ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા ૬૧૫. કપુર : કપુરના વૃક્ષમાંથી કાઢવામાં આવતા તેલમાંથી કપુર બને છે. એના ઘણા પ્રકાર છે, અને તે મુજબ ગુણમાં ફેર પડે છે. કપુર મળ, પીત્ત, કફ, વીષ વગેરેનો નાશ કરે છે. કપુર શીતળ, પાચન સુધારનાર, હૃદય અને આંખને હીતકારી, સુગંધી, રુચીકર, તૃષા, મેદ, બળતરા, કંઠરોગ, કૃમી અને દુર્ગંધનો નાશ કરનાર છે. કપુર વીર્યને વધારે છે અને નેત્રને માટે હીતાવહ છે, તેમ જ શરીરને પુષ્ટ કરે છે.
કપુરનો ઉપયોગ વૈદ્યની દેખરેખ નીચે જ કરવો. સ્વયં કરવો નહીં. કપુરમાંથી ઘણી દવાઓ બને છે.