Archive for the ‘Uncategorized’ Category

દુખાવો દુર કરવા

જાન્યુઆરી 13, 2024

પગનો દુખાવો દુર કરવા આદુ, લસણ અને મીઠાની પેસ્ટ લગાવવામાં આવે છે. એમાં થોડું આદુ, લસણની ચાર કળી અને થોડું મીઠું લેવાનું હોય છે. જો એનું પ્રમાણ પોતાની પ્રકૃતી અનુસાર ન હોય અથવા સીધું ચામડી પર આ ઔષધ લગાડવામાં આવે કે છ કલાક કરતાં વધુ સમય સુધી પાટો રહેવા દેવામાં આવે તો એ ગરમ પડે છે અને આ ચીત્રમાં બતાવ્યા મુજબ ફોલ્લા થાય છે. આથી આદુ, લસણ અને મીઠાનું પ્રમાણ પોતાની પ્રકૃતીને અનુરુપ લેવું પડે, અથવા પાટો પોતાને થતી બળતરાને અનુસરી છોડી નાખવો અથવા જરુરી સમય રાખવો. અથવા સુતરાઉ કપડું મુકી તેના પર ઔષધ મુકવું અને પાટો બાંધવો, સીધું ચામડી પર મુકીને નહીં. લસણ ઘણું ગરમ છે, આથી જેમની પીત્ત પ્રકૃતી હોય એમણે કદાચ આદુ વધારે લેવું, અથવા લસણની ચાર કળીને બદલે પોતાને અનુકુળ હોય તે મુજબ ઓછું લેવું. એનાથી દુખાવો મટે છે એવો મારો અનુભવ છે.

સ્વસ્થ અને દીર્ઘ જીવન માટે જરુરી નવ પૈકી બીજી બાબત

નવેમ્બર 25, 2023

એ માટેની બીજી બાબત છે આહારનું પ્રમાણ ઘટાડવાની. સાંજના આહારમાં થોડો ઘટાડો કરવાથી શરુઆત કરી શકાય. અમેરીકાના મેડીકલ એસોસીએશનના જર્નલમાં પ્રગટ થયેલા એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે આહારમાં 25% ઘટાડો કરવાથી શરીરના તાપમાનમાં અને આહાર પહેલાંના ઈન્સ્યુલીનના પ્રમાણમાં ઘટાડો થાય છે. અમેરીકાના મેયો ક્લીનીકની ભલામણ અનુસાર શરીરનું સામાન્ય વજન જાળવી રાખવા માટે જરુરી આહાર કરતાં થોડો ઓછો આહાર લેવો, પણ જરુરી વીટામીન અને અન્ય પોષક તત્ત્વો મળી રહે તે જોવું. આ પ્રકારના આહારની એક અનીચ્છનીય અસર હાડકાં નબળાં પડે અને સ્નાયુ પોચા પડી જાય. એના ઉપાય તરીકે નીયમીત કસરત સાથે કેલ્શ્યમ અને વીટામીન ડીની ટીકડી પુરક આહાર તરકે લેવી પડે.

રીસર્ચમાં નોંધવામાં આવ્યું છે કે આહારના પ્રમાણમાં ઘટાડો કરવાથી એની સારી અસર બ્લડ પ્રેશર, રક્તશર્કરા (બ્લડસ્યુગર), શરીરમાંની ચરબીમાં ભરાવો, કોલેસ્ટ્રોલનું પ્રમાણ અને શરીરના વજન પર થાય છે. આ બધું સ્વસ્થ જીવન માણવા માટે લાભકારક છે. ઘટાડેલ આહારના પ્રમાણથી ચયાપચયની ક્રીયા ધીમી પડે છે. એનાથી હાનીકારક ફ્રી રેડીકલ્સમાં ઘટાડો થવાની શક્યતા છે. જરુર લાગે તો આહારમાં ફેરફાર કરવામાં અગત્યનાં પોષક તત્વો મળી રહે છે કે કેમ એ માટે આહાર નીષ્ણાતની મદદ લઈ શકાય.

કબજીયાતથી બચવા માટે

ઓક્ટોબર 21, 2023

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

  1. ઉપવાસ ન કરવા. નીયમીત નીશ્ચીત સમયે જમવું. એનાથી નીયમીત પેટ સાફ થઈ શકે.
  2. રેસાવાળો આહાર પસંદ કરો. એ માટે તાજાં ફળ, શાકભાજી, અને આખા અનાજનો ઉપયોગ કરો. વધુ રેસા માટે તૈયાર ઘઉંનું થુલુ (wheat bran) નાસ્તાની વસ્તુમાં કે બીજી રાંધેલી વાનગીમાં બેત્રણ ચમચી ઉમેરો.
  3. દરરોજ 8 લીટર પ્રવાહી લેવું જોઈએ જે પાણી, ફળરસ, દુધ, ચા કે સુપના રુપમાં પણ લઈ શકાય.
  4. શારીરીક પ્રવૃત્તીમાં વધારો કરો. દરરોજ 30 મીનીટની ચાલવાની, તરવાની, સાઈકલ ચલાવવાની, રમતગમતએવી કોઈ પણ કસરત કરો.
  5. કુદરતી આવેગોને રોકશો નહીં. જ્યારે પણ ઝાડાની પ્રેરણા થાય કે તરત જ એને ન્યાય આપવો.
  6. જો તમને દરરોજ નીયમીત ઝાડો ન થતો હોય તો એમાં કશું ખોટું નથી. એ કબજીયાત ન કહેવાય. કેટલાક લોકોને દીવસમાં એકથી વધુ વખત જવું પડે છે તો કેટલાકને વીકમાં ત્રણ વખત જ પેટ સાફ થાય છે.
  7. જુલાબની દવાઓ લેવાનું ટાળો. જુલાબની દવા આંતરડાની આંતરત્વચાને ઉત્તેજીત કરે છે. જુલાબની દવાઓનો સતત ઉપયોગ કબજીયાતને કાયમી કરશે. કોઈક વાર લેવી જ પડે તેમ હોય તો દીવેલ કે હરડે લઈ શકાય.

કમરના દુખાવામાં પાંચ કસરતો

માર્ચ 4, 2023

    અંગ્રેજી અંક 4 જેવો આકાર ચીત્રમાં બતાવ્યા મુજબ ચત્તા સુઈ જઈને જમણો પગ વાળીને કરો. બંને હાથ પહોળા. જમણા ઘુંટણને શરીરથી બને તેટલું દુરની તરફ લઈ જઈ હલાવતા રહો. બંને ખભા અને કમર જમીનને અડાડેલાં રાખો. આ જ રીતે ડાબા પગ વડે કરો.

    બંને હાથ અને પગ જમીન પર રાખી અંગ્રેજી A જેવો આકાર બનાવો. એને અધોમુખ શ્વાનાસન પણ કહી શકાય. જમણા હાથને જમીન પર ચીત્રમાં બતાવ્યા મુજબ ડાબી બાજુ આગળ સરકાવો. જમણો ખભો અને ડોક જમીનને અડાડી દો. આ સ્થીતીમાં થોડો સમય રહો.

    બેસીને અંગ્રેજી અક્ષર 4 જેવો આકાર બનાવવો.

    ઘુંટણ વાળીને પગ જમીન પર રાખો. લેવો હોય તો હાથનો અથવા દીવાલનો ટેકો લઈ જમણા ઘુંટણ પર ડાબો પગ ચડાવો. જમણા પગની એડી આરામપુર્વક જેટલી બને તેટલી સાથળ તરફ લઈ જવી. આ ક્રીયા પગ બદલીને પણ કરવી.

    ચીત્રમાં બતાવ્યા મુજબ જમણો પગ અને ડાબા પગની સાથળ સમાંતર રહે તેમ પગ વાળીને આડા પડો. એ માટે બંને હાથ વાળીને જમીન પર રાખવા પડશે. બીજી બાજુ પણ આ રીતે કરવું.

    અધોમુખ શ્વાનાસન

    શરીરના A-આકારમાંથી (અધોમુખ શ્વાનાસનમાંથી) આ ચીત્ર મુજબ શરીરનો આકાર બનાવો. આ સ્થીતીમાં કરોડ પર સૌથી વધુ ખેંચાણ આવે છે, આથી કમરના દુખાવામાં સારી રાહત મળે છે.  હવે ડોક નીચે નમાવી હાથો પર દબાણ લાવી કમરને ઉપરની તરફ બીજા ચીત્રમાં બતાવ્યા મુજબ વળાંક આપો. આ કસરત 8થી 10 વખત કરો.

    સાંધો ખસી જવો-એક પ્રશ્નોત્તરી

    ઓક્ટોબર 1, 2022

    મારા બ્લોગ પર સાંધો ખસી જવા બાબત નીચે મુજબ પ્રશ્નોત્તરી થઈ તે સહુની જાણ માટે મુકું છું.

    1. BRIJ Says:
      નવેમ્બર 27, 2017 પર 8:44 એ એમ (am) | જવાબ આપો   edit

    SIR SADHO KHASI JAY CHE BUT MEN KARAN MARO ACCIDENT THAYO HATO TYAR THI AAVU THAY CHE PLS SOME IDEA

    1. ગાંડાભાઈ વલ્લભ Says:
      નવેમ્બર 27, 2017 પર 11:34 પી એમ(pm) | જવાબ આપો   edit

    નમસ્તે બ્રીજ,
    મને લાગે છે કે અકસ્માત થવાથી સાંધો ખસી જતો રહેતો હોય – એટલે કે સાંધો બેસાડ્યા પછી પણ મુળ જગ્યાએ રહી શકતો ન હોય તો એનું કારણ કદાચ એક્સ રે દ્વારા જાણી શકાય કે કોઈ સારો હાડવૈદ બતાવી શકે. કારણ જાણ્યા પછી યોગ્ય ઉપાય કરી શકાય. માત્ર કોઈ દવાથી એનો ઉપાય થઈ શકતો હોય તો મને એની કશી ખબર નથી.

    1. Rajesh Doshi Says:
      જુલાઇ 22, 2022 પર 6:30 પી એમ(pm) | જવાબ આપો   edit

    બ્રિજ ભાઈ આપ એક પ્રયોગ કરી શકો છો. ઢીલો ગોળ અને ખાવાનો ચૂનો એક કાચની રકાબીમાં મિશ્ર કરો. સીધા આંગળીથી જ હલાવો. જેથી બન્નેની રાસાયણિક પ્રક્રિયાથી પેદા થતી ગરમીની સ્પર્શથી જાણ થાય. હવે તેમાં હળદર પાઉડર ઉમેરો આ મિશ્રણ તુરંતજ જે સાંધો ખસી જતો હોય  તેની પર સરખું પાથરીને લગાડી દો. ઉપર કૉટન રોલથી એટલીજ સાઈઝનો એક હિસ્સો લગાડી દો. બેથી ત્રણ મિનિટમાં સજ્જડ ચોંટી જશે. આને પાટો વીંટાળી શકાય તેમ હોય તો લગાડશો. નહિ તો સ્કિન સેફ પેપર ટેપ થી સરખું  ફિક્સ કરી લેશો. સ્નાન કરતી વખતે પાણી અડશે તો આ લેપ નીકળી જશે અથવા નિષ્ક્રિય થઈ જશે તો કાઢીને ફરી નવો લેપ ઉપર મુજબ પાથરીને લગાડી દેશો. બહુ રાહત લાગશે અને આસ્તે આસ્તે સાંધો ખસવાનું ઓછું અથવા લાંબે ગાળે થશે પછી ધીરે ધીરે બંધ થઈ જશે .

    નમસ્તે રાજેશભાઈ,
    આપની મુલ્યવાન કૉમેન્ટ બદલ ખુબ ખુબ આભાર. મને આ ઉપાયની જાણકારી ન હતી.

    લકવાના હુમલાના એકમાસ પહેલાં

    ડિસેમ્બર 4, 2021

    લકવાના હુમલાના એક માસ પહેલાં

    (વૉટ્સએપ પર મળેલા વીડીઓ પરથી)

    લકવાના હુમલાના એક માસ પહેલાં આપણને આપણું શરીર ચેતવી દે છે. લકવાનું કારણ મગજને મળતો અપુરતો ઓક્સીજન છે. મગજને લોહી પહોંચાડતી રક્તવાહીનીઓ બંધ થઈ જાય કે કોઈક કારણે ફાટી જાય ત્યારે મગજના કોષોને નુકસાન પહોંચે છે. આને કારણે શરીરનાં અંગો યોગ્ય રીતે કામ કરી શકતાં નથી. લકવાના કેસો પૈકી 80% કેસોમાં બચાવ થઈ શકે તેમ હોવા છતાં દર વર્ષે લાખો લોકો લકવાગ્રસ્ત થાય છે. 

    લકવાના હુમલાના લગભગ એક માસ પહેલાં આપણું શરીર આપણને અમુક રીતે ખતરાની ચેતવણી આપે છે. એના પ્રત્યે ધ્યાન આપવું કે નહીં તેનો આધાર આપણા પર રહે છે.  દુખાવા સાથેની હેડકી(હીકપ) એ પૈકીની એક છે. એકાએક દુખાવા સાથેની સતત હીકપ સ્ટ્રોક લગભગ આવી ચુક્યો છે એમ બતાવે છે. આ પછી માથાનો દુખાવો ચાલુ થાય તો બેધ્યાનમાં રહેશો નહીં. ગંભીર અસહનીય માથાનો દુખાવો ભવીષ્યની ભયંકર માનસીક આફત છે. માથાનો આ દુખાવો ધમનીના સોજા અને દાહને કારણે હોય છે. જો તમને આવો અસહ્ય દુખાવો થાય તો તરત જ ડૉક્ટરની મદદ લો. મોટી ઉંમરના લોકોમાં અવઢવ બહુ સામાન્ય છે. પણ કેટલીક વાર ગંભીર કારણ હોઈ શકે અને એ કોઈ રોગનું ચીહ્ન હોઈ શકે. લકવાનું કોઈપણ ચીહ્ન માલમ પડે તો તાત્કાલીક ડોક્ટરની સારવાર લેવી બહુ જ જરુરી છે.

    લકવાની શક્યતાના લક્ષણ તરીકે ખોરાકપાણી ગળવામાં તકલીફ મોટે ભાગે લકવો થયા પછી હોય છે પણ લકવો થવાનો હોય તે પહેલાં પણ આ તકલીફ હોઈ શકે. જોકે આ ચીહ્ન હંમેશાં હોય જ એવું જોવામાં આવતું નથી.

    સ્વાસ્થ્ય નીષ્ણાતોના જણાવ્યા મુજબ બેલેન્સ જાળવવાનો પ્રોબ્લેમ સ્ટ્રોકની શક્યતા જણાવે છે. એમાં સીધું ચાલી શકવાની મુશ્કેલી હોઈ શકે. આંખનો પ્રોબ્લેમ લકવા માટેનું સૌથી મોટું ચીહ્ન ગણાય. ડબલ વીઝન કે પુરેપુરો અંધાપો મગજની સમસ્યાનો નીર્દેશ કરે છે. એ બતાવે છે કે મગજને પુરતો ઓક્સીજન મળતો નથી. સ્ટ્રોકમાં બંને આંખે દેખાતું બંધ થાય એના કરતાં કોઈ એક આંખે દેખાતું બંધ થવું ઘણું સામાન્ય છે. કદાચ સ્મીત સૌથી વધુ સચોટ નીર્દેશક કહી શકાય. ચહેરો બેડોળ થવો કે આડુંઅવળું સ્મીત હોય તો તરત જ ચેતી જવું. આવું કોઈ એક લક્ષણ તરતમાં આવનાર સ્ટ્રોકનું નીર્દેશક હોઈ શકે. એક હાથમાં આવેલી નબળાઈ, ખાસ કરીને જ્યારે તમે બંને હાથ સાથે ઉંચા કરી ન શકો તો એ સ્ટ્રોક હોઈ શકે. બોલવામાં મુશ્કેલી પડતી હોય તો એ મગજને થયેલ નુકસાન દર્શાવે છે. જો આવાં કોઈ ચીહ્નો હોય તો તરત જ ડોક્ટરને મળવું. ખાસ કરીને જો તમે બંને હાથ એકી સાથે ઉંચા ન કરી શકો તો.

    ઓગસ્ટ 21, 2021

    આરોગ્ય ટુચકા 498. એસીડીટીના સાત ઉપાય

    જુલાઇ 6, 2021

    ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

    (1) સફેદ ડુંગળીને પીસી તેમાં દહીં અને સાકર મેળવી ખાવાથી એસીડીટી મટે છે. (2) દ્રાક્ષ અને નાની હરડે સરખે ભાગે લઈ સાકર મેળવી રુપીયાભાર(12 ગ્રામ)ની ગોળી બનાવી ખાવાથી એસીડીટી મટે છે. (3) કોળાના રસમાં સાકર નાખી પીવાથી એસીડીટી મટે છે. (4) ગંઠોડા અને સાકરનું ચુર્ણ પીવાથી એસીડીટી મટે છે. (5) સુંઠ, ખડી સાકર અને આમળાંનું ચુર્ણ જરુરી પાણીમાં પીવાથી એસીડીટી મટે છે. (6) અડધા લીટર પાણીમાં 1 લીંબુનો રસ અડધી ચમચી સાકર નાખી જમવાના અડધા કલાક પહેલાં પીવાથી એસીડીટી મટે છે. (7) 100થી 200 મી.લી. દુધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલાં 4-5 કાળાં મરીનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.

    આરોગ્ય ટુચકા ૭૨૯. ઉંઘ માટે બદામનું તેલ

    સપ્ટેમ્બર 14, 2020

    ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

    આરોગ્ય ટુચકા ૭૨૯. ઉંઘ માટે બદામનું તેલ : રાત્રે સુવાના એકાદ કલાક પહેલાં હુંફાળા દુધમાં ૮-૧૦ ટીપાં બદામના તેલનાં નાખી ધીમે ધીમે પીવાથી સારી ઉંઘ આવે છે. એનાથી બીજે દીવસે શરીરમાં સારી સ્ફુર્તી પણ રહે છે.

    જુલાઇ 16, 2020