Archive for એપ્રિલ 28th, 2009

દ્રાક્ષાસવ

એપ્રિલ 28, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દ્રાક્ષાસવ ભુખ લગાડનાર, સ્ફુર્તીદાયક, શ્રમહર અને ક્ષયરોગમાં હીતકારી છે. શરીરના સુક્ષ્મ માર્ગોને ચોખ્ખા કરી ધાતુપુષ્ટીમાં સહાય કરે છે. એ ખાંસી, શ્વાસ-દમ, ઉરઃક્ષત, મંદાગ્ની અર્શ(હરસ)-મસા, ગોળો, કૃમી, કુષ્ઠ, વ્રણ, નેત્રરોગ, જીર્ણજ્વર અને અજીર્ણમાં નાનો અડધો કપ એટલે ૬-૮ ચમચી એટલા જ પાણી સાથે સવાર-સાંજ આપવામાં આવે છે. અડધો કપ દ્રાક્ષાસવ અને અડધો કપ પાણી મીશ્ર કરી જમતાં પહેલાં બપોરે અને રાત્રે પીવાથી બળ અને શરીરની કાંતીમાં વૃદ્ધી થાય છે, વજન વધે છે, શરીરની રોગપ્રતીકારક શક્તીમાં વધારો થાય છે તેમ જ હરસ, અરુચી, મંદાગ્ની, પાંડુરોગ, હૃદયરોગ, યકૃતના રોગો, કબજીયાત વગેરેમાં ઘણો ફાયદો થાય છે.