Archive for નવેમ્બર, 2014

એકસઠમા વર્ષમાં પ્રવેશ વેળા

નવેમ્બર 28, 2014

સનડે ઈ-મહેફીલના પ્રણેતા શ્રી. ઉત્તમભાઈ ગજ્જરને મેં તાજેતરમાં એમાં પ્રગટ કરેલા સુંદર લેખની પ્રસંશા કરતો ઈ-મેઈલ મોકલ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં એમણે સ.મ.માં પ્રગટ થતી મને પસંદ હોય તે કોઈ પણ કૃતી મારા બ્લોગ પર મુકવાની છુટ આપી છે. તો ‘સેમ’માં પ્રગટ થયેલો આ આર્ટીકલ વાંચવો કદાચ તમને ગમે અને ઉપયોગી લાગે એમ માની મારા બ્લોગ પર ડૉ. શશીકાન્ત શાહ અને ઉત્તમભાઈ ગજ્જરના સૌજન્યથી મુકું છું.

એકસઠમા વર્ષમાં પ્રવેશ વેળા…..

–ડૉ. શશીકાન્ત શાહ

‘‘બરાબર વીસ વર્ષ પુર્વે મેં મારી આ જ કૉલમમાં એક લેખ લખ્યો હતો. જેનું શીર્ષક હતું : ‘ખરું જીવન ચાળીસ પછી શરુ થાય છે – લાઈફ બીગીન્સ એટ ફોર્ટી’– અગીયારમી માર્ચે હું જીન્દગીની સફરનાં સાઠ વર્ષ પુરાં કરી એકસઠમા વર્ષમાં પ્રવેશ્યો. જીન્દગીની પાઠશાળામાં છ દાયકા સુધી અધ્યયન કર્યા પછી હું શું શીખ્યો ? જીન્દગીએ મને શું આપ્યું ? મેં સમાજને શું આપ્યું ? જીવનના ટર્નીંગ પૉઈન્ટ ઉપર સહેજ થોભીને પસાર થઈ ગયેલો માર્ગ પુન: અવલોકતાં પુર્ણ સંતોષની લાગણી જન્મે છે. પૅવેલીયનમાં પાછા ફરવાની વેળાએ ખેલાડીને એવો અહેસાસ થાય કે, ‘હું મારી ઈનીંગ ખુબ સારી રીતે રમ્યો,’ તો એનાથી વીશેષ બીજું શું જોઈએ ?)

♦●♦

હાર્વર્ડ યુનીવર્સીટીના મનોચીકીત્સક જ્યોર્જ વેઈલન્ટે પાંત્રીસ વર્ષ સંશોધન કરીને એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની કોશીશ કરી કે પ્રસન્નતાપુર્વક વૃદ્ધત્વ તરફ ગતી કરવાનો માર્ગ કયો છે ? માત્ર લાંબું–દીર્ઘ જીવન નહીં; સુખી જીવન જીવવામાં આપણને કયાં પરીબળો મદદરુપ બને છે ? ૧૯૩૭માં હાર્વર્ડ યુનીવર્સીટીના બે સંશોધકે બસો અડસઠ પુરુષ સ્નાતકોને કેન્દ્રમાં રાખીને એક અભ્યાસ હાથ ધર્યો, જે અંતર્ગત પ્રસન્નતાપુર્વક, આનંદની અવસ્થા જાળવી રાખીને વૃદ્ધત્વ તરફ આગળ વધવામાં કયાં પરીબળો મદદરુપ બને છે તે જાણવાનો ઈરાદો હતો. પાંત્રીસ વરસ સુધી ચાલેલું આ સંશોધન, માણસને સુખી, સંતોષી વૃદ્ધત્વ તરફ દોરી જતાં અને માંદલાં, અસંતુષ્ટ હતાશ–નીરાશ વૃદ્ધત્વથી બચાવતાં પરીબળો પર ધ્યાનાકર્ષક પ્રકાશ ફેંકે છે.

જ્યોર્જ વેઈલન્ટ નોંધે છે : આપણને પ્રસન્ન વૃદ્ધત્વ તરફ દોરી જતા કેટલાક મુદ્દા તરફ અમારું ધ્યાન ગયું છે. જીન્દગીની સફરમાં આપણને જે ખરાબ માણસો ભટકાય છે એમનો પ્રભાવ આપણા જીવન પર, આપણી પ્રસન્નતા પર ન પડે તેની કાળજી લેવી. સારા અને પ્રોત્સાહક મીત્રોની વચ્ચે જીન્દગીનો આનંદ માણતા રહેવું તે પહેલું પરીબળ છે, જે માણસને પ્રસન્નતાપુર્વક વૃદ્ધત્વ તરફ દોરી જાય છે. જેમણે આપણને દુ:ખ આપ્યું, હેરાન કર્યા, તકલીફો આપી એમને ક્ષમા આપીને માફ કરી દઈ, સારા અને સાચા મીત્રોની વચ્ચે જીવનનો આનંદ માણતા રહેવું તે આનંદમય વૃદ્ધત્વ તરફ દોરી જનારું બીજું પરીબળ છે. ‘‘ફરીયાદ છોડો, અન્યાય થયાની લાગણીથી બચો, ‘બધાએ મળીને મને ખુબ ત્રાસ આપ્યો’ એવી મનોગ્રંથીમાંથી બહાર નીકળો અને સંતોષપ્રદ અનુભવોને ધ્યાનમાં લઈ એકસઠમા વર્ષમાં દબદબાભેર, ભવ્યતાથી પ્રવેશ કરો. પ્રવેશદ્વાર પર નવી ખુશીઓ અને નવા મીત્રો તમને આવકારવા આતુર થઈને ઉભા છે,’’ એવું જ્યોર્જ વેઈલન્ટનું અવલોકન ધ્યાને લેવા જેવું ગણાય.

આનંદપ્રદ વૃદ્ધત્વ તરફ દોરી જનારું ત્રીજું તત્ત્વ છે, ‘યુવાન મીત્રો, યુવાન સંતાનો, શૈશવ માણી રહેલાં પૌત્ર–પૌત્રીઓ અને પરીવારનાં પ્રેમાળ સ્વજનો.’ જ્યોર્જની સલાહ છે કે, ‘જે મીત્રો છુટી ગયા છે એમને માટે, એમની પાછળ રડવાનું માંડી વાળી, જેમણે નવા મીત્રો શોધ્યા, સમવયસ્ક સાથીદારોના સાંન્નીધ્યમાં જીવનનો સાત્ત્વીક આનંદ શોધવાની કોશીશ કરી, તેઓ ફાવ્યા અને પ્રસન્ન ચહેરે એકસઠમા વર્ષમાં પ્રવેશવા ધનભાગી બન્યા. કડવા અનુભવોને ભુલાવી દો, બેવફાઈ આચરનારા, દ્રોહ કરનારા, વીશ્વાસઘાતી મીત્રો, સાથીદારો, સંબંધીઓનું નામ હોઠો પર લાવવાની ભુલ કરશો નહીં. એમને પાછળ છોડી દઈને, ભુલી જઈને, જીન્દગીની સફરમાં પ્રસન્નતા જાળવી રાખીને આગળ વધો.’

ની:સ્વાર્થ, નક્કર, સર્જનાત્મક સામાજીક પ્રવૃત્તીઓમાં જેઓ પોતાની જાતને જોડી શક્યા, સાઠ વર્ષ સુધી સમાજ પાસેથી જેમણે ઘણું મેળવ્યું, એમાંનું થોડુંક ૠણ ચુકવવા જેમણે કૉમ્યુનીટી–સર્વીસને પોતાના શેષ જીવનનું કેન્દ્રબીંદું બનાવ્યું તેઓ રુઆબભેર, આત્મગૌરવ સાથે સાઠ વર્ષ પુરાં કરી એકસઠમા વર્ષમાં પ્રવેશી શક્યા. આ તબક્કે સત્તા નહીં, રાજકારણ નહીં, આનંદ–કારણ જીવનનું મુખ્ય લક્ષ્ય બને. માણસ વીસમા વર્ષે પણ વૃદ્ધ હોઈ શકે છે. જે વીષાદગ્રસ્ત છે તે વૃદ્ધ છે. જે હીંમત હારી ચુક્યો છે, જેણે જીન્દગીના ખેલમાં રમ્યા વગર જ હાર સ્વીકારી લીધી છે તે વીસમા કે ત્રીસમા વર્ષે પણ વૃદ્ધત્વનો અનુભવ કરી શકે છે. જે સ્ફુર્તી ધરાવે છે, આનંદમાં રહે છે, થાક્યા વગર ચાલી શકે છે, દોડી શકે છે, મીત્રોની મહેફીલમાં સામેલ થઈને ગીત ગાઈ શકે છે, નાચી શકે છે, હસી શકે છે તે નેવુંમા વર્ષે પણ યુવાન છે–યુવાન રહેવા સર્જાયેલો છે.

સાઠ વર્ષ પુર્ણ કર્યાં પછી આપણી પાસે કંઈ હોતું નથી એવું કોણે કહ્યું ? આ તબક્કે આપણી પાસે વીકલ્પો હોય છે, પસંદગીની ભરપુર તકો હોય છે. હકીકતોનો સ્વીકાર કરો, વાસ્તવીકતાને સ્વીકારો. એવી પરીસ્થીતી કે જેને તમે બદલી શકતા નથી, એવા માણસો જેમને તમે કદીયે બદલી શકવાના નથી એ હકીકતોને તમે સ્વીકારી લો. પરીસ્થીતી પર આપણો કાબુ હોતો નથી, કબુલ; પરંતુ પ્રતીકુળ સંજોગોને કેવો પ્રતીભાવ આપવો તેની પસંદગી આપણી પાસે હમેશાં હોય છે. જ્યારે આપણે ચીંતા કરીએ છીએ ત્યારે આપણી ઉર્જા ખર્ચાય છે–વપરાય છે અને આપણે નીર્બળ બનીએ છીએ. ચહેરા પરનું સ્મીત ખોવાઈ જાય છે. જ્યારે આપણે વાસ્તવીકતા સ્વીકારીને, સંજોગો સાથે ઝઘડવાનું બંધ કરીએ ત્યારે ઉર્જાનો સંચય થાય છે. ઉર્જાનું સર્જન પણ થાય છે. તમે જ્યારે એવું વીચારો છો કે, ‘હું મારા જીવનના ચાર્જમાં છું. મારા જીવન પર, મારા નીર્ણયો પર મારો કાબુ છે. હું મારી ભુલો, મારી મર્યાદાઓ અને મારી તાકાત, શક્તીને ઓળખવા જેટલો, સ્વીકારવા જેટલો અને જરુર પડે તો સુધારવા જેટલો પુખ્ત અને સમજદાર પણ છું. હવે પછી સઘર્ષ નહીં; સંવાદ મારું લક્ષ્ય હશે, મારુ ધ્યેય હશે અને તેને અનુરુપ હું મારા જીવનને ગોઠવીશ,’ ત્યારે તમે સ્વસ્થ અને પ્રસન્ન ચીત્તે એકસઠમા વર્ષમાં પ્રવેશવાના હક્કદાર બનો છો.

એકસઠમાં વર્ષમાં પ્રવેશ કરતી વેળા હું કેવી લાગણી અનુભવું છું ? પુર્ણ સંતોષની લાગણી અનુભવવા સાથે મારે ઉમેરવું જોઈએ કે જીન્દગીની પાઠશાળામાંથી ખુબ મહત્ત્વના કહી શકાય એવા ઘણા પાઠો હું શીખ્યો છું, શીખી રહ્યો છું. ‘જે સાથે છે, તે સાથે નથી; સામે છે,’ એવા અનુભવો મને એટલી બધી વાર થયા છે કે હવે એવો એકાદ વધુ અનુભવ ઉમેરાય તો આઘાત લાગતો નથી, રમુજ જન્મે છે ! ‘મારે કંઈ જ મેળવવું નથી, કંઈ જ જોઈતું નથી,’ એવા નીર્ધાર સાથે જીવન જીવવાની ‘બાદશાહી’ હું માણી શક્યો. તમે જ્યારે અપેક્ષા રાખો છો, યાચના કરો છો, કંઈક મેળવવા માટે જીવો છો, સમાધાન કરો છો; ત્યારે તમે તમારી જીન્દગીના માલીક રહેતા નથી. તમે બીજાને ખુશ રાખવા માટે, રાજી રાખવા માટે, બીજાની મહેરબાની મેળવવા માટે જીવો છો. ત્યારે તમારું આત્મગૌરવ પણ હણાય છે, ચહેરો નીસ્તેજ બની જાય છે અને તમે મનની પ્રસન્નતા ગુમાવીને વીષાદગ્રસ્ત બનો છો. કંઈ પણ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર તથા જે કંઈ થોડુંઘણું મળ્યું હોય તે ગુમાવવાની તૈયારી રાખીને પોતાની રીતે, સમાધાનો કર્યા વગર જીવન જીવવાની એક મઝા છે, એક આનંદ છે અને તે આનંદ સાઠ વર્ષ સુધી પ્રત્યેક ક્ષણે મેં માણ્યો છે.

એસઠમા વર્ષમાં પ્રવેશતી વેળા વીચાર કરું છું : જીવનમાં મારી શ્રેષ્ઠ ઉપલબ્ધી કઈ ? પ્રસન્ન પરીવાર, જેના હાથમાં હાથ રાખીને આનંદમય સ્થીતીમાં વૃદ્ધત્વ તરફ આગળ વધી રહ્યો છું એવી મારી જીવનસંગીની કુમુદ, જેઓ કદી સાથ ન છોડે એવા થોડાક કાયમી (પરમેનન્ટ–કન્ફર્મ્ડ !) સ્વજનો અને મીત્રો. બસ, જેની પાસે આટલી મીરાત હોય તેને આખી દુનીયાની અમીરાતનો શો ખપ ?!

: મેઘધનુષ :

મીત્રોનો સ્વાંગ રચીને ગરજવાન માણસો મને જીન્દગીમાં વારંવાર ભટકાયા. એમનો મુકામ પોતાનું કામ નીકળી જાય એટલા પુરતો; પછી તમે કોણ ને હું કોણ ? માણસોની ખુબ ઉંચી પરખ હોવાથી આવા હેતુ–સાધક ‘મીત્રો’ને મેં દીલમાં દોસ્તીનો દરજ્જો આપવાની ભુલ કદી કરી નથી. જેમને મીત્ર ગણ્યા ન હોય એમનું આવાગમન ખુશી કે વીષાદનું કારણ બની શકે નહીં. મેં મારા જીવનમાં પ્રવેશેલા મીત્રોને કદી ગુમાવ્યા નથી. મીત્રની ઓળખ જ એ છે કે જીવનમાં પ્રવેશ્યા પછી કદી બહાર નીકળતો નથી.

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકના તા. ૧૨ માર્ચ ૨૦૦૮ના અંકમાં પ્રકાશીત લેખકની કટાર ‘માણસ નામે ક્ષીતીજ’માંથી સાભાર.. ૩૦મી માર્ચ, ૨૦૦૮ના દીને પ્રકાશીત થનારા, લેખકના ‘ક્ષીતીજ’ નામના પુસ્તકમાં પણ આ લેખ સમાવાયો છે..

–ડૉ. શશીકાંત શાહ ‘એકલવ્ય’

સર્જક–સંપર્ક : 35–આવીષ્કાર રો હાઉસ, તાડવાડી, સુરત– 395 005

ફોન : (0261) 277 6011 મોબાઈલ : 98252 33110 ઈ–મેઈલ: sgshah57@yahoo.co.in

@@@

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ ત્રીજું – અંકઃ 147 – March 30, 2008

‘ઉંઝાજોડણી’માં પુનરક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

@@@@@@@@@

 

147-UNICODE-Eksath_maa_Praveshe-Dr._Shashikant_Shah-‘SeM’-30-03-2008-FINAL

ચાય અને લાગણી

નવેમ્બર 21, 2014

ચાય અને લાગણી

chai_love

 

શ્રીમતી સોમા બસુ અને ‘ધ હીન્દુ’ના સૌજન્ય અને પરવાનગીથી આ પહેલાં રજુ કરેલ પોસ્ટનો ગુજરાતી અનુવાદ

આપણે કોઈ મહાન કામ ન કરી શકીએ તો યે મસમોટી લાગણીથી નાનું સરખું કામ તો કરી શકીએ – મધર ટેરીસા

 

Sekar

આર. શેખર ફોટો પડાવતી વખતે પણ શર્ટ પહેરવાને બીલકુલ રાજી નથી. એની બંડીમાંના છીદ્ર પ્રત્યે મેં એનું ધ્યાન દોર્યું. “હા એ હું છું.” એ સાવ બેફીકરાઈથી કહે છે.

એના મોં પર મેં અણગમાનો ભાવ જોયો. એને પોતાને વીષે, એના ફેમીલી વીષે કે એના કામ વીષે વાત કરવાનું ગમતું નથી. એ અત્યંત ઓછું બોલે છે. એની ચાયની દુકાન એ બરાબર સવારે 4-30 વાગ્યે અચુક ખોલી દે છે. રાતપાળી કરતા લગભગ બે ડઝન જેટલા રખેવાળોને એ પોતાની ગરમાગરમ ચાયનો પહેલો રાઉન્ડ પીવડાવે છે. રાત્રે 11-00 વાગ્યા સુધી એ પોતાની દુકાન ખુલ્લી રાખે છે. એની દુકાનમાં રોજના 300 કપ ચાય-કોફી ઉપરાંત બીસ્કીટ, કેક, લાડુ અને બીજું ચવાણું વેચાય છે.

હા, એનો મીનાક્ષી કોફીબાર એના બે ભાઈઓ સાથે ચલાવે છે. તે લોકોમાં પ્રખ્યાત છે એટલા માટે નહીં કે એ સ્વાદીષ્ટ ચવાણુ વેચે છે. એટલા માટે પણ નહીં કે એ સેંકડો કપ ચા-કૉફીના વેચે છે, પણ શેખર પ્રખ્યાત છે એના દયાળુ સ્વભાવને લીધે.

સવારમાં દરરોજ રક્તપીત્ત પીડીત ઈસાકી એની ટ્રાઈસીકલ પર આવે છે અને એની દુકાન પાસે થોભે છે. શેખર એને પ્લાસ્ટીકના કપમાં ચાય અને બીસ્કીટ આપે છે. બંનેમાંથી કોઈ કશું બોલતું નથી. ખરેખર તેઓએ કદી કશી વાતચીત કરી જ નથી, સીવાય કે શેખરે એને એકવાર એનું નામ અને ઉંમર પુછી હતી.

શેખર કહે છે: આઠ વર્ષ પહેલાં એ છોકરો જ્યારે પહેલવહેલો આવ્યો ત્યારે મને લાગ્યું કે એણે ચાય પીવી છે, પણ એની પાસે પૈસા નથી. તે દીવસથી એ કાયમ અહીં આવે છે.

જો શેખરના જોવામાં કોઈ આવે જેને કશાકની જરુર હોય પણ ખરીદી શકતું ન હોય તો શક્ય હોય ત્યાં સુધી એ ત્યાં પહોંચી જાય છે. જેમ કે એણે જોયું કે આઠ વર્ષની શિવાથરીણી બ્લડકેન્સરથી પીડાતી હતી. એને આ બાળકી પ્રત્યે બહુ લાગણી થઈ. એનાં ગરીબ માબાપ ડૉક્ટરે કહેલ પોષક આહાર એને આપી શકે તેમ ન હતાં. ત્રણ વર્ષ પહેલાં એક સ્થાનીક મીત્રે આ બાળકીનો શેખરને પરીચય કરાવ્યો હતો. ત્યારથી શેખર એને નીયમીત દુધ અને ફળો એ હોસ્પીટલમાં હોય તો ત્યાં અથવા એના ઘરે આરામ માટે મોકલી હોય તો ઘરે પહોંચાડે છે.

એ કહે છે, “મારા બાળપણમાં મારાં માબાપ કોઈક વાર દીવસમાં એક સમયના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતાં નહીં, એ મને બરાબર યાદ છે. ભુખનું દુખ કેવું હોય તે હું જાણું છું. આપણી પાયાની જરુરીયાતો પુરી ન થઈ શકે ત્યારે કેવી મુશ્કેલી પડે છે તેનો મને અનુભવ છે.”

એને ત્રણ ઘરની માહીતી છે, જ્યાં ખાસ જરુરીયાત ધરાવતાં અનાથ બાળકો છે. આ ત્રણે ઘરોમાં દરેકને એ દર શુક્રવારે પાંચ લીટર દુધ, બન્સ અને બીજું ખાવાનું હંમેશાં નીયમીત પહોંચાડે છે. એની ચાયની દુકાન 35 વર્ષ જુની છે અને એ વીસ્તારમાં રહેતા એકેએક માણસ માટે એની દુકાન જાણીતી છે. પરંતુ શેખર જે ગુપ્ત સેવા કરે છે તે બધા જાણતા નથી.

“હું તો એક સાદો-સીધો માણસ છું. નાની સરખી સખાવત કરવાનું મને ગમે છે, કેમ કે એનાથી મને સુખ મળે છે.” એ ભારપુર્વક કહે છે. શેખર કહે છે એના અભાવગ્રસ્ત દીવસો બાદ હવે એ કંઈક આપી શકે એ સ્થીતીમાં છે. “એવા કેટલાયે માણસો છે, જેમની પાસે પુશ્કળ પૈસો છે, પરંતુ ક્યાં તો તેમની પાસે બીજાને મદદ કરવાનો સમય નથી કે તેમની એવી વૃત્તી નથી. પ્રભુ પોતાની રીતે આપણને સંપત્તી આપે છે અને આપણે બીજાને મદદ કરવા આપણી રીત શોધી લઈએ છીએ.” એ કહે છે. જુદી જુદી સ્કુલના વીદ્યાર્થીઓ સાંજે એની દુકાન આગળ ભેગા થાય છે. મોટાભાગે એમને નોટબુક, પેન, પુસ્તકો વગેરેની જરુરીયાત હોય છે. “એમને જરુરી વસ્તુઓ હું લખી લઉં છું અને પછી લાવી દઉં.” શેખર કદી રોકડા પૈસા આપતો નથી, પણ જોઈતી વસ્તુઓ લાવી આપે છે. સ્કુલની નવી ટર્મ શરુ થતાં કેટલાંયે ગરીબ માબાપ મદદ માટે શેખર પાસે આવે છે. નમ્ર અને ઓછાબોલો શેખર કદી કોઈને નીરાશ કરતો નથી. તેમને સ્કુલબેગ, યુનીફોર્મ, લંચબોક્ષ, પાણીની બોટલ વગેરે લાવી આપી મદદ કરે છે.

દુકાનની કમાણી ત્રણ ભાઈઓ વચ્ચે વહેંચવામાં આવે છે. સખાવતમાં શેખર કેટલા પૈસા વાપરે છે તેનો એ હીસાબ રાખતો નથી. “મારી પાસે જે છે તેનાથી મને સંતોષ છે, અને એનાથી ઓછામાં પણ મને ચાલી શકે. મને વધુની જરુર નથી. વધારેને હું શું કરું?” એ પુછે છે. એ બતાવે છે કે તમારી પાસે બીજાને મદદ કરવાની લાગણી માત્ર હોવી જોઈએ.

 

Chai and Love

નવેમ્બર 15, 2014

I will translate this into Gujarati and publish later.
Chai and Love

chai_love

We can do no great things, only small things with great love. –Mother Teresa
I am reprinting this article by courtacy of Soma Basu, the Deputy Editor ‘The Hindu’ syndicated from thehindu.com, Feb 15, 2014 and published on 15 February 2014 ‘Daily Good’
soma.basu@thehindu.co.in
The Hindu August 28, 2013
R.Sekar is extremely reluctant to even put on a shirt for the photograph.

Sekar

I point out to the hole in his vest. “That’s me,” he says bluntly.
I spot the frown on his face. He doesn’t like talking about himself, his family or the work he does. Extremely reticent, he sticks to his schedule of opening his tea shop on the Ponmeni Narayanan Street in S.S.Colony at 4.30 a.m. sharp and serves the day’s first round of steaming chai to about two-dozen watchmen who do night duty in the area. He runs the shop till 11 p.m. selling over 300 cups of tea, coffee and milk besides biscuits, cakes, laddus, murukkus and other savouries. Communication with customers is restricted to business only.
Yet the Meenakshi Coffee Bar which he runs with his two brothers in S.S.Colony is popular. Not for the knick-knack items it sells. Not even for the hundreds of cups of tea and coffee for which it is known. But for Sekar and his kind heartedness.
Daily morning Esaki, affected by leprosy, comes in a tricycle and stops by the tea shop. Sekar gives him tea in a disposable glass and some biscuits. The two never speak. In fact, they have never exchanged a word, except for once when Sekar asked him his name and age.
Eight years ago when he came the first time, says Sekar, I sensed he wanted to drink tea but did not have the money. “From that day, this appointment has continued uninterrupted,” he says.

If Sekar meets somebody who can not afford something, he reaches out wherever possible. For instance, he was moved by the plight of eight-year-old Sivatharini, diagnosed with blood cancer. Her poor parents cannot arrange nutritious meal for her as advised by the doctor. For the last three years, ever since Sekar was introduced to the little girl by a friend in the locality, he has been supplying milk and fruits to her whenever she is admitted to the hospital for treatment or is recuperating at home.
“I am reminded of my difficult childhood when my parents couldn’t manage even one meal a day for the family. I know what it means to starve and how difficult it is when your basic needs are not met,” he says.
Every Friday he unfailingly sends five litres of milk each along with buns and other savouries to three different Homes for special and orphaned children. The tea shop is 35 years old and is known to every resident of the area. But the silent service Sekar renders is not known to many.
“I am a simple man who wants to do little bit of charity because it gives happiness,” he insists. From days of nothing, Sekar says he has come to a position when he can give no matter how small. “There are so many people with so much money but either do not have the time or the inclination to help. God gives us in his own way and we find our ways to help others,” he says.
Quite regularly a motley group of school students gathers at his shop in the evenings. The children usually come asking for stationery items, notebooks and books. “I make a note of their requirements and get it for them.” Sekar never hands over cash but buys the item a person needs.
During the new academic session every summer, lot of poor parents turn to him for help. The soft-spoken Sekar never turns them down and helps them with the purchase of school bags, uniforms, lunch box, water bottles and any other item.
The earnings from the shop are divided among the three brothers. Sekar doesn’t keep an account of how much of his money he uses to help others.
“I am happy with what I have and can do with even less. I do not need more. What will I do?” he asks. He shows you only have to have a heart to help others

________________________________________
This article originally appeared in The Hindu.
soma.basu@thehindu.co.in

બ્લડપ્રેશર

નવેમ્બર 4, 2014

ઉપાય આપના આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. આ આપવષનો અશય માત્ર માહીતીનો છે, જાતે રોગના ઈલાજ માટે નહીં.
બ્લડપ્રેશર

બ્લડપ્રેશરમાં નીચેનાં આહારદ્રવ્યો મદદગાર બને છે.
1. ઓટ : ઓટ સારા પ્રમાણમાં સીસ્ટોલીક અને ડાયસ્ટોલીક બંને દબાણમાં ઘટાડો કરે છે. ઓટમાં દ્રાવ્ય તેમ જ અદ્રાવ્ય રેસા (ફાઈબર) હોય છે. સીલેનીયમ નામનું તત્ત્વ પણ એમાં હોય છે, જો કે આપણા શરીરને એની જરુર બહુ જ અલ્પ માત્રામાં હોય છે. સવારના નાસ્તામાં દુધમાં બનાવેલી ઓટની રાબ (પોરીજ) દરરોજ લેવાથી ડાયાબીટીસને પણ કાબુમાં રાખવામાં મદદ મળે છે.
2. પાલખ (સ્પીનીચ): સ્પીનીચમાં મેગ્નેશ્યમનું પ્રમાણ ઘણું સારું હોય છે. મેગ્નેશ્યમ બ્લડપ્રેશર નીચું લાવવામાં ઘણું અસરકારક છે. એનાથી રક્તવાહીનીઓનું પ્રસરણ થાય છે. આથી હૃદયનો બોજો ઘટે છે અને રક્તવાહીનીઓની દીવાલ પરનું દબાણ ઘટે છે. મેગ્નેશ્યમ પગની પીંડી, જાંઘ વગેરેના દુખાવામાં પણ રાહત આપે છે. લોહીના ઉંચા દબાણવાળાને એ ફરીયાદ સામાન્ય રીતે હોય છે.
3. બદામ : બદામમાં એકાંગી અસંપૃક્ત (મોનો અનસેચ્યુરેટેડ) ચરબી એટલે કે લાભદાયી કોલેસ્ટરોલ રહેલું છે. આથી હાનીકારક કોલેસ્ટરોલના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત બદામમાં સારા પ્રમાણમાં પ્રોટીન, રેસા, કેલ્સીયમ, મેગ્નેસીયમ અને વીટામીન ઈ હોય છે. બદામને એમને એમ અથવા શેકીને ખાઈ શકાય. એનાથી વજન પણ ઘટાડી શકાય.
4. સોયાબીન : સોયાબીનમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન અને વીટામીન બી સમુહ સારા પ્રમાણમાં હોય છે. એમાં સારાં એવાં શરીરને જરુરી સુક્ષ્મ તત્ત્વો પણ હોય છે. એને સોયાબીન તરીકે, સોય મીલ્કના રુપમાં અથવા ટોફુ તરીકે લઈ શકાય. હૃદયરોગ સામે રક્ષણ આપવામાં પણ એ મહત્ત્વનો ભાગ ભજવે છે.
5. લીલી ચા : ચીનમાં કહેવાય છે: ત્રણ દીવસ સુધી ખાવાનું ન મળે તો ચાલે, પણ એક દીવસ પણ ચા વીનાનો જવો ન જોઈએ. ખાસ કરીને લીલી ચા. (લીલી ચા એટલે એક પ્રકારનું સુગંધી ઘાસ થાય છે તે નહીં, જેને અંગ્રેજીમાં લેમન ગ્રાસ કહે છે, પણ ચાના છોડની ચા.) આ લીલી ચા જ શા માટે? બીજી સામાન્ય ચા તૈયાર કરતી વખતે જેટલું ઓક્સીડેશન કરવામાં આવે છે તેટલું લીલી ચાની પ્રક્રીયામાં કરવામાં આવતું નથી. આથી લીલી ચા કોલેસ્ટરોલ દ્વારા રક્તવાહીનીઓમાં થતા અવરોધ સામે રક્ષણ આપે છે. એમાં ઘણું બધું એન્ટી ઓક્સીડન્ટ હોવાથી એ વૃદ્ધત્ત્વને દુર રાખવામાં પણ સહાય કરી શકે.
6. મચ્છી : મચ્છીમાં ઓમેગા-3 નામે ચરબી હોય છે. આ ચરબી લોહીને જામી જતું અટકાવે છે. એ માટે ચરબીયુક્ત મચ્છી પસંદ કરવી જેમકે ટ્યુના, સાર્ડીન, મકરેલ, સેમન વગેરે જેમાં ઉત્તમ પોષક તત્ત્વો હોય છે. મચ્છીને ભુંજીને કે વરાળથી બાફીને ખાવી સારી, તળીને નહીં.
7. નારીયેળ (તરોફા)નું પાણી : કુદરતે આપણા માટે સરસ રીતે પેક કરીને તૈયાર કરેલું આ તાજગી આપનારું પીણું ખરેખર અમૃત સમાન છે. એમાં જરા પણ કોલેસ્ટરોલ હોતું નથી અને ઓછામાં ઓછી ચરબી હોય છે. એમાં પોટેશ્યમ અને મેગ્નેશ્યમ જેવાં મીનરલ હોય છે જે બ્લડપ્રેશરને ઓછું કરે છે. પરંતુ જો કીડનીની તકલીફ હોય તો પોટેશ્યમની અધીકતાવાળો આહાર સારો નથી. આથી એ લેતાં પહેલાં તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ જરુર લેવી.
8. ડાર્ક ચોકલેટ: ડાર્ક ચોકલેટમાં જે એક પ્રકારનું રસાયણ હોય છે તે રક્તવાહીનીઓને વીસ્તૃત કરે છે, જેથી બ્લડપ્રેશરમાં ઘટાડો થાય છે. ઑસ્ટ્રેલીયાની એડલેઈડ યુનીવર્સીટીમાં થયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી 5 મીલીલીટર જેટલું બ્લડપ્રેશર ઘટી શકે છે. ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે જે હૃદયના સ્વાસ્થ્યમાં લાભકર્તા છે. પરંતુ એનું વધુ પડતું સેવન નુકસાન કરે છે. રોજના માત્ર 2-3 ટુકડા જ પુરતા હોઈ શકે.
9. નારંગી: એમાં વીટામીન સી અને પોટેશ્યમ સારા પ્રમાણમાં હોય છે. વધુ પડતું મીઠું (નમક – સોડીયમ) લોહીના ઉંચા દબાણ માટે જવાબદાર ગણાય છે. સોડીયમથી શરીરમાં પાણીનો ભરાવો થાય છે, શરીર ફુલી જાય છે, જે પોટશ્યમથી મટી શકે છે. શરીરનાં સામાન્ય કાર્યો થતાં રહે એ માટે આહારમાં મીઠાના પ્રમાણ કરતાં પોટેશ્યમનું પ્રમાણ વધુ હોવું જોઈએ. નારંગીનો પુરેપુરો ફાયદો ઉઠાવવા માટે એનો રસ કાઢીને પીવા કરતાં આખું નારંગી ખાવું જોઈએ.
10. ચરબી વીનાનું દુધ: દુધમાં કેસીન નામનું પ્રોટીન હોય છે, જે હૃદયના રક્ષણ માટે ઉત્તમ ગણાય છે. વળી દુધમાં પોટેશ્યમ, કેલ્શ્યમ અને વીટામીન પણ ભરપુર હોય છે. ‘હાઈ બ્લડપ્રેશર અટકાવનાર ખાદ્યો’ની ભલામણ મુજબ દરરોજ 3 ગ્લાસ ચરબી રહીત દુધ પીવું લાભકારક છે.
આ દસ મુદ્દા ધ્યાનમાં રાખી એમાં જણાવેલ ખાદ્યોનો તમારા આહારમાં સમાવેશ કરવો. તેમજ વધુ પડતું મીઠું-નમક ખાવાનું છોડી દઈ તમારા શરીરના વજનને કાબુમાં રાખવાથી તમારે બ્લડપ્રેશરની ચીંતા કરવાની મટી જશે. ઉપરાંત સુપાચ્ય, સમતોલ અને આપણી પાચનશક્તી મુજબનો પ્રમાણસર આહાર લેવાનું મહત્વ્ત પણ ભુલવું ન જોઈએ.