સામાન્ય રીતે પેટમાં વધુ પડતી અમ્લતા – એસીડીટી હોય તો હાર્ટબર્ન થાય છે.
અન્નનળી અને જઠર જ્યાં ભેગાં મળે છે ત્યાં એક ખાસ વાલ્વ હોય છે, જે અન્નનળીને ઉઘાડ-બંધ કરે છે, જેથી જઠરમાંનો આહાર પાછો અન્નનળીમાં પ્રવેશી શકતો નથી, પણ માત્ર જઠરમાં આવી શકે છે.
પણ આ સ્નાયુ યોગ્ય રીતે કામ ન કરે એવું કોઈ વાર બની શકે. એવા સમયે જઠરમાંનો આહાર ઉપરની તરફ અન્નનળીમાં પ્રવેશી જાય અને બળતરા પેદા થાય.
આ શી રીતે ટાળી શકાય? ખાટા પદાર્થો, દારુ, ચરબીયુક્ત આહાર, વધુ પડતો રાંધેલો આહાર, કોફી, ફળરસો, ટામેટાંવાળો આહાર અને ચોકલેટ ખાવાનું ઓછું કરવું. પણ એને સદંતર બંધ કરી દેવાની જરુર નથી. પણ કયો ખોરાક વધુ બળતરા કરે છે તે જુઓ અને જ્યાં સુધી તકલીફ દુર ન થાય ત્યાં સુધી એનો ત્યાગ કરો. વળી ખાધા પછી તરત જ સુઈ ન જવું. ખરેખર તો સાંજે મોડામાં મોડું સાત વાગ્યે જમી લેવું જોઈએ. અને હા, બીડી-સીગારેટ પીવાનું છોડી દેવું જોઈએ, ખાસ કરીને ખાધા પછી તો ધુમ્રપાન ન જ કરવું.