દ્રાક્ષાદી ચુર્ણ કાળી સુકી દ્રાક્ષ, લીંડીપીપર અને ઠળીયા કાઢેલી ખારેક સરખા ભાગે લઈ ખુબ ખાંડી બનાવેલા ચુર્ણને દ્રાક્ષાદી ચુર્ણ કહે છે. એક ચમચી જેટલું આ ચુર્ણ ઘી અને મધ (ઘી કરતાં મધ બમણું) સાથે સવાર-સાંજ લેવાથી અને જરુરી પરેજી પાળવાથી કફજ્વર, ખાંસી-ઉધરસ, તાવ અને સોજા મટે છે.