(સહુની જાણ માટે મળેલા હીન્દી વીડીઓમાંથી સંક્ષીપ્ત અને થોડા ફેરફાર સાથે)
શરીરમાં ત્રણ જાતના દોષ હોય છે- વાત, પીત્ત અને કફ. આ ત્રણેનું સંતુલન જળવાવું જોઈએ. જ્યારે વાયુવીકાર વધી જાય છે ત્યારે 80 પ્રકારના રોગ થાય છે, જ્યારે પીત્ત વધી જાય છે ત્યારે 46થી 50 રોગ થાય છે, અને જ્યારે કફ બગડે છે ત્યારે 28 રોગ થાય છે. અને જો વાત, પીત્ત અને કફ ત્રણે બગડે તો128 રોગો થાય છે. બધા જ રોગ, કેન્સર સુધ્ધાં વાત, પીત્ત, કફ બગડવાને કારણે જ થાય છે.
વાગભટ્ટ લીખીત ‘અષ્ટાંગ હૃદય’ અને ‘અષ્ટાંગ સંગ્રામ’ નામના ગ્રંથમાં 7000 નીયમો બતાવ્યા છે. એ પૈકી 4 નીયમો વાત, પીત્ત અને કફને સંતુલીત રાખવા માટેના છે.
પહેલો નીયમ: ખાધા પછી તરત પાણી પીવું નહીં. વાગભટ્ટ કહે છે કે ‘भोजनांते विषं वारि’ ભોજન પછી તરત પીધેલું પાણી વીષ સમાન છે. ખાધા પછી ખોરાકના પાચન માટે પેદા થતો જઠરાગ્ની પાણી પીવાથી મંદ પડી જાય અને જઠરમાં આહારનું પાચન યોગ્ય રીતે થઈ ન શકે. ન પચેલોઆહાર જઠરમાં સડવા લાગશે. એ સડાને કારણે ઝેરી પદાર્થો પેદા થશે. આથી જ વાગભટ્ટનું ઉપરોક્ત વીધાન છે.
ખાધા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી પાણી પીવું નહીં. ખાધા પછી લસ્સી, ફળોનો રસ અથવા દુધ (ખાસ કરીને રાત્રે) પી શકાય. ખાવા પહેલાં 40 મીનીટ પહેલાં પાણી પી શકાય.
બીજો નીયમ: પાણી ગટગટાવવું નહીં, પણ એક એક ઘુંટડે ઘુંટડે પીવું. એ રીતે પીવાથી વધુમાં વધુ લાળ પેટમાં જશે. પેટમાં એસીડ હોય છે, લાળ ક્ષારીય હોય છે. આથી એ બંનેના મીલનથી એસીડનું શમન થાય છે અને એસીડીટી થતી નથી. આથી લોહીમાં પણ અમ્લતા-એસીડીટી આવશે નહીં. લોહીમાં અમ્લતા ન હોય તો વાત, પીત્ત, કફની અસમાનતા પેદા થતી નથી. તમે જોશો તો પશુપક્ષીની પાણી પીવાની રીત મનુષ્યો જેવી નથી. પશુપક્ષીઓ એકી સાથે પાણી ગટગટાવતાં નથી, પણ થોડું થોડું પીએ છે.
ત્રીજો નીયમ: ગમે તેવી સખત તરસ લાગી હોય તો પણ કદી બરફ નાખેલું કે ફ્રીજમાંનું ઠંડું પાણી પીવું નહીં. આપણા શરીરમાં આહારનું પાચન અમુક ઉષ્ણતામાને જ યોગ્ય રીતે થઈ શકે છે. ઠંડું પાણી પીવાથી પાચક રસો ઠંડા થવાને કારણે આહારનું પાચન યોગ્ય રીતે થશે નહીં. કોઈ પશુ-પક્ષી ઠંડું પાણી પીતાં નથી. ગરમીના દીવસોમાં તકલીફ જણાય તો માટીના વાસણમાં રાખેલું પાણી પી શકાય, પણ બરફવાળું કે ફ્રીજમાંનું નહીં.
ચોથો નીયમ: સવારે ઉઠતાંની સાથે સૌથી પહેલાં બેત્રણ ગ્લાસ પાણી પીવું. ત્યાર પછી જ ટોઈલેટમાં જવું. એના બે ફાયદા છે. એક તો સવારમાં પાણી પીવાથી ખુલાસાથી ઝાડો થશે અને મોટા આંતરડાની સફાઈ થઈ જશે. જેમનું સવારમાં એક જ સમયે પેટ એકદમ સાફ થઈ જાય છે તેમને કદી કોઈ રોગ થતો નથી. સવારે પેટમાં એસીડનું પ્રમાણ વધુ હોય છે. સવારમાં પાણી પીવાથી મોંમાં સારા પ્રમાણમાં લાળ જમા થયેલી હોય છે તે પેટમાં જશે. પેટમાં લાળનું જવું બહુ અગત્યનું અને જરુરી છે.
આ ચાર નીયમોનું ચુસ્ત રીતે પાલન કરવાથી વાત, પીત્ત અને કફ સંતુલીત રહે છે અને બીમારી આવતી નથી.