ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
ફાઈબર જેમાં વધુ હોય એવો આહાર લેવો, જેમાં ઓટ્સ, બાજરી, તુવેરદાળ, બ્રોકલી, કઠોળ વગેરેનો સમાવેશ થાય છે. વજન કાબુમાં રાખવું એનાથી માત્ર હૃદય જ નહીં પણ સ્ટ્રોક અને ડાયાબીટીસમાં પણ લાભ થશે. આ ઉપરાંત બ્લડપ્રેશર પણ નીયંત્રણમાં રહેશે. હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરવી જોઈએ. બપોરના ભોજન પછી થોડું ચાલવું પણ જોઈએ. એનાથી ઘણા રોગોનું જોખમ ઓછું થાય છે. હૃદયને સ્વસ્થ રાખવામાં ઉંઘ પણ મહત્વનો ભાગ ભજવે છે. એનાથી હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રોક, ડાયાબીટીસ વગેરેમાં પણ લાભ થશે. સૌથી મહત્વની બાબત તણાવ(સ્ટ્રેસ)થી દુર રહેવું તે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે કોળાનાં બીજ, ચીયાબીજ અને અળસીને અલગ અલગ શેકી બરણીમાં ભરી રાખી ભુખ હોય ત્યારે ખાવાથી લાભ થાય છે. એ જ રીતે અખરોટ અને બદામ પણ ખાવી જોઈએ. વળી રસોઈમાં હળદર, ધાણા અને જીરુ વાપરવાથી પણ હૃદયને લાભ થાય છે. ખાલી પેટે કાચું લસણ ખાવાથી હૃદયની તંદુરસ્તીમાં ઘણો ફેર પડે છે. પાલખની ભાજી ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, કેમ કે એમાં મેગ્નેશ્યમ અને પોટેશ્યમ હોય છે જે બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે.
કોઈ પણ આહાર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે જ અને પાચનશક્તી મુજબના પ્રમાણમાં જ લેવો.