Archive for the ‘સરદાર વલ્લભભાઈ અને કાશ્મીર સમસ્યા’ Category

કાશ્મીરનો પ્રશ્ન

ડિસેમ્બર 3, 2008

કાશ્મીરનો પ્રશ્નઃ કાશ્મીરનો પ્રશ્ન ખુબ જ ગુંચવાયો છે, કારણ કે એની પાછળ નહેરુની સચ્ચાઈની નીતીને એના વીશ્વાસુ સાથીદારોએ દગો કર્યો અને અમેરીકા અને બ્રીટન યુનાઈટેડ નેશનમાં પાકીસ્તાનને પડખે રહ્યાં. ઉપરાંત પાકીસ્તાને યુનાઈટેડ નેશનના નીર્ણયોનો અમલ ન કર્યો.

કાશ્મીરના જે લોકો હીન્દથી વીરુદ્ધ છે તેને પાકીસ્તાની લશ્કરે હથીયાર અને સૈનીકની મદદ શરુ કરેલી અને તે વ્યવસ્થીત રુપે મોટા પ્રમાણમાં. સરદાર આ બધી પરીસ્થીતીનો ચીવટપુર્વક અભ્યાસ કરતા હતા. એમને એવું લાગ્યું કે આપણે પાકીસ્તાનને ભાગે પડતાં નાણાં આપીએ છીએ તે નાણાંમાંથી પાકીસ્તાન હથીયાર ખરીદે અને તે હથીયારો આપણી સામે વાપરે છે, જેથી આપણે હાલ નાણાં આપવાનું બંધ કરવું જોઈએ. એ વીષય અંગે નહેરુએ માઉન્ટ બેટનને કહ્યું. તેણે કહ્યું કે નાણાં આપી દેવાનાં. સરદારનું કહેવું હતું કે કાશ્મીરના પ્રશ્નનો નીકાલ કર્યા બાદ આપવાં. આ મુદ્દા પર સીધા જ મતભેદ પડેલા, અને સરદાર છુટા થવા તૈયાર થઈ ગયેલા. મહાત્માજી વચ્ચે પડેલા અને સરદારને શાંત કરેલા. ગાંધીજી સંપુર્ણ સમાધાન કરે તે પહેલાં એમનું ખુન થયેલું. ગાંધીજીને અપેલા વચનને ખાતર સરદારે નહેરુ સાથે જીવનના અંત સુધી કામ કરેલું.

કાશ્મીરમાં મુસ્લીમોની બહુમતી હોવાથી પાકીસ્તાનનો દાવો છે અને એ દાવા પર બધા સંપુર્ણપણે વીચાર કરતા નથી. કાશ્મીરના મુસ્લીમોની વસ્તી કરતાં હીન્દુસ્તાનના મુસ્લીમોની વસ્તી અનેકગણી છે. જો હીન્દના મુસ્લીમોને હીન્દુસ્તાન સાચવી શકે તો કાશ્મીરના મુસ્લીમોને જરુરથી સાચવી શકે. કાશ્મીરના મહારાજાએ કાશ્મીરને હીન્દુસ્તાન સાથે જોડાવાની વ્યવસ્થા કરી છે. ત્રાસવાદી મુસ્લીમોને પાકીસ્તાન અનેક વાર લશ્કરી સહાય આપે છે. અને હજારો હીન્દુઓને ખતમ કરી નાખ્યા છે. અનેક હીન્દુ પંડીતો કાશ્મીર પ્રદેશ છોડીને હીજરત કરી ગયા છે. હીન્દુઓના ધાર્મીક સ્થળો ઉપર પણ જાત્રાના પ્રસંગે હુમલા કરી ત્રાસ વર્તાવે છે. અપાર ત્રાસ અને ખુવારી બધું હીન્દી સરકાર સહન કરીને ચાલ્યા કરે છે. બચાવ કરવા માટે અનેક યોજનાઓ કરે પરંતુ પહાડી પ્રદેશ હોવાથી સંપુર્ણ રક્ષણ કરી શકાતું નથી. હીન્દુસ્તાનના પ્રદેશ પર અનેક હુમલાઓનો આપણે હજુ ન્યાય મેળવી શક્યા નથી. સંભવ છે કે સરદાર હોત તો પરીસ્થીતી જુદી હોત. જાણ્યે અજાણ્યે નહરુનાં પગલાંથી આજે આપણી આ પરીસ્થીતી છે. અને પાકીસ્તાનની નીતીને ધ્યાનમાં લેતાં પ્રદેશ પર સંપુર્ણ શાંતી સ્થાપવી મુશ્કેલ છે. યુવાન મુસ્લીમોને જેહાદનું શીક્ષણ આપવામાં આવે છે. એ બધા યુવાન દેહનું બલીદાન આપી દે છે. એનાં માતા-પીતા વીલાપ કરે છે. કેટલીક વાર પરદેશી પત્રકારોનું પણ અપહરણ કરી લઈ તેમની કતલ કરી નાખે. જેથી બીજાઓ ત્યાં જવાની હીંમત ન કરે. આગળના ચાર પત્રકારોનો હજી પણ પત્તો નથી. એ બતાવે છે કે ત્યાં અરાજકતા પ્રવર્તે છે. કાશ્મીરની વીગતો પુરી નથી. ઈતીહાસ બતાવે છે કે ત્યાં રાજસત્તા વારંવાર બદલાતી હતી. અને અમુક વર્ષો સુધી ત્યાં શીખ લોકોનું રાજ હતું. બ્રીટીશરોના રાજ દરમીયાન એ હરીસીંગ રાજાનું સ્ટેટ હતું. અને તેણે પરીસ્થીતીને ધ્યાન પર લઈને હીંદની સરકારને સોંપેલું. ત્યાર પછીના અનેક ગંભીર બનાવો આપણી નજર સમક્ષ બન્યા છે અને બન્યા જ કરે છે.

આપણા અનેક રાજકર્તાઓએ સમાધાન માટે પ્રયત્નો કર્યા. પરંતુ તેમાં સંપુર્ણ સફળતા મળી નથી. કાશ્મીર માટે હીંદી સરકારે કરોડો રુપીયા ખર્ચ્યા અને હજુ પણ ખર્ચ્યે જાય છે. દુનીયામાં અન્યાયોના કારણે શાંતી સ્થપાતી નથી. લોકશાહીની પદ્ધતીથી પ્રયત્નો ચાલુ છે. પરંતુ જ્યાં ને ત્યાં નાના મોટા ઝઘડા થયા જ કરે છે. હજારો યુદ્ધમાં મરે અને હજારો માનવી ભુખથી મરે છે. વીશ્વમાં અનેક યોજનાઓ કરવામાં આવે પરંતુ તે સફળ થતી નથી, કારણ કે માનવીના મનમાં પક્ષાપક્ષી જીવીત છે, ને ત્યાં સુધી અન્યાય અને વીગ્રહો ચાલુ રહેવાના.

દયાળજી કેસરી, મટવાડ