Archive for ઓગસ્ટ 19th, 2009

મોસંબી

ઓગસ્ટ 19, 2009

મોસંબી લીંબુ કરતાં મોસંબી વધુ ગુણકારી છે. એ પચવામાં ભારે છે. શરીરની સાતેય ધાતુઓને વધારી લોહીના દોષો દુર કરે છે. એ પૌષ્ટીક, હૃદય માટે ઉત્તેજક, અગ્નીને પ્રદીપ્ત કરનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, તરસ શાંત કરનાર અને ઠંડક આપનારી છે. તાવમાં મોસંબીનો રસ ઉત્તમ છે. એનાથી બાળકોની પાચનશક્તી સુધરે છે, અને ચામડીનો રંગ પણ સુધરે છે. નીયમીત પણે મોસંબી ખાવાથી રોગપ્રતીકારક શક્તી વધે છે. મોસંબી એટલે અંગ્રેજીમાં ઑરેંજ કહે છે તે.