ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
કૉલેરા
(૧) આંબાના ૨૦ ગ્રામ જેટલા મરવા વાટી દહીં સાથે લેવાથી કૉલેરામાં ફાયદો થાય છે.
(૨) કૉલેરાનો ઉપદ્રવ ચાલતો હોય તો રાત્રે ભોજન કર્યા પછી ડુંગળીના રસમાં ચણા જેટલી હીંગ ઘસી, તેમાં વરીયાળી અને ધાણા ૧-૧ ગ્રામ મેળવી પીવાથી કૉલેરાનો ભય રહેતો નથી.
(૩) કૉલેરાના હુમલા વખતે દરદીને ડુંગળીનો રસ વારંવાર આપવાથી આરામ થાય છે. કૉલેરામાં શરુઆતથી જ ૦.૧૬ ગ્રામ હીંગ મેળવીને અર્ધા અર્ધા કલાકે ડુંગળીનો રસ પીવાથી કૉલેરા મટે છે.
(૪) કૉલેરામાં શરીર ઠંડુ પડી જાય તો ડુંગળીના રસમાં આદુનો રસ તથા મરીનું ચુર્ણ મેળવીને આપવાથી પુન: ગરમી આવે છે અને દરદનો વેગ ઓછો થાય છે.
(૫) લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને લેવાથી કૉલેરામાં ઉત્તમ ફાયદો થાય છે.
(૬) જાયફળનું ૧૦ ગ્રામ ચુર્ણ ગોળમાં મેળવી ૩-૩ ગ્રામની ગોળીઓ બનાવી એક એક ગોળી અડધા અડધા કલાકે આપવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવડાવવાથી કૉલેરાના ઝાડા બંધ થાય છે.
(૭) મધ અને મીઠું પાણીમાં મેળવી પીવાથી કૉલેરાની અશક્તી અને ડીહાઈડ્રેશન મટે છે.
(૮) કારેલાનો રસ પીવાથી કૉલેરા મટે છે.