Archive for એપ્રિલ 27th, 2024

આંજણી 

એપ્રિલ 27, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

(૧) હળદર અને લવીંગને પાણીમાં ઘસીને પાંપણ પર લગાડવાથી ત્રણ દીવસમાં આંજણી મટી જાય છે.

(૨) ચણાની દાળને વાટીને પાંપણ પર લગાડવાથી આંજણી મટે છે.

(૩) મરી પાણીમાં ઘસી આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફુટી જાય છે.

(૪) ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે.

સામાન્ય ચેપને કારણે આંજણી ન થાય એ માટે સ્વચ્છતા જાળવવી બહુ જરૂરી છે.

આંખની પાંપણ પર અને ખુણામાં ચેપ લાગે છે. ત્યારે તે ભાગ ઉપસી આવે છે. આંખની પાંપણના વાળના મુળમાં પણ ચેપ લાગે છે.

૩૦થી ૫૦ વર્ષની વચ્ચેનાં લોકો અને નાનાં બાળકોમાં આ તકલીફ જોવા મળે છે.

લક્ષણો: અસરગ્રસ્ત આંખ લાલ થાય તે આંજણીનું પહેલું લક્ષણ છે. આંજણી થઈ હોય તે ભાગ ઉપસી આવે તે અગાઉ તે જગ્યાએ દુખાવો થાય અને તે ભાગ નરમ થઈ જાય. આંખમાં ખંજવાળ આવે છે, પાંપણ સુજી જાય છે, આંખની પાંપણની ઉપર કે અંદરની બાજુ એક ફોડલી ઉપસી આવે છે.

મોટા ભાગની આંજણી તો આપમેળે જ સારી થાય છે.

કેટલીક વાર આંજણી મટાડવાની દવા લગાડવાથી પણ એ વારંવાર થતી હોય છે. અને સુર્યપ્રકાશ કે ટ્યુબલાઈટનો વધુ પડતો પ્રકાશ પણ સહન થઈ શકતો હોતો નથી.