ઉપાય તમારા આરોગ્ય નીષ્ણાતની સલાહ લઈને કરવા. આ આપવાનો આશય માત્ર શૈક્ષણીક છે. મારી પોસ્ટ ‘એક વીનંતી’ ખાસ જોવી. સાઈડ બારમાં ‘પૃષ્ઠો’ના હેડીંગ નીચે Indexમાં જોવાથી એ સરળતાથી મળશે.
પગના વાઢીયા-ચીરા
પગમાં ચીરા પડ્યા હોય તો એના કારણ અનુસાર નીચેના ઉપાય કરવા.
(૧) પગમાં ચીરા પડ્યા હોય અને કેમેય મટતા ન હોય તો આ ચીરામાં વડનું દુધ ભરવું.
(૨) શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સીંધવ, ગેરુ, ગોળ, ઘી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું. ઠંડુ પડ્યે બરણીમાં ભરી લેવું. સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટો બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધી કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં.
(૩) દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી, ખુબ હલાવી, એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.
(૪) લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક એક ચમચી લઇ મિકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો.
(૫) જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી, રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.
(૬) હળદર, તુલસી અને એલોવેરા(કુવારપાઠા)નો લેપ બનાવી એડી પર લગાવવો, બહુ જલદી અસર જોવા મળશે.
(૭) પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલ ભાગમાં પંદર મિનીટ મસળવું અને પછી ધોઇ દેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા મટવામાં બહુ મદદ મળે છે.
(૮) દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો. અને ચીરા પડેલી પાની ઉપર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં પાની પરના ચીરા રૂઝાઈ જશે.
(૯) પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દુધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સીંધવ મેળવી ગરમ કરવું. થોરનું દુધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું. આ તેલ પગના ચીરામાં સવાર સાંજ લગાડતા રહેવાથી થોડા દીવસમાં જ ચીરા મટી જાય છે.