Archive for એપ્રિલ 20th, 2024

આંખોનું તેજ વધારવા

એપ્રિલ 20, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

માણસ જેમ વૃદ્ધ થાય તેમ એની આંખો નબળી પડે છે. દૃષ્ટીક્ષમતા ઘટતાં ધીમે ધીમે એને ડ્રાઈવીંગ કરવામાં તથા પુરતો પ્રકાશ ન હોય ત્યારે વાંચવામાં મુશ્કેલી પડવાની શરુ થાય છે. એમાં કેસર બહુ મદદ કરી શકે છે. કેસરના ઉપયોગ દ્વારા આંખોનું તેજ 97% જેટલું વધારી શકાય છે! એ એક હકીકત છે કે આપણી આસપાસની દુનીયાની 90% માહીતી આપણે આપણી આંખોની મદદથી મેળવીએ છીએ. દૃષ્ટી નબળી પડતાં દરરોજનાં કામો કરવામાં જેમ કે સવારે ચાલવા જવું કે સમાચાર પત્ર વાંચવામાં મુશ્કેલી શરુ થાય છે.

એ ખરું કે વીજ્ઞાન અને ટેક્નોલોજીએ કરેલી પ્રગતી વડે કોન્ટેક્ટ લેન્સ અને ચશ્મા વડે એમાં રાહત મળી શકે, પણ એનાથી કંઈ દૃષ્ટીશક્તી આપણને પાછી મળી શકતી નથી, માત્ર કામચલાઉ રાહત જ આપે છે.

સિલ્વીઆ બીસ્ટી નામના વૈજ્ઞાનીકે એક કુદરતી ઉપાય આ અંગે શોધ્યો છે, જેનાથી ઉંમરના કારણે ગુમાવેલ દૃષ્ટી પાછી મળી શકે છે, અને ઉંમરના કારણે થતું વધુ નુકસાન અટકાવી શકાય છે. આ માટે કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.

એ માટે 1 કપ પાણીમાં 1 ગ્રામ કેસર નાખી ખુબ ધીમા તાપે ઉકાળવું. એકાદ મીનીટ ઉકાળ્યા પછી એને ઠંડુ પડે એટલે ગાળી લેવું. આ પછી એમાં એક ચમચી મધ નાખી સાંજે સુતાં પહેલાં પીવું. 1 કે 2 સપ્તાહમાં આ પ્રયોગથી દૃષ્ટી પાછી મળી શકે છે.

કેસરના આપ્રયોગથી બીજા લાભ પણ થાય છે. એનાથી લોહીનું પરીભ્રમણ સુધરે છે, સ્મરણશક્તીમાં ફાયદો થાય છે, સંધીવા પણ સારો થાય છે અને કોલેસ્ટ્રોલ ઘટી શકે છે, આથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

વધતી ઉંમરે દૃષ્ટીશક્તી જાળવી રાખવા 40ની ઉંમર પછી લોકોએ આ પ્રયોગ શરુ કરી દેવો જોઈએ. કેસર ઘણું ગરમ હોય છે, આથી જેની પીત્ત પ્રકૃતી હોય તેને માફક ન આવે એવું બને, આથી પ્રયોગ કરતાં પહેલાં તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.