Archive for જુલાઇ 27th, 2009

ભોંયપાથરી

જુલાઇ 27, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ભોંયપાથરી પાણીવાળી-પીયત વાડીઓમાં બારે માસ થતી આ ભાજી જમીન પર પથરાયેલી હોય છે. એને ગળજીભી પણ કહે છે. એ કડવી, તીખી, શીતળ, વાયુ વધારનાર અને મળને રોકનાર છે. એનાથી કફ તથા પીત્તના રોગો, અરુચી, દમ, પ્રમેહ ચીત્તભ્રમ, વ્રણ, ઉન્માદ, હૃદયના ધબકારા વધી જવા અને શરદીમાં ફાયદો થાય છે. એનાથી રક્તવીકાર અને ચામડીના રોગો પણ મટે છે. એ માટે આંતરે દીવસે એની ભાજી ખાવી કે એના પાનનો ત્રણ ચમચી રસ સવાર-સાંજ પીવો. જુના કે વારંવાર થતા મૅલેરીયામાં ભોંયપાથરી અને અરણીના મુળનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ ફાકવાથી લાભ થાય છે.