Archive for એપ્રિલ 18th, 2010

કૅન્સર

એપ્રિલ 18, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કૅન્સર

વધારે પડતી શેકેલી, બળી ગયેલી કે ખુલ્લી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં કાળા પડી ગયેલા ભાગમાં પોલી સાઈક્લીક એરોમેટીક હાઈડ્રોકાર્બન જમા થાય છે જે ખાવાથી કેન્સરની શક્યતા ૭૦થી ૮૦ ટકા વધી જાય છે.

(૧) કોબીજ, કોલીફ્લાવર અને સરસવ કૅન્સરમાં ઉપયોગી છે. કૅન્સરની દવા જેવાં જ કૅન્સર વીરોધી રસાયણો ફ્લાવરમાં હોય છે, જે મોટા આંતરડામાં રહેલાં કૅન્સરના જીવાણુઓનો નાશ કરે છે. એલાઈલ-આઈસોથીયોસાઈનેટ (AITC) તરીકે ઓળખાતું અા રસાયણ જ્યારે અા શાકભાજીને કાપવામાં, ચાવવામાં, રાંધવામાં કે પચાવવામાં આવે છે ત્યારે છુટું પડે છે. બ્રાસીકા વર્ગનાં શાકભાજીમાંના અા રસાયણો મોટા આંતરડામાંના કૅન્સરના જીવાણુઓની વૃદ્ધી અને કોષ વીભાજનની પ્રક્રીયાને ખતમ કરી નાખે છે. આ રસાયણ ફેફસાના કૅન્સરને રોકવામાં પણ અસરકારક છે. કૅન્સરને રોકવા માટે અા શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જરુરી છે.

(૨) કેન્સરની માત્ર શરુઆત હોય તો કાળી ગાયનું મુત્ર ૧૫ ગ્રામ સુતરાઉ કપડાથી ગાળી તેમાં ૮-૧૦ પાન કડવા લીમડાનાં અને ૮-૧૦ પાન તુલસીનાં વાટીને નાખવાં અથવા એ પાન આખાં જ ખુબ ચાવીને ખાઈ ઉપરથી મુત્ર પીવું. પ્રયોગ નીયમીત કરવાથી કેન્સર વધતું અટકે છે.

(૩) કાંચનારની છાલ અને ત્રીફલાનો ઉકાળો નીયમીત પીવાથી કેન્સરમાં ફાયદો થાય છે.

(૪) આખું અનાજ, કઠોળ, ફળફળાદી અને કોબીજ લેવાથી તેમાં રહેલ ફાઈબર કેન્સર થતું રોકે છે.

(૫) રોજ ઓછામાં ઓછાં બે ટામેટાં ખાવાથી આંતરડાં, હોજરી અને ગુદાનું કેન્સર થતું અટકાવી શકાય છે.

(૬) દરરોજ એકી સાથે થોડી થોડી કરીને આખા દીવસ દરમીયાન દોઢથી બે કીલોગ્રામ જેટલી તાજી દ્રાક્ષ ખુબ ચાવીને ખાવાનો વ્યવસ્થીત પ્રયોગ કરવાથી કેન્સર જેવો ભયંકર અસાધ્ય વ્યાધી મટી ગયાના દાખલા પણ બન્યા છે.

(૭) હળદરનો તાજો રસ એક મોટા ચમચા જેટલો અથવા હુંફાળા પાણી સાથે ૧-૧ ચમચી હળદર સવાર, બપોર, સાંજ લેવાથી પેટના અમુક પ્રકારનાં કૅન્સરમાં લાભ થાય છે.