એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે જે લોકોએ પોતાના આહારમાં બે વર્ષ સુધી 14%નો ઘટાડો કર્યો હતો તેમની રોગપ્રતીકારક શક્તીમાં (ઈમ્યુનીટીમાં) વધારો થયેલો જોવા મળ્યો હતો, જે આપણા લોહીમાંના ઈમ્યુનીટી માટે જવાબદાર ટી-શ્વેતકણોમાં થતા વધારાને આભારીત છે.
મનુષ્યની જેમ ઉમ્મર વધે છે તેમ આપણા લોહીમાંના શ્વેતકણોમાંના ઈમ્યુન શક્તી વધારાનારા ખાસ પ્રકારના કોષ જેને ટી-કોષ કહે છે તે ઘટતા જાય છે. આના કારણે વૃધ્ધ લોકોની રોગ સામે અને ખાસ કરીને અમુક પ્રકારનાં કેન્સર સામે રક્ષણ મેળવવાની શક્તીમાં ઘટાડો થતો જાય છે. આહારમાં ઘટાડો કરવામાં આવે તો આ ઈમ્યુનીટીમાં વધારો કરવામાં મદદરુપ કોષો સંકોચાતા અટકે છે, અને ઈમ્યુનીટીમાં ઘટાડો થતો અટકી શકે.