Archive for ડિસેમ્બર 28th, 2008

કાળીપાટ

ડિસેમ્બર 28, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાળીપાટ : ભારતનાં પથરાળ જંગલોમાં કાળીપાટ ઘણી થાય છે. એને ગરમ હવામાન માફક આવે છે. અમેરીકામાં પણ ગરમ પ્રદેશોમાં એ થાય છે. કાળીપાટ ગળોના કુળની વૃક્ષો અને જમીન પર ફેલાતી વેલ છે. એનાં પાન ગળોનાં પાન જેવાં જ હૃદયાકાર હોય છે. મુળ અડધો ઈંચ જાડાં અને જમીનમાં ઉંડાં ઉતરે છે. ઔષધ તરીકે એનાં મુળનો ઉપયોગ વધુ થાય છે.

કાળીપાટ કફ અને વાતશામક, ભુખ લગાડનાર, ધાવણશુદ્ધી કરનાર, પચવામાં હળવી, મળ બાંધનાર, રક્તશોધક, તીખી અને કડવી છે. તે મંદાગ્ની, અજીર્ણ, ઝાડા, મરડો, દમ(શ્વાસ), ઉધરસ, રક્તસ્રાવ, પથરી, મુત્રાશયનો સોજો વગેરે મટાડે છે.

કાળીપાટનો ઉકાળો પથરીમાં સારું કામ આપે છે. કાળીપાટના મુળને ખાંડીને બનાવેલા એક કપ ઉકાળામાં ચપટી જવખાર મેળવી સવાર-સાંજ પીવાથી પથરી મટે છે.