દુર્ગંધ પેદા કરનાર ખાદ્યો
બ્લોગ પર તા. 26-6-2017
‘દિવ્ય ભાસ્કર’માંથી મળેલું
નીચેનાં ખાદ્યો દુર્ગંધ પેદા કરનાર હોય, જેમને એ પ્રકારની તકલીફ હોય કે જેમની પાચનશક્તી નબળી હોય તેમણે બની શકે તો આ ખાદ્યોનો ત્યાગ કરવો, અને જો લેવું પડે તેમ હોય તો શક્ય તેટલા ઓછા પ્રમાણમાં લેવાં જોઈએ. વળી મોટા ભાગનાં આ ખાદ્યો કંઈક અંશે પચવામાં પણ ભારે હોઈ પોતાની પાચનશક્તી મુજબ એનું પ્રમાણ જાળવવું હીતાવહ છે.
- ઈંડાઃ એમાં રહેલું કોલીન સરળતાથી પચતું નથી. આથી દુર્ગંધ પેદા કરે છે.
- લસણઃ લસણથી ગંધક પેદા થાય છે, જે લોહીમાં શોષાવાથી દુર્ગંધ પેદા કરે છે.
- જીરુઃ જીરુ ચામડીનાં છીદ્રોમાં ઘણા દીવસો સુધી રહે છે, આથી પરસેવામાં દુર્ગંધ આવે છે.
- મચ્છીઃ મચ્છીમાં વીટામીન ‘બી’નું વીશેષ પ્રમાણ હોય છે જે પરસેવામાં દુર્ગંધ પેદા કરે છે.
- ડુંગળીઃ એમાં રહેલા ગંધકને લીધે દુર્ગંધ આવે છે.
- કાર્બોહાઈડ્રેટ (કાર્બોદીત) પદાર્થોની આહારમાં ઘટ હોય તો શક્તી માટે શરીર ચરબીનું દહન કરે છે, આથી પરસેવામાં વાસ આવે છે.
- આલ્કોહોલ-મદ્ય (દારુ)નું સેવન કરવાથી એનો અમુક ભાગ પરસેવા રુપે બહાર આવે છે, આથી એ દુર્ગંધ પેદા કરે છે.
- દુધ, દહીં, ઘી, ચીઝ વગેરેમાં રહેલું ગંધક પરસેવામાં દુર્ગંધ પેદા કરે છે. (આથી મેં હાલમાં આ બધું છોડી દઈ જેને વેગન શાકાહાર કહેવામાં આવે છે – આપણે એને અતી શાકાહાર કહી શકીએ – તેનો પ્રયોગ શરુ કર્યો છે. એનાથી મને ઘણો ફરક પડેલો લાગે છે.)
- સફેદ ખાંડઃ લોહીમાં રહેલી શર્કરા ચામડીના બેક્ટેરીયા સાથે મળી દુર્ગંધ પેદા કરે છે.
- બ્રોકલીમાંનો રેસાવાળો ભાગ પાચન વખતે હાઈડ્રોજન અને મીથેન જેવા વાયુ પેદા કરે છે જેનાથી પરસેવામાં વાસ આવે છે.
- કોબીજ તથા કોલીફ્લાવરમાં ગંધક હોય છે જે પરસેવા વાટે બહાર નીકળે છે આથી વાસ આવે છે.
- કૉફી પરસેવાની ગ્રંથીઓને સક્રીય કરે છે આથી પરસેવો દુર્ગંધયુક્ત બને છે.
- સલગમમાં મીથાઈલ હોય છે, જે પરસેવા વાટે બહાર નીકળતાં વાસ આવે છે.
- મેથીદાણાનું પાચન થયા પછી એ ત્વચાનાં છીદ્રો બંધ કરી દે છે, આથી પરસેવામાં દુર્ગંધ આવે છે.
- માંસમાં એમીનોએસીડ હોય છે જે ત્વચાના બૅક્ટેરીયા સાથે મળી દુર્ગંધ પેદા કરે છે.