ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
ભોંયરીંગણી એનાં પાન, થડ, ડાળી એમ બધાં જ અંગો પર કાંટા હોવાથી સંસ્કૃતમાં એને કંટકારી કહે છે. ફુલ જાંબુડીયા રંગનાં, ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. એનાં પાંચે પાંચ અંગ-મુળ, પાન, છાલ, ફુલ, ફળ દવામાં વપરાય છે.
ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમી હૃદયરોગ, અરુચી, પાર્શ્વશુળ વગેરે મટાડે છે.
(૧) ભોંયરીંગણીનાં પાકાં, પીળાં ફળ નાના મટકામાં ભરી, તેના મોં પર કપડું બાંધી ઉપર માટીનો લેપ કરી ચુલા પર ચડાવી તપાવવું. અંદરનાં ફળ કાળાં થઈ જાય ત્યારે ઉતારી ચુર્ણ બનાવી બાટલી ભરી લેવી. પા(૧/૪)થી અડધી ચમચી આ ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી ખાંસી, શ્વાસ-દમ, વરાધ-સસણી અને અજીર્ણમાં ખુબ જ ફાયદો થાય છે.
(૨) ભોંયરીંગણીનાં મુળ, ફુલ, ફળ, પાન, છાલ સાથે આખો છોડ સુકવી, ખુબ ખાંડી ચુર્ણ બનાવવું. આ ચુર્ણથી અડધા ભાગની હીંગ મેળવી ચણાના બે દાણા જેટલું ચુર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવું. આનાથી વાયુનું અનુલોમન થઈ ઉગ્ર શ્વાસ(દમ) પણ બેસી જાય છે.
(૩) ભોંયરીંગણીનો રસ બે ચમચી જેટલો દીવસમાં ત્રણ વખત મધ નાખી પીવાથી તમામ જાતના મુત્રરોગ મટે છે. ભોંયરીંગણી મુત્રલ છે.
(૪) લીલાં કે સુકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી શ્વાસ, સસણી, કફવાળી ઉધરસ, મોટી ઉધરસ, લોહીમાં કફનું વધવું વગેરે મટે છે.
(૫) પાનના ઉકાળામાં મગ પકવી રોજ ખાવાથી દમ મટે છે.
(૬) પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
(૭) દાંત દુ:ખતા હોય, દાંતમાં કૃમી થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરીયા થયો હોય તો ભોંયરીંગણીના બીનું ચુર્ણ પાણી સાથે લેવું.
(૮) ભોંયરીંગણીનો પંચાંગ સાથેનો આખો છોડ સુકવી, અધકચરો ખાંડી ૧૦ ગ્રામ ભુકો બે ગ્લાસ પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળીને પીવાથી કાયમી શરદી, કફ, ખાલી ખાંસી તેમ જ ધીમો તાવ રહેતો હોય તો તે મટે છે. વળી એનાથી દમ, સસણી-વરાધ, ખંજવાળ, કૃમી અને હૃદયરોગમાં પણ ફાયદો થાય છે.
(૯) માથામાં ટાલ પડતી હોય તો ભોંયરીંગણીનો રસ અને મધ સરખા ભાગે મીશ્ર કરી લગાવવાથી સારો ફાયદો થાય છે.
(૧૦) ભાોંયરીંગણીનું ચુર્ણ મધમાં ચાટવાથી સુકી ઉધરસ મટે છે.
(૧૧) ભોંયરીંગણીનો આખો છોડ મુળ સાથે ઉખેડી બરાબર ધોઈને છાંયડામાં સુકવી તેના ૧૦ ગ્રામ જેટલા નાના નાના ટુકડા કપડાની પોટલીમાં બાંધી મગ સાથે બાફવાથી ભોંયરીંગણીના પંચાંગના ગુણો મગમાં ઉતરશે, છતાં મગનો સ્વાદ બગડશે નહીં. એમાં આદુ, લસણ વગેરે નાખી ખાવાથી કફ છુટો પડવાથી દમ મટે છે.
(૧૨) ભોંયરીંગણીનાં બીજ સુંઘવાથી નાકમાં ખુબ જ બળતરા થાય છે, છીંકો આવે છે અને પાણી ઝરે છે.
(૧૩) ભોંયરીંગણીનાં જાંબુડીયા ફુલોનાં પીળાં પુંકેસરોને સુકવીને બનાવેલું ચણાના દાણા જેટલું બારીક ચુર્ણ મધ સાથે ચટાડવાથી નાના બાળકોની ખાંસી, શરદી અને સસણી મટે છે.
(૧૪) ભોંયરીંગણીનો રસ દહીં સાથે પીવાથી પથરી મટે છે.
(૧૫) એના રસમાં દહીં મેળવી લેપ કરવાથી માથાની ટાલ અને ઉંદરી મટે છે.
(૧૬) એનો રસ મધ સાથે સરખા ભાગે પીવાથી દમ અને કફના રોગો મટે છે.