(બૌદ્ધ સાધુનો સંદેશ – અંગ્રેજી વીડીઓ પરથી)
જીવનને હળવાશથી ન લેશો.
જેઓ ગઈ કાલે મૃત્યુ પામ્યા તેમણે આજ સવાર માટે કંઈક કરવાનું વીચાર્યું હતું. જે લોકો આજે સવારે મરણ પામ્યા તેમની કોઈક યોજના આજે રાત માટે હતી. ક્ષણના અડધા ભાગમાં બધું જ બદલાઈ જાય છે. આથી સહુને અને સર્વ કંઈ પણ માફ કરી દેવું. હંમેશાં માયાળુ બનો અને સારી રીતે જીવો. કારણ કે આપણે જાણતા નથી કે જીવવાની વધુ તક મળશે કે કેમ. હવે પછીની ક્ષણ હશે કે કેમ.
યાદ રાખો તમે જેને મળો છો તે દરેક કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જેની તમને કશી જાણકારી નથી. આથી હંમેશાં આપણે સહુ પ્રત્યે માયાળુ રહેવું જોઈએ. એક દીવસ તમે બધાં લોકો માટે એક સ્મૃતી બની જશો. આથી બધાંનું બની શકે તેટલું ભલુ કરો.
જીવન જીવવું સહેલું નથી. પણ એ જીવવા માટે છે. કોઈ વાર સુખ તો કોઈ વાર દુખ. પણ દરેક ચડતીપડતીમાં તમારે એમાંથી બોધપાઠ લેવો જોઈએ, જે તમને સશક્ત બનાવશે. સાચી વાત તો એ છે કે આપણને સારું કે ખરાબ જીવન મળ્યું નથી. આપણને જીવન મળ્યું છે, અને એને સારું કે નરસું કરવું તે આપણા હાથમાં છે.
એક વાતની જરા યાદ અપાવું. જો તમને કોઈનું ભલું કરવાની તક મળે તો જરુર એ તક ઝડપી લો. કેમ કે કેટલીક વાર લોકો મુંગા મુંગા સહન કરતાં રહે છે. કદાચ તમારું માયાળું વર્તન તેઓનો દીવસ સુધારી દે.
જ્યારે તમે પોતાની કાળજી લેવાનું શરુ કરો છો, ત્યારે તમને સારું લાગશે. તમે વધુ સારા દેખાશો. અને તમે તમારા પ્રતી શુભને આકર્ષશો. યાદ રાખો, સર્વ કંઈ કરવાની શરુઆત તમારે જ કરવાની છે.