ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
ત્રીકટુ : સુંઠ, લીંડીપીપર અને કાળા મરીના વજનાનુસાર સમાન ભાગે બનાવેલા ચુર્ણને ત્રીકટુ કહે છે. આ ત્રીકટુ અગ્નીને પ્રદીપ્ત કરનાર, દમ, ઉધરસ, ચામડીના વીવીધ રોગો, ગોળો-ગૅસ, પ્રમેહ, કફપ્રકોપ, સ્થુળતા-મેદ, હાથીપગુ અને પીનસ-સળેખમ મટાડે છે.
(૧) અડધીથી એક ચમચી ત્રીકટુ સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉપરની તકલીફ મટે છે. પીત્તપ્રકૃતી કે પીત્તના રોગોમાં ન લેવું.
(૨) અડધી ચમચી જેટલું ત્રીકટુ ચુર્ણ દહીં અને ગોળ સાથે ખાવાથી લાંબા સમયની જુની શરદી અને સળેખમ મટે છે.
(૩) ત્રીકટુ ચુર્ણનો લેપ ઘુંટણ પર કરવાથી ઘુંટણનો વા અને સોજો મટે છે.