મોસંબી લીંબુ કરતાં મોસંબી વધુ ગુણકારી છે. એ પચવામાં ભારે છે. શરીરની સાતેય ધાતુઓને વધારી લોહીના દોષો દુર કરે છે. એ પૌષ્ટીક, હૃદય માટે ઉત્તેજક, અગ્નીને પ્રદીપ્ત કરનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, તરસ શાંત કરનાર અને ઠંડક આપનારી છે. તાવમાં મોસંબીનો રસ ઉત્તમ છે. એનાથી બાળકોની પાચનશક્તી સુધરે છે, અને ચામડીનો રંગ પણ સુધરે છે. નીયમીત પણે મોસંબી ખાવાથી રોગપ્રતીકારક શક્તી વધે છે. મોસંબી એટલે અંગ્રેજીમાં ઑરેંજ કહે છે તે.