ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા ૭૧૫. ઉધરસમાં કોળાનો અવલેહ : કોળું છોલી બી અને પોચો ભાગ કાઢી નાખી દોઢ કીલો જેટલું લઈ બે કીલો પાણીમાં પકાવવું. પાકે ત્યારે કપડામાં નાખી રસ નીચોવી લેવો. રસ જુદો રાખવો. પકાવેલ કોળાને ગાયના ૧૭૦ ગ્રામ ઘીમાં તાંબાના વાસણમાં મધ જેવો રંગ થાય ત્યાં સુધી શેકી, તેમાં કોળાનો જુદો રાખેલ રસ મેળવી તેમાં દોઢ કીલો ખાંડ નાખી અવલેહ તૈયાર કરવો. તેમાં પીપર, સુંઠ, જીરાનું ચુર્ણ દરેક ૪૦ ગ્રામ તેમ જ ધાણા, તમાલપત્ર, એલચી, મરી અને તજનું ચુર્ણ દરેક ૧૦ ગ્રામ નાખી ૧૫-૨૦ મીનીટ સુધી હલાવી એકત્ર કરવું. ઠંડું થાય ત્યારે તેમાં ૧૬૦ ગ્રામ મધ મેળવવું. આ અવલેહનું સેવન કરવાથી ઉધરસ મટે છે. એનાથી ઉલટી, શ્વાસ-દમ, હૃદયરોગ, રક્તપીત્ત, પીત્તજ્વર, તરસ, દાહ, પ્રદર, દુર્બળતા, ક્ષય અને આંત્રવૃદ્ધી વગેરે ઘણી તકલીફ પણ મટે છે.