Archive for એપ્રિલ 13th, 2024

અલ્પાહાર મદદરુપ છે.

એપ્રિલ 13, 2024

એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે જે લોકોએ પોતાના આહારમાં બે વર્ષ સુધી 14%નો ઘટાડો કર્યો હતો તેમની રોગપ્રતીકારક શક્તીમાં (ઈમ્યુનીટીમાં) વધારો થયેલો જોવા મળ્યો હતો, જે આપણા લોહીમાંના ઈમ્યુનીટી માટે જવાબદાર ટી-શ્વેતકણોમાં થતા વધારાને આભારીત છે.

મનુષ્યની જેમ ઉમ્મર વધે છે તેમ આપણા લોહીમાંના શ્વેતકણોમાંના ઈમ્યુન શક્તી વધારાનારા ખાસ પ્રકારના કોષ જેને ટી-કોષ કહે છે તે ઘટતા જાય છે. આના કારણે વૃધ્ધ લોકોની રોગ સામે અને ખાસ કરીને અમુક પ્રકારનાં કેન્સર સામે રક્ષણ મેળવવાની શક્તીમાં ઘટાડો થતો જાય છે. આહારમાં ઘટાડો કરવામાં આવે તો આ ઈમ્યુનીટીમાં વધારો કરવામાં મદદરુપ કોષો સંકોચાતા અટકે છે, અને ઈમ્યુનીટીમાં ઘટાડો થતો અટકી શકે.