મેથી અને સુવા સમાન ભાગે મેથી અને સુવા લોઢી પર અધકચરા શેકી ભુકો કરી મીશ્રણ કરવું. સવાર, બપોર અને સાંજે એક ચમચી જેટલો આ ભુકો ચાવી જવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને અપાન વાયુ નીચે ઉતરે છે. એનાથી ખોરાકની રુચી ઉઘડે છે, અને મોળ, ચુંક, આફરો મટે છે. વાયુ દુર થતાં ખાંસી પણ મટે છે.