રાસ્નાપંચક વાયુજન્ય રોગોમાં રાસ્નાપંચક ઉત્તમ કામ આપે છે. રાસ્ના, ગળો, એરંડાની છાલ, દેવદારુ અને સુંઠના સમાન ભાગે કરેલા અધકચરા ભુકાના મીશ્રણને રાસ્નાપંચક કહે છે. બે ચમચી રાસ્નાપંચકને બે ગ્લાસ પાણીમાં અડધો કપ પાણી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ગાળીને પીવાથી તમામ પ્રકારના વાયુજન્ય રોગો મટે છે.