ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 302. કમરનો દુખાવો: મોટી ઉમ્મરમાં અને વાયુની તકલીફમાં કમરનો દુખાવો બહુ સામાન્ય હોય છે. એલોપથીમાં પેઈન કીલર સીવાય એની કોઈ દવા નથી, પણ આયુર્વેદમાં ઘણી બધી દવા અને અન્ય ઉપાયો છે. એમાંથી બે ઉપાય:
(૧) અજમો અને ગોળ સરખા ભાગે મેળવી રોજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. જો તમારી પીત્ત પ્રકૃતી હોય તો એ ગરમ પડશે માટે પ્રમાણ અનુકુળતા મુજબ લેવું.
(૨) ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં બે ચમચી મેથીનું ચુર્ણ ઉમેરી પીવાથી કમરના દુખાવામાં રાહત થાય છે.
અજમો જેમને ગરમ પડે અને ગોળ કોઈ કારણસર (જેમ કે ડાયાબીટીસને લીધે) અનુકુળ ન હોય તે લોકો ખજુર-મેથીનો ઉપાય કરી શકે. ખજુર પચવામાં ભારે છે, આથી પાચનશક્તી નબળી હોય તો એનું પ્રમાણ ઘટાડવું, અથવા કોઈ કારણસર અનુકુળ ન હોય તો માત્ર મેથીનો ઉકાળો પી શકાય. મેથી ડાયાબીટીસમાં પણ લાભકારક છે.