Archive for એપ્રિલ 26th, 2010

ક્ષય

એપ્રિલ 26, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ક્ષય : આસવ અને અરીષ્ટ ક્ષયમાં ખુબ જ હીતાવહ છે. ક્ષય એટલે ટી.બી.. આ વીકૃતીમાં શરીરની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી, મજ્જા અને શુક્ર આ સાતે ધાતુઓનો હ્રાસ-ક્ષય થાય છે. આથી શરીરનું વજન ઘટતું જાય છે.

(૧) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી ક્ષય મટે છે.

(૨) અશ્વગંધા, ગળો, શતાવરી, દશમુલ, બલા, અરડુસી, પુષ્કર મુળ તથા અતીસના એક ચમચા જેટલા ભુકાને બે ગ્લાસ પાણીમાં અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળી, સવાર-સાંજ બે વખત પીવાથી ક્ષયમાં લાભ થાય છે.

(૩) કોળાનો અવલેહ ખાવાથી ક્ષય મટે છે. અવલેહની લીંક https://gandabhaivallabh.wordpress.com/2009/01/16/કોળાનો-અવલેહ-અને-મુરબ્બો/)

(૪) ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ ૨૦-૩૦ ગ્રામ ખાવાથી ક્ષય અને ક્ષયની ખાંસી મટે છે.

(૫) તાજા માખણ સાથે મધ લેવાથી ક્ષયના દર્દીને ઘણો ફાયદો થાય છે.

(૬) લસણનો રસ અને અરડુસીનાં પાનનો રસ (અથવા માત્ર લસણને વાટી) ગાયના ઘી અને ગરમ દુધમાં મેળવી પીવાથી ક્ષયરોગ મટે છે.

(૭) કેળનું તાજું પાણી દર બે કલાકે એકેક કપ પીવાથી ક્ષય કાબુમાં આવી મટી જાય છે. કેળનું પાણી ૨૪ કલાક સુધી તાજું- ઉપયોગમાં લઈ શકાય તેવું રહે છે.

(૮) ક્ષયરોગી માટે દુધી અતી હીતકારી છે.

(૯) દરરોજ સીતોપલાદી ચુર્ણ દુધ કે પાણી સાથે લેવાથી ક્ષય મટે છે. અન્ય ચીકીત્સા સાથે પણ આ પ્રયોગ કરી શકાય.

(૧૦) જરુરી પ્રમાણમાં કોડીની ભસ્મનું માખણ સાથે સેવન કરવાથી ક્ષય મટે છે.

(૧૧) ટી.બી.માં તબીબી સારવાર સાથે દરરોજ સવાર, બપોર, સાંજ દુધમાં એટલું જ ચુનાનું નીતર્યું પાણી ઉમેરી પીવાથી લાભ થાય છે. કુલ પ્રમાણ રોગની ઉગ્રતા મુજબ નક્કી કરવું.

(૧૨) દરરોજ શક્ય એટલા વધુ પ્રમાણમાં કોળું ખાવાથી ક્ષય રોગ જલદી મટે છે. કોળાની બરફી પ્રાકૃતીક ચીકીત્સામાં એક અકસીર ઔષધી છે. ક્ષયરોગી પોતાની મુખ્ય ચીકીત્સા સાથે સહાયક ચીકીત્સા તરીકે પણ કોળું ઉપયોગમાં લઈ શકે. જેનાથી આશ્ચર્યજનક લાભ થાય છે. (૧૩) અરડુસીનો રસ અને ગળોનો ઉકાળો રોજ નીયમીત પીવાથી ક્ષય કાયમ માટે મટે છે.

(૧૪) સાત લીંડીપીપરને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળી પીપર સાથે પી જવું. બીજા દીવસે ૧ પીપર ઉમેરવી. એમ ૧૧ દીવસ સુધી ૧-૧ પીપર ઉમેરતા જઈ જરુર પ્રમાણે દુધ પણ વધારવું. પછી ૧-૧ પીપર ઘટાડતા જઈ ૨૧મા દીવસે મુળ સ્થીતીમાં આવી જવું. આ પ્રયોગથી ક્ષય રોગીને ખુબ લાભ થાય છે.

(૧૫) ક્ષયની સારવારમાં બીજી દવાની સાથે સાથે સમાન ભાગે મધ અને સાકર તથા મધ કરતાં અડધું ગાયનું ઘી મીશ્ર કરી ૧-૧ ચમચો દીવસમાં ત્રણેક વખત લેવાથી છએક માસમાં ફાયદો થઈ શકે.

(૧૬) ત્રણથી ચાર ચમચી ‘અશ્વગંધારીષ્ટ’ જમ્યા પહેલાં બપોરે અને રાત્રે એમાં એટલું જ પાણી નાખીને પીવો. ક્ષયની દવાઓનો કોર્સ આ સાથે ચાલુ રાખવો. અશ્વગંધારીષ્ટ શરીરના આંતરીક માર્ગોને-સ્રોતોને ચોક્ખા કરી રસ, રક્તાદી ધાતુઓના પોષણક્રમને મદદ કરી જઠરાગ્ની પણ પ્રદીપ્ત કરે છે. જેથી આહાર સારો લેવાય છે અને વજન વધવાથી શરીર પુષ્ટ બને છે. ક્ષયમાં બેથી ચાર ચમચી ‘વાસાસવ’ સવાર-સાંજ લેવાથી કફ થતો બંધ થાય છે. આ બંને ક્ષયના સહાયક ઔષધો છે.