગોને લીધે હાજર રહી શકનારાં સભ્યોની શુભેચ્છાઓ સ્વીકારવામાં આવી હતી. સભ્યોમાં સર્વશ્રી રજનીકુમાર પંડ્યા, લતાબહેન હિરાણી, હરીશભાઈ દવે, જનકભાઈ શુક્લ, શૈલ્યભાઈ શાહ, અર્જુનભાઈ માલવિયા છે.

આરંભમાં સૌનો પરીચય મેળવવામાં આવ્યો હતો જેમાં શ્રી સમકિત શાહ તથા શ્રી આકાશ પંચાલ કે જેઓ એન્જિનીઅરીંગ કૉલેજમાં અભ્યાસરત છે અને વિકિસ્રોતમાં ધવલભાઈ તથા અશોકભાઈને સક્રીય સહકાર આપી રહ્યા છે. શ્રી દર્શિત આપણા જાણીતા બ્લૉગ બગીચાનો માળીચલાવે છે. બાકીના સભ્યોનો પરીચય ગઈ સભાના હેવાલમાં અપાઈ ગયો છે.

વેબગુર્જરીનો આરંભ આજની સભાની વાતચીતનો મુખ્ય વીષય બની રહ્યો. સૌએ નવા પ્રકરણને એક નવી વાત તરીકે સ્વીકાર્યું હતું, ને હજી જ્યાં સુધી વીચારો અને કાર્યક્રમો સ્પષ્ટ થાય ત્યાં સુધી શું ?”ની વાત રજૂ કરી હતી. (આજની સભામાં શક્ય તેટલું હોમવર્ક કરીને આવેલા જુ.ભૈ પાસે કંઈક હતું જેની રાહ જોવાની હતી.)

વેબગુર્જરીનાં કાર્યો અંગે વાત ચાલે તે પહેલાં વિકિસ્રોતના યુવાનોની વાત રજૂ થઈ. તેઓ બન્ને મીત્રો લેપટૉપ સાથે લાવ્યા હતા. તેમણે અમને સૌને વિકિસ્રોત અને વિકિપીડિયાની માહીતી ખુબ ઝીણવટથી સમજાવી. એમાં એકાઉન્ટ ખોલવાથી લઈને સર્ચ અને લેખનકાર્ય કરવાની, લખાણોમાં સુધારાવધારા કરવા અંગેની, મતદાન અને અભીપ્રાયોના મહત્ત્વ બાબતની કેટલીક વાતો સમજાવી હતી. વિકિસ્રોત તરફથી હાજર રહીને તેમણે પોતાના વિશ્વવ્યાપી ગ્રુપની કામગીરી બતાવી હતી. ગુજરાતીનાં અલભ્ય અને બહુ કીમતી સાહીત્યનું તેઓ જે રીતે વિકિસ્રોત દ્વારા પ્રકાશન કરી રહ્યા છે તે જાણીને ખુબ સંતોષ થયો હતો.

આમાંથી કેટલીક વાતો કૉપીરાઈટ અંગે પણ થઈ હતી.

ગુજરાતીની કહેવતો, કેટલાક વીશીષ્ટ વાક્યપ્રયોગો, કેટલાક અલંકારો, ઉચ્ચારો દ્વારા વાતને નવો વળાંક આપી દેનારા શબ્દપ્રયોગો વગેરે વીશેષતાઓની વાત મુકીને શ્રી વલીભાઈએ વેગુ દ્વારા કેટલુંક કરી શકવાના માર્ગો પણ ચીંધ્યા હતા.

છેલ્લે શ્રી જુગલકીશોરે વેગુ અંગે સાવ ટુંકાં વાક્યોમાં સીધી વાતો મુકી હતી. કેટલુંક હેતુને લગતું તો મોટાભાગનું કાર્યક્ષેત્રને લગતું જે રજુ થયું તે સંક્ષેપમાં મુજબ છે :

  • જે લોકો નેટ પર વર્ષોથી મહત્ત્વની કામગીરી કરી રહ્યાં છે તેમના કામને અહીં બેવડાવવાનું નથી;
  • કોઈના ચાલુ કાર્યને સહેજ પણ અડચણરુપ થાય તેવી કોઈ પ્રવૃત્તી વેબગુર્જરી દ્વારા કરવાની નથી;
  • જે લોકો અનુભવી છે અને બહુ મોટાં કાર્યો નેટજગત પર આપી ચુક્યાં છે તેમનું માર્ગદર્શન વેગુ દ્વારા લેવામાં આવશે અને એમનાં કાર્યોનો પરીચય નેટજગતને કરાવવામાં મદદરુપ બનવાનું છે;
  • જે લોકો આરંભ કરી રહ્યાં હોય કે જેમનું કાર્યક્ષેત્ર મર્યાદીત હોય તેમને મદદરુપ બનવાનો ઉપક્રમ છે;
  • બ્લૉગજગતમાં બ્લૉગર્સ, કોમેન્ટ દ્વારા વ્યક્ત થનારા લેખકો, વાચકો અને ફક્ત ઈમેઈલ મારફતે નેટપ્રવૃત્તીમાં વ્યસ્ત હોય તેવા ચાર પ્રકારના ગુજરાતીઓ છે. સૌ (કેટલાંક સહિયારાં સર્જનકાર્યો કરનારાંને બાદ કરતાં) મોટા ભાગનાં સ્વતંત્ર રીતે કાર્યરત છે. નેટજગત પર સૌ કોઈ રીતે ભાગ્યે સંકલીત જોવા મળે છે. કેટલાંક કાર્યો નાનાં જુથોમાં ભેળાં મળીને કરવામાં આવે છે પણ નેટજગત પરનાં સૌકોઈ એક સાથે, એક સ્થાને વીશ્વગુજરાતી તરીકે નથી. કેટલાંક કાર્યોમાં સૌની રચનાઓ એક સ્થાને ભેગી થયેલી જોવા મળે છે ખરી પણ બધાં મળીને અનેક ક્ષેત્રોને, અનેક વીષયોને હાથ પર લેતાં ખાસ જોવા મળતાં નથી.
  • વેબગુર્જરી દ્વારા સૌ નાનાંમોટાં પ્રવૃત્તીશીલોનું સંકલન થાય, સૌને ઉપયોગી તેવા અનેકાનેક વીષયોની માહીતી એક સ્થાનેથી પ્રસારીત થાય, નેટવીશ્વના સમાચારો અને પ્રવૃત્તીઓની જાણ સૌને થાય તે માટેની વ્યવસ્થા વેગુ દ્વારા કરવાનો વીચાર છે;

માટેકેવીકેવીકામગીરીપ્રાયોગીકધોરણેતાત્કાલીકહાથપરલેવાનીછે?

  • વેગુ પર સર્જનાત્મક કે કોઈની વ્યક્તીગત કૃતી પ્રકાશીત કરવાની નથી; પણ નેટગુજરાતીઓને ઉપયોગી થાય તેવી સામગ્રી પ્રકાશીત કરવાની છે;
  • ભાષાસાહીત્યની સામાન્યથી લઈને સુક્ષ્મ બાબતોને સમજવા મથવાનું છે;
  • ગુજરાતીનાં લખાણો સુધારવાં સુધરાવવાનાં છે (ખાસ કરીને બુકોનાં પ્રકાશનોએ ઉભી કરેલી ભાષાકીય ચીંતાને ટાળવી છે);
  • નેટની ટૅકનીકલ બાબતો, ચમત્કારીક સગવડોસવલતોને સહેલી બનાવીને સૌને હાથવગી કરાવવી છે; ( કાર્ય કેટલાક બ્લૉગ ઉપર સુપેરે થઈ રહ્યું છે એને વ્યાપક બનાવવાનું છે)
  • શહેરો, જીલ્લાઓ, પ્રદેશોની સભાઓ, કોન્ફરન્સો કરવીકરાવવી છે;
  • ગુજરાતી કુટુંબોમાં ગુજરાતી સાહીત્ય નહીં પરંતુ બોલી પણ જીવતી થાય, પ્રચારીત થાય ને તે રોજીંદી બાબત બની રહે તે માટે મથવાનું છે;
  • લખાણોમાં ભુલો ઓછી થાય, સુધારવાનું સૌ જાતે કરતાં થાય તેવા વર્ગો (લેખો/વીડીયો દ્વારા) ચલાવવાના છે;
  • ગુજરાતી લખાણો, ગુજ. સંગીત, સાંસ્કૃતીક કાર્યક્રમો, ફીલ્મો, ટીવી કાર્યક્રમો, સામયીકો, દૈનીકો વગેરેનું સમીક્ષાત્મક પીરસવાનું છે;
  • વીશેષ વ્યક્તીઓ, સંસ્થાઓ, બ્લૉગ્સ, પુસ્તકો વગેરેનો પરીચય કરવોકરાવવો છે;
  • ગુજરાતી બોલી સાથે ધબકતું જીવન જીવી રહેલા સાવ છેડાના માણસથી લઈને ઉચ્ચકક્ષાના મહાનુભાવોનાં કુટુંબોની મુલાકાતો લઈને જગતભરમાં ફેલાયેલાં કુટુંબોનાં કિશોરોને ગુજરાતીતા બતાડવી છે;
  • કેવળ ભાષા કે સાહીત્ય નહીં પણ ગુજરાતનાં અનેક ક્ષેત્રોને આવરી લેનારાં ઈતીહાસ, ભુગોળ, વીજ્ઞાન, આયુર્વેદ, અધ્યાત્મ જેવા વીષયોને પ્રસારવાંપ્રચારવાં છે;

યાદી બહુ લાંબી થઈ હોવા છતાં ક્યાંકથી તો આરંભ કરવો રહ્યોકેટલાક મુદ્દાઓ છુટી

પણ જાય ને કેટલાક ઉમેરાશે પણ ખરા. સૌ કેટલો ને કેવો રસ લેશે તેના પર તે બધું નીર્ભર છે.

ત્યારે કરીશું શું ?’

) દરેક સભ્ય / વાચક / બ્લૉગર વગેરે વેબગુર્જરીને સબ્સ્ક્રાઈબ કરે;

) દરેક સભ્ય વેગુ પરનાં લખાણોને પોતાનાં વર્તુળો (ફેસબુક વગેરે)માં લીંક મુકીને જાહેર કરે;

) પોતાના સમયની અનુકુળતા, પોતાની વીશેષ જાણકારી, વીશેષ કાર્યશક્તી વગેરેનો વીચાર કરીને ઉપર જણાવેલાં કાર્યક્ષેત્રોમાંથી પોતે ક્યાં ક્યાં અને શી શી રીતે સક્રીય ભાગ લેશે તેની નોંધ અમને મોકલાવે;

) જુદા જુદા વીષયો પરની આવડત અને સમયક્ષમતાનો ખ્યાલ કરીને વીષયવાર દસથી લઈને પંદરેક સભ્યોની સક્રીય સભ્યસમીતી બનાવવાની છે, તેમાં સેવા નોંધાવી શકે;

) સૂચનો મોકલાવે, સંપર્કો વધારાવે, પોતાના ઈમેઈલ સરનામાંનો લાભ લઈને વધુમાં વધુ ગુજરાતીઓને જાણકારી આપીને વેબગુર્જરીની આઈડી પહોંચાડે;

) ગુજરાતી બોલીનો પ્રયોગ વધુમાં વધુ કરે અને નેટ પર ગુજ.માં લખવાનો આગ્રહ રાખે;

) ને ખાસમ્ ખાસ વાત તે વેગુના માધ્યમથી કે અન્યથા, પણ સમગ્ર વીશ્વમાં ધબકી રહેલા ગુજરાતીઓને સાંધનારોબાંધનારો રેશમદોરસમો જે કક્કાનો તેને વ્યાપક બનાવે !!!

છેલ્લે, સભામાં હાજર રહેલા સૌએ શ્રી અકબરભાઈની મહેમાનગતી માટે આભાર માન્યો હતો

ને ત્યાર બાદ સૌએ આઈસક્રીમ સાથેની ચમચીના માધ્યમે મધુરરસને અને ભાવાવરણના માધ્યમે ગુજરાતીતાનો આસ્વાદ લઈને વીદાય લીધી હતી.

વાચકો માટે


Scabies

ફેબ્રુવારી 5, 2013

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Scabies

(1)    Drinking tomato juice morning and evening every day and consuming less common salt may help in scabies.

(2)    Mix tomato juice and twice the amount of coconut oil.  Massage over the body to help in scabies and itching.

(3)   Mix papaya sap and borax in boiling water and smear on affected area to help in scabies when it is cool enough.

(4)   Cut a lemon in two halves and sprinkle fine rock salt powder and dry them, then make powder. Taking this powder may help in scabies and eczema.

(5)   Massage lemon juice and coconut oil on to scabies affected area to cure it. One should have shower with hot water if suffering from scabies and wash clothes in hot water every day. This may cure dry scabies.

(6)   Massaging linseed oil may cure scabies.

(7)   Apply barley flour mixed with sesame oil and butter milk if you are suffering from scabies.

(8)   Massaging bangle gram powder mixed in water may help in scabies.

Pimple and Its Spot

ફેબ્રુવારી 2, 2013

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Pimple and Its Spot

(1)    Massaging orange peels on the affected area by pimples may help in getting rid of pimples.

(2)   Smear old sesame oil-cake mixing in cow urine on pimples. This may cure pimples.

(3)   Massage over ripe papaya fruit removing its skin on pimples. Wash up after 15-20 minutes when it dries up and clean with good heavy duty towel. Smear immediately sesame oil or coconut oil. Applying this treatment for a week or so may get rid of pimples and spots of them. It will beautify the face.

(4)   Massage thoroughly your face with cut ripe tomatoes. Leave it for three to four hours and then wash face with warm water. This may help in pimples.

(5)   Smearing jambul (rose apple) stone powder in water may help in pimples.

(6)   Apply borax with rose water to get help in pimples.

(7)   Mix very fine almond powder into butter thoroughly and massage on face to help in pimples.

(8)   Rub sandal wood in rose water and apply on the face if you suffer from pimples.

(9)   Rub dry hog-plums in milk and apply on the face to help in pimples.

(10)   Rub mango kernel in water and apply on the face to get rid of pimples.

(11)Apply nimb tree leaves juice or mint leaves juice on the face to help in pimples.

(12)   Cut lemon in half and rub on the face for two-three minutes every two hours interval to get rid of pimples.

(13)   Smear unripe papaya sap on pimples. It may help in pimples.

(14)   Washing the face with buttermilk may help in removing pimple spots and darkness and greasy face.

(15)   Mix lentil in sap of banyan tree by crushing it and apply on face to help in pimple spots.

(16)   Massaging face with very fine rice flour with water or cooked rice every day may help in pimple spots.

આરોગ્યની ચાવી ગાંધીજી-પ્રકરણ ૪ ખોરાક: Food

ફેબ્રુવારી 1, 2013

આરોગ્યની ચાવી ગાંધીજી-પ્રકરણ ૪ ખોરાક: Food

 

તા. ૨-૯-૪૨

હવાપાણી વીના માણસ જીવી જ નથી શકતો એ ખરું, પણ મનુષ્યનો નીર્વાહ તો ખોરાકથી જ થઈ શકે. અન્ન એનો પ્રાણ છે.

 

ખોરાક ત્રણ જાતનો કહેવાય: માંસાહાર, શાકાહાર ને મીશ્રાહાર. અસંખ્ય માણસો મીશ્રાહારી છે. માંસમાં માછલાં અને પક્ષીઓનો સમાવેશ થાય છે. દુધને કોઈ પણ રીતે આપણે શાકાહારમાં નથી ગણી શકતા. તેમ લૌકીક ભાષામાં એ કદી માંસાહારમાં નથી ગણાતું. સ્વરુપે તો એ માંસનું જ એક રુપ છે. જે ગુણ માંસમાં છે તે ઘણે ભાગે દુધમાં છે. દાક્તરી ભાષામાં એની ગણતરી પ્રાણીજ ખોરાક-ઍનીમલ ફુડ-માં કરવામાં આવી છે. ઈંડાં સામાન્ય રીતે માંસમાં ગણાય છે. હકીકતમાં એ માંસ નથી. અને હાલ તો ઈંડાં એવી રીતે પેદા કરવામાં આવે છે કે મરઘીને મરઘો બતાવવામાં નથી આવતો, છતાં તે ઈંડાં મુકે છે. આ ઈંડાં કદી પાકતાં નથી. તેમાં મરઘું નહીં થઈ શકે. એટલે જેને દુધ પીવામાં હરકત નથી તેને આ બીજા પ્રકારનાં ઈંડાં લેવામાં કશી હરકત ન હોવી જોઈએ.

 

દાક્તરી મત મુખ્યત્વે મીશ્રાહાર તરફ ઢળે છે. જો કે પશ્ચીમમાં દાક્તરોનો એક મોટો સમુદાય નીકળ્યો છે જેનો દૃઢ અભીપ્રાય છે કે, મનુષ્યના શરીરની રચના જોતાં એ શાકાહારી જ છે. એના દાંત, હોજરી વગેરે એને શાકાહરી સીદ્ધ કરે છે. શાકમાં ફળોનો સમાવેશ કર્યો છે. અને ફળોમાં સુકાં અને લીલાં બંને આવી જાય. સુકાંમાં બદામ, પીસ્તાં, અખરોટ, ચીલગોજા વગેરેનો સમાવેશ થાય છે.

 

મારો પક્ષપાત શાકાહાર તરફ હોવા છતાં અનુભવે મારે કબુલ કરવું પડ્યું છે કે, દુધ અને દુધમાંથી નીપજતા પદાર્થો – માખણ, દહીં વગેરે વીના મનુષ્ય શરીરનો નીભાવ સંપુર્ણ રીતે નથી થઈ શકતો. મારા વીચારોમાં આ મહત્ત્વનો ફેરફાર થયો છે. મેં દુધઘી વીના છ વર્ષ ગાળ્યાં છે. તે વખતે મારી શક્તીમાં કશી ન્યુનતા નહોતી આવી. પણ મારા અજ્ઞાનને લીધે હું ૧૯૧૭ની સાલમાં સખત મરડાનો ભોગ બન્યો. શરીર હાડપીંજર થઈ ગયું. હઠપુર્વક દવા ન લીધી અને એટલી જ હઠપુર્વક દુધ કે છાસ ન લીધાં, શરીર કેમેય ન બાંધી શકાય. દુધ ન લેવાનું મેં વ્રત લીધું હતું. દાક્તરે કહ્યું, “પણ તે તો ગાયભેંસનાં દુધ વીશે હોય, બકરીનું દુધ કેમ ન લેવાય?”

ધર્મપત્નીએ ટાપસી પુરી ને હું પીગળ્યો. ખરું જોતાં જેણે ગાયભેંસના દુધનો ત્યાગ કર્યો હોય તેને બકરી વગેરેના દુધની છુટ હોવી ન જોઈએ. કેમ કે એ દુધમાં પદાર્થો એક જ જાતના હોય છે. ફરક કેવળ માત્રાનો જ છે. એટલે મારા વ્રતના અક્ષરનું જ પાલન થયું. તેનો આત્મા તો હણાયો. ગમે તેમ હોય, બકરીનું દુધ તુરત આવ્યું ને મેં લીધું. મને નવચેતન આવ્યું. શરીરમાં શક્તી આવી ને ખાટલેથી ઉઠ્યો. એ અને એવા બીજા અનેક અનુભવો ઉપરથી હું લાચારીથી દુધનો પક્ષપાતી થયો છું. પણ મારો દૃઢ વીશ્વાસ છે કે, અસંખ્ય વનસ્પતીઓમાં કોઈક તો એવી છે જ કે દુધ અથવા માંસની સંપુર્ણ ગરજ સારે અને તેના દોષથી મુક્ત હોય. પણ આ શોધ તો થાય ત્યારે ખરી.

 

મારી દૃષ્ટીએ દુધ અને માંસમાં દોષ તો રહ્યા જ છે. માંસને સારુ આપણે પશુપંખીનો નાશ કરીએ છીએ. અને માના દુધ સીવાય બીજા દુધનો અધીકાર આપણને ન હોય. આ નૈતીક દોષ ઉપરાંત બીજા દોષો કેવળ આરોગ્યની દૃષ્ટીએ રહ્યા છે. બંનેમાં તેના માલીકના દોષો ઉતરે જ છે. પાળેલાં પશુ સામાન્યપણે તંદુરસ્ત નથી હોતાં. જેમ મનુષ્યમાં તેમ પશુઓમાં પુશ્કળ રોગો થાય છે. ઘણી પરીક્ષાઓ થતાં છતાં, ઘણા રોગો પરીક્ષકની નજર બહાર રહી જાય છે. બધાં પશુઓની સારી પરીક્ષા અસંભવીત લાગે છે. મારી પાસે ગૌશાળા છે. મીત્રોની મદદ સહેજે મળી રહે છે. પણ મારાથી ખાતરીપુર્વક ન કહી શકાય કે, મારી પાસે રહેલાં પશુઓ નીરોગી જ હોય. એથી ઉલટું એમ જોયું છે કે, જે ગાય નીરોગી માનવામાં આવતી હતી તે છેવટે રોગી સીદ્ધ થઈ છે. એ શોધ થતાં પહેલાં તો રોગી ગાયના દુધનો ઉપયોગ થયો હતો. આસપાસના ખેડુતો પાસેથી પણ દુધ સેવાગ્રામ આશ્રમ લે છે. તેઓના ઢોરની પરીક્ષા કોણ કરે? દુધ નીર્દોષ છે કે નહીં એ પરીક્ષા કઠીન વસ્તુ છે. એટલે દુધને ઉકાળીને જેટલો સંતોષ મળી શકે એટલેથી કામ ચલાવવું રહ્યું. બીજે બધે આશ્રમના કરતાં ઓછી જ પરીક્ષા હોવાનો સંભવ છે. જે દુધ દેતાં પશુઓને વીશે લાગુ પડે છે તે માંસને સારુ કતલ થતાં પશુઓને વીશે વધારે લાગુ પડે છે. પણ ઘણે ભાગે તો ભગવાન ભરોસે જ આપણું કામ ચાલે છે. મનુષ્ય પોતાના આરોગ્યની ચીંતા ઓછી જ કરે છે. તેણે પોતાને સારુ વૈદ્ય, દાક્તરો, હકીમ વગેરેનો કોટ ચણી રાખ્યો છે, ને પોતાને સુરક્ષીત માને છે. તેની મોટી ચીંતા ધનપ્રતીષ્ઠા વગેરે મેળવવાની રહે છે ને તે ચીંતા બીજી ચીંતાઓને ગળી જાય છે. એટલે જ્યાં લગી કોઈ પારમાર્થીક વૈદ્ય, દાક્તર, હકીમ ખંતપુર્વક સંપુર્ણ ગુણવાળી વનસ્પતી શોધી નથી શક્યા , ત્યાં લગી મનુષ્ય માંસાહાર, દુધાહાર કર્યે જશે.

 

હવે યુક્તાહાર ઉપર વીચાર કરીએ. મનુષ્ય શરીર સ્નાયુ બાંધનાર, ગરમી આપનાર, ચરબી વધારનાર, ક્ષારો આપનાર અને મળને કાઢનાર દ્રવ્યો માગે છે. સ્નાયુ બાંધનાર દ્રવ્યો દુધ, માંસ, કઠોળ તથા સુકા મેવામાંથી મળે છે. દુધ, માંસનાં દ્રવ્યો કઠોળાદી કરતાં વધારે સહેલાઈથી પચે છે ને સર્વાંશે વધારે લાભદાયી છે. દુધ અને માંસમાં દુધ ચડી જાય છે. માંસ પચી ન શકે ત્યારે પણ દુધ પચી શકે છે એમ દાક્તરો કહે છે, ને માંસાહાર નથી કરતા તેને તો દુધની બહુ ઓથ મળે છે. પચવામાં રાંધ્યા વગરનાં ઈંડાં સહુથી સારાં ગણાય છે. પણ દુધ કે ઈંડાં બધાંને સાંપડતાં નથી. એ બધેય મળતાં પણ નથી. દુધને વીશે એક અગત્યની વસ્તુ અહીં કહી જાઉં. જેમાંથી માખણ કાઢી લેવામાં આવે છે એ દુધ નકામું નથી. તે અત્યંત કીમતી પદાર્થ છે. કેટલીક વેળા તો તે માખણવાળા દુધ કરતાં પણ ચડી જાય છે. દુધનો મુખ્ય ગુણ સ્નાયુવર્ધક પ્રાણી દ્રવ્ય આપવાનો છે. માખણ કાઢી લીધા પછી પણ એ દ્રવ્ય કાયમ રહે છે. છેક બધું માખણ કાઢી શકાય એવું યંત્ર હજુ લગી તો બન્યું નથી. બનવાનો સંભવ પણ ઓછો જ છે.

 

તા. ૪-૯-૪૨

પુર્ણ દુધ કે અપુર્ણ દુધ ઉપરાંત બીજા પદાર્થોની જરુર રહે છે. બીજો દરજ્જો ઘઉં, બાજરો, જુવાર, ચોખા વગેરે અનાજોને આપી શકાય. હીન્દુસ્તાનમાં પ્રાંતે પ્રાંતે અનાજ નોખાં જોવામાં આવે છે. ઘણે ઠેકાણે કેવળ સ્વાદને ખાતર એ જ ગુણવાળાં એકથી વધારે અનાજ એકીવખતે ખાવામાં આવે છે. જેમ કે ઘઉં, બાજરો ને ભાત ત્રણેય વસ્તુ સાથે થોડી થોડી લેવાય છે. શરીરના પોષણ સારુ આ મીશ્રણ જરુરી નથી. એથી માપ ઉપર અંકુશ જળવાતો નથી ને હોજરીને વધારે પડતું કામ અપાય છે. એક જ અનાજ એકી વખતે લેવું ઠીક ગણાશે. આ અનાજોમાંથી મુખ્યત્વે સ્ટાર્ચ મળે છે. બધાં અનાજોમાં ઘઉં રાજા છે. દુનીયાની ઉપર નજર નાખીએ તો ઘઉં વધારેમાં વધારે ખવાય છે. આરોગ્યની દૃષ્ટીએ ઘઉં મળે તો ચાવલ અનાવશ્યક છે. જ્યાં ઘઉં ન મળે અને બાજરો, જુવાર ઈત્યાદી ન ભાવે કે રુચે તો ચાવલ લેવા ઘટે છે.

 

તા. ૬-૯-૪૨

અનાજ માત્રને બરાબર સાફ કરીને ઘરની ઘંટીમાં દળી, ચાળ્યા વગર વાપરવું જોઈએ. (દેશમાં હતો ત્યારે વર્ષો સુધી મેં જાતે દળીને ખાધું હતું. એ માટે ઘરની પરંપરાગત સામાન્ય ઘંટીમાં મોટરકારમાંની જુની બૉલબૅરીંગ – નવસારીમાં રવીવારના હાટમાં તે એ સમયે એક રુપીયામાં મળતી –  મેં નાખી હતી, જેથી દળવામાં બહુ સરળતા રહેતી. -ગાંડાભાઈ) તેની ભુંસીમાં સત્વ છે અને ક્ષારો છે. એ બંને બહુ ઉપયોગી પદાર્થો છે. વળી એમાં એવો પદાર્થ હોય છે કે જે પચ્યા વગર નીકળી જાય, તે સાથે મળને પણ કાઢે છે. ચાવલનો દાણો નાજુક હોવાથી કુદરતે તેની ઉપર પડ બનાવ્યું છે, જે ખાવાના ઉપયોગનું હોતું નથી, તેથી ચાવલને ખાંડવામાં આવે છે. ઉપલું પડ કાઢવા પુરતા જ ચાવલને ખાંડવા જોઈએ. યંત્રમાં ખાંડેલા ચાવલને તો, ભુસી છેક નીકળી જાય ત્યાં લગી ખાંડવામાં આવે છે. આનું કારણ એ છે કે, જો ભુસી રાખવામાં આવે છે તો ચાવલામાં તુરત ઈયળ કે ધનેડાં પડે છે, કારણ કે ચાવલની ભુસીમાં બહુ મીઠાશ રહેલી છે. અને ઘઉં કે ચાવલની ભુસીને કાઢતાં માત્ર સ્ટાર્ચ રહી જાય છે. અને ભુસી જતાં અનાજનો બહુ કીમતી ભાગ છુટી જાય છે. ઘઉં-ચાવલની ભુસી એકલી રાંધીને પણ ખાઈ શકાય. તેની રોટલી પણ બની શકે. કોંકણી ચાવલનો તો આટો કરીને તેની રોટલી જ ગરીબ લોકો ખાય છે. ચાવલના આટાની રોટલી આખા ચાવલ રાંધીને ખાવા કરતાં કદાચ વધારે પાચક હોય ને ઓછી ખાવાથી પુરતો સંતોષ આપે.

 

આપણામાં રોટલીને દાળમાં કે શાકમાં બોળીને ખાવાની ટેવ છે. આથી રોટલી બરોબર ચવાતી નથી. સ્ટાર્ચના પદાર્થો જેમ ચવાય ને મોઢામાં રહેલા થુંક (અમી)ની સાથે મળે તેમ સારું. એ થુંક (અમી) સ્ટાર્ચને પચાવવામાં મદદ કરે છે. ચાવ્યા વીના ખોરાક ગળી જવામાં આવે તો તે મદદ ન મળી શકે. તેથી ચાવવો પડે એવી સ્થીતીમાં ખોરાક ખાવો લાભદાયી છે.

 

સ્ટાર્ચપ્રધાન અનાજ પછી સ્નાયુ બાંધનાર કઠોળને બીજું પદ આપવામાં આવે છે. દાળ વીનાના ખોરાકને સહુ કોઈ અપુર્ણ ગણે છે. માંસાહારીને પણ દાળ તો જોઈએ જ. જેને મજુરી કરવી પડે છે, અને જેને પુરતું કે મુદ્દલ દુધ મળતું નથી, તેને દાળ વીના ન ચાલે એ સમજી શકાય છે. પણ જેને શારીરીક કામ ઓછું પડે છે, જેવા કે મુત્સદ્દી, વેપારી, વકીલ, દાક્તર કે શીક્ષક, અને જેને દુધ મળી રહે છે, એને દાળની જરુર નથી, એમ કહેતાં મને જરા પણ આંચકો નથી આવતો. સામાન્યપણે પણ લોકો દાળને ભારે ખોરાક માને છે ને સ્ટાર્ચપ્રધાન અનાજ કરતાં બહુ ઓછા પ્રમાણમાં લે છે. દાળોમાં વાલ, વટાણા બહુ ભારે ગણાય છે, મગ ને મસુર હળવાં. દેખીતું છે કે, માંસાહરીને દાળની મુદ્દલ જરુર નથી. એ માત્ર સ્વાદને સારુ દાળ ખાય છે. કઠોળને ભરડ્યા વીના રાતભર પલાળીને ફણગા ફુટે ત્યારે તોલા જેટલું ચાવવામાં આવે તો ફાયદો કરે છે.

 

ત્રીજું પદ શાક અને ફળને આપવું ઘટે. શાક અને ફળ હીન્દુસ્તાનમાં સસ્તાં હોવાં જોઈએ, પણ એમ નથી. તે કેવળ શહેરીઓનો ખોરાક ગણાય છે. ગામડાંઓમાં લીલોતરી ભાગ્યે જ મળે અને ઘણી જગ્યાએ તો ફળ પણ નહીં. આ ખોરાકની અછત એ હીન્દુસ્તાનની સભ્યતા ઉપર એક મોટો ડાઘ છે. દેહાતીઓ ધારે તો લીલોતરી પુશ્કળ ઉગાડી શકે છે. ફળઝાડોને વીશે મુશ્કેલી છે ખરી, કેમ કે જમીન-વપરાશના કાયદા સખત છે ને ગરીબોને દબાવનારા છે. પણ આ તો વીષયાંતર થયું.

લીલોતરીમાં પાંદડાંની ભાજીઓ (પત્તીભાજી) જે મળે તે સારા પ્રમાણમાં રોજ શાકમાં લેવી જાઈએ. જે શાકો સ્ટાર્ચપ્રધાન છે એની ગણતરી અહીં શાકમાં નથી કરી. સ્ટાર્ચપ્રધાન શાકોમાં બટેટાં, શક્કરીયાં, કંદ, સુરણ ગણાય. એને અનાજનું પદ આપવું જોઈએ. બીજાં શાક સારા પ્રમાણમાં લેવાવાં જોઈએ. કાકડી, લુણીની ભાજી, સરસવ, સુવાની ભાજી, ટમેટાં રાંધવાની કશી જરુર નથી. તેને સાફ કરી બરોબર ધોઈને થોડા પ્રમાણમાં કાચાં ખાવાં જોઈએ.

 

ફળોમાં મોસમનાં ફળ મળી શકે તે લેવાં. કેરીની મોસમમાં કેરી, જાંબુની મોસમમાં જાંબુ, જામફળ, પપૈયાં, અંગુર, ખાટાંમીઠાં લીંબુ, સંતરાં, મોસંબી વગેરે ફળોનો ઠીક ઉપયોગ થવો જોઈએ. ફળ સવારમાં ખાવાં ઉત્તમ છે. દુધ અને ફળ સવારે ખાવાથી પુર્ણ સંતોષ મળી રહે છે. જેઓ વહેલા જમે છે તેઓ સવારના એકલાં ફળ ખાય એ ઈષ્ટ છે.

 

કેળાં સરસ ફળ છે. પણ એ સ્ટાર્ચમય હોવાથી રોટલીની જગ્યા લે છે. કેળાં ને દુધ તથા ભાજી સંપુર્ણ ખોરાક છે.

 

મનુષ્યના ખોરાકમાં થોડેઘણે અંશે ચીકણા પદાર્થની જરુર છે. તે ઘી-તેલથી મળી રહે છે. ઘી મળી રહે તો તેલની કશી આવશ્યકતા નથી. તેલો પચવામાં ભારે હોય છે; શુદ્ધ ઘીનાં જેટલાં ગુણકારી નથી. સામાન્ય માણસને ત્રણ તોલા ઘી મળે તો પુરતું મનાવું જોઈએ. દુધમાં ઘી આવે જ છે. એટલે જેને ઘી ન પરવડે તે એકલું તેલ લે તો ચરબી મળી રહે છે. તેલોમાં તલનું, કોપરાનું, મગફળીનું સારું ગણાય. એ તાજાં હોવાં જોઈએ. તેથી દેશી ઘાણીનાં મળે તો સારાં. ઘી-તેલ બજારમાં મળે છે તે લગભગ નકામાં જેવાં હોય છે, એ ખેદની અને શરમની વાત છે. પણ જ્યાં લગી કાયદા વડે કે લોકકેળવણી વડે વેપારમાં પ્રામાણીકપણું દાખલ ન થાય, ત્યાં લગી લોકોએ કાળજી રાખીને ચોખ્ખી વસ્તુઓ મેળવવી રહી. ચોખ્ખીને બદલે જે તે મળે તેથી સંતોષ ન માનવો. ખોરું ઘી કે ખોરું તેલ ખાવા કરતાં ઘી-તેલ વીના રહેવું વધારે પસંદ કરવા જેવું છે.

 

જેમ ચીકટની ખોરાકમાં જરુર છે તેમ જ ગોળખાંડની. જો કે મીઠાં ફળોમાંથી પુશ્કળ મીઠાશ મળી રહે છે છતાં બેથી ત્રણ તોલા ગોળખાંડ લેવામાં હાની નથી. મીઠાં ફળો ન મળે તો ગોળખાંડની જરુર હોય. પણ આજકાલ મીઠાઈ ઉપર જે ભાર મુકવામાં આવે છે તે બરોબર નથી. શહેરનાં માણસો બહુ વધારે મીઠાઈ ખાય છે. દુધપાક, બાસુદી, શીખંડ, પેંડા, બરફી, જલેબી વગેરે મીઠાઈઓ ખવાય છે. તે બધાં અનાવશ્યક છે. વધારે પ્રમાણમાં ખાવાથી નુકસાન કરે છે. જે દેશમાં કરોડો માણસોને પુરું અન્ન પણ નથી મળતું, ત્યાં જેઓ પકવાન ખાય છે તે ચોરીનું ખાય છે એમ કહેવામાં મને મુદ્દલ અતીશયોક્તી નથી લાગતી.

 

જેમ મીઠાઈનું તેમ જ ઘી-તેલનું. ઘી-તેલમાં તળેલી વસ્તુઓ ખાવાની કશી આવશ્યકતા નથી. પુરી, લાડુ વગેરે બનાવવામાં જે ઘીનો ખર્ચ થાય છે એ કેવળ વગર વીચાર્યું ખર્ચ છે. જેને ટેવ નથી તેઓ આ વસ્તુ ખાઈ જ શકતા નથી. અંગ્રેજો આપણા મુલકમાં આવે છે ત્યારે આપણી મીઠાઈઓ અને ઘીમાં રાંધેલી વસ્તુઓ ખાઈ જ નથી શકતા. ખાનારા માંદા પડ્યા છે એ મેં ઘણી વાર જોયું છે. સ્વાદો કેળવેલી વસ્તુ છે. જે સ્વાદ ભુખ પેદા કરે છે તે સ્વાદ છપ્પન ભોગમાં નથી. ભુખ્યો માણસ સુકો રોટલો અત્યંત સ્વાદથી ખાશે. જેનું પેટ ભર્યું છે તે સારામાં સારું ગણાતું પકવાન નહીં ખાઈ શકે.

 

તા. ૮-૯-૪૨

કેટલું અને કેટલી વખત ખાવું એ વીચારીએ. ખોરાકમાત્ર ઔષધરુપે લેવો જોઈએ; સ્વાદને ખાતર કદી નહીં. સ્વાદમાત્ર રસમાં રહ્યો છે, અને રસ ભુખમાં છે. હોજરી શું માગે છે એની ખબર બહુ થોડાને રહે છે, કેમ કે આદત ખોટી પડી ગઈ છે.

 

જન્મદાતા માતાપીતા કંઈ ત્યાગી અને સંયમી નથી હોતાં. તેમની ટેવો થોડેઘણે અંશે બચ્ચાંમાં ઉતરે છે. ગર્ભાધાન પછી માતા જે ખાય છે તેની અસર બાળક ઉપર પડે જ. પછી બાલ્યાવસ્થામાં માતા અનેક સ્વાદો કરાવે છે. પોતે ખાતી હોય એ બાળકોને ખવડાવે છે. એટલે હોજરીને ખોટી ટેવ બચપણથી જ પડેલી હોય છે. તેને વટી જનાર તો બહુ વીચારી થોડા જ હોઈ શકે. પણ જ્યારે મનુષ્યને ભાન થાય છે કે, તેના શરીરનો તે સંરક્ષક છે અને શરીર સેવાર્પણ થયું છે ત્યારે શરીરસુખાકારીના નીયમો જાણવાની તેને ઈચ્છા થાય છે, ને તે નીયમોનું પાલન કરવાનો તે મહાપ્રયાસ કરે છે.

 

તા. ૯-૯-૪૨

ઉપરની દૃષ્ટીએ બુદ્ધીજીવી મનુષ્યનો રોજનો ખોરાક નીચે પ્રમાણે યોગ્ય ગણાય:

  1. બે રતલ ગાયનું દુધ.
  2. છ ઔંસ એટલે પંદર તોલા અનાજ (ચોખા, ઘઉં, બાજરી ઈત્યાદી મળીને).
  3. શાકમાં પાંદડાં (પત્તી-ભાજી) ત્રણ ઔંસ અને પાંચ ઔંસ બીજાં શાક.
  4. એક ઔંસ કાચું શાક.
  5. ત્રણ તોલા ઘી કે ચાર તોલા માખણ.
  6. ત્રણ તોલા ગોળ કે સાકર.
  7. તાજાં ફળ જે મળે તે રુચી અને શક્તી પ્રમાણે. રોજ બે ખાટાં લીબું હોય તો સારું.

આ બધાં વજન કાચા એટલે વગર રાંધેલા પદાર્થનાં છે. નીમકનું પ્રમાણ નથી આપ્યું. રુચી પ્રમાણે ઉપરથી લેવું જોઈએ. ખાટા લીંબુનો રસ શાકમાં ભેળવાય અથવા પાણી સાથે પીવાય.

 

આપણે દીવસમાં કેટલી વાર ખાવું જોઈએ? ઘણા તો માત્ર બે જ વખત ખાય છે. સામાન્ય રીતે ત્રણ વખત ખવાય છે. સવારે કામે ચડતાં પહેલાં, બપોરે, ને સાંજે કે રાતે. આથી વધારે વખત ખાવાની કશી જરુર નથી હોતી. શહેરોમાં કેટલાક વખતોવખત ખાય છે. આ નુકસાનકારક છે. હોજરી આરામ માગે છે.