ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
કાકડા (૧) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી કાકડા ફુલ્યા હોય તો તે મટે છે.
(૨) હળદરને મધમાં મેળવી લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે.
(૩) સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી દીવસમાં બેત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે.
(૪) પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.
(૫) એક એક ચમચી હળદર અને ખાંડ ફાકી જઈ ઉપર ગરમ દુધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.
(૬) કાકડા-ટોન્સીલ્સમાં સોજો આવે, તાવ આવે અને ખોરાક-પાણી ગળવામાં મુશ્કેલી પડે તો જેઠી મધ, કાથો અને હળદર દરેકનું અડધી ચમચી ચુર્ણ બેથી ત્રણ ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી રાહત થાય છે. સાથે સાથે સશમ્નીવટીની અને સુદર્શન ઘનવટીની એક એક ગોળી સવારે, બપોરે, સાંજે લેવી. માવાની મીઠાઈ, ફ્રીજનું ઠંડુ પાણી, ઠંડાં પીણાં, આઈસક્રીમ, શરબત, ટૉફી, ચૉકલેટ, દહીં, છાસ તેમ જ લીંબુ, આમલી, ટામેટાં જેવા ખાટા પદાર્થો બંધ કરવા. ખદીરાવટીની બે-બે ગોળી ચુસવી ખુબ જ હીતકારી છે.
(૭) કાકડા થાય તો એક દીવસ ઉપવાસ કરવો. મળશુદ્ધી માટે રાતે નાની ચમચી હરડેનું ચુર્ણ લેવું. દીવસમાં ત્રણ વખત એક કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ મેળવી ધીમે ધીમે પી જવું. સવારે ‘સુવર્ણ વસંતમાલતી’ની અર્ધી ગોળી પીસીને મધમાં ઘુંટી ચાટી જવી. ૧૧-૧૨ દીવસ આ ઉપચાર કરવાથી કાકડા મટી જાય છે.
(૮) વડ, ઉમરો, પીપળો જેવા દુધ ઝરતા ઝાડની છાલને કુટી, ઉકાળો કરીને કોગળા કરવાથી કાકડાનો સોજો મટે છે.
(૯) ટંકણખાર, ફટકડી, હળદર અને ત્રીફલાના મીશ્રણને મધમાં કાલવી કાકડા પર લગાડવાથી કાકડા મટે છે.
(૧૦) કાકડા (ટોન્સીલ્સ)માં કાકડાશીંગી હળદર સાથે આપવી. કાકડાશીંગીનો ૧ ગ્રામનો ફાંટ બનાવી દીવસમાં ત્રણ વખત પાવાથી પણ સારું પરીણામ આવે છે.
(૧૧) ઠંડા, ચીકણા અને ગળ્યા પદાર્થો બંધ કરી નાગરવેલના પાનમાં તજનો એક ટુકડો, પાંચ-સાત મરી અને તુલસીનાં સાત-આઠ પાન લઈ બીડું બનાવી સવાર-સાંજ ચાવી ચાવીને રસ ગળા નીચે ઉતારતા જવું.
(૧૨) સુકી મેથીના ઉકાળાથી કલાક-બે કલાકે કોગળા કરતા રહેવાથી ગળાના કાકડા (ટોન્સીલ) મટવાની શક્યતા છે.
(૧૩) કાકડા-ટોન્સીલ, ગળાની અંદરનો સોજો અથવા ફેરીન્જાયટીસ, સ્વરભેદ એટલે કે ગળું બેસી જવું-અવાજ બેસી જવો, મોઢાનાં અને ગળાનાં વ્રણ–ચાંદા વગેરેમાં એક કપ ઉકાળેલા પાણીમાં એક ચમચી હળદર, એક ચમચી સાકરનો ભુકો, એક ચમચી જેઠીમધનું ચુર્ણ અને પા ચમચી કાથો મીશ્ર કરી તેનો કોગળો ગળામાં ભરી રાખવો. થોડો વખત આ ઔષધને ગળામાં રાખી પી જવું. સવાર-સાંજ આ ઉપચાર કરવાથી ચાર-પાંચ દીવસમાં જ ફાયદો થઈ જશે.