ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
કાયફળ : કાયફળ કડવું, તીખું, તુરું અને ગરમ છે. એ વાયુ અને કફના રોગોમાં હીતાવહ છે. વળી એ વીર્યની શુદ્ધી કરનાર, વેદના સ્થાપન કરનાર, રુચીકારક, ખાંસી, દમ, તાવ, શરદી અને મુખરોગોનો નાશ કરે છે. અતીસાર અને ગળું સુજી જાય એમાં પણ ઉપયોગી છે. ઔષધમાં કાયફળની છાલનું ચુર્ણ વપરાય છે, જે અડધીથી પોણી ચમચી જેટલું મધ સાથે ચાટવામાં આવે છે. અથવા એક ચમચી છાલનો ભુકો કરી તેનો ઉકાળો સવાર-સાંજ પીવો.
(૧) કાયફળ, કાળા તલ અને કેસર સમાન ભાગે લઈ ગોળમાં ગોળી બનાવી લેવાથી માસીકનો દુઃખાવો મટે છે તથા માસીક સાફ આવે છે.
(૨) મધ સાથે કાયફળ લેવાથી દમમાં રાહત થાય છે.
(૩) દહીં સાથે કાયફળ લેવાથી અતીસાર મટે છે.