આદુ
પ્રજ્ઞા વ્યાસ અને ચીમન પટેલ તરફથી મળેલા ઈમેલમાંથી ટુંકાવીને
બ્લોગ પર તા. 27-12-2021
આદુને સંસ્કૃતમાં વીશ્વભેષજ કહે છે! ભેષજ એટલે ઔષધ. મોટાભાગના લોકો આદુનો ઉપયોગ કરતા હોય છે પરંતુ દરેકની વાપરવાની રીત જુદી જુદી હોય છે. આદુનો ભોજન અને ઔષધી એમ બંને રુપે ઉપયોગ થાય છે. નાની મોટી બીમારીઓને દુર કરવા માટે આદુ ખુબ જ ગુણકારી છે. ઔષધીના રુપે આનો પ્રયોગ શરદી, ઉધરસ, તાવ, સાઈટીકા, સાંધાનો દુ:ખાવો, કબજીયાત, કાનમાં દુ:ખાવો, મોચ આવવી વગેરેમાં ફાયદાકારક છે.
સૌ પ્રથમ તાજા આદુને પીસી લો ત્યારબાદ તેને કપડામાં નીચોવીને રસ કાઢી લો અને આ રસ દરરોજ સવારમાં ઉઠીને તરત જ પી લો. આમ, જો તમે આ પ્રોસેસ સતત 15 દીવસ સુધી કરશો તો શરીરની અનેક બીમારીઓ દુર થઇ જશે.
આદુનો ઉકાળો બનાવવા માટે સુકાયેલા આદુનુ ચુર્ણ બનાવી એમાંથી ત્રણ ચમચી લઈ ચાની સાથે એક ગ્લાસ પાણીની અંદર ભેળવીને ઉકાળો અને જ્યારે પાણી ચોથા ભાગનું રહે ત્યારે તેને ગાળીને ઉપયોગમાં લો.
તાજા આદુને પીસીને જોઈન્ટ અને પેશિયો પર તેનો લેપ લગાવો અને તેની પર પટ્ટી બાંધી દો. આનાથી સાંધાનો દુ:ખાવો અને માંસપેશીમાં થતો દુ:ખાવો ઓછો થઈ જશે. લેપને ગરમ કરીને લગાવવામાં આવે તો તે વધારે અસરકારક થશે.
જો કોઈને વધારે ઉધરસ આવતી હોય અને કફ થઈ ગયો હોય તો રાત્રે સુતી વખતે દુધ સાથે આદુ ઉકાળીને પીવાથી સવારે કફ નીકળી જશે. આ પ્રક્રીયાને સતત 15 દીવસ સુધી કરવી. આદુવાળું દુધ પીધા બાદ પાણી ન પીવું.
આદુ હૃદયના ધબકારાની બીમારીમાં પણ ઉપયોગી છે.
બહુ ઓછા લોકો જાણે છે કે આદુ એક પ્રાકૃતીક પેઈન કીલર છે. આ માટે તેને આર્થરાઈટીસ અને બીજી બીમારીઓમાં ઉપચાર માટે વાપરવામાં આવે છે.
એક ચમચી સાકર નાખી સામાન્ય ચાની જેમ ધીમે ધીમે સવાર-સાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો તેમ જ કમર અને છાતીની પીડા મટે છે.
બે ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી દમ, વરાધ અને કફના રોગો મટે છે.
રસોઇમાં આદુનો છુટથી ઉપયોગ કરો. કેન્સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્સરની દવા ‘ટેકસોલ’ કરતાં આદુમાં રહેલ એક તત્વમાં કેન્સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે.
ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્સરના કોષો પર પ્રહાર કરે છે, સ્વસ્થ કોષો પર નહીં. કેમોથેરપી કરતાં આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે.
કેન્સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્ય છે. પણ હળદરના પીતરાઇ ભાઇ જેવા આદુના આ ગુણ વીશે હજુ તાજેતરમાં જ સંશોધન થયાં છે. જેના દ્વારા પુરવાર થયું છે કે કેન્સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતાં પણ આદુ વધુ અસરકારક રીતે કેન્સરની સારવાર કરી શકે છે. પરીક્ષણોમાં સાબીત થયું છે કે કેમોથેરપી કરતાં આદુ દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતાં દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે, અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્સરના કોષોને ખતમ કરે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વીપરીત અસર થતી નથી.
આપણા રોજીંદા ખોરાકમાં આદુનો નીયમીત ઉપયોગ શરીરને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વીશ્વ ઔષધી ગણાય છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષમાંથી કચરો બહાર કાઢવાની ક્રીયા અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખવો આ બન્ને ક્રીયા આદુ કરે છે.
જમતા પહેલાં આદુનો રસ પીવાથી ખુબ ફાયદા થાય છે.
૧) મસાલામાં આદુ રાજા છે.
૨) જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપન છે).
૩) ફેફસામાં કફનાં જાળાં તોડી નાખે છે.
૪) જીભ અને ગળુ નીર્મળ બનાવે છે.
૫) વધુ પ્રમાણમાં પેશાબ લાવે છે.
૬) છાતીમાંથી શરદી કાઢી નાખે છે.
૭) આમવાતના સોજા મટાડે છે.
૮) જાડાપણું (મેદ) મટાડે છે.
૯) કફ તોડે છે તથા વાયુનો કટ્ટર દુશ્મન છે.
૧૦) શીળસ મટાડનાર છે.
૧૧) દમના દર્દીને ફાયદો કરે છે
૧૨) હૃદય રોગ મટાડનાર છે.
૧૩) આદુના નીયમીત સેવનથી કેન્સર થતું નથી.
૧૪) પીત્તનું શમન કરે છે.
આદુમાં ઉડ્ડયનશીલ તેલ ૩%, તીખાશ ૮% અને સ્ટાર્ચ ૫૬% છે.
આદુ ગરમ છે તે વાત ખોટી છે.
ઓર્ગેનીક અપનાવો સ્વસ્થ જીવન જીવો
આપના મીત્રોને પણ મોકલો.