ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 494. યાદશક્તીની જાળવણી માટે : આપણા મગજની તંદુરસ્તી અને આહારને સીધો સંબંધ છે. શાકભાજી, ફળ અને સેમન જેવી અમુક મચ્છી એ માટે ઉપયોગી હોવાનું સંશોધનોમાં જાણવામાં આવ્યું છે. દરીયાઈ વનસ્પતીનો આહારમાં સમાવેશ કરવાથી પણ યાદશક્તીની જાળવણીમાં લાભ થતો હોવાનું કહેવાય છે.
યાદશક્તીની સમસ્યા માટે ચીનમાં દરીયાઈ વનસ્પતીમાંથી દવા બનાવવામાં આવી છે, જે અસરકારક હોવાનું માનવામાં આવે છે.