ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
કફ (૧) ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી કફવૃદ્ધી મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે.
(૨) ૧૦-૧૫ ગ્રામ આદુના રસમાં મધ મેળવી પીવાથી કંઠમાં રહેલો કફ છુટો પડે છે અને વાયુ મટે છે. એનાથી હૃદયરોગ, આફરો અને શુળમાં પણ ફાયદો થાય છે, ખોરાક પ્રત્યે રુચી ઉત્પન્ન થાય છે અને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે.
(૩) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી કફ મટે છે.
(૪) છાતીમાં કફ સુકાઈને ચોંટી જાય, વારંવાર વેગપુર્વક ખાંસી આવે ત્યારે સુકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ ચોપડી મીઠાની પોટલી તપાવી શેક કરવો.
(૫) ડુંગળીના કકડા કરી ઉકાળો કરી પીવાથી કફ દુર થાય છે.
(૬) પાકી સોપારી ખાવાથી કફ મટે છે.
(૭) ફુદીનાનો તાજો રસ અથવા અર્ક કફ દુર કરે છે.
(૮) બેથી ચાર સુકાં અંજીર સવારે અને સાંજે દુધમાં ગરમ કરી ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે.
(૯) રાત્રે સુતી વખતે ૩૦-૪૦ ગ્રામ ચણા ખાઈ ઉપર ૧૦૦-૧૨૫ ગ્રામ દુધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે.
(૧૦) વેંગણ કફ મટાડે છે.
(૧૧) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કફ મટે છે.
(૧૨) કફ હોય તો પાણી થોડું ગરમ હોય તેવું પીવું.
(૧૩) વાટેલી રાઈ એકાદ નાની ચમચી સવાર સાંજ પાણીમાં લેવાથી કફ મટે છે. નાના બાળકોમાં પણ કફનું પ્રમાણ વધી જાય તો રાઈ આપી શકાય, પરંતુ એ ગરમ હોવાથી એનું પ્રમાણ બહુ ઓછું રાખવું.
(૧૪) એલચી, સીંધવ, ઘી અને મધ એકત્ર કરી ચાટવાથી કફરોગ મટે છે.
(૧૫) છાતીમાં જમા થયેલો કફ કેમેય કરી બહાર નીકળતો ન હોય અને ખુબ તકલીફ થતી હોય, જીવન-મરણનો પ્રશ્ન ઉપસ્થીત થયો હોય તો દર અડધા કલાકે રુદ્રાક્ષ પાણીમાં ઘસી મધમાં મેળવી ચાટતા રહેવાથી ઉલટી થઈ કફ બહાર નીકળી જાય છે અને રાહત થાય છે.
(૧૬) સતત ચાલુ રહેતી ઉધરસમાં કોકો પીવાથી ફાયદો થાય છે. કોકોમાં થીઓબ્રોમાઈન નામનું તત્ત્વ હોય છે જે કફ દુર કરે છે.
(૧૭) રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીનાં પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટુકડા, ત્રણ કાળાં મરી, ચણાના દાણા જેવડા આઠથી દસ હળદરના ટુકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મુકી બીડું વાળી ધીમે ધીમે ખુબ ચાવીને ખાવાથી ૧૦-૧૫ દીવસમાં કફ મટે છે.
(૧૮) ફેફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય તો જેઠીમધ(મુલેઠી) અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ ૧-૧ ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી થોડા દીવસોમાં કફ નીકળી જઈ ફેફસાં સ્વચ્છ થાય છે.
(૧૯) ઘોડાવજનું ચુર્ણ મધ સાથે લેવાથી કફમાં લાભ થાય છે.
(૨૦) સુંઠ, હરડે અને નાગરમોથ દરેક ૨૦-૨૦ ગ્રામનું બારીક ચુર્ણ બહેડાની છાલના ઉકાળામાં ખુબ ઘુંટી ૧૨૦ ગ્રામ ગોળના પાકમાં નાખી બરાબર મીશ્ર કરી ચણી બોર જેવડી ગોળીઓ બનાવવી. એને ગુડાદીવટી કહે છે. આ બબ્બે ગોળી દીવસમાં ત્રણ વાર ચુસવાથી કફના રોગો, ઉધરસ અને શ્વાસમાં ફાયદો થાય છે.
(૨૧) અરડુસી, દ્રાક્ષ અને હરડેનો સમાન ભાગે બનાવેલ અધકચરો ભુકો બેથી ત્રણ ચમચી એક ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી રક્તપીત્ત, ક્ષય, ઉધરસ, પીત્તજ્વર, કફના રોગો અને કબજીયાતમાં ફાયદો થાય છે.
(૨૨) સરખા ભાગે ફુલાવેલો ટંકણખાર, જવખાર, પીપર અને હરડેનું બારીક ચુર્ણ બનાવી, એનાથી બમણા વજનનો ગોળ લઈ પાક બનાવી ચણી બોર જેવડી ગોળી વાળવી. દીવસમાં ત્રણ વખત બબ્બે ગોળી ધીમે ધીમે ચુસવાથી ગળામાં વારંવાર થતા કફનો નાશ થાય છે. એનાથી હેડકી, દમ, ઉધરસ, શરદી, શુળ અને કફના રોગો પણ મટે છે.
(૨૩) જાવંત્રીનું ચુર્ણ ૧.૫ ગ્રામ અને જાયફળનું ચુર્ણ ૧ ગ્રામ મીશ્ર કરી એક ચમચી મધ સાથે ચાટવાથી કફના બધા રોગો મટે છે. વાયુથી થતી સુકી ઉધરસમાં પણ આ ઉપચાર એટલો જ હીતકારી છે.
(૨૪) રોજ છાતીએ તલ કે સરસવના તેલની માલીશ કરી શેક કરવાથી લોહીમાંનો કફ ઘટી જાય છે.
(૨૫) અરડુસી, આદુ અને લીલી હળદરનો ૧-૧ ચમચી રસ દીવસમાં ત્રણ વાર લેવાથી જુના કાકડા, ઉધરસ, શ્વાસ-દમ, શરદી વગેરે કફના રોગો મટે છે.
(૨૬) કફ હોય અને નાક બંધ રહેતું હોય તો દુધમાં એક ચપટી રાઈનું ચુર્ણ અને એક ચમચો સાકર નાખી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.
(૨૭) કફવૃદ્ધી થઈ હોય અને ગળામાંથી કફ પડતો હોય તો કાચો કે શેકેલો અજમો આખો કે એનું ચુર્ણ બનાવી સવાર, બપોર, સાંજ એક એક ચમચી લેવાથી લાભ થાય છે.
(૨૮) એલર્જીક અસ્થમા, કફ, શરદી, દમ-શ્વાસ અને ક્ષયના દર્દીઓએ બેથી ત્રણ ચમચી આદુનો રસ મોઢામાં કોગળાની જેમ ત્રણ-ચાર મીનીટ ભરી રાખવો. આ ઉપચાર પ્રયોગથી થતું ચીકણું મોઢું મટી જશે. આવા રોગોમાં કફ મહામહેનતે છુટો પડે છે અને કફ છુટો પડે તો એકદમ રાહત થાય છે. કફ છુટો પડવાથી ફેફસાંની શ્વાસનળીઓનો અવરોધ દુર થાય છે, આથી શ્વાસ લેવામાં તરત સારું લાગે છે. સવાર-સાંજ આ ઉપચાર કરવાથી કફના રોગોમાં ફાયદો થાય છે. મંદાગ્નીવાળાએ આદુનો આ રસ પેટમાં ઉતારી દેવો. જેનાથી ભુખ સારી લાગશે. આહાર પણ પચી જશે. પીત્તની તકલીફવાળાએ મોઢામાં ભરેલો આદુનો રસ ત્રણ-ચાર મીનીટ પછી કાઢી નાખવો. આદુના રસનો ઉપયોગ કરતી વખતે તે તાજો જ કાઢેલો હોવો જોઈએ.
(૨૯) કફ ઘણો જ નીકળતો હોય એવી ઉધરસમાં સુંઠનું બારીક ચુર્ણ પા ચમચી, મોટી એલચીનું બારીક ચુર્ણ ૧ ગ્રામ અને એટલો જ સંચળનો પાઉડર બે ચમચી મધ સાથે મીશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું. પચવામાં ભારે, ચીકણાં અને મીઠાં આહારદ્રવ્યો છોડી દેવાં તથા સુંઠ નાખીને ઉકાળેલું ઠંડું કરેલું પાણી પીવું.
(૩૦) આદુનો રસ અને મધ સરખા ભાગે લેવાથી કફ મટશે.
(૩૧) પાંચથી સાત લવીંગનું ચુર્ણ એક ચમચી મધમાં સવાર સાંજ ચાટવાથી કફના રોગો મટે છે.
કફ અને પીત્ત (૧) ૧૦૦ મીલીલીટર ગરમ પાણીમાં મીઠું નાખી પીવાથી ઉલટી થઈ કફ અને પીત્ત બહાર નીકળે છે. પછીથી ઉલટી બંધ કરવા ઘી અને ભાત ખાવાં.
(૨) ગોળ સાથે હરડે લેવાથી કફ અને પીત્ત મટે છે.
કફ અને વાયુ સ્વાદમાં તીખી, કડવી અને તુરી અરણી કફ અને વાયુ મટાડે છે. અરણી જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, સર્વાંગ સોજા ઉતારનાર, ઠંડી લાગતી હોય તો તેનું શમન કરનાર, પાંડુરોગ, રક્તાલ્પતા, મળની ચીકાશ અને કબજીયાતનો નાશ કરે છે.
અરણીના મુળ પાણીમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.
કફ અને પીત્ત : (૧) ૧૦૦ મી.લી. ગરમ પાણીમાં મીઠું નાખી પીવાથી ઉલટી થઈ કફ અને પીત્ત બહાર નીકળે છે. પછીથી ઉલટી બંધ કરવા ઘી અને ભાત ખાવાં.
(૨) ગોળ સાથે હરડે લેવાથી કફ અને પીત્ત મટે છે.
કફ અને વાયુ : સ્વાદમાં તીખી, કડવી અને તુરી અરણી કફ અને વાયુ મટાડે છે. અરણી જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, સર્વાંગ સોજા ઉતારનાર, ઠંડી લાગતી હોય તો તેનું શમન કરનાર, પાંડુરોગ, રક્તાલ્પતા, મળની ચીકાશ અને કબજીયાતનો નાશ કરે છે. અરણીના મુળ પાણીમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.
કફજ્વર મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં ૫ ગ્રામ જેટલું લેવાથી કફજ્વર મટે છે.