માતા-પીતા

January 27, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

માતા-પીતા

આપણામાંથી જેમનાં માતા-પીતા હજુ જીવીત છે તેઓ બધાં જ નીચેનું લખાણ બહુ ધ્યાનથી વાંચીશું.

આપણે બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણી માતાએ પોતાના પેટમાં નવ નવ મહીના આપણને સાચવીને આપણો ભાર વેંઢાર્યો છે. એના રક્તમાંથી, માંસ-મજ્જામાંથી આપણું ઘડતર કર્યું છે. જન્મ થયા પછી પોતાની છાતીમાંથી અમૃતપાન કરાવ્યું છે. હેતથી હીચોળી તથા મીઠાં મધુરાં હાલરડાં ગાઈને, પોતે ઉજાગરા કરીને પણ આપણને નીદ્રાધીન કરાવેલા છે. પોતે ભીનામાં સુઈને આપણને કોરામાં સુવાડ્યા છે. પોતે અનેક વાર ભુખ્યા રહી આપણી ક્ષુધા તૃપ્ત કરાવી છે. અનેક પ્રયત્નો કરી આપણને બોલતાં શીખવાડ્યું છે. આપણી નાજુક નમણી આંગળીઓ પકડી પા પા પગલી માંડતાં શીખવાડ્યું છે. વહાલથી આપણને અનેક ચુમીઓ ભરી છે.

આપણે એ પણ બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણા પીતાએ પણ આપણા માટે ઘણો મોટો ભોગ જરુર આપ્યો છે. આપણને અનેક વખતે અડધી રાત્રે ઉંચકી લઈને થાબડી થાબડી સુવાડ્યા છે. પોતે થાકેલા હોય છતાં નાની મોટી ટેકરીઓ ચઢતી વખતે પોતાના મજબુત સ્કંધો પર આપણને ઉંચકી લીધા છે. પોતાના ખભા પર ચઢાવી આપણને પાણીમાં ભુસ્કા મરાવ્યા છે. પાણીમાં તરતાં શીખવાડ્યું છે. ઝાડ પર ચડતાં શીખવાડ્યું છે. સાયકલ પકડી દોડી દોડીને આપણને સાયકલ ચલાવતાં શીખવાડ્યું છે. મોટાં વાહનો ચલાવતાં શીખવાડ્યું છે. ઘુંટણીએ પડી પીઠ પર બેસાડી ઘોડો-ઘોડો રમાડ્યું છે. નાનપણમાં ફટાકડા ફોડતાં આપણે દાઝી ના જઈએ તેની અત્યંત કાળજી રાખી છે. પેટે પાટા બાંધીને પણ આપણને અત્યંત મોંઘું પણ શક્ય તેટલું ઉત્તમ શીક્ષણ આપ્યું છે. આપણી નાની મોટી માંદગી વખતે પોતાને પોષાય છે કે કેમ તેનો વીચાર પણ કર્યા વગર ગજા બહારનો ખર્ચ કરી આપણી ઉત્તમ સારવાર કરાવી છે.

     આમ માતા અને પીતા બંનેએ આપણી ઉપર અનેક ઉપકારો કર્યા છે.

આવાં આપણાં ગુણીજન માતા-પીતાનું આપણે સન્માન ના જાળવીએ, તેમને ધુત્કારીએ, અપમાન કરીએ, જાકારો આપીએ, તેમને ખાવાનું ના આપીએ, તેમની માંદગીમાં દવાદારુ ના કરાવીએ, તેમની સાથે સંબંધ ના રાખીએ કે તેમને ઘરમાંથી કાઢી મુકીએ એવું વીચારી પણ કેમ શકાય? આપણે આવું ઘોર પાપ ક્યારેય ના કરીએ. આપણે એવા હૃદયશુન્ય અને પથ્થરહૃદયના ક્યારેય ના બનીએ. આપણે એવા લાગણીવીહીન ક્યારેય ના બનીએ. આપણે એમના અનેક  ઉપકારોનો બદલો અપકારથી તો ના જ આપીએ. આપણે હંમેશાં યાદ રાખીએ કે આવું જઘન્ય કામ કરનારને કુદરત ક્યારેય માફ નથી કરતી.

 

માતા-પીતા

January 22, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

માતા-પીતા

આપણામાંથી જેમનાં માતા-પીતા હજુ જીવીત છે તેઓ બધાં જ નીચેનું લખાણ બહુ ધ્યાનથી વાંચીશું.

આપણે બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણી માતાએ પોતાના પેટમાં નવ નવ મહીના આપણને સાચવીને આપણો ભાર વેંઢાર્યો છે. એના રક્તમાંથી, માંસ-મજ્જામાંથી આપણું ઘડતર કર્યું છે. જન્મ થયા પછી પોતાની છાતીમાંથી અમૃતપાન કરાવ્યું છે. હેતથી હીચોળી તથા મીઠાં મધુરાં હાલરડાં ગાઈને, પોતે ઉજાગરા કરીને પણ આપણને નીદ્રાધીન કરાવેલા છે. પોતે ભીનામાં સુઈને આપણને કોરામાં સુવાડ્યા છે. પોતે અનેક વાર ભુખ્યા રહી આપણી ક્ષુધા તૃપ્ત કરાવી છે. અનેક પ્રયત્નો કરી આપણને બોલતાં શીખવાડ્યું છે. આપણી નાજુક નમણી આંગળીઓ પકડી પા પા પગલી માંડતાં શીખવાડ્યું છે. વહાલથી આપણને અનેક ચુમીઓ ભરી છે.

આપણે એ પણ બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણા પીતાએ પણ આપણા માટે ઘણો મોટો ભોગ જરુર આપ્યો છે. આપણને અનેક વખતે અડધી રાત્રે ઉંચકી લઈને થાબડી થાબડી સુવાડ્યા છે. પોતે થાકેલા હોય છતાં નાની મોટી ટેકરીઓ ચઢતી વખતે પોતાના મજબુત સ્કંધો પર આપણને ઉંચકી લીધા છે. પોતાના ખભા પર ચઢાવી આપણને પાણીમાં ભુસ્કા મરાવ્યા છે. પાણીમાં તરતાં શીખવાડ્યું છે. ઝાડ પર ચડતાં શીખવાડ્યું છે. સાયકલ પકડી દોડી દોડીને આપણને સાયકલ ચલાવતાં શીખવાડ્યું છે. મોટાં વાહનો ચલાવતાં શીખવાડ્યું છે. ઘુંટણીએ પડી પીઠ પર બેસાડી ઘોડો-ઘોડો રમાડ્યું છે. નાનપણમાં ફટાકડા ફોડતાં આપણે દાઝી ના જઈએ તેની અત્યંત કાળજી રાખી છે. પેટે પાટા બાંધીને પણ આપણને અત્યંત મોંઘું પણ શક્ય તેટલું ઉત્તમ શીક્ષણ આપ્યું છે. આપણી નાની મોટી માંદગી વખતે પોતાને પોષાય છે કે કેમ તેનો વીચાર પણ કર્યા વગર ગજા બહારનો ખર્ચ કરી આપણી ઉત્તમ સારવાર કરાવી છે.

     આમ માતા અને પીતા બંનેએ આપણી ઉપર અનેક ઉપકારો કર્યા છે.

આવાં આપણાં ગુણીજન માતા-પીતાનું આપણે સન્માન ના જાળવીએ, તેમને ધુત્કારીએ, અપમાન કરીએ, જાકારો આપીએ, તેમને ખાવાનું ના આપીએ, તેમની માંદગીમાં દવાદારુ ના કરાવીએ, તેમની સાથે સંબંધ ના રાખીએ કે તેમને ઘરમાંથી કાઢી મુકીએ એવું વીચારી પણ કેમ શકાય? આપણે આવું ઘોર પાપ ક્યારેય ના કરીએ. આપણે એવા હૃદયશુન્ય અને પથ્થરહૃદયના ક્યારેય ના બનીએ. આપણે એવા લાગણીવીહીન ક્યારેય ના બનીએ. આપણે એમના અનેક  ઉપકારોનો બદલો અપકારથી તો ના જ આપીએ. આપણે હંમેશાં યાદ રાખીએ કે આવું જઘન્ય કામ કરનારને કુદરત ક્યારેય માફ નથી કરતી.

 

Sleep

January 19, 2012

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Sleep: (Over limit): We generally need seven to eight hours sleep. If it is more than that, then it is no good for health. (1) Put some well ripe Baniyan leaves in a glass of water and boil until a cup of water left. Drink it when cold enough. Refrain if possible or eat very little sweets, fruits, rice, potatoes and hard to digest food items. (2) Drink a cup of black tea with lemon juice morning and evening. (3) Drink a cup of water boiled with funnel seeds morning and evening.

ક્રોધ

January 17, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

ક્રોધ

ક્રોધ એટલે કે ગુસ્સો મહા ભયંકર ચીજ છે, એ આપણે સારી રીતે જાણી લઈએ. ક્રોધ માણસને અંદરથી સળગાવી દે છે. ક્રોધ માણસ પાસે ન કરવાનું કરાવી નાખે છે. સજ્જન માણસો પણ ક્યારેક ક્રોધના માર્યા જઘન્ય કૃત્ય કરી બેસતા હોય છે. ક્રોધ આપણી તબીયત પર ખુબ જ ખરાબ અસર કરે છે. ક્રોધ માત્ર આપણા માટે જ નહીં, પણ બીજાના માટે પણ ભારે હાનીકારક છે. માટે આપણે નાછુટકે જ ક્રોધ કરીશું.

 

સંબંધો

January 14, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

સંબંધો

આપણે હંમેશાં અન્ય વ્યક્તીઓ સાથે સંબંધો જોડવાના પ્રયત્નો કરીશું – તોડવાના તો નહીં જ. કદાચ સંજોવશાત્ કોઈ વ્યક્તી સાથે બગડેલા સંબંધો સુધારવાના સંન્નીષ્ઠ પ્રયત્નો કર્યા પછી પણ એમ લાગતું હોય કે સંબંધો સુધરવાની કોઈ જ શક્યતા નથી તો આપણે સંબંધો ઓછા કરીશું, પરંતુ સંબંધો છેક તો નહીં જ કાપી નાખીએ. સંબંધો છેક કાપી નાખવાની મુર્ખામી આપણે ક્યારેય નહીં કરીએ. આત્મનીરીક્ષણ કરતાં એમ માલુમ પડે કે આપણે એક કે બે વ્યક્તીઓ સાથે સંબંધો કાપી નાખ્યા છે, તો ત્યાં સુધી કાંઈક પણ ક્ષમ્ય છે; પરંતુ જો એમ માલુમ પડે કે તેથી પણ વધુ વ્યક્તીઓ સાથે આપણે સંબંધો કાપી નાખ્યા છે, તો આપણે સમજવું જોઈએ કે આપણા મનોવ્યાપારમાં કાંઈક પાયાની ગરબડ છે, આપણને સંબંધો છેક કાપી નાખવાની કુટેવ પડી ગઈ છે, જે અક્ષમ્ય છે. બધાંને માટે ખુબ જ નુકસાનકારક છે. આપણે શક્ય તેટલી જલદીથી મનોચીકીત્સકની સલાહ લેવી જોઈએ.

તો અવશ્ય માફ કરીશું

January 9, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

તો અવશ્ય માફ કરીશું

શક્ય છે કે આપણા લાંબા જીવનકાળ દરમીયાન કોઈકે આપણી સાથે દુર્વ્યવહાર પણ કર્યો હોય. એ પણ શક્ય છે કે એક યા બીજા કારણસર તે વ્યક્તી આપણી માફી પણ માગે. આવા પ્રસંગે આપણે સાવધાન થઈ જઈશું. આપણે ખાતરી કરીશું કે તે ખરેખર શુધ્ધ ભાવનાથી આપણી માફી માગે છે કે આપણી પાસેથી પોતાનું કામ કઢાવી લેવા માટે માફી માગવાનું “નાટક” કરે છે? જો એની બદદાનત જણાય તો આપણે તેને માફી ધરાર ન જ આપીએ. એવી મુર્ખામી આપણે ના જ કરીએ. સાવધાન! પરંતુ શાંતીથી વીચારતાં એમ માલુમ પડે કે તે વ્યક્તીની શુધ્ધ દાનત છે, માફી માગવામાં તેનો કોઈ સ્વાર્થ નથી, તે વ્યક્તી ખરા અંતઃકરણથી માફી માગી રહી છે તો…..તો અને તો જ એને આપણે પણ ખરા અંતઃકરણથી માફી આપીએ, અવશ્ય આપીએ. આપણા મનમાં એ વ્યક્તી માટે ઘર કરી ગયેલી બધી જ કડવાશને એક ઝાટકે ઉડાવી દઈ તે વ્યક્તીને અત્યંત પ્રેમપુર્વક ગળે લગાવી દઈએ અને અનુભવીએ કે પર્યાવરણમાં કેટલી સુગંધ પ્રસરી રહી છે!!!

આપણને ખબર છે કે ખરા અઃકરણથી માફી માગવી ખરેખર અઘરી છે, કારણ કે તેમ કરવામાં આપણે આપણો બધો જ અહમ્ બાજુ પર મુકવાનો છે; પરંતુ આપણને એ પણ બરાબર ખબર છે કે ખરા અતઃકરણથી માફી આપવી તેથી પણ અઘરી છે; કારણ કે તેમ કરવામાં આપણે આપણા મનમાં તે વ્યક્તી માટે વ્યાપી ગયેલી બધી જ કડવાશને બાજુ પર મુકવાની છે, જે ખરેખર ખુબ જ અઘરું છે.

ક્ષમા વીરસ્ય ભુષણમ્.

આત્મનીરીક્ષણ અને માફી

January 3, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

આત્મનીરીક્ષણ અને માફી

આપણે રોજ રાત્રે સુતાં પહેલાં દીવસ દરમીયાનનો આપણો બીજાઓ પ્રત્યેનો વ્યવહાર તપાસી જઈએ. આપણે આપણા પોતાનું બારીકાઈથી નીરીક્ષણ કરીએ. આત્મનીરીક્ષણ કરીએ. આપણી જાતને ઢંઢોળીએ. આપણી જાતને તટસ્થ રીતે મુલવીએ. આપણે ભુલથી પણ કોઈને અન્યાય તો નથી કરી બેઠા ને? અને જો આત્મનીરીક્ષણ કરતાં એમ માલુમ પડે કે આપણે ભલે ભુલથી પણ કોઈને અન્યાય કરી બેઠાં છીએ તો શક્ય તેટલું જલદી, બધો જ અહમ્ છોડી, તે વ્યક્તીની ખુલ્લા દીલથી માફી માગી લઈએ. માફી માગતી વખતે આપણે કોઈ પણ જાતની શરમ કે સંકોચ ના અનુભવીએ. ખરા દીલથી માફી માગવાથી આપણે કાંઈ નાના બાપના નથી થઈ જવાના. તે વ્યક્તીના મનમાં આપણા માટે કાયમનો આદર થઈ જશે. આપણો અને તે વ્યક્તીનો સંબંધ કાયમ માટે સુધરી જશે. ખરેખર તો આપણા હૃદયના ઉંડાણમાંથી ઉદ્ભવેલા એ સુંદર વ્યવહારથી સામેની વ્યક્તીના હૃદયસીંહાસન પર આપણે આરુઢ થઈ જઈશું.

 

અહમ્

December 29, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

અહમ્

સૌ પ્રથમ તો આપણું ધાર્યું જ થવું જોઈએ તેવો આપણો મીથ્યા અહમ્ છોડીએ. આપણી જેમ બીજી વ્યક્તી પણ સાચી હોઈ શકે તે વાતનો આપણે ખેલદીલીપુર્વક સ્વીકાર કરીએ.

જો બરાબર ધ્યાનથી નીરીક્ષણ કરીશું તો જણાશે કે અહમે દુનીયાને ઘણું નુકસાન કર્યું છે. ભલભલાના સંબંધોમાં વીચ્છેદ થવા પામ્યો છે, પતી-પત્નીના સંબંધોમાં તો ખાસ.

આપણે બધાંએ સ્વ. પુ. મોટાનું નામ તો સાંભળ્યું જ છે. સ્વ. નંદુભાઈ, કે જેઓએ પુ. મોટાનું કામ તેમના દેહાવસાન પછી સુપેરે આગળ વધાર્યું હતું, તેઓ જ્યારે પુ. મોટા પાસે દીક્ષા લેવા ગયા હતા ત્યારે પુ. મોટાએ એમને કહ્યું કે

‘તમારે કોની સાથે અણબનાવ છે? જેની સાથે અણબનાવ હોય તેની પહેલાં માફી માગી આવો.’

નંદુભાઈએ પુ. મોટાને કહ્યું, ‘એ અણબનાવમાં મારો કોઈ વાંક નથી.’

પુ. મોટાએ જવાબમાં કહ્યું કે, ‘એની સાથે મારે નીસ્બત નથી. તમારો વાંક હોય કે ના હોય, તમે માફી માગો.’

(શ્રી. મોટાની મહત્તા – શ્રી. નંદુભાઈ શાહ, પાના નં. ૧)

હવે આપણે બધાંએ આ પ્રસંગ પરથી વીચાર એ કરવાનો કે પુ. મોટાએ ફરમાવ્યું કે માફી માગી આવો અને તે પણ વાંક ના હોય તો પણ!!! આપણને ખ્યાલ આવવો જોઈએ કે પુ. મોટાએ અહમ્ છોડવાનો બહુમુલ્ય પદાર્થપાઠ આપ્યો છે.

 

જો આપણે બધાં પોત પોતાનો અહમ્ છોડીએ તો અડધી દુનીયા શાંત થઈ જાય!!!

 

મેડીકલ વસીયતનામું

December 24, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

મેડીકલ વસીયતનામું

સાથે સાથે મેડીકલ વસીયતનામાની પણ વાત કરી લઈએ. છેલ્લે સુધી ડૉક્ટર ઈન્જેક્શનોના ઘોંચપરોણ કરે કે નાકમાં ટોટીઓ નાખે તે આપણને પસંદ ના હોય તો તે બાબતની મનાઈ આપણા તબીબી વસીયતનામામાં સ્પષ્ટ રીતે જણાવી દઈએ.

રાખમાં કે માટીમાં મળી જનાર આપણા દેહમાંથી મૃત્યુ બાદ કામમાં આવી શકે તેટલાં અંગોનું દાન (જેવું કે ચક્ષુદાન, કીડનીદાન, ફેફસાદાન, આંતરડાદાન, હૃદયદાન, લીવરદાન, પેનક્રીયાસદાન, દેહદાન વગેરે) કરતા જવાની ઈચ્છા હોય તો તેની સ્પષ્ટ સુચના તબીબી વસીયતનામામાં કરી દઈએ. ચાલો, અંગોના દાન માટે આપણે “શતાયુ” સંસ્થામાં આપણું નામ નોંધાવીએ. (૧લે માળે, “સમુદ્ર”, ક્લાસીક ગોલ્ડ હોટલ પાસે, સરદાર પટેલ નગર પાસે, સી. જે. રોડ, અમદાવાદ. વેબ સાઈટ: www.shatayu.org.in  ઈમેઈલ: info@shatayu.org.in ). ફોન (૦૭૯) ૬૬૧૮૯૦૦૦ (આ પુસ્તીકાના લેખકે પોતાનાં અંગોના દાન માટે આ સંસ્થામાં પોતાનું નામ નોંધાવ્યું છે.)

શબના નીકાલ માટે પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે તેવી જો કોઈ પણ રીત હોય તો તે ભુમીદાહની રીત છે. એમાં પણ ખરાબાની જમીન મળી શકે તો ઉત્તમ. જો આ ભુમીદાહની રીત પસંદ હોય તો તેનો પણ આપણે તબીબી વસીયતનામામાં ઉલ્લેખ કરી દઈશું.

કેટલાક રોગો એવા હોય છે કે તેમાંથી સાજા થવાની કોઈ જ શક્યતા નથી હોતી. તેવા સંજોગોમાં સગાંવહાલાંની પરવશતા કાયમ ભોગવવી ના પડે તથા તેમને મરતાં મરતાં પણ મારતાં જઈએ તેવી આર્થીક પરીસ્થીતીમાં આપણે મુકીએ નહીં તે માટે કાયદાની ચુંગાલમાં કોઈને પણ ફસાવું ના પડે તે રીતે જૈન મુનીઓની જેમ આપણે પણ સંથારો લઈ લઈએ.

 

Vomit

December 20, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Vomit: (1) Drinking 10 grams ginger juice and 10 grams onion juice mixed together in water may help in vomiting. (2) Crush 10 grams raisins and 10 grams coriander seeds finely and mix in water. Drink it to stop vomit caused by bile (PITTA). (3) Banana tree juice (water) mixed with honey may help in vomit. (4) 3 grams ginger powder and 3 grams GANTHODA (knotty roots and twigs of the plant piper longum) powder mixed in honey may help in vomit. (5) Make a paste of nutmeg by rubbing it on a stone with rice water and drink it to stop vomiting. (6) Take 200 ml tomato juice and add 50 grams lump sugar powder, pinch of pepper and clove powder and drink it. This may help in vomit. (7) Cinnamon may help in vomit. (Prolonged use of cinnamon should be avoided as it may cause impotencey.) (8) Two or three drops cinnamon oil in a cup of water may help in vomit. (9) Boil water adding cinnamon. Strain it and drink to stop vomiting. (10) Make ash by burning rough uppermost soft layer of whole coconut. Take a teaspoon of it with a teaspoon honey to help in vomit. (11) Taking pepper powder and common salt together may help in vomit. (12) Drinking water boiled with curry leaves may stop vomit. (13) Cut a lemon horizontally in two. Sprinkle ginger powder and rock salt on both halves and heat them up and suck its juice. This may help in vomit caused by indigestion. (14) Cut a lemon in few pieces and sprinkle sugar on them. Suck its juice to stop vomiting caused by upset stomach. (15) Boil in water coarse powder of roasted mung (a kind of pulse). Add parched rice, honey and powdered lump sugar and drink it. This may help in vomit. It also helps in burning sensation, temperature and loose motion. (16) Add flour of roasted lentil to juice of well ripe pomegranate (DADIM) and drink it to stop vomit. (17) Burn dry orange to ash. Eat it adding some honey to stop vomit. (18) Make a paste of asafoetida (HING) in water and put it on belly to stop vomit. (19) Burn whole cardamom with husk to ash and eat 1 gram of it with a teaspoon honey to stop vomit caused by excessive cough. (20) Soak tamarind in water. Crush thoroughly and strain. Drink it to stop vomit caused by excessive bile secretion (PITT). (21) Boil barley in four times water until four or five effervescence. Leave it for an hour with lid on and then strain it. Drinking this barley water may help in vomit. (22) Burn empty ear of maize to ash. Take 0.5 to 0.75 gram with honey. This may stop vomit immediately. (22)  Two to three drops of clove oil with sugar may stop vomit. (23) Pound mustard to make fine powder, add water to make thick paste and place all over belly. Place a tight bandage. This may stop vomit. (24)  A drink of water with lemon juice and sugar may stop vomit in some cases. (25) Essence of funnel seeds may help in vomit. (26) Crush and extract juice from young leaves of baniyan tree (VAD). Drinking it may stop vomit. This may help in blood vomiting also. (27) Eat myrobalan powder with honey to stop vomit. (28) To stop vomit caused by indigestion, drink two tea spoon ginger juice, two tea spoon mint juice and two tea spoon onion juice mixed together. (29) Mix one quarter teaspoon rock salt powder in a teaspoon honey and eat slowly to stop vomit. (30) Drink water mixed with crushed fresh curry leaves to stop blood vomit. (31) To stop a pregnant woman vomit give her a drink of rice water mixed with 3 grams coriander powder and 10 grams lump sugar powder.


Follow

Get every new post delivered to your Inbox.