સ્ત્રી ઔષધ પ્રસુતી પછી શરીર તપી જતું હોય, ધાવણ ઓછું આવતું હોય, અશક્તી અને શરીર નીસ્તેજ હોય, શરીર કૃશ થઈ ગયું હોય તો શતાવરી, જેઠીમધ અને ગળોનું સમભાગે બનાવેલા એક ચમચી ચુર્ણમાં એક ચમચી સાકર અને બે ચમચી ઘી મીશ્ર કરી સવાર-સાંજ લેવું અને ઉપર એક ગ્લાસ ઉકાળીને ઠંડું કરેલું દુધ પીવું. પ્રસુતી પછી એક મહીનો આ ઉપચાર કરવાથી ઉપરની બધી તકલીફો દુર થાય છે.